Thursday, April 2, 2026
More
    Home Blog Page 98

    ‘એક દેશ મે દો વિધાન, દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે’: કાશ્મીરના સપૂર્ણ એકીકરણ માટે આપ્યો જીવ, તત્કાલીન કોંગ્રેસ સરકાર વિરુદ્ધ પણ રહ્યા બેબાક- વાંચો કલમ 370ના વિરોધમાં બલિદાન પામેલા શ્યામાપ્રસાદ મુખર્જી વિશે

    આજથી લગભગ 72 વર્ષ પહેલાં 1953માં, આજના જ દિવસે દેશના સૌથી કદાવર નેતાઓ પૈકીના એક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr Syama Prasad Mookerjee) રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરની (Jammu And Kashmir) તત્કાલીન સરકારની કસ્ટડીમાં હતા અને ત્યાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. કહેવાયું હતું કે, તેમને હાર્ટઅટેક આવ્યો હતો. જોકે, આજ સુધી તે વિશેની કોઈ વિશ્વસનીય માહિતી સામે નથી આવી. આ તે જ નેતા હતા, જેમણે કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે પોતાના જીવનને બલિદાન કર્યું હતું. 

    સમયના ચક્ર સાથે આગળ વધતાં 5 ઑગસ્ટ, 2019ના ઐતિહાસિક દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન પૂર્ણ થયું હતું. આ જ દિવસે કાશ્મીરમાંથી કલમ 370ને (Article- 370) કાયમી માટે હટાવીને મોદી સરકારે શ્યામાપ્રસાદ મુખર્જીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કલમ 370 હટ્યાના 6 વર્ષ બાદ આજે કાશ્મીર હરણફાળ ભરીને આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રોમાં તેના વિકાસની વાતો વળગીને આંખે આવી રહી છે. પરંતુ દેશને અખંડ રાખવા અને મા ભારતીના અસ્તિત્વને અમર રાખવા પોતાના જીવ અર્પણ કરનારા આવા બલિદાનીઓને યાદ રાખવા પણ એટલા જ જરૂરી છે. 

    કાશ્મીરના એકીકરણ માટે ઉઠાવ્યો હતો પહેલો અવાજ

    અવિભાજીત બંગાળના પૂર્વ મંત્રી અને બાદમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા ડૉ. મુખર્જી એક મુખ્ય વિપક્ષી નેતા હતા અને નેહરુ તથા તેમની કથિત સેક્યુલર રાજનીતિના આલોચક પણ હતા. તેઓ ભારતીય જનસંઘના સંસ્થાપક હતા, જે આગળ જતાં ભારતીય જનતા પાર્ટી (BJP) તરીકે વિકસી હતી. તેમની વિચારધારા પણ સ્પષ્ટ હિંદુ રાષ્ટ્રવાદની હતી. આ જ કારણ હતું કે, તેઓ નેહરુ જેવા ‘લિબરલ-સેક્યુલર’ નેતાઓના નિશાન પર આવી ગયા હતા. 

    શ્યામાપ્રસાદ મુખર્જી જમ્મુ-કાશ્મીરના પૂર્ણ એકીકરણની માંગણી કરનારા પ્રથમ વ્યક્તિ હતા. આ માટે તેમણે આંદોલન પણ શરૂ કર્યું હતું. તેમણે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને લઈને નેહરુ વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન ચલાવ્યું હતું. હિંદુ રાષ્ટ્રવાદની સાથે દેશની અખંડિતતા પર ભાર આપતા આ નેતા દેશના અન્ય સેક્યુલર નેતાઓને કણની જેમ આંખમાં ખૂંચી રહ્યા હતા. 

    કાશ્મીર સુધીની યાત્રા, ગેરકાયદેસર ધરપકડ અને મૃત્યુ

    8 મે, 1953ના રોજ સવારે 6:30 કલાકે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી દિલ્હી રેલવે સ્ટેશન પરથી કાશ્મીર યાત્રા માટે નીકળ્યા હતા. તેમની સાથે તેમના સહયોગી ગુરુ દત્ત વૈદ્ય, અટલ બિહારી વાજપેયી, ટેકચંદ, બલરાજ માધોક અને કેટલાક પત્રકારો પણ કાશ્મીર માટે નીકળ્યા હતા. તેમનો હેતુ એ હતો કે, ભારતીય નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સ્થિર થવાથી રોકતા કાયદાનો વિરોધ કરવો અને કાશ્મીર જઈને ભૂખ હડતાલ કરવી. નેહરુ દ્વારા જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જા અનુસાર, ભારતના રાષ્ટ્રપતિ સહિત કોઈપણ વ્યક્તિ ‘કાશ્મીરના વડાપ્રધાન’ની પરવાનગી વગર કાશ્મીરમાં પ્રવેશી શકે નહીં. 

    સ્પષ્ટપણે ભારતીયોને પોતાના જ દેશના એક ભાગમાં જવા માટે અટકાવવામાં આવતા હતા અને રાજ્યની અંદર જવા માટે તેમણે ફરજિયાતપણે પરમિટ કાર્ડ લેવું પડતું હતું. આ સિસ્ટમનો વિરોધ કરવા માટે મુખર્જીએ 1953માં કાશ્મીરનો પ્રવાસ કરીને આ ભેદભાવપૂર્ણ જોગવાઈઓને રદ કરવા માટેની માંગણી સાથે ભૂખ હડતાલ કરવાનો નિર્ણય કર્યો હતો. ડૉ. મુખર્જીએ પરમિટ વગર જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરીને કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. 

    તેમણે કોંગ્રેસના તે નિર્ણયનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં કાશ્મીરને વિશેષ દરજ્જો આપવો, અલગ ઝંડો અને વડાપ્રધાન આપવાની વાત કરવામાં આવી હતી. નેહરુની નીતિનો તેમણે ભરપૂર વિરોધ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ શેખ અબ્દુલ્લાના નેતૃત્વવાળી સરકારે 11 મેના રોજ વોરંટ વગર જ શ્યામાપ્રસાદ મુખર્જીની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ તેમને ખસ્તાહાલ ઘરમાં નજરકેદ કરી દીધા હતા. તેમને શ્રીનગરથી ઘણે દૂર એક ઝૂંપડીમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે, શ્યામાપ્રાસાદ મુખર્જી ઘણા લાંબા સમયથી ડ્રાય પ્લ્યુરીસી અને અન્ય કોરોનરી સમસ્યા જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમ છતાં શેખ અબ્દુલ્લાની સરકારે તેમની સાથે એક ગુનેગાર જેવો વ્યવહાર કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જમ્મુ-કાશ્મીર સરકારે તેમને એવી જગ્યા પર રાખ્યા હતા કે જ્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હતું. 

    જનસંઘના નેતાના જીવનચરિત્ર ‘શ્યામાપ્રસાદ મુખર્જી: હિઝ લાઇફ એન્ડ ટાઈમ્સ’માં તથાગત રૉયે જણાવ્યું છે કે, જૂનની શરૂઆતમાં ડૉ. મુખર્જીની તબિયત શંકાસ્પદ રીતે બગડી ગઈ હતી. તેમને એવી દવાઓ આપવામાં આવી હતી કે, જેનાથી તેમને એલર્જી હતી. વધુમાં તેમને દિવસમાં બે વખત પાવડર ખાવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું. કસ્ટડી દરમિયાન પણ તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહી હતી. ડૉ. મોહમ્મદે તેમને જે દવાઓ આપી હતી, તેના કારણે તેમને ગંભીર તાવ આવી ગયો હતો અને ત્યારબાદ તેમને નર્સિંગમાં લઈ જવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી માંગવામાં આવી હતી. 

    ત્યારબાદ મુખર્જીને નર્સિંગ હોમની જગ્યાએ 10 મીલ દૂર એક હૉસ્પિટલના સ્ત્રીરોગ વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. 23 જૂન, 1963ના રોજ પોલીસ અધિક્ષકે દત્ત અને ચાંદને જણાવ્યું હતું કે, મુખર્જીની સ્થિતિ ગંભીર છે. તે પછી બંને સહયોગીઓ વહેલી સવારે 4 વાગ્યે હૉસ્પિટલ પહોંચી ગયા હતા. હૉસ્પિટલ પહોંચતા જ અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે, ડૉ. મુખર્જીએ 3:40 કલાકે અંતિમ શ્વાસ લીધા. તેમના દેહાંતના સમાચાર પણ શંકાસ્પદ લાગતાં હતા. 

    તેમના મૃત્યુ બાદ પણ સરકારે નિયમોને નેવે મૂકીને તેમનું પોસ્ટમોર્ટમ સુદ્ધાં નહોતું કરાવ્યું. નેહરુની ગેરહાજરીમાં કાર્યવાહક વડાપ્રધાન મૌલાના આઝાદે મૃતદેહને દિલ્હી લાવવા માટેની પરવાનગી પણ નહોતી આપી. તેની જગ્યાએ મૃતદેહને સીધા કોલકાતા લઈ જવામાં આવ્યો હતો. પોલીસ કસ્ટડીમાં મુખર્જીનું અચાનક મૃત્યુ થવાથી આખા દેશના મનમાં શંકા ઊભી થવા લાગી હતી. 

    મુખર્જીની હત્યા નેહરુ અને અબ્દુલ્લા સરકારનું ષડ્યંત્ર- અટલ બિહારી વાયપેયી

    ઘણા લોકો માને છે કે મુખર્જીના મૃત્યુ પાછળ કોઈ કાવતરું હતું. તેમના મૃત્યુના સંજોગો રહસ્યમય હતા અને ઘણા પ્રશ્નો ઉભા થયા હોવા છતાં તત્કાલીન રાજકીય સત્તાઓએ ક્યારેય તેમના મૃત્યુની વિગતવાર, નિષ્પક્ષ તપાસ શરૂ કરી ન હતી. મુખર્જીના દેહાંતના દાયકાઓ પછી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરોપ લગાવ્યો હતો કે જનસંઘના સ્થાપકનું મૃત્યુ સ્વાસ્થ્ય સમસ્યાઓથી નહોતું થયું, પરંતુ તત્કાલીન જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર સરકાર વચ્ચેના કાવતરાના ભાગરૂપે તેમની હત્યા કરવામાં આવી હતી. 

    2004માં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું મૃત્યુ તત્કાલીન દિલ્હી અને કાશ્મીર સરકાર દ્વારા રચવામાં આવેલા એક મોટા કાવતરાનું ભાગ હતું. ડૉ. મુખર્જી સાથેના તેમના જોડાણ વિશે વાત કરતા વાજપેયીએ યાદ કર્યું હતું કે, કેવી રીતે તેમના પ્રયત્નો અને બલિદાનથી સરહદી રાજ્ય દેશથી અલગ ન થયું.

