બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાના અભિપ્રાયો સોશિયલ મીડિયામાં પણ મુકતા હોય છે. આગાઉ તેમનું ટ્વીટર હેન્ડલ પણ સસ્પેન્ડ થયું હતું, જો કે તે હાલમાં જ રીસ્ટોર કરવામાં આવ્યું છે. આજે પાછા તેમણે ખાલિસ્તાની વિરોધમાં સોશિયલ મીડિયામાં લખીને પંજાબી ગાયક દિલજીત દોસાંઝને પણ ટેગ કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, કંગના રનૌતે સોશિયલ મીડિયામાં ઉપરાઉપરી ત્રણ પોસ્ટ કરી હતી, જેમાં પ્રથમ પોસ્ટમાં દિલજીત દોસાંઝને ટેગ કરીને લખ્યું હતું કે ‘pols aagyi pols aagai’ આ વાક્ય જયારે પંજાબ પોલીસ ખાલિસ્તાનીઓને પકડવા ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે એક ખાલિસ્તાની ડરીને બોલ્યો હતો. ત્યાર બાદ લોકો આના પર મિમ પણ બનાવી રહ્યા હતા. કંગનાએ એક મિમ શેર કરીને જ આ પોસ્ટ કરી હતી.
કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ
તેની બીજી પોસ્ટમાં તેણે લખ્યું હતું કે “જે લોકો ખાલિસ્તાનીઓનું સમર્થન કરી રહ્યા છે, યાદ રાખજો આગલો નંબર તમારો છે. પોલીસ આવી ચુકી છે. આ તે સમય નથી કે કોઈ પણ દેશ વિરોધી ષડ્યંત્ર કરી જાય, હવે સમય બદલાઈ ગયો છે. દેશ સાથે દગો કરવો હવે મોંઘો પડશે.” આડકતરી રીતે આ પોસ્ટ પણ દિલજીત દોસાંઝ પર જ લખવામાં આવી હતી.
કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ
આટલે નહીં થોભતા તેમને ત્રીજી પોસ્ટ પણ મૂકી હતી જેમાં ફરી એકવાર દિલજીત દોસાંઝને ટેગ કરી પૂછ્યું હતું કે “કિત્થે હૈ:” અર્થાત “ક્યાં છો?’ સાથે લખ્યું હતું કે “પહેલા તો આ દિલજીત દોસાંઝ ઘણો ઉછળતો હતો, તેના સમર્થકો પણ મને ધમકીઓ આપતા હતા અને ટ્વીટર પર ટ્રેન્ડ ચલાવતા હતા. તો પહેલા કોની મદદથી કરતા હતા અને હવે કોના ડરથી છુપાઈ ગયા છે?”
આ બબાતે આખો દિવસ મીડિયા અને સોશિયલ મડિયામાં ચર્ચા ચાલુ રહી હતી. તેના પર પંજાબી ગાયક દિલજીત દોસાંઝ કોઈ ખાસ જવાબ તો નથી આપ્યો, પરંતુ એક સ્ટોરી પોસ્ટ કરીને પંજાબી ભાષામાં લખ્યું હતું કે “મારું પંજાબ ફળતું ફૂલતું રહે” આ સિવાય કંગનાને કોઈ વ્યક્તિગત જવાબ આપ્યો હતો નહીં.
દિલજીત દોસાંઝની સોશિયલ મીડિયા પોસ્ટ
આ પહેલીવાર નથી કે કંગના અને દિલજીત દોસાંઝ સોશિયલ મીડિયા પર બાઝ્યાં હોય. કિશાન આંદોલન વખતે પણ બન્ને આમને સામને થયા હતા.
તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ખાલીસ્તાની આતંકવાદી હુમલાની ધમકી આપવાના કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા બાદ આજે આ કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં પોલીસની તપાસમાં ધમકી ભર્યા મેસેજની વોઇસ કલીપ મોકલનારનું નામ સામે આવ્યું છે. આ કેસમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શન હોવાની પણ તીવ્ર આશંકાઓ સેવાઈ રહી છે. આરોપીઓની તપાસ દરમિયાન પોલીસને સિમ બોક્સમાંથી 60 સિમકાર્ડ મળી આવતા સાયબર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન્સિક સાયન્સની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ખાલીસ્તાની આતંકવાદી હુમલાની ધમકી મામલે સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશ થી પકડેલા 2 આરોપી રાહુલ દ્રીવેદી અને નરેન્દ્ર કુશવાહની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. વોઇસ કલીપ મોકલીને ધમકી આપીને ડર અને અવ્યવસ્