પાટનગર ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IIT) વિવાદમાં સપડાઈ છે અને કેન્દ્રમાં તેનો હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ (HSS) વિભાગ છે. અહીં MASC (એમએ ઇન સોસાયટી એન્ડ કલ્ચર) પ્રોગ્રામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે થીસિસ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે તેના વિષયોએ વિવાદ જનમાવ્યો છે અને હવે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી રહી હે.
વિગતે જોવામાં આવે તો તાજેતરમાં સોશિયલ મીડિયા પર IIT ગાંધીનગરના HSS વિભાગના અમુક થિસીસ પ્રોજેક્ટ્સની જાણકારીઓ બહાર આવી હતી. તેમાં જાણવા મળ્યું કે MA ઇન સોશિયલ સાયન્સનો અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓ એક ઈસ્લામિક સ્ટડીઝ પર આધારિત વિષયો પર કામ કરી રહ્યા છે. વિગતો અને પ્રોજેક્ટ્સનાં નામ જોતાં તેમાં મજહબી બાબતોના તથ્યાત્મક અને સિદ્ધાંતલક્ષી સંશોધન ઓછું અને સોશિયલ સાયન્સ રિસર્ચની આડમાં મજહબી બાબતોને અલગ પરિપેક્ષ્યથી રજૂ કરવાનો આશય વધુ જણાય છે તેવી ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. એ જ કારણ છે કે આ વિષયો વિવાદનું કેન્દ્ર બન્યા છે.
🚨 This will make you proud. India has its own AI finally! IIT Gandhinagar has come up with this unique architecture that will beat ChatGPT & Deepseek through the power of Kerala. It's called Deepfaith 🤲
— Eminent Intellectual (@total_woke_) April 28, 2025
Thank you @iitgn for using your taxpayer funded "autonomy" just like our… pic.twitter.com/3ycfZfgaCH
આ ટોપિક્સ જોઈએ તો કંઈક આ પ્રકારે છે.
‘ફિશિંગ વિથ ફેથ: ઇસ્લામ, ઇન્ડિજિનસ નોલેજ એન્ડ ઇકોલોજીકલ સસ્ટેનેબિલિટી ઇન લક્ષદ્વીપ’
‘રોબ્સ ઑફ ઑથોરિટી: સુન્ની ઉલમા, સેર્ટોરિયલ ટ્રેડિશન એન્ડ એમ્બોડિડ પાઈટી ઇન મલબાર’
‘ફ્રોમ ગોડ્સ ટૂ જીન: ઓન્ટોલોજીકલ રીરાઈટિંગ એન્ડ ધ ઇસ્લામાઇઝેશન ઑફ સ્પિરિટ ઇન કેરાલા’
‘બિયોંડ કલ્ચરલ બ્રોકર્સ: સ્પીચ મીડિએશન એન્ડ રિચ્યુઅલ એફિકેસી ઇન મોસ્ક સ્પીચિઝ ઇન કોઝિકોડ.’
અમુક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આ તમામ વિષયો ફેકલ્ટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા અને એક તસવીર પણ સામે આવી છે, જેમાં તમામ થિસીસ પ્રોજેક્ટ્સમાં ગાઇડ તરીકે પ્રોફેસરોનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
આ જાણકારીઓ સામે આવતાં વિવાદ સર્જાયો હતો અને પ્રશ્નો ઊઠ્યા હતા કે ટેક્સપેયરોના પૈસે ચાલતી સંસ્થામાં વિદ્યાર્થીઓ આવા વિવાદિત વિષયોને લઈને કેમ ‘સંશોધન’ કરી રહ્યા છે અને એ પણ જનતાના પૈસે. તરત ત્યારબાદ સોશિયલ મીડિયા પર વિરોધ ઉઠવા માંડ્યો અને લોકોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયથી માંડીને ગુજરાત સરકારના મંત્રીઓને ટેગ કરીને હસ્તક્ષેપની માંગ કરી હતી.
આ વિવાદ વકરતાં એક ઇમેઇલનો સ્ક્રીનશૉટ સામે આવ્યો હતો, જે કથિત રીતે આ જ થિસીસ ગાઇડો પૈકીના એક નિશાંત ચોક્સી નામના પ્રોફેસરે વિદ્યાર્થીઓને મોકલ્યો હોવાનું કહેવાય છે. આ ઇમેઇલમાં વિદ્યાર્થીઓને રીતસર ધમકાવવામાં આવ્યા છે અને આંતરિક બાબતો ‘સાર્વજનિક’ કરવા બદલ કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.
🚨 This is scary. Our students are not safe in an environment of academic intimidation, secrecy & sexual exploitation.
— Eminent Intellectual (@total_woke_) April 30, 2025
After I exposed Islamic idiocy being studied in @iitgn, this is the mail one of the professors Nishaant Choksi sent.