    ‘એક દેશ મે દો વિધાન, દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે’ના ઐતિહાસિક નારાના જનક

    શ્યામાપ્રસાદ મુખર્જી જે સમયે આંદોલન કરી રહ્યા હતા, તે સમયે હિંદુ મહાસભા અને જનસંઘ જેવા સંગઠનો રાજકીય દૃષ્ટિકોણથી એટલા પ્રભાવશાળી નહોતા, પરંતુ તેમનું એક સ્વપ્ન ચોક્કસ હતું. આ એવો સમય હતો જ્યારે વિરોધમાં ન તો પ્રતિષ્ઠા હતી કે ન તો પૈસા. મીડિયાના ચીયરલીડર્સ વિરોધના અવાજને ટેકો આપવા તૈયાર નહોતા. કોઈ શાહી સ્વાગત કે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર નહોતો. તેઓ પોતાની મરજીથી આ ક્ષેત્રમાં આવ્યા હતા અને તેમનું લક્ષ્ય ફક્ત બલિદાન હતું, તેમણે અંત સુધી ફક્ત આ જ કર્યું.  

    ડૉ. મુખર્જીએ પોતાના સ્વપ્ન માટે દરેક સરકારનો સામનો કર્યો. આ માટે તેમણે શ્રીનગર સુધીની યાત્રા કરી અને ત્યાં જ પોતાનો જીવ પણ આપ્યો. ત્યાંથી જ એક નારો પણ નીકળીને આવ્યો, એક એવો નારો જે દશકો સુધી લોકોના હ્રદયમાં ગુંજતો રહ્યો. નારો હતો– ‘એક દેશ મે દો વિધાન, દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે.’ આ નારો મુખર્જીએ કાશ્મીરીના વિશેષ દરજ્જાના વિરોધ અભિયાન દરમિયાન આપ્યો હતો અને આગળ જતાં આ જ નારો ભારતનું ભવિષ્ય પણ બન્યો હતો. 

    જોકે, મહત્વની વાત એ છે કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના મૃત્યુનું કારણ શું હતું તે કોઈ જાણતું નથી અને કદાચ ક્યારેય જાણી શકાશે પણ નહીં. જોકે, આજે દરેક ભારતીયના હૃદયમાં સંતોષની લાગણી એ છે કે, જમ્મુ અને કાશ્મીરને ભારતીય ક્ષેત્રમાં જોડવા માટે ડૉ. મુખર્જીનું બલિદાન વ્યર્થ નથી ગયું.

    ડૉ. મુખર્જીનું બલિદાન દાયકાઓથી લોકોના હૃદયમાં જીવંત છે અને હજુ પણ રહેશે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે જે સ્વપ્ન જોયું હતું તે આખરે 5 ઑગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું, જ્યારે તેમણે વિવાદાસ્પદ કલમ 370 રદ કરીને જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ કરી દીધો.

    આ ઐતિહાસિક નિર્ણય પછી જમ્મુ અને કાશ્મીર ભારત સાથે સંપૂર્ણ એકીકરણના માર્ગે આગળ વધી રહ્યું છે અને કોઈપણ ભારતીય હવે ડૉ. મુખર્જીએ કલ્પના કરી હતી તેમ, જમ્મુ અને કાશ્મીરમાં મુક્તપણે યાત્રા કરી શકે છે અને ત્યાં રહી પણ શકે છે.

    આતંકીઓને રહેવા-જમવાથી કરી આપી હતી વ્યવસ્થા, પહલગામથી 3 KM દૂર આપ્યો હતો આશ્રય: NIAની પૂછપરછમાં સ્થાનિક પરવેઝ અને બશીરની કબૂલાત

    પહલગામ આતંકી હુમલામાં ઇસ્લામી આતંકીઓને મદદ પૂરી પાડનાર બે સ્થાનિક કાશ્મીરીઓની NIAએ ધરપકડ કરી છે. બંનેની ઓળખ પરવેઝ અહમદ જોથાર અને બશીર અહમદ જોથાર તરીકે થઈ છે. વધુમાં માહિતી સામે આવી રહી છે કે, પરવેઝ પહલગામના બટકોટનો રહેવાસી છે અને બશીર હિલ પાર્કમાં રહેતો હતો. આ બંને પાસે આતંકીઓને લઈને મહત્વપૂર્ણ અને ગુપ્ત જાણકારી હોવાની એજન્સીને શંકા છે. 

    માહિતી અનુસાર, પરવેઝ અને બશીરે એ ત્રણેય આતંકીઓની ઓળખ જણાવી છે, જેણે પહલગામમાં નિર્દોષ હિંદુઓના જીવ લીધા હતા. આરોપીઓએ હુમલા બાદના આતંકવાદીઓના ઠેકાણાં વિશે પણ જાણકારી આપી છે. સૂત્રોને ટાંકીને મીડિયામાં કહેવાય રહ્યું છે કે, આ ત્રણેય આરોપીઓએ બૈસરણ ખીણથી 3 કિલોમીટર દૂર આતંકીઓને શરણ આપ્યું હતું. વધુમાં આરોપીએ આતંકીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.

    NIAની પૂછપરછમાં બંને આરોપીએ સ્વીકાર્યું છે કે, તેમને ખ્યાલ હતો કે, તે આતંકવાદીઓ છે, તેમ છતાં તેમણે તેઓની મદદ કરી હતી. આરોપીઓએ એ પણ સ્વીકાર્યું છે કે, તેઓ અવારનવાર આતંકવાદીઓને ચા પણ પીવડાવતા હતા. હાલ ધરપકડ કરાયેલા આ બંને આરોપીઓને જમ્મુ લઈ જવામાં આવી રહ્યા છે. આરોપીઓએ જણાવ્યું છે કે, આતંકીઓ અનંતનાગ તરફ ભાગ્યા છે, હાલ NIA આતંકીઓના ઠેકાણાંને શોધવા માટેનું કામ કરી રહી છે. 

    NIAએ જણાવ્યું છે કે, આરોપીઓએ પુષ્ટિ કરી છે કે, પહલગામ આતંકી હુમલાના આ આતંકવાદીઓ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા અને પાકિસ્તાની નાગરિક હતા. આ બંને આરોપીઓ પર UAPAની કલમ 19 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    નોંધનીય છે કે, 22 એપ્રિલના રોજ પહલગામમાં ઇસ્લામી આતંકીઓએ સુનિયોજિત હુમલો કર્યો હતો. આતંકીઓએ હિંદુઓની ઓળખ જાણ્યા બાદ તેમના પર ગોળીઓ ચલાવી દીધી હતી. આ હુમલામાં 26 વ્યક્તિઓ માર્યા ગયા હતા અને તેમાંથી મોટાભાગના હિંદુઓ હતા. ઘટના બાદ સ્થાનિક કાશ્મીરીઓની મદદને લઈને પણ ચર્ચા ઉઠવા લાગી હતી. 

    ઘટના સમયે અમુક બુદ્ધિજીવીઓ કહેતા હતા કે, કાશ્મીરીઓને બદનામ કરવામાં આવી રહ્યા, પણ વાસ્તવમાં સ્થાનિકની મદદ વગર પાકિસ્તાનીઓ માટે આટલે અંદર સુધી ઘૂસીને હુમલો કરવો શક્ય જ નથી. તેમ છતાં હાલ તે આતંકીઓને મદદ કરનારા સ્થાનિક કાશ્મીરીઓ પણ પકડાઈ રહ્યા છે. હાલ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

    ‘ડકૈત’ નામે ઓળખાય છે ઇન્દોરનો કોંગ્રેસ નેતા અનવર કાદરી, નોંધાયા છે 19 ક્રિમિનલ કેસ: મુસ્લિમ યુવકોને પૈસા આપીને કરાવતો હતો ‘લવ જેહાદ’

    મધ્ય પ્રદેશના ઇન્દોરમાં (Indore) મુસ્લિમ યુવકોને પૈસા આપીને હિંદુ છોકરીઓને લવ જેહાદમાં (Love Jihad) ફસાવવા માટેનું રેકેટ બહાર આવ્યા બાદ કોંગ્રેસ નેતા અનવર કાદરીનું નામ હાલ ચર્ચામાં છે. ઇન્દોરના કોંગ્રેસના કાઉન્સિલર અનવર કાદરી પર 19 જેટલા ક્રિમિનલ કેસ નોધાયેલા છે. જેમાંથી મોટાભાગના મારામારી, ખંડણી, ચોરી, જમીન હડપી લેવી અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા જેવા ગંભીર ગુનાઓ છે.

    કોંગ્રેસ નેતા અનવર કાદરીની ક્રાઈમ કુંડળી પર નજર કરીએ તો મળતા અહેવાલો અનુસાર, વર્ષ 2009માં ઇન્દોરના આઝાદ નગર સર્કલ પાસે અનવરે હુસૈન નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. પીડિત વ્યક્તિ કોઈ કેસમાં સાક્ષી હતો. આ ઉપરાંત વર્ષ 2011માં કાદરી, તેનો ભાઈ અને અન્ય એક આરોપી એક જીવલેણ હુમલાના ગુનામાં એક-એક વર્ષની કેદની સજા ભોગવી ચૂક્યા છે.

    વર્ષ 1996માં કાદરી ઉપર ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશનમાં ‘ડકૈતી’નો (ચોરી) ગુનો નોધવામાં આવ્યો હતો. ત્યારબાદ કાદરી સાથે ‘ડકૈત’ શબ્દ જોડાઈ ગયો હતો, અને ત્યારબાદ તે ‘અનવર ડકૈત’ના નામે ઓળખાવા લાગ્યો હતો.

    અનવર કાદરી ત્યારે પણ ચર્ચામાં આવ્યો જ્યારે તારીખ 28 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહેલગામ હુમલાના વિરોધ વખતે તેણે ‘પાકિસ્તાન જિંદાબાદ’ જેવા રાષ્ટ્રવિરોધી નારા લગાવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાયાં હતાં. વર્ષ 2024માં અનવર કાદરીએ સ્થાનિક પત્રકાર જાવેદ ખાનના ઘરમાં બંદુક સાથે બળજબરીપૂર્વક ઘૂસી તેની સાથે મારપીટ કરી હતી અને તેના પરિવારજનોને પણ ધમકાવ્યા હતા.

    ઉપરાંત, કાદરી પર આરોપ એ પણ છે કે વર્ષ 2022માં તેણે નગર નિગમની ચૂંટણીમાં મતદારોને મારી-ધમકાવીને બોગસ વૉટિંગ કરાવ્યું હતું. ત્યાં હાજર સરકારી અધિકારીઓ પર દબાણ કરીને મારી નાખવાની ધમકી આપવાનો પણ તેની ઉપર આરોપ લાગ્યો હતો.

    ‘અનવર ડકૈત’ તરીકે કુખ્યાત કોંગ્રેસ નેતા અનવર કાદરી હાલ ‘લવ જેહાદ’ મામલે તેના આખા પરિવાર સાથે ફરાર છે. તેના પર આરોપ છે કે તે ઇન્દોરમાં મુસ્લિમ યુવકોને હિંદુ યુવતીઓને લવ જેહાદમાં ફસાવવા માટે પૈસા આપતો હતો. પોલીસ આરોપી અનવરને પકડવા માટે તેનાં અલગ-અલગ ઠેકાણાં પર શોધખોળ કરી રહી છે. જોકે અત્યાર સુધી તે પોલીસ પકડમાં આવ્યો નથી. પોલીસે અનવર કાદરીના માથે 10 હજારનું ઇનામ પણ રાખ્યું છે.

    આ મામલે મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ નેતા અનવર કાદરી પર સિમી (Students Islamic Movement of India) સાથે સંબંધ હોવાનો ગંભીર દાવો કર્યો છે. કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, આરોપી કાદરીએ ઘણા લોકોની જમીનો અને મકાનો પર બળજબરીપૂર્વક કબજો કરી રાખ્યો છે. આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનવર કાદરી જેવા આરોપીઓને કોઈપણ ભોગે છોડવામાં નહિ આવે અને તેને કડકમાં કડક સજા કરવામાં આવશે. આ સાથે ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે પણ જણાવ્યું હતું કે, તેઓએ ડિવિઝનલ કમિશનરને કોંગ્રેસ નેતા અનવર કાદરીની કાઉન્સિલરશીપ રદ કરવાની માંગ કરતો પત્ર લખ્યો છે. ટૂંક સમયમાં જ તેની કાઉન્સિલરશીપ રદ કરવામાં આવશે.

    પૈસા આપીને ‘લવ જેહાદ’ કરાવવાનો મામલો સામે આવ્યા બાદ ઇન્દોરમાં ઘણી જગ્યાએ કોંગ્રસ નેતા અનવર કાદરી સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. શહેરમાં આવેલા રાજવાડામાં કરણી સેનાના કાર્યકરોએ અનવર કાદરીનું પુતળું સળગાવીને વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરતી કરણી સેનાએ આરોપ લગાવ્યા છે કે, કોંગ્રેસ નેતા અનવર કાદરી ‘લવ જેહાદ’ને ફંડ કરે છે અને ત્યાંના સ્થાનિક હિંદુ પરિવારોને ધમકાવીને ખંડણી માંગે છે.

    13 હજાર કિલો વજન, જમીનમાં 200 ફૂટ નીચે જઈને કરે છે વિસ્ફોટ: શું છે બંકર બસ્ટર બૉમ્બ, જેનાથી અમેરિકાએ ઈરાનનાં પરમાણુ ઠેકાણાં ઉડાવ્યાં– એ B2 બૉમ્બર વિશે પણ જાણો, જેનાથી પાર પડાયું ઑપરેશન

    ઈરાનના (Iran) ત્રણ પરમાણુ ઠેકાણાં (Nuclear sites) પર અમેરિકાના (USA) હુમલા બાદથી વિશ્વભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ઑપરેશન પૂર્ણ થયા બાદ ઈરાનને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે હવે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી તો તેનું પરિણામ ભયાનક આવશે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકી સેનાએ ઉપયોગમાં લીધેલા શસ્ત્રોની ચર્ચા પણ ચોતરફ જોવા મળી રહી છે. અમેરિકી સેનાએ ઈરાનના પરમાણુ ઠેકાણાં પર બંકર બસ્ટર બૉમ્બ MOPથી (Bunker Buster Bomb MOP) હુમલો કર્યો હતો. MOPને વહન કરવાની ક્ષમતા પણ માત્ર B2 સ્પિરિટ બૉમ્બર (B2 Spirit Bomber) વિમાનમાં જ છે. 

    આ બંને શસ્ત્રોનો ઉપયોગ કરીને અમેરિકી સેનાએ લગભગ 10,000 KM દૂર ઈરાન પર ભારે તબાહી મચાવી છે. આ હુમલામાં અમેરિકી વાયુસેનાએ દુનિયાના સૌથી એડવાન્સ ફાઇટર જેટ B2 બૉમ્બર્સનો ઉપયોગ કર્યો છે. આ બૉમ્બર વિશે એવું કહેવાય છે કે તે હજારો કિલોગ્રામના બૉમ્બને વહન કરી શકે છે. અમેરિકાએ જે બૉમ્બ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાં પર બ્લાસ્ટ કર્યાં તે પણ ખૂબ એડવાન્સ છે. બંને શસ્ત્રો વિશેની વિગતે માહિતી મેળવીએ. 

    શું છે બંકર બસ્ટર MOP? 

    અમેરિકી સેનાએ ઈરાન પર છોડેલા બૉમ્બને GBU-57 MOP એટલે કે મેસિવ ઑર્ડનેંસ પેનિટ્રેટર (Massive Ordnance Penetrator) કહેવામાં આવે છે. તેના વજન વિશે વાત કરવામાં આવે તો તે 13,607 કિલોગ્રામના હોય છે. તેને ખાસ કરીને અંડરગ્રાઉન્ડ ઠેકાણાંને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ બૉમ્બ ખૂબ મજબૂત સ્ટીલ એલૉયથી બનેલા હોય છે, જે તેને જમીનની અંડર સેંકડો ફૂટ સુધી ઘૂસવાની ક્ષમતા આપે છે. ત્યારબાદ તે બૉમ્બ અંદર જઈને વિસ્ફોટ કરે છે, જેથી અંદરના ઠેકાણાંને સંપૂર્ણપણે તબાહ કરી શકાય છે. 

    અમેરિકી વાયુસેના અનુસાર, આ બૉમ્બનું નિર્માણ બોઇંગ દ્વારા કરવામાં આવે છે અને તે GPS ગાઈડેડ હોય છે. તેને માત્ર B2 સ્પિરિટ સ્ટીલ્થ બૉમ્બરથી જ લૉન્ચ કરી શકાય છે. હમણાં સુધી આ બૉમ્બના કોઈપણ યુદ્ધમાં ઉપયોગની આધિકારિક જાણકારી સાર્વજનિક નથી થઈ, પણ સૈન્ય નિષ્ણાતો માને છે કે આ બૉમ્બ પહેલાં કરતાં હવે વધુ ઉન્નત અને પ્રભાવી થઈ ચૂક્યા છે. રક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બૉમ્બ લગભગ 200 ફૂટ સુધી જમીનમાં ઘૂસી શકે છે અને ત્યારબાદ બ્લાસ્ટ કરે છે. 

    મહત્વની વાત એ છે કે, ઇઝરાયેલ અને અમેરિકા સિવાય વિશ્વના કોઈપણ દેશ પાસે આવા બૉમ્બ નથી. જે જમીનના સ્તરની નીચે જઈને ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે. અમેરિકી વાયુસેનાની ફેક્ટશીટ અનુસાર, આ હથિયાર એક ખાસ સ્ટીલ એલૉયથી બંધાયેલું રહે છે, જેનો હેતુ તેને મોટા વિસ્ફોટક પેલોડને વહન કરવા માટે સક્ષમ બનાવવાનો છે. ફેક્ટશીટ અનુસાર, આ બૉમ્બની લંબાઈ 20.5 ફૂટ અને વ્યાસ 31.5 ઇંચ છે. વધુમાં તેમાં 5,300 પાઉન્ડ હાઇ-વિસ્ફોટ મટિરિયલ રાખી શકાય છે અને વિસ્ફોટ કરી શકાય છે. 

    એક તથ્ય એ પણ છે કે, આ બૉમ્બને માત્ર B2 સ્પિરિટ સ્ટીલ્થ બૉમ્બર જ વહન કરી શકે છે અને લૉન્ચ કરી શકે છે. તેની પાછળનું કારણ બૉમ્બનો આકાર અને ભારે વજન છે. ઈરાનના મોટાભાગનાં પરમાણુ ઠેકાણાં જમીનની લગભગ 300 ફૂટ નીચે સ્થિત છે. તેથી તેને તબાહ કરવા માટે આ બંને શસ્ત્રોને જ ઉપયોગમાં લઈ શકાય તેમ હતા અને આ જ કારણ છે કે, અમેરિકાએ આ બંનેનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ કાર્યક્રમને તબાહ કરી નાખ્યો છે. 

    વિશ્વના સૌથી એડવાન્સ ફાઇટર જેટ- B2 સ્પિરિટ બૉમ્બર

    B2 સ્પિરિટ સ્ટીલ્થ બૉમ્બર અમેરિકાનું સૌથી ઉન્નત ફાઇટર જેટ પૈકીનું એક છે, જે મજબૂત એર ડિફેન્સને તોડીને ટાર્ગેટમાં પ્રવેશ કરી શકે છે અને ઈરાનના પરમાણુ ઠેકાણાંના દફન નેટવર્ક જેવા અઘરા ટાર્ગેટ પર પણ સટીક હુમલા કરી શકે છે. તેની કિંમત લગભગ 2.1 બિલિયન ડોલર (17,000 કરોડ રૂપિયા) છે, જે તેને હમણાં સુધીનું સૌથી મોંઘું ફાઇટર જેટ બનાવે છે. નોર્થોપ ગ્રુમેં દ્વારા નિર્મિત આ બૉમ્બર તેની અત્યાધુનિક સ્ટીલ ટેકનોલોજી માટે જાણીતું છે. 1980ના દાયકામાં તેનું નિર્માણ શરૂ થયું હતું. પરંતુ સોવિયત યુનિયનના પતન બાદ તેનું ઉત્પાદન પણ બંધ થઈ ગયું હતું. 

    પેન્ટાગોનના આયોજિત સંપાદન કાર્યક્રમને સમાપ્ત કર્યાં બાદ 21 વિમાનોનું નિર્માણ જ કરવામાં આવ્યું છે. કારણ કે, સોવિયત યુનિયનના પતન પછી અમેરિકાને વધુ વિમાન બનાવવાની કોઈ જરૂર નહોતી. તેથી પહેલાં જેટલા વિમાન બનાવવાની યોજના હતી, તેને ઓછાં કરીને માત્ર 21 વિમાન બનાવવામાં આવ્યાં હતાં. આ વિમાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને રડાર પણ પકડી શકાતાં નથી. 

    વધુ વિશેષતાની વાત કરવામાં આવે તો ઈંધણ પૂર્યા વગર આ બૉમ્બર 6,000 નોટિકલ માઈલની (11,112 KM) રેન્જ સાથે અમેરિકાથી દુનિયાના કોઈપણ ખૂણા સુધી હુમલો કરવા માટે સક્ષમ છે. તે સાથે હવાઈ ફ્યુલિંગની સુવિધા આપવામાં આવે તો તે દુનિયા કોઈપણ લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકે છે. આવી ક્ષમતાઓ આ વિમાને ઘણા મિશનમાં દર્શાવી છે. જેમ કે, મિસૂરીથી અફઘાનિસ્તાન અને લીબિયા અને હવે ઈરાન સુધી. 

    આ વિમાન લગભગ 18,114 કિલોગ્રામના બૉમ્બ અને હથિયારો લઈને દુનિયાના કોઈપણ ખૂણા સુધી જઈ શકે છે. એટલે કે, તે ખૂબ ભારે અને ઘાતક બૉમ્બ લઈ જવા માટે સક્ષમ હોય છે, પછી તે સામાન્ય બૉમ્બ હોય કે પરમાણુ બૉમ્બ. વધુમાં આ વિમાનમાં બૉમ્બને અંદરના ભાગમાં રાખવામાં આવે છે, એવું એટલા માટે કારણ કે તે છુપાઈને હુમલો કરી શકે. આ ટેકનોલોજીના કારણે તેને રડાર પર પકડવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેનો આકાર પણ એવો હોય છે કે, તે રડાર પર એક નાના પક્ષી જેવું જ દેખાય છે. 

    આ વિમાનમાં માત્ર બે પાયલોટની જરૂરિયાત હોય છે. તેવું એટલા માટે સંભવ છે કારણ કે, તેમાં એડવાન્સ ઓટોમેટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે, મોટાભાગના કામો તે પોતાની રીતે કરી નાખે છે. આ વિમાનનો ઉપયોગ ગુપ્ત મિશન માટે કરવામાં આવે છે, જેમ કે, ઈરાનના પરમાણુ ઠેકાણાંને તબાહ કરવા. વધુમાં આ વિમાન ટાર્ગેટથી 12 KM દૂર પહોંચવા પર બૉમ્બ છોડે છે, જેના કારણે બૉમ્બ સટીક ટાર્ગેટ પર જઈને બ્લાસ્ટ થાય છે. બૉમ્બમાં કોઈ એન્જિન કે ટેકનોલોજી ન હોવાથી તે ઝડપથી નીચે પડે છે. 

    હાલના સમયમાં આ વિમાનનો ઉપયોગ માત્ર MOP બૉમ્બ લઈ જવા માટે કરવામાં આવે છે. તે એક સાથે વધુમાં વધુ 2 MOP લઈ જવાની ક્ષમતા ધરાવે છે. B2 બૉમ્બરના આધુનિક પેલોડ વિશે વાત કરીએ તો તેમાં JDAM, JSOW, JASSM જેવા પેલોડ્સનો સમાવેશ થાય છે. JDAMના કારણે GPSથી સટીક બૉમ્બમારો કરી શકાય છે. આ પેલોડથી દુશ્મનના નજીકના ઠેકાણાંને તબાહ કરી શકાય છે. 

    JSOW પેલોડ હવામાં ગાઈડ કરનારા બૉમ્બ માટે કામ કરે છે. તેના કારણે દુશ્મનના વિસ્તારમાં ઘૂસ્યા વગર જ સટીક હુમલા કરી શકાય છે. તે સિવાય JASSM પેલોડ લાંબા અંતરની સ્ટીલ્થ મિસાઇલ માટે છે, તે 805 કિમી દૂરથી ટાર્ગેટને તબાહ કરી શકે છે. તે સિવાય આ વિમાન સરળતાથી પરમાણુ બૉમ્બનું વહન પણ કરી શકે છે અને તેને ટાર્ગેટ પર જઈને બ્લાસ્ટ પણ કરાવી શકે છે. 

    ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાં ધ્વસ્ત કરવા માટે ઉપયોગમાં લેવાયાં હતાં આ હથિયારો

    ફોક્સ ન્યૂઝ સાથે વાતચીત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકી સેનાએ ઈરાનના ફોર્ડો પરમાણુ ઠેકાણાં પર 6 MOP બૉમ્બથી હુમલો કર્યો હતો. તા દરમિયાન અમેરિકી નૌકાદળની સબમરીન દ્વારા નતાંઝ અને ઈસ્ફ્હાનને ટાર્ગેટ કરવા માટે 30 ટૉમહૉક લેન્ડ અટેક મિસાઈલો છોડવામાં આવી હતી. ટ્રમ્પે દાવો કર્યો છે કે, આ હુમલા બાદ ઈરાનના ત્રણેય પરમાણુ ઠેકાણાં પરની તમામ સુવિધાઓ નષ્ટ થઈ ગઈ છે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, અમેરિકા સતત આ તમામ પરમાણુ ઠેકાણાં પર નજર ઠેરવીને બેઠું હતું. 

    ફોર્ડો ઈરાનનું એક ગુપ્ત અને મજબૂત પરમાણુ ઠેકાણું છે, જે કોમ શહેર પાસે પહાડોની અંદર બનાવવામાં આવ્યું છે. એવી શંકા હતી કે, અહીં યુરેનિયમના સંવર્ધનનું કામ થતું હતું, જે પરમાણુ બૉમ્બ બનાવવાની પ્રક્રિયાનો એક ભાગ છે. આ ઠેકાણાંને સામાન્ય બૉમ્બથી ક્યારેય નષ્ટ કરી શકાય એમ નહોતું. રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે, આવા ઠેકાણાંને માત્ર MOP દ્વારા જ તબાહ કરી શકાય તેમ છે. તેથી અમેરિકાએ તે બૉમ્બનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ ઠેકાણાંને તબાહ કરી નાખ્યાં છે.

    પ્રોફેસરના NGO સાથે જોડાણ વિશે IIT ગાંધીનગરના HSS વિભાગે એક્સ હેન્ડલ પરથી કરી હતી પોસ્ટ, પણ RTIમાં જવાબ મળ્યો– ‘અમારી પાસે કોઈ માહિતી નથી’

    ગાંધીનગર (Gandhinagar) સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) તેના હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં થતા રિસર્ચ અને ત્યારબાદ અમુક વામપંથના રંગે રંગાયેલા અધ્યાપકોની સોશિયલ મીડિયા ગતિવિધિઓના કારણે છેલ્લા થોડા સમયથી વિવાદમાં રહી છે. સોશિયલ મીડિયાથી માંડીને મીડિયામાં અનેક પ્રશ્નો ઊભા થયા છે, પરંતુ પ્રશાસન કે ડાયરેક્ટર તરફથી હજુ કોઈ પગલાં લેવામાં આવ્યાં હોવાનું ધ્યાને આવ્યું નથી. બીજી તરફ RTI કરવામાં આવતાં જે જવાબો આપવામાં આવ્યા છે તેનાથી સંસ્થા ફરી એક વખત સવાલોના કઠેડામાં ઊભી રહી ગઈ છે. 

    મે, 2025માં IIT ગાંધીનગરના અમુક વિષયોને લઈને વિવાદ સર્જાયા બાદ એક એક્ટિવિસ્ટે RTI થકી અમુક બાબતોની જાણકારી માંગી હતી. જૂન 2025માં તેનો જવાબ આપવામાં આવ્યો. પરંતુ તેનાથી પણ અમુક પ્રશ્નો ઉઠ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે IIT ગાંધીનગરના HSS વિભાગના અધ્યાપક નિશાંત ચોકસી અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યા છે. HSSના માસ્ટર ઑફ સાયન્સ વિભાગના અમુક વિદ્યાર્થીઓએ રિસર્ચ માટે ઇસ્લામિક વિષયો પસંદ કર્યા બાદ સોશિયલ મીડિયા પર જે વિવાદ સર્જાયો, ત્યારબાદ નિશાંત ચોકસીએ તમામ વિદ્યાર્થીઓને મેઇલ મોકલ્યો હતો અને તેમાં રીતસરની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે પછીથી આ મેઇલ પણ લીક થઈ ગયો. ઑપઇન્ડિયાએ આ મામલે પ્રોફેસર ચોક્સીનો સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. 

    ત્યારબાદ ઑપઇન્ડિયાએ વધુ એક લેખમાં જણાવ્યું હતું કે કઈ રીતે નિશાંત ચોકસી એક એવા NGO સાથે સંકળાયેલા છે, જે જનજાતિ વિસ્તારમાં અને ખાસ કરીને નર્મદાના વિસ્થાપિતો વચ્ચે વર્ષોથી કામ કરી રહ્યું છે અને તેના સંચાલકો ફાધર ફર્નાન્ડ દુરાઈ વગેરે છે. પ્રોફેસરનાં અમુક પુસ્તકો પણ આ NGOએ પ્રકાશિત કર્યાં હતાં. 

    પરંતુ જ્યારે RTI દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે IIT ગાંધીનગરે એક જ લીટીમાં જણાવી દીધું કે સત્તાવાર દસ્તાવેજો અનુસાર ડૉ. નિશાંત ચોકસી હાલ કોઈ પણ પ્રકારના NGO સાથે સંકળાયેલા હોય તેવી કોઈ માહિતી સંસ્થા પાસે નથી. 

    અહીં નોંધવા જેવી બાબત એ છે કે જો IIT ગાંધીનગર અને તેના HSS વિભાગને નિશાંત ચોકસીના કોઈ NGO સાથે જોડાણની કોઈ માહિતી ન હોય તો પછી 12 જાન્યુઆરી, 2025ના રોજ IIT ગાંધીનગરના HSS વિભાગના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને નિશાંત ચોકસીનાં પુસ્તકો આદિલોક NGO દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં હોવાની જાણકારી કઈ રીતે આપવામાં આવી? 

    12 જાન્યુઆરીની પોસ્ટમાં સંસ્થાના એક્સ હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું હતું કે, HSS અધ્યાપક નિશાંત ચોક્સી અને રિસર્ચ સ્ટાફ કલ્પેશ રાઠવાએ સંયુક્ત રીતે નર્મદા ખીણના વિસ્થાપિતોમાં આવેલા સાંસ્કૃતિક અને ભાષાકીય ફેરફારો પર પર પુસ્તકો લખ્યાં છે અને તેનું પ્રકાશન આદિલોક NGO દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે RTIમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સંસ્થાએ તેમની પાસે કોઈ માહિતી ન હોવાનું કહીને ઊંચા હાથ કરી દીધા!

