ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ફરતે ચાલતો વિવાદ હવે થિસીસ પ્રોજેક્ટ્સથી આગળ વધીને સંસ્થામાં થતા કાર્યક્રમો, સત્રો અને અધ્યાપકોની પ્રવૃત્તિઓ સુધી પણ પહોંચ્યો છે. ઈન્ટરનેટ પર અમુક વિગતો સામે આવી છે, જે ગંભીર પ્રશ્નો સર્જે છે, જેના જવાબો IIT ગાંધીનગર પાસેથી અપેક્ષિત છે, પરંતુ સંસ્થા હજુ પણ વિવાદ બિનજરૂરી ગણાવીને સ્વબચાવ જ કરી રહી છે.
બીજી તરફ આ વિવાદ બાદ ઈન્ટરનેટ પર IIT ગાંધીનગરના હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ (HSS) વિભાગના અમુક અધ્યાપકો ચર્ચામાં છે. નિશાંત ચોકસી નામના એક પ્રોફેસરનો એક ઈમેઈલ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો, જેમાં તેઓ થિસીસ પ્રોજેક્ટ્સ અને વિદ્યાર્થીઓને લગતી વિગતો કથિત રીતે સાર્વજનિક કરવા બદલ વિદ્યાર્થીઓને કાર્યવાહીની ચીમકી આપતા જોવા મળે છે અને શિક્ષાત્મક પગલાં લેવાની પણ વાત કરે છે.
– After this, Nishant Choksi, one of the professors involved, wrote an email and threatened them with "consequences". pic.twitter.com/JyGIZEkuW2
— Indian Right Wing Community (@indianrightwing) May 1, 2025
આ ઈમેઈલ વિશે ઑપઇન્ડિયાએ તેમનો સંપર્ક કરીને પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નથી.
બીજી તરફ જાણવા મળ્યું છે કે તેઓ અમુક NGO સાથે પણ સંકળાયેલા છે. નર્મદા વિસ્તારમાં વિસ્થાપિત વનવાસીઓ માટે કામ કરવાનો દાવો કરતા NGO આદિલોક અને પ્રોફેસર ચોકસીનું કનેક્શન સામે આવ્યું છે.
12 જાન્યુઆરીની HSS વિભાગ IIT ગાંધીનગરની એક પોસ્ટ જણાવે છે કે નિશાંત ચોક્સીએ રિસર્ચ સ્ટાફ કલ્પેશ રાઠવા સાથે મળીને આદિલોકમાં ગુજરાતીમાં લખેલાં પુસ્તકોનું લોકાર્પણ કર્યું હતું. પુસ્તકોના વિષય છે– નર્મદા ખીણના વિસ્થાપિતોમાં સાંસ્કૃતિક અને ભાષાકીય ફેરફારો.

આ આદિલોક NGOના ટ્રસ્ટીમંડળ પર પણ ધ્યાન આપવા જેવું છે. તેના પ્રમુખ છે ફાધર ફર્નાન્ડ દુરાઈ. ઉપપ્રમુખ ફાધર વિનાયક જાદવ, સેક્રેટરી નિલેશ મેકવાન, ટ્રસ્ટીઓ એન્ટોની પિચાઈ અને અન્યો.

હવે સોશિયલ મીડિયા પર પ્રશ્નો એ ઉઠી રહ્યા છે કે આ રીતે IIT અધ્યાપકો આવાં ઇવેન્જેલિકલ NGO સાથે સંકળાઈને કામ કરી શકે?
My questions to Ministry of Education and Director of IIT Gandhinagar:
— Harshil (હર્ષિલ) (@MehHarshil) May 3, 2025
1. Is the Ministry aware of Prof Choksi’s ties with Adilok?
2. Is it allowed for IIT professors to associate with evangelical NGOs? Is this legal?
3. How much IIT/Ministry paid for this project? https://t.co/KLroLaEDLp
આ સિવાય આ જ વિભાગના અન્ય એક અધ્યાપક પણ ચર્ચામાં છે. આશિષ ઝાઝા. થોડા દિવસ પહેલાં તેઓ X ઉપર સક્રિય હતા, પણ વિવાદ બાદ તેમનું ખાતું દૃશ્યમાન થતું બંધ થઈ ગયું છે. તેમની કેટલીક પોસ્ટ પર નેટિઝન્સે પ્રશ્ન ઉઠાવવાના શરૂ કર્યા હતા. ત્યારબાદ પહેલાં અકાઉન્ટ લૉક કરવામાં આવ્યું અને પછીથી ડિએક્ટિવેટ થઈ ગયું. આ લખાયાની ક્ષણે દેખાય રહ્યું નથી.
આશિષ ઝાઝાએ એક પોસ્ટ રિપોસ્ટ કરી હતી, જેમાં કોલોનાઇઝિંગ કાશ્મીર અને કોલોનાઇઝિંગ પેલેસ્ટાઇન– એમ બે પ્રકાશનો પોસ્ટ કરીને તેને વાંચવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. એટલે બંને પ્રદેશોને સરખાવવાની વાત થઈ ગઈ!
એક એક્સ પોસ્ટમાં તેમણે લખ્યું હતું, “રાહુલ ગાંધી નહીં તો બીજું કોણ?”