He talks about an "Honor code" as if they… https://t.co/2XP4hWvNhc pic.twitter.com/PJIjvRX8KK
ઇમેઇલમાં કહ્યું કે, ‘અમારા ધ્યાને આવ્યું છે કે કોઈક MASC થિસીસ ટોપિક, વિદ્યાર્થીઓનાં નામો અને માર્ગદર્શકોની વિગતો ધરાવતા HSSના આંતરિક ઇમેઇલ સાર્વજનિક કરી રહ્યું છે. ધ્યાન રહે કે આ ગોપનીયતાનું ઉલ્લંઘન છે.’ ત્યારબાદ આ બાબતની જાણ ઉપલા સ્તરે કરવામાં આવી હોવાનું કહીને કહ્યું કે આ બાબતની તપાસ માટે એક સમિતિ પણ બનાવવામાં આવશે. આગળ વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી કે આવું બીજી વખત ન થવું જોઈએ અને એવું પણ કહ્યું કે, કોઈને પણ ‘અભ્યાસની બાબતમાં થતા સંશોધન’ માટે ટાર્ગેટ ન કરવામાં આવે એટલી ‘અભ્યાસની સ્વતંત્રતા’ પ્રોગ્રામ આપે છે. જે કોઈ પણ આ કરી રહ્યું છે તે સાંખી લેવામાં ન આવે તેમ જણાવીને આ ‘હોનર કોડ’નું ઉલ્લંઘન છે તેવું ઈમેઈલમાં જણાવવામાં આવ્યું હતું.
આ મામલે વધુ વિગતો મેળવવા માટે ઑપઈન્ડિયાએ નિશાંત ચોકસીનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ પ્રકાશિત થવાની ક્ષણ સુધી પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નથી. પ્રાપ્ત થવાની સ્થિતિમાં રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.
બીજી તરફ કથિત રીતે એક વિદ્યાર્થીના મેસેજના પણ અમુક સ્ક્રીનશૉટ ફરી રહ્યા છે, જેમાં તેઓ દાવો કરે છે કે HSS વિભાગ દ્વારા તેમને આ બાબતો સાર્વજનિક કરનાર વિદ્યાર્થીઓનાં નામો આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ નિશાંત ચોક્સીનું નામ લખવામાં આવ્યું છે. આરોપ એવો પણ છે કે આ ઇસ્લામિક AI રિસર્ચ પેપર વિશે ક્યાંય બહાર વાત કરવા પર હિંદુ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપવામાં આવી હતી.
This is happening at IIT Gandhi Nagar where Hindu students are threatened by leftist professors, Muslim students. Gandhi Nagar is in Gujarat. A state ruled by BJP from the last 25+ years. Imagine the level of brainwashing going through in IITs. Shameful and pathetic. pic.twitter.com/OL7jmt8QcZ
— Rohith (@rohithverse) May 1, 2025
વિદ્યાર્થી મેસેજમાં કહી રહ્યો છે કે વિભાગ દ્વારા તેમને તાજેતરમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા પર પણ કંઈ પણ પોસ્ટ કરવાની ના પાડી હતી અને કારણ આપ્યું હતું કે તેનાથી ઇસ્લામોફોબિયા વધે છે. પરંતુ બીજી તરફ 2023 અને 2024માં પેલેસ્ટાઇન માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને એક રીડિંગ સેશન પણ થયું હતું.
આ બાબતની વધુ વિગતો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેનાથી જાણવા મળ્યું કે 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કરીને સેંકડો નિર્દોષ ઇઝરાયેલીઓને મારી નાખ્યા તેના થોડા જ દિવસો બાદ IIT ગાંધીનગરમાં ‘શામ-એ-આઝાદી’ શીર્ષક હેઠળ ‘રીડિંગ રેઝિસ્ટન્સ થ્રુ પોએટ્રી’ નામનો એક કાર્યક્રમ થયો હતો. હવે લોકો પૂછી રહ્યા છે કે આવા સમયગાળામાં આવા કાર્યક્રમો કરીને મિત્રદેશ સાથેના સંબંધોને જોખમમાં મૂકવાનું કામ એ સંસ્થા કરી રહી છે જે ટેક્સપેયરોના પૈસાથી સરકાર દ્વારા સંચાલિત છે. બીજી તરફ વિદ્યાર્થીઓ કહે છે કે તેમને કાશ્મીર મુદ્દે બોલતા રોકવામાં આવી રહ્યા છે.
મુદ્દો વધુ ચગ્યો ત્યારે જાણવા મળ્યું કે આ જ IIT ગાંધીનગરમાં ઈદ પર ‘જશ્ન-એ-ઈદ’નામથી એકાદ કાર્યક્રમનું પણ આયોજન થયું હતું અને પેરિયાર પર પણ સત્રો યોજાયાં હતાં.
Jash-e-Eid Milad at our leftist bastion IIT Gandhinagar.
— Harshil (હર્ષિલ) (@MehHarshil) May 2, 2025
You don’t know how it is a masterstroke. pic.twitter.com/Gp7NhjMWHC
Periyar Jayanti celebration in IIT Gandhinagar.
— Harshil (હર્ષિલ) (@MehHarshil) May 1, 2025
You know which department is this.
I repeat: catapult the person who gave idea of opening humanity departments at IITs. pic.twitter.com/6EMpnaT0fb
સૂત્રો જણાવે છે કે ગુજરાત સરકારના ધ્યાને પણ મામલો આવ્યો છે. બીજી તરફ IIT ગાંધીનગર કે તેના HSS વિભાગ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.