    ઉપરાંત, જાન્યુઆરી 2021માં IIT ગાંધીનગરના આ જ HSS વિભાગમાં યુનિવર્સિટી ઑફ નોર્ધન કોલોરાડોનાં મહિલા પ્રોફેસર અતહર ઝિયાનો એક સેમિનાર રાખવામાં આવ્યો હતો. સેમિનારનો વિષય હતો– ‘ઈથેનોનેશનાલિસ્ટ-નિયોકોલોનિયલ ડેવલપમેન્ટ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન એન્ડ ધ કેસ ઑફ કાશ્મીર.’ અહીં નિયોકોલોનિયલનો અર્થ થાય આધુનિક પરિભાષામાં ઉપનિવેશવાદ, જ્યાં એક શક્તિશાળી દેશ કે કોર્પોરેશન ઓછા શક્તિશાળી દેશ કે પ્રદેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરીને અસર પહોંચાડે. ઘણી વખત સીધા રાજકીય શાસન હેઠળ નહીં તો આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક કે ટેક્નોલોજીકલ દબાણ હેઠળ. અહીં ભારત અને કાશ્મીર બંનેને અલગ પરિદૃશ્યમાં રજૂ કરવાની વાત થઈ. જ્યારે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ કહેવાય. ભારત શું કામ ઉપનિવેશવાદનો સહારો લે, જ્યારે કાશ્મીર પોતાનો જ પ્રદેશ છે.

    અતહર ઝિયા પોતે પણ એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. જેઓ કાશ્મીરને ‘ઓક્યુપાઇડ’ ગણાવતાં રહ્યાં છે. કાશ્મીર અને ભારત વિરુદ્ધ લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા ફેલાવવામાં પણ અગ્રેસર છે. ગાંધીનગર IITમાં તેમનું લેક્ચર યોજાવા અંગે જ્યારે સંસ્થાને RTIમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કહી દેવામાં આવ્યું કે તેમને માત્ર ‘જેન્ડર ઇસ્યુ’ પર બોલવા માટે કહેવામાં આવ્યું હતું. સાથે કહેવામાં આવ્યું કે તેમને માત્ર તેમની શૈક્ષણિક પાત્રતાના કારણે બોલાવવામાં આવ્યાં હતાં અને વિષય માત્ર લિંગભેદનો હતો. 

    ઈરાન-ઇઝરાયેલ યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું, નષ્ટ કર્યાં ત્રણ પરમાણુ ઠેકાણાં: ટ્રમ્પે કહ્યું– હવે ઈરાન શાંતિ જાળવે, અન્યથા વધુ તીવ્રતાથી હુમલા કરીશું

    ઈરાન અને ઇઝરાયેલ (Iran-Israel War) વચ્ચે ચાલતા સંઘર્ષમાં હવે અમેરિકાએ (America) પણ ઝંપલાવ્યું છે. શનિવારે (21 જૂન) અમેરિકાએ ઈરાનનાં ત્રણ પરમાણુ ઠેકાણાં પર હુમલો કરી દીધો હતો. આ બાબતની જાણકારી સ્વયં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. 

    ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “અમે એક સફળ ઑપરેશન પર પાડીને ઈરાનમાં ફોર્ડો, નાટાન્ઝ અને ઇસ્ફહાન ન્યુક્લિયર સાઇટો પર હુમલા કર્યા છે. તમામ વિમાનો હવે ઈરાનની એરસ્પેસમાંથી બહાર આવી ગયાં છે. મુખ્ય સાઇટ ફોર્ડો પર પૂરેપૂરી ક્ષમતાથી બૉમ્બમારો કરવામાં આવ્યો. તમામ વિમાનો હવે ઘરે આવવા પરત ફર્યાં છે. અમેરિકન જાંબાઝોને અભિનંદન. દુનિયાની બીજી કોઈ સેના આવું પરાક્રમ કરી શકે એમ નથી. હવે આ સમય શાંતિનો છે.”

    અમેરિકાના સમય પ્રમાણે રાત્રે 10 વાગ્યે (ભારતીય સમયાનુસાર સવારે 7:30) ટ્રમ્પે એક રાષ્ટ્રજોગ સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે હુમલાઓ વિશે વધુ માહિતી આપી. 

    ટ્રમ્પે કહ્યું કે, “આજે હું દુનિયાને જણાવવા માટે આવ્યો છું કે અમેરિકાના હુમલાઓ સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે અને ઈરાનની મુખ્ય ન્યુક્લિયર ફેસિલિટીનું નામનિશાન કાઢી નાખવામાં આવ્યું છે.” અમેરિકન રાષ્ટ્રપતિએ આગળ ઉમેર્યું કે, “અમારો ઉદ્દેશ્ય ઈરાનનાં પરમાણુ ઠેકાણાં નષ્ટ કરીને આતંકવાદના આકાઓ દ્વારા દુનિયા સામે જે પરમાણુનું જોખમ ઊભું કરવામાં આવી રહ્યું હતું તેની ઉપર લગામ લગાવવાનો હતો.” 

    ટ્રમ્પે ઈરાનને ચીમકી પણ આપી છે કે જો હવે તેઓ શાંત નહીં રહે તો ભવિષ્યમાં વધુ તીવ્રતાથી હુમલા કરવામાં આવશે. તેમણે કહ્યું, “ઈરાને હવે શાંતિ જાળવવી જ પડશે. જો તેઓ તેમ નહીં કરે તો ભવિષ્યમાં આનાથી મોટા હુમલાઓ કરવામાં આવશે. 40 વર્ષથી ઈરાન ઇઝરાયેલ સામે લડી રહ્યું છે. તેમણે અમારા માણસોને પણ માર્યા છે. હુમલાઓ કર્યા છે. મેં ઘણા સમય પહેલાં નક્કી કરી લીધું હતું કે આ થવા નહીં દઈએ.”

    ટ્રમ્પે કહ્યું કે, “હવે આગળ કાં તો સંપૂર્ણ શાંતિ હશે અથવા ઈરાન માટે કપરો સમય શરૂ થશે અને હવે ગત રાત્રિએ જે થયું તેના કરતાં વધુ તીવ્ર જવાબ આપવામાં આવશે. એ યાદ રહે કે હજુ ઘણા ટાર્ગેટ બાકી છે. જોકે આજે રાત્રે જે ઠેકાણાં નિશાન બનાવવામાં આવ્યાં એ સૌથી કઠિન હતાં અને કદાચ સૌથી વિનાશક પણ. પરંતુ જો શાંતિપૂર્ણ સ્થિતિ નહીં આવે તો અમે અન્ય ઠેકાણાં પણ ટાર્ગેટ કરીશું અને આ એવી સાઇટ છે કે અમે મિનિટોમાં નષ્ટ કરી શકીએ તેમ છીએ.”

    ટ્રમ્પે ઑપરેશન પાર પાડવા બદલ અમેરિકન સેનાને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આશા રાખીએ કે હવે ભવિષ્યમાં તેમની સેવાની જરૂર નહીં પડે. સાથે ઇઝરાયેલી સેના અને વડપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘણા દિવસથી ઇઝરાયેલી સેના ઈરાનમાં ઑપરેશનો કરી રહી છે. 

    એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ: રથયાત્રા દરમિયાન અભેદ્ય કિલ્લામાં બદલાશે વિસ્તાર

    27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત્રા નીકળશે તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, રથયાત્રા પારંપરિક રીતે જ નીકળશે. વધુમાં આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં વધુ પ્રમાણમાં ધ્યાન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કારણ કે આ વખતે સુરક્ષા માટે AIનો ઉપયોગ પણ થવા જઈ રહ્યો છે. 

    વિગતો અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના પારંપરિક રૂટ પર લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડશે. આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર 5 સ્થળોએ એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય 75થી વધુ ડ્રોનથી સતત નિરીક્ષણ પણ કરવામાં આવશે. તે સિવાય RCBની સેલિબ્રેશન પરેડ જેવી ભાગદોડ ન થાય તે માટે AIનો ઉપયોગ પણ કરવામાં આવશે. 

    વધુમાં રથયાત્રામાં પોલીસની ભૂમિકાને લઈને DCP અજિત રાજિયાનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બેથી ત્રણ દિવસમાં ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે. કોઈપણ પ્રકારની ભાગદોડ ના થાય એ માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. વધુમાં તેમણે એવું કહ્યું કે, રથયાત્રામાં 75થી વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 45 ડ્રોન ક્રાઇમ બ્રાન્ચ પાસે છે, તે સિવાય 30થી ખાનગી કંપનીના ડ્રોન દેખરેખ માટે મુકાશે. 

    ડ્રોન અને તેના ઑપરેટરે ક્યાં સ્થળે રહેવું તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોંકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે AIનો ઉપયોગ પણ કરવામાં આવશે. ઉપરાંત ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પ્રવેશ અને નીકળવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 

    4 વર્ષની બાળકી પર રેપ, મૃત સમજી ફેંકી… MP હાઇકોર્ટે બળાત્કારીની મૃત્યુદંડની સજા બદલી, કહ્યું– કૃત્ય ખૂબ ક્રૂર, પણ ગુનેગારે ક્રૂરતા નથી આચરી

    મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો એક આદેશ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે કોર્ટે 4 વર્ષની બાળકી પર રેપ કરનારા બળાત્કારી 20 વર્ષીય યુવાનની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં બદલી નાખી છે. અગાઉ ટ્રાયલ કોર્ટે આરોપી આદિવાસી યુવકને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, કારણ કે બાળકી સ્થાયી રીતે દિવ્યાંગ હોવાનું કહેવાયું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે તે સજા બદલી કાઢી છે. વધુમાં કોર્ટે એવું પણ કહ્યું છે કે, ‘આ કૃત્ય ખૂબ ખરાબ છે, પણ આરોપીએ ક્રૂરતા નથી આચરી.’ 

    આ મામલે જસ્ટિસ વિવેક અગ્રવાલ અને જસ્ટિસ દેવનારાયણ મિશ્રાની બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે, “તેમાં કોઈ શંકા નથી કે, અરજદારનું કૃત્ય ક્રૂર હતું. કારણ કે તેણે 4 વર્ષ અને 3 મહિનાની બાળકીનો રેપ કર્યો, પછી તેનું ગળું દબાવીને મૃત સમજીને એવી જગ્યાએ ફેંકી દીધી, જ્યાં તેને કોઈ શોધી ન શકે. પરંતુ તે પણ સ્પષ્ટ છે કે, તેણે ક્રૂરતા નથી આચરી.” 

    મધ્ય પ્રદેશ હાઇકોર્ટ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે દોષિત દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી અરજી પર સુનાવણી કરી રહી હતી. ટ્રાયલ કોર્ટે અરજદારને IPCની કલમ 307 અને POCSO એક્ટની કલમ 6 હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો અને ફાંસીની સજાનો આદેશ આપ્યો હતો. ટ્રાયલ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ગુનેગાર હાઇકોર્ટ પહોંચ્યો હતો અને ફોજદારી અરજી દાખલ કરી હતી. 

    ‘ગુનેગાર અશિક્ષિત છે અને જનજાતિ સમુદાયનો છે’- હાઇકોર્ટ

    હાઇકોર્ટે સ્વીકાર્યું કે, કેસની ગંભીર સ્થિતિ પીડિતા અને દોષીની ઉંમર હતી. બેન્ચે કહ્યું કે, “ગંભીર સ્થિતિ છે કે, પીડિતા ચાર વર્ષની હતી અને બળાત્કાર આટલી નાની બાળકી પર આચરવામાં આવ્યો હતો. ગુનો પણ એ રીતે આચરવામાં આવ્યો હતો કે, પીડિતાનું ગુપ્તાંગ પણ ફાટી ગયું હતું. બળાત્કાર બાદ પીડિતાને અવાવરુ જગ્યાએ ફેંકી પણ દેવાઈ હતી અને તેવું સ્વીકારી લેવાયું હતું કે, તે મરી ગઈ છે.” 

    વધુમાં બેન્ચે એ તથ્ય પર ભાર આપ્યો હતો કે, 20 વર્ષીય ગુનેગાર અશિક્ષિત અને જનજાતિ સમુદાયનો છે તથા તેના માતા-પિતાએ ક્યારેય તેને યોગ્ય શિક્ષણ આપવાના પ્રયાસ કર્યાં નથી અને ન તો તેની સારી સંભાળ રાખી છે. તેથી, ગુનેગાર પોતાનું ઘર છોડી દઈને એક રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યો છે, રહી રહ્યો છે અને કમાઈ રહ્યો છે.” વધુમાં કોર્ટે એ પણ નોંધ્યું કે, ગુનેગાર વિરુદ્ધ રેપ અથવા મર્ડરના અન્ય કોઈ કેસ પણ નોંધાયેલા નથી. 

    દોષિતના વકીલે દલીલ કરી હતી કે, આ કેસ ફક્ત અનુમાન પર આધારિત છે અને તેમાં કોઈ સાક્ષીઓ પણ નથી. વકીલે વધુમાં કહ્યું હતું કે, પીડિતાને કોઈ ગંભીર કે કાયમી ઈજા થઈ નથી અને પુરાવા પાછળથી બનાવવામાં આવ્યા છે. વકીલે એમ પણ કહ્યું હતું કે, દોષિતની નાની ઉંમર અને સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને તેને ફાંસી આપવી યોગ્ય નથી.

    સરકાર તરફથી હાજર વકીલે મૃત્યુદંડની સજાને યથાવત રાખવાની વિનંતી કરી હતી, પરંતુ હાઇકોર્ટે તમામ હકીકતોને ધ્યાનમાં લીધા પછી મૃત્યુદંડની સજાને 25 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાના દંડમાં ફેરવી દીધી હતી. જો ગુનેગાર દંડ નહીં ભરે તો આરોપીની જેલની સજા વધુ એક વર્ષ લંબાવવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરી હતી. 

    શું હતી ઘટના? 

    આ ઘટના મધ્ય પ્રદેશની છે અને ઑક્ટોબર 2022 રોજ બની હતી. વિગતો એવી છે કે, ગુનેગારે બાળકીની ઝૂંપડીમાં ઘૂસીને સુવા માટે ખાટલાની માંગણી કરી હતી. તે જ રાત્રે આરોપીએ નજીકના એક ઘરના દરવાજો ખોલ્યો હતો, ત્યાં પીડિતા પોતાના માતા-પિતાની સાથે સૂતી હતી. ત્યારબાદ ગુનેગારે બાળકીનું અપહરણ કરી લીધું હતું અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 

    માહિતી અનુસાર, દુષ્કર્મ બાદ ગુનેગારે તેનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ બાળકી બેભાન થઈ ગઈ હતી અને ગુનેગારે તેને મૃત સમજીને અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. ઘટના સમયે બાળકી 4 વર્ષ અને ત્રણ મહિનાની હતી અને આરોપીની ઉંમર 20 વર્ષ હતી. આ મામલે પહેલાં ટ્રાયલ કોર્ટમાં હવે હાઇકોર્ટમાંથી ચુકાદાઓ આવ્યા છે.

    યુદ્ધ હોય કે મહામારી, સંકટ સમયે દુનિયાના કોઈ પણ ખૂણેથી નાગરિકોને સુરક્ષિત લઈ આવી મોદી સરકાર: યમનથી લઈને ઈરાન સુધી…અહીં વાંચો 11 વર્ષના શાસનકાળનાં 11 સફળ અભિયાનો વિશે

    છેલ્લા એક દાયકામાં ભારતે પોતાની નીતિઓમાં અનેક પરિવર્તનો કર્યાં છે. તે પૈકીનું એક પરિવર્તન છે નાગરિકોની સુરક્ષા. ભારતનો (India) કોઈપણ નાગરિક વિશ્વના કોઈપણ ખૂણે વસતો હોય, પણ સંકટ સમયે ભારતની મોદી સરકાર (Modi Government) તેની સાથે આવીને ઊભી રહેશે અને તેને સુરક્ષિત વતન પરત લઈ આવશે. આ માત્ર કહેવાતી વાતો કે કલ્પના નથી, પરંતુ મોદી સરકારના 11 વર્ષમાં જોવા મળેલી સિદ્ધિઓ છે. તાજેતરમાં પણ ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષને લઈને 1000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી પરત પોતાના દેશમાં લાવવામાં આવી રહ્યા છે.

    હાલ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને લઈને મોદી સરકારે ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ લાવવા માટે ‘ઑપરેશન સિંધુ’ (Operation Sindhu) લૉન્ચ કર્યું છે. શુક્રવારે (20 જૂન 2025) મોડી રાત્રે 290 ભારતીયોને લઈને પહેલુ વિમાન દિલ્હીમાં ઉતર્યું હતું. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીરના હતા. તે સિવાય શનિવારે સવારે પણ બીજું વિમાન લેન્ડ થયું છે. ભારત સરકાર સતત ઈરાન સ્થિત દૂતાવાસના સંપર્કમાં છે અને ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે પ્રતિબદ્ધ છે. 

    ઈરાને વિશેષરૂપે 1,000 ભારતીયોને સુરક્ષિત દેશમાં લાવવા માટે પોતાની એરસ્પેસ ખોલી છે. ત્યારબાદ સતત ભારત સરકાર ઈરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પરત સ્વદેશ લાવવા માટેના કામમાં જોતરાઈ ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ યાત્રિકોએ ‘ભારત માતા કી જય’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. તે સિવાય તેમણે મોદી સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

    11 વર્ષનો શાસનકાળ અને 11 સફળ ઑપરેશનો

    મોદી સરકારના સત્તામાં આવ્યા બાદથી હમણાં સુધી ભારતે ઑપરેશન સિંધુ સિવાયના 10 ઑપરેશન્સ હાથ ધર્યાં અને પોતાના નાગરિકોને હેમખેમ સ્વદેશ લાવવામાં આવ્યા હતા. ભારતે વિદેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોની સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપી છે. છેલ્લા એક દાયકામાં આ પરિવર્તન આખી દુનિયાએ જોયું છે. મોદી સરકારની ‘નાગરિક સુરક્ષા’ની નીતિના આ સ્પષ્ટ પ્રમાણ છે. મુદ્દાસર તમામ રેસ્ક્યુ ઑપરેશન્સ વિશેની માહિતી મેળવીએ.

    યમનમાં ઑપરેશન રાહત (2015) 

    મોદી સરકાર સત્તામાં આવી તેના બીજા જ વર્ષે યમનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો હતો. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ યમનની સત્તા મેળવવા માટે હુમલો કરી દીધો હતો. સ્થિતિ એટલી ભયાનક હતી કે, યમનના રાષ્ટ્રપતિ અબ્દ-રબ્બુ મંસૂર હાદીએ રાજીનામું આપીને દેશ છોડી દેવો પડ્યો હતો. ઈરાનના વધતા પ્રભાવને લઈને 26 માર્ચ, 2015ના રોજ સાઉદી આરબના નેતૃત્વમાં એક સૈન્ય ગઠબંધને ‘ઑપરેશન ડિસાઇસિવ સ્ટોર્મ’ શરૂ કર્યું હતું. જે હેઠળ હવાઈ હુમલા, બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. આ રાજકીય અસ્થિરતા અને વિદ્રોહની જ્વાળા વચ્ચે યમન સંપૂર્ણપણે ગૃહયુદ્ધમાં હોમાઈ ગયું હતું. 

    ભારત સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી હતી અને 1 એપ્રિલ, 2015ના રોજ મોદી સરકારના નેતૃત્વમાં ભારતીય સેનાએ ‘ઑપરેશન રાહત’ શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ કુલ 5,600 નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. તેમાંથી 4,640 ભારતીય નાગરિક હતા અને 960 જેટલા અન્ય 41 દેશોના નાગરિક હતા. આ ઑપરેશન 11 દિવસ સુધી સતત ચાલ્યું હતું. આ અભિયાન હેઠળ એર ઇન્ડિયા અને ભારતીય વાયુસેનાના વિમાન C-14 ગ્લોબમાસ્ટર દ્વારા નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

    નેપાળમાં ‘ઑપરેશન મૈત્રી’ (2015) 

    તે સિવાય ભારત સરકારે નેપાળમાં રેસ્ક્યુ ઑપરેશન ચલાવ્યું હતું. તારીખ હતી 25 એપ્રિલ, 2015. પાડોશી દેશ નેપાળમાં 7.8 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેની અસર ભારતમાં પણ થઈ. નેપાળના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી હતી. ભારતે સંકટગ્રસ્ત નેપાળની મદદ માટે ‘ઑપરેશન મૈત્રી’ તરત જ લૉન્ચ કરી દીધું હતું. લગભગ 40 દિવસ સુધી ચાલેલા આ ઑપરેશનમાં ભારતીય વાયુસેના અને નાગરિક વિમાનો દ્વારા 5,000થી વધુ ભારતીય નાગરિકોને નેપાળથી પરત લાવવામાં આવ્યા હતા. 

    તે સિવાય ભારતે અમેરિકા, બ્રિટન, રશિયા અને જર્મનીના 170 વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત રેસ્ક્યુ કર્યાં હતા. ભારતે ભૂકંપથી પીડત નેપાળ માટે 1348.995 ટન રાહતસામગ્રી પણ મોકલી હતી. વધુમાં મેડિકલ ટીમો, ખાણીપીણીની વસ્તુઓ, દવાઓ, ટેંટ્સ અને એન્જિનિયરિંગ ઉપકરણો પણ નેપાળ સુધી પહોંચતા કર્યાં હતા. 

    દક્ષિણ સુદાનમાં ‘ઑપરેશન સંકટ મોચન’ (2016)

    જુલાઈ 2016માં દક્ષિણ સુદાનની રાજધાની જુબામાં રાષ્ટ્રપતિ સલ્વા કીર અને ઉપરાષ્ટ્રપતિ રિએક માચારના સમર્થકો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. આ સંઘર્ષ 2013માં શરૂ થયેલા ગૃહયુદ્ધનો એક ભાગ હતો, પણ 2016માં તે વધુ ભયાનક બની ગયો હતો. બંને નેતાઓના સમર્થકો વચ્ચેના સંઘર્ષમાં 300થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો નાગરિકો રસ્તા પર આવી ગયા હતા. આ સમગ્ર પરિસ્થિતિને જોતાં 13 જુલાઈ, 2016ના રોજ મોદી સરકારે ‘ઑપરેશન સંકટ મોચન’ લૉન્ચ કર્યું હતું. 

    આ ઑપરેશન હેઠળ ભારતીય વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટર વિમાન મોકલવામાં આવ્યા હતા અને 156 ભારતીય નાગરિકોને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. ભારતે પોતાના તમામ નાગરિકોને યુગાંડાના રસ્તેથી રેસ્ક્યુ કર્યાં હતા. 

    માલદીવ, ઈરાન અને શ્રીલંકામાં ‘ઑપરેશન સમુદ્ર સેતુ’ (2020) 

    ‘ઑપરેશન સમુદ્ર સેતુ’ ત્રણ દેશોમાં ચલાવવામાં આવ્યું હતું. 5 મે, 2020ના રોજથી 25 જૂન, 2020 સુધી આ ઑપરેશન ચાલ્યું હતું. Covid-19 મહામારી સમયે ભારત સરકારે ત્રણ દેશોમાંથી (માલદીવ, ઈરાન અને શ્રીલંકા) 3,992 ભારતીય નાગરિકોને રેસ્ક્યુ કર્યાં હતા અને તેમને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. 55 દિવસો સુધી ચાલેલા આ ઑપરેશનમાં ભારતીય નેવીના જહાજોને કામે લગાડવામાં આવ્યા હતા અને તમામ નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા હતા. 

    સમગ્ર વિશ્વમાં ચાલ્યું હતું ‘ઑપરેશન વંદે ભારત’ (2020) 

    વર્ષ 2020 વિશ્વ માટે એક મોટો પડકાર બન્યું હતું. કોરોના મહામારીના કારણે લાખો લોકો ફસાઈ ગયા હતા. આ દરમિયાન 7 મે, 2020માં ભારત સરકારે ‘ઑપરેશન વંદે ભારત’ લૉન્ચ કર્યું હતું, જે 30 એપ્રિલ 2021 સુધી ચાલ્યું હતું. હમણાં સુધીનું આ સૌથી મોટું ઑપરેશન હતું. આ ઑપરેશન હેઠળ આખા વિશ્વમાં ફસાયેલા 67.5 લાખથી વધુ લોકોને પરત લાવવામાં આવ્યા હતા. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનો દ્વારા 18 લાખથી વધુ ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. 

    તે સિવાય 36 લાખથી વધુ નાગરિકોએ ચાર્ટર્ડ પ્લેન દ્વારા વતનવાપસી કરી હતી. આ મિશનમાં ભારતીય નૌકાદળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નેવીના જહાજો દ્વારા 3,987 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. તે સિવાય 5 લાખથી વધુ લોકોને જમીનની સરહદો પરથી ભારતમાં લાવવામાં આવ્યા હતા. 

    અફઘાનિસ્તાનમાં ‘ઑપરેશન દેવી શક્તિ’ (2021) 

    વર્ષ 2021માં તાલિબાને પોતાના સહયોગી આતંકી સંગઠનો સાથે મળીને અફઘાનિસ્તાન પર મોટો હુમલો કર્યો હતો. ત્યારબાદ ધીમેધીમે તાલિબાનના આતંકીઓએ અફઘાનિસ્તાન પર પોતાનું નિયંત્રણ સ્થાપી દીધું હતું. આખરે, રાજધાની કાબુલ પણ તાલિબાનના હાથમાં જતી રહી હતી, જેના કારણે અફઘાનિસ્તાનની સરકાર સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તાલિબાનના અફઘાનિસ્તાન પર હુમલા દરમિયાન 16 ઑગસ્ટ, 2021ના રોજ ભારત સરકારે ‘ઑપરેશન દેવી શક્તિ’ લૉન્ચ કર્યું હતું. 

    આ ઑપરેશન હેઠળ 800થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ અભિયાનમાં એરફોર્સના IAF C-17 ગ્લોબમાસ્ટર અને એર ઇન્ડિયાના બોઇંગ વિમાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આતંકગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી સફળતાપૂર્વક પોતાના તમામ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 

    યુક્રેનમાં ‘ઑપરેશન ગંગા’ (2022) 

    રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાત કરીને 26 ફેબ્રુઆરીથી 11 માર્ચ, 2022 સુધી ઑપરેશન ગંગા ચલાવ્યું હતું. જેમાં યુદ્ધના મેદાનમાંથી ભારતે પોતાના 22 હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. યુદ્ધના કારણે યુક્રેનની એરસ્પેસ બંધ થઈ ગઈ હતી, જેથી ભારતે પોતાના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પૉલેન્ડ, રોમાનિયા, હંગરી અને સ્લોવાકિયાથી વિમાનો ચલાવ્યા હતા. 

    આ ઑપરેશનમાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પોતાના વાહનો પર ભારતનો તિરંગો લગાવીને નીકળતા હતા, જેના કારણે તેમને કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડતો નહોતો. આતંકી દેશ પાકિસ્તાનના ઘણા વિદ્યાર્થીઓ પણ તિરંગા સાથે નીકળી રહ્યા હતા. 

    સુદાનના ‘ઑપરેશન કાવેરી’ (2023) 

    સુદાનમાં ચાલતા ગૃહયુદ્ધને ધ્યાને રાખીને 24 એપ્રિલ, 2023ના રોજ ભારત સરકારે ‘ઑપરેશન કાવેરી’ લૉન્ચ કર્યું હતું. આ અભિયાન ભારતીય નાગરિકોની સાથે ઘણા વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત બહાર કાઢવા માટે ચલાવવામાં આવ્યું હતું. આ ઑપરેશન હેઠળ કુલ 4,097 (136 વિદેશી લોકો) નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઑપરેશનમાં ભારતીય વાયુસેનાના વિમાનો અને નૌકાદળના જહાજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

    ઇઝરાયેલમાં ‘ઑપરેશન અજય’ (2023) 

    હમાસના આતંકી હુમલા બાદ ઇઝરાયેલે સંપૂર્ણ શક્તિ સાથે હમાસ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. જેના કારણે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. યુદ્ધ દરમિયાન ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે 11 ઑક્ટોબરના રોજ ‘ઑપરેશન અજય’ લૉન્ચ કર્યું હતું. આ અભિયાન હેઠળ 5 વિશેષ વિમાનો દ્વારા 18 નેપાળી સહિત લગભગ 1200 ભારતીય નાગરિકોને ઇઝરાયેલથી પરત લાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલ-હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધ દરમિયાન આ ઑપરેશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. 

    સિરીયામાં ચલાવ્યું ઑપરેશન (2024) 

    2024માં સિરીયામાં હયાત તહરીર અલ-શામની (HTS) આગેવાની હેઠળ ઇસ્લામી કટ્ટરપંથી દળો અને તૂર્કી સમર્થિત સીરિયન નેશનલ આર્મીએ 27 નવેમ્બરથી હુમલાઓ શરૂ કરી દીધા હતા. આખા દેશમાં અરાજકતા વ્યાપી ગઈ હતી અને 8 ડિસેમ્બરના રોજ બશર અલ-અસદની સરકાર પણ તૂટી પડી હતી. આ હુમલાઓના કારણે સિરીયામાં હિંસા અને અરાજકતા વધી ગઈ હતી અને કટ્ટરપંથી ઇસ્લામી સમૂહોએ સિરીયા પર પોતાનું શાસન સ્થાપિત કરી દીધું હતું. સિરીયાની આ સ્થિતિ પર ભારત સરકારની સતત નજર હતી. 

    જે બાદ ભારત સરકારે સિરીયામાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરી દીધું હતું. ઑપરેશન હેઠળ 75 ભારતીય નાગરિકોને સિરીયામાંથી સુરક્ષિતપણે સ્વદેશ લાવવામાં આવ્યા હતા. તે સિવાય પણ ભારત સરકારે અનેક રાહત ઑપરેશનો પણ કર્યાં હતા અને જેમાં મ્યાનમારમાં ‘ઑપરેશન બ્રહ્મા’ અને સિરીયા-તૂર્કીમાં ઑપરેશન દોસ્ત’નો સમાવેશ થાય છે. 

    ‘મંગળ ગ્રહ પરથી પણ બચાવી લાવશે મોદી સરકાર’

    મોદી સરકારના 11 વર્ષના શાસનકાળમાં તેમની નીતિઓ ખૂબ સ્પષ્ટ થઈ ચૂકી છે. અનેક વખત સરકારે અને વડાપ્રધાન મોદીએ પણ જાહેરમાં કહ્યું છે કે, નાગરિકોની સુરક્ષા મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મોદી સરકાર તેમની આ પ્રાથમિકતા માટે કેટલી પ્રતિબદ્ધ છે, તે ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના એક નિવેદનથી જાણી શકાય છે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના કાર્યકાળમાં એક નિવેદન આપ્યું હતું. 

    તેમણે કહ્યું હતું કે, ભારતીય દૂતાવાસ દુનિયાના કોઈપણ ખૂણામાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે હંમેશા તૈયાર હશે, ભલે પછી તેઓ ઘણા દૂર પણ કેમ ન હોય. તેમણે મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા ત્યાં સુધી કહી દીધું હતું કે, મંગળ ગ્રહ પરથી પણ મોદી સરકાર સુરક્ષિત રીતે પોતાના નાગરિકોને લઈને આવશે. સુષ્મા સ્વરાજનું આ નિવેદન માત્ર કલ્પના નહીં, પણ મોદી સરકારની પોતાના નાગરિકોને પ્રાથમિકતા આપવાની નીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. 

    યમનથી લઈને ઈરાન સુધી, મોદી સરકારે વિશ્વના કોઈપણ સંકટમાંથી સુરક્ષિત રીતે પોતાના નાગરિકોને પરત લાવવાની ભગીરથ સિદ્ધિ મેળવી છે. મોદી સરકારના 11 વર્ષના શાસનમાં 11 એવા ઑપરેશનો હાથ ધરવામાં આવ્યાં છે, જે સાબિત કરે છે કે, ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા છે. પછી તે નાગરિકો દેશમાં હોય કે વિદેશમાં, મોદી સરકાર તેમની સુરક્ષા માટે બનતા તમામ પ્રયાસો કરવા પ્રતિબદ્ધ છે.