એક પોસ્ટમાં એક યુઝરે નાણાંમંત્રી નિર્મલા સીતારમણની મજાક ઉડાવીને લખ્યું હતું– તેમની પાસે રાજીનામું કઈ રીતે અપાવી શકાય? તેમને કહો કે ભારત એ ‘ઓનિયન ઑફ સ્ટેટ્સ’ છે.’ આ પોસ્ટ પણ પ્રોફેસરે રિપોસ્ટ કરી છે.
એક ઈન્ટરનેટ યુઝરે પ્રોફેસર પર તેમની સાથે અશોભનીય ભાષામાં વર્તન કરીને ત્યારબાદ બ્લૉક કરી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ પોસ્ટ પણ ખાસ્સી વાયરલ થઈ છે.
His posts are full of Librandu BS.
— Neena Rai (@NeenaRai) April 26, 2025
Wonder why @iitgn thought he was a befitting professor. Do they too agree that kashmir is colonised? pic.twitter.com/SUekFN4D84
તેમના વિશે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેમનાં અમુક પેપરો જુદા-જુદા ઠેકાણે પ્રકાશિત થયાં છે. તાજું પ્રકાશન વર્ષ 2025નું છે. જે લંડનથી પ્રકાશિત ‘ગવર્નિંગ ધ ક્રાઈસિસ: નેરેટિવ્સ ઑફ કોવિડ-19 ઇન ઇન્ડિયા’માં ‘કોવિડ-19 એન્ડ ધ ઇન્ડિજિનસ માઇગ્રન્ટ્સ ક્વેશ્ચન ઇન અર્બન ઇન્ડિયા’ નામથી લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
જે પ્રકાશનમાં આ લેખ પ્રકાશિત થયો છે તે કોરોના મહામારી અને ભારતની પરિસ્થિતિ પર આધારિત છે. જે-તે સમયે ભારત જ નહીં સમગ્ર દુનિયામાં પરિસ્થિતિ અત્યંત કપરી હતી અને સદીઓમાં ક્યારેય ન જોયો હોય તેવો સમય ચાલતો હતો. ભારત જેવા આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે પડકાર મોટો હતો, પણ દેશ સંઘર્ષ કરીને પણ પહોંચી વળ્યો. પરંતુ આ પ્રકાશન વાંચનારને લાગે કે દેશ સદંતર રીતે નિષ્ફળ રહ્યો હતો અને લોકો આશા ગુમાવી ચૂક્યા હતા. પેપરમાં વડાપ્રધાન મોદી માટે ‘હિંદુ રાઇટ વિંગ પાર્ટીના નેતા’ જેવાં સંબોધન વાંચીને જ ઘણુંખરું સ્પષ્ટ થઈ જાય છે કે દિશા કઈ પકડવામાં આવી છે.
આશિષ ઝાઝાએ તેમના લેખમાં અચાનક આવી પડેલી મહામારી અને તેના પગલે લાગુ પડેલા લૉકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં કામ કરતા શ્રમિકોને પડેલી સમસ્યાઓ પર લખ્યું છે. અહીં શરૂઆતમાં પૂરતી મેડિકલ સુવિધાઓ ન હોવાના કારણે, ગરીબી અને પાણીની સમસ્યા, પૂરતા ડૉક્ટરો ન હોવાના કારણે મૃત્યુદર વધારે હોવાનું કહેવાય છે, પણ પછીથી જ્યારે રાજ્યોની વાત આવે તો ઝારખંડ અને છત્તીસગઢ જેવાં INDI ગઠબંધનશાસિત રાજ્યોનાં ભરપૂર વખાણ કરવામાં આવ્યાં છે.

હેમંત સોરેને આ શ્રમિકો માટે કેવાં પગલાં લીધાં હતાં અને બીજી બધી ચિંતા કર્યા વગર આ બાબત પર વધુ ધ્યાન આપ્યું હતું તેની વાતો લખવામાં આવી છે, પણ હકીકત જોવા જઈએ તો તે સમયે બધાં જ રાજ્યો પ્રયાસો કરતાં હતાં અને બધાંએ જ બાકીની ચિંતા છોડીને ધ્યાન મહામારી પર જ આપ્યું હતું. પરંતુ એકાદ-બે રાજ્યોનો ઉલ્લેખ કરવાથી એક નરેટિવ બને છે, જે પહેલી નજરે ધ્યાને ન પણ આવે. ‘સૂત્રો’ને ટાંકીને લખવામાં આવ્યું છે કે સોરેને વ્યક્તિગત રીતે આ બાબતો પર ધ્યાન આપ્યું હતું! (તો બાકીના મુખ્યમંત્રીઓએ શું કર્યું હતું?)
સોરેન વિશે લખવામાં આવ્યું છે કે, ‘તેમની પ્રોએક્ટિવનેસ અને નિર્ણય લેવાની ક્ષમતા અને સ્પષ્ટતાના કારણે ઝારખંડના રહેવાસીઓમાં એક પ્રકારે આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. તેમની સામેના વ્યક્તિને સાંભળવાની ક્ષમતા નેતા તરીકે તેમની વિશેષતા છે.’ છત્તીસગઢનો ઉલ્લેખ આવ્યો ત્યારે પણ ભૂપેશ બઘેલ સરકારના પ્રયાસોને સ્થાન આપવામાં આવ્યું. ભૂપેશ બઘેલ કોંગ્રેસ નેતા છે, જેઓ છત્તીસગઢના મુખ્યમંત્રી હતા. 2023ની ચૂંટણીમાં હારી ગયા. હાલ ત્યાં ભાજપની સરકાર છે. કોરોના સમયે કોંગ્રેસની હતી.
આ માત્ર એક ઉદાહરણ છે, પરંતુ ડાબેરી વિચારધારાને વરેલા આ અધ્યાપકોએ આવાં અનેક પ્રકાશનોમાં યોગદાન આપ્યું છે. પરંતુ આટલું વાંચીને તેમનો વૈચારિક ઝોક કઈ તરફ હશે તે નક્કી કરવું કઠિન નથી.