Tuesday, May 20, 2025
More
    હોમપેજગુજરાત‘ગુજરાત રમખાણો; પર્યાવરણ અને બ્રાહ્મણવાદ; હિન્દુત્વ કાલ્પનિક’– આવા બધા વિષયો ઉપર પણ IIT...

    ‘ગુજરાત રમખાણો; પર્યાવરણ અને બ્રાહ્મણવાદ; હિન્દુત્વ કાલ્પનિક’– આવા બધા વિષયો ઉપર પણ IIT ગાંધીનગરમાં થતું ‘સંશોધન’: કવ્વાલીનો કાર્યક્રમ થયો, લક્ષ્મીપૂજા માટે ન અપાઈ પરવાનગી

    હવે સંસ્થામાં થતાં સંશોધન અને તેને લગતી બીજી પણ અમુક વિગતો બહાર આવી રહી છે, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને ઠેરઠેરથી સરકારને હસ્તક્ષેપ કરીને શિક્ષણ સંસ્થાઓમાં થતી અમુક પ્રવૃત્તિઓને ડામવા માટે અરજ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગના MA ઇન સોશિયલ સાયન્સ પ્રોગ્રામમાં અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓએ રિસર્ચ માટે ઈસ્લામિક થિયોલોજી સંબંધિત વિષયો પસંદ કરતા અને આ બાબત સાર્વજનિક થઈ જતાં IIT ગાંધીનગર વિવાદમાં ફસાઈ છે. હવે સંસ્થામાં થતાં સંશોધન અને તેને લગતી બીજી પણ અમુક વિગતો બહાર આવી રહી છે, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને ઠેરઠેરથી સરકારને હસ્તક્ષેપ કરીને શિક્ષણ સંસ્થાઓમાં થતી અમુક પ્રવૃત્તિઓને ડામવા માટે અરજ કરવામાં આવી રહી છે. 

    એક્ટિવિસ્ટ હર્ષિલ મહેતાએ તેમની X પ્રોફાઇલ ઉપર સંખ્યાબંધ પોસ્ટમાં IIT ગાંધીનગરમાં ભૂતકાળમાં થયેલા અમુક વિવાદાસ્પદ કાર્યક્રમોની વિગતો શૅર કરી છે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે થોડા સમય પહેલાં અમુક વિદ્યાર્થીઓએ કેમ્પસમાં લક્ષ્મી પૂજા માટે પરવાનગી માગી હતી, પરંતુ આપવામાં આવી ન હતી. પરંતુ ત્યારબાદ કવ્વાલીનો કાર્યક્રમ આ જ પરિસરમાં કરવામાં આવ્યો. 

    અમુક ઇન્ટરનલ મેઇલ પણ સામે આવ્યા છે. જેમાં લક્ષ્મી પૂજા માટે પરવાનગી માંગતા સંદેશાવ્યવહાર જોઈ શકાય છે. 30 ઑક્ટોબર 2024ના રોજ કલ્ચરલ સેક્રેટરી દ્વારા મોકલવામાં આવેલા મેઇલમાં દિવાળી પર લક્ષ્મી પૂજાનું આયોજન કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ એક જ લીટીમાં ‘ધીસ ઈઝ નોટ અપ્રૂવ્ડ’ લખીને પરવાનગી રદ કરી દેવાઈ હતી. 

    - Advertisement -

    ત્યારબાદ કલ્ચરલ સેક્રેટરીએ ફરી એક વખત સંદેશ મોકલીને લખ્યું કે, લક્ષ્મી પૂજાનું આયોજન આગલા વર્ષે પણ થયું હતું અને તે મેઇલ પણ તેઓ જોડી રહ્યા છે. સાથે ફરીથી પરવાનગી આપવાની રજૂઆત કરવામાં આવી. પરંતુ ફરીથી રજૂઆત કરવા છતાં કૃપેશ ચૌહાણનાં આઈડી પરથી ‘પ્રપોઝલ નોટ કન્સિડર્ડ ફોર ફર્ધર એપ્રુવલ.’ (પરવાનગી માટે પ્રસ્તાવ પર વિચારણા કરવાની કોઈ ગણતરી નથી.) લખીને ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. 

    બીજી તરફ, લગભગ પાંચ જ મહિના પહેલાં IIT ગાંધીનગરમાં જ એક કવ્વાલીનો કાર્યક્રમ આયોજિત થયો હતો, જેની સોશિયલ મીડિયા પોસ્ટ પણ સામે આવી છે. હવે આવાં બેવડાં ધોરણો સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ કવ્વાલીનો કાર્યક્રમ એપ્રિલ 2024માં યોજાયો હતો. 