    રામ મંદિર પર વામપંથી પ્રોપગેન્ડા, ઉમર ખાલિદને સમર્થન, સરકાર-પીએમ મોદી પર ટિપ્પણીઓ: IIT ગાંધીનગરના વધુ એક અધ્યાપકનાં ટ્વિટ વાયરલ, પોલ ખૂલતાં ડિલીટ કર્યું અકાઉન્ટ

    હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇસ્લામિક વિષયો પર થતા રિસર્ચના કારણે તાજેતરના ભૂતકાળમાં જ વિવાદમાં સપડાયેલી શૈક્ષણિક સંસ્થા IIT ગાંધીનગર (IIT Gandhinagar) હવે તેના અધ્યાપકોના કારણે ફરી ચર્ચામાં છે. પહેલાં અમુક અધ્યાપકોનાં NGO સાથે જોડાણ તેમજ વામપંથી વિચારધારાને સમર્થન કરતાં ટ્વિટ સામે આવ્યા બાદ હવે અન્ય વિભાગના પ્રોફેસરની સોશિયલ મીડિયા ગતિવિધિઓ પણ ચર્ચામાં છે. 

    IIT ગાંધીનગરના મટીરીયલ સાયન્સ વિભાગના અધ્યાપક અમિત અરોડાની અમુક સોશિયલ મીડિયા પોસ્ટ ફરતી થઈ છે, જેમાં તેમણે ક્યાંક હમાસનું સમર્થન કરતા અમેરિકી વિદ્યાર્થીઓનો પક્ષ લીધો છે તો ક્યાંક ઉમર ખાલિદ જેવા વિવાદાસ્પદ માણસોને પણ ટેકો આપ્યો છે. ઉપરાંત રાજકારણ પર પણ ટિપ્પણીઓ સામેલ છે અને ભારત સરકારની અમુક નીતિઓની પણ ખિલ્લી ઉડાડવામાં આવી છે. 

    જોકે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યા બાદ અને પોતાની પોસ્ટના સ્ક્રીનશૉટ ફરતા થઈ ગયા બાદ પ્રોફેસરે પોતાનું અકાઉન્ટ જ ડિલીટ કરી દીધું હતું, જેથી હવે તે દેખાય રહ્યું નથી. 

    27 મે, 2020ના રોજ સોશિયલ મીડિયા માધ્યમ એક્સ (જે પહેલાં ટ્વિટર હતું) પર એક પોસ્ટ કરીને અરોડાએ રામ મંદિર પર ટિપ્પણી કરી હતી. આ એ સમય હતો જ્યારે મંદિર મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો થોડા મહિનાઓ પહેલાં જ આવ્યો હતો અને ટ્રસ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. 

    અમિત અરોડા લખે છે, “રામલલ્લા એ બાળકમાં છે જે પ્લેટફોર્મ પર પડેલી પોતાની માનો મૃતદેહ જગાડવાના પ્રયાસ કરી રહ્યો છે. જ્યાં સુધી આવું એક પણ બાળક રહે, રામલલ્લા તમારા મંદિરમાં ક્યારેય નહીં આવે. જાઓ બનાવી લો મંદિર.”

    જોવા જઈએ તો આ એક ટિપિકલ લેફ્ટિસ્ટ માનસિકતા છે, જેમાં કાયમ આવી કોઈ સામાજિક કે આર્થિક સમસ્યાઓને મંદિર કે ભગવાન સાથે સાંકળી લઈને મંદિર બનાવવાની માંગ કરતા કે ધર્મની વાત કરતા હિંદુઓને નીચા દેખાડી દેવામાં આવે છે. જ્યારે જોવા જઈએ તો આવી બાબતો કોઈ પણ મજહબ કે પંથ સાથે પણ સાંકળીને જોઈ શકાય, પરંતુ સામાન્ય રીતે તેવું કરવામાં આવતું નથી અને માત્ર હિંદુઓને જ ઝૂડવામાં આવે છે. 

    1 એપ્રિલ, 2025ની એક પોસ્ટમાં એક લેફ્ટિસ્ટ અકાઉન્ટે ‘સંઘીઓ’ પર પ્રશ્ન ઉઠાવીને લખ્યું હતું કે અચાનક તેઓ ‘ઈન્ડિયા’ના સ્થાને ‘ભારત’ શબ્દનો ઉપયોગ કેમ વધારી રહ્યા છે? તેઓ શું કરવા માંગે છે? સાથે ટિપ્પણી કરી કે શું તેઓ ‘ભારત એ ઇન્ડિયાનું વિકસિત સંસ્કરણ છે’ તેવું સાબિત કરીને લોકોને મૂર્ખ બનાવવા માંગે છે? 

    આ પોસ્ટના જવાબમાં પ્રોફેસર અમિત અરોડા લખે છે કે, ‘’ભારત’ એ વાસ્તવિક સંયુક્ત પંથનિરપેક્ષ ઇન્ડિયાનું સંઘીઓનું બ્રાહ્મણવાદી, દમનકારી અને ધર્માંધ વર્ઝન છે.”

    IIT ગાંધીનગરના આ અધ્યાપકે પીએમ નરેન્દ્ર મોદી પર પણ અનેક ટિપ્પણીઓ કરી છે, જેનાથી વડાપ્રધાન વિશે તેમનો પૂર્વગ્રહ સ્પષ્ટ નજરે પડે છે. 

    જૂન 2024ની એક પોસ્ટમાં એક ફોટો પોસ્ટ કરીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. 

    2020માં એક પોસ્ટ કરીને 2014નો ભારતીય જનતા પાર્ટીના એક પોસ્ટરનો ફોટો મૂક્યો અને ટિપ્પણી કરતાં લખ્યું કે, અહીં હવે કંઈ લખવાનું રહેતું નથી. પોસ્ટરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોદી સરકાર આવ્યા બાદ રાહત મળશે તેવું લખાણ હતું. 

    એક પોસ્ટ તાજેતરની જ છે, જે 25 એપ્રિલ, 2025ના રોજ લખવામાં આવી હતી. મોદીદ્વેષી ગુજરાતી પત્રકારોમાં મોખરે સ્થાન પામેલા ઉર્વીશ કોઠારીની એક પોસ્ટને ક્વોટ કરીને અમિત અરોડા લખે છે, “અમેરિકા જઈને હિંદી બોલે છે અને બિહાર જઈને અંગ્રેજી. આમના (મોદીના) જલવા જ અલગ છે, નાટકો ખતમ થતાં નથી.”

    તેમની ટ્વિટર પ્રોફાઇલ જોતાં તેઓ રવીશ કુમારની પોસ્ટ પણ રીપોસ્ટ કરતા જોવા મળે છે. ટ્વિટર ટ્રોલ અર્પિત શર્માએ ઉમર ખાલિદના સમર્થનમાં એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, જો તેનું નામ ઉમેશ કે ઉમંગ હોત તો તે અત્યારે જેલની બહાર હોત. પરંતુ આ પોસ્ટ કરનાર અર્પિત અને તેને રીપોસ્ટ કરનાર IIT ગાંધીનગરના પ્રોફેસર બંને ભૂલી જાય છે કે ઉમર ખાલિદ સામે હિંદુવિરોધી રમખાણોનાં ષડ્યંત્ર રચવાનો આરોપ છે. છતાં અહીં જાણીજોઈને તેને મુસ્લિમ હોવાના કારણે પ્રતાડિત કરવામાં આવી રહ્યો હોવાનો પ્રોપગેન્ડા ચલાવવામાં આવ્યો. 

    પ્રોફેસરની આ બધી પોસ્ટ સામે આવ્યા બાદ પ્રશ્નો ઘણા સર્જાયા છે. ચર્ચા એ ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થામાં કામ કરતા, વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકો શું જાહેર માધ્યમો ઉપર આ પ્રકારની ટિપ્પણીઓ કરી શકે કે શું એક જ વિચારધારાને પ્રોત્સાહન આપીને પ્રોપગેન્ડાબાજોની ટોળકીમાં સામેલ થઈ શકે? 

    એ વિષય વારંવાર ઊઠતો રહ્યો છે કે આ શિક્ષણ સંસ્થાઓ કરદાતાઓના પૈસે ચાલે છે. અહીં આ પ્રકારનો સ્પષ્ટ વૈચારિક ઝુકાવ ધરાવતા અધ્યાપકો કામ કરતા હોય, આ રીતે પોતાની વિચારધારા ફેલાવી રહ્યા હોય તો ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારનું વૈચારિક વાતાવરણ સર્જાય એ પણ એક પ્રશ્ન છે. ખાસ કરીને IIT ગાંધીનગર જેવી શિક્ષણ સંસ્થા માટે, જે પહેલેથી જ આ વિષયોને લઈને વિવાદમાં આવી ચૂકી છે. 

    IIT ગાંધીનગર પહેલેથી જ વિવાદમાં, HSS વિભાગના અધ્યાપકો પર પણ ઉઠી ચૂક્યા છે પ્રશ્નો

    ભૂતકાળમાં ઑપઇન્ડિયાએ અહેવાલોમાં જણાવ્યું હતું કે કઈ રીતે IIT ગાંધીનગરના હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વાર્ષિક થીસીસ પ્રોજેક્ટના નામે ઇસ્લામિક વિષયો પસંદ કરીને રિસર્ચ કરવા માંડ્યું હતું. વિષયો જોઈને કોઈ શિક્ષણ સંસ્થા છે કે ઇસ્લામિક રિસર્ચ સેન્ટર એ પણ નક્કી કરવું કઠિન પડે એ પ્રકારના વિષયો પસંદ કરવામાં આવતા હતા. જ્યારે મામલો સાર્વજનિક થયો તો HSS વિભાગના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને મેઇલમાં ધમકી પણ આપી હતી. 

    પછીથી અન્ય એક રિપોર્ટમાં ઑપઇન્ડિયાએ એ વિષય પર પ્રકાશ પાડ્યો હતો કે કઈ રીતે અમુક અધ્યાપકો જનજાતીય વિસ્તારોમાં કામ કરતાં વિવાદાસ્પદ NGO સાથે સંકળાયેલા છે તો અમુક કઈ રીતે સોશિયલ મીડિયા પર સક્રિય રહીને વામપંથી વિચારધારાનો ફેલાવો કરી રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હોવાનું ધ્યાને આવ્યું નથી ત્યાં હવે એક પછી એક વધુ અધ્યાપકોને લગતા વિવાદો સપાટી પર આવી રહ્યા છે.