    અગાઉના રિપોર્ટમાં ઑપઇન્ડિયાએ જણાવ્યું હતું. કે કઈ રીતે IIT ગાંધીનગરમાં પેરિયાર જયંતી અને ઈદ, મોહર્રમ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    આ સિવાય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓની અને તેમણે કરેલા રિસર્ચની પણ અમુક વિગતો સામે આવી છે. 

    આવા જ એક ઉર્માન નામના વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં આર્ટસમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી વેળા ‘ગુજરાત રાયટ્સ 2002’ પર થિસીસ તૈયાર કરી હતી. તેના X અકાઉન્ટની એક પોસ્ટ પણ વાયરલ થઈ છે, જેમાં તે બહુ ગર્વથી પોતાને ‘મોદીદ્વેષી’ ગણાવે છે અને કહે છે કે તેણે એક પ્રેઝન્ટેશનમાં ગુજરાતનાં રમખાણોને ‘સ્વયંસ્ફુરિત હિંસા’નું સ્વરૂપ ગણાવી દીધાં હતાં, જ્યારે ખરેખર તેણે ‘પૂર્વનિયોજિત’ કહેવાં જોઈતાં હતાં. હવે આણે ગુજરાત રમખાણો પર કેવુંક સંશોધન કર્યું હશે તે સમજી શકાય એમ છે. 

    આ જ IIT ગાંધીનગરના HSSS વિભાગ દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેનો વિષય હતો– ‘ઈથેનોનેશનાલિસ્ટ-નિયોકોલોનિયલ ડેવલપમેન્ટ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન એન્ડ ધ કેસ ઑફ કાશ્મીર.’ 

    અહીં નિયોકોલોનિયલનો અર્થ થાય આધુનિક પરિભાષામાં ઉપનિવેશવાદ, જ્યાં એક શક્તિશાળી દેશ કે કોર્પોરેશન ઓછા શક્તિશાળી દેશ કે પ્રદેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરીને અસર પહોંચાડે. ઘણી વખત સીધા રાજકીય શાસન હેઠળ નહીં તો આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક કે ટેક્નોલોજીકલ દબાણ હેઠળ. અહીં ભારત અને કાશ્મીર બંનેને અલગ પરિદૃશ્યમાં રજૂ કરવાની વાત થઈ. જ્યારે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ કહેવાય. ભારત શું કામ ઉપનિવેશવાદનો સહારો લે, જ્યારે કાશ્મીર પોતાનો જ પ્રદેશ છે.

    સેમિનારમાં જે વક્તા હતાં એ મહિલા યુનિવર્સિટી ઑફ નોર્ધન કોલોરાડોમાં એસોસિએટ પ્રોફેસર છે. કાશ્મીર અને ભારત વિરુદ્ધ લેફ્ટિસ્ટ-ઇસ્લામિસ્ટ પ્રોપગેન્ડા ફેલાવવામાં કાયમ અગ્રેસર રહ્યાં છે. તેમના અહીં ગાંધીનગરમાં લેક્ચરો યોજાઈ રહ્યા છે. 

    જે MASC થિસીસ પ્રોજેક્ટ્સનો વિવાદ ચાલી રહ્યો છે, તેમાં એક પ્રોજેક્ટ કંઈક આવો પણ હતો. ‘નરેટિવાઇઝિંગ અ નેશનલ ફેન્ટસી: ધ પોલિટિકલ પ્રોજેક્ટ ઑફ હિંદુત્વ એન્ડ ધ ઓબ્જેક્ટ ઑફ ઇમેજિનેશન.’ વિષય અહનાસ મુહમ્મદ નામના કોઈ વિદ્યાર્થી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. 

    નવેમ્બર 2023માં થયેલા એક રિસર્ચમાં ‘પર્યાવરણીય અન્યાય’ને જાતિ સાથે જોડવામાં આવ્યો હતો અને દલીલો એવી આપવામાં આવી હતી કે બ્રાહ્મણવાદી વર્ચસ્વના કારણે શ્રીમંતો કુદરતી સંસાધનો સુધી વધુ પહોંચ ધરાવે છે અને તેના કારણે ગરીબ અને પછાત વર્ગના સમુદાયો સાથે અન્યાય થાય છે. ઉદાહરણ સુંદરવનનું આપવામાં આવ્યું હતું. 

    આ સિવાય એક સેશન એવું પણ થયું હતું, જેમાં મોહર્રમને ‘મહાન કુરબાની’ ગણાવીને વક્તવ્ય આપવામાં આવ્યું તો મુસ્લિમ વક્તાને દલિત બતાવીને ભાષણ કરાવીને સેશન કરાવવામાં આવ્યાં હોવાની પણ વિગતો સામે આવી છે. 

    ઉલ્લેખનીય છે કે IIT ગાંધીનગર છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં છે અને તેનું કારણ છે HSS વિભાગ. ઑપઇન્ડિયાએ વિભાગ અને પ્રોફેસરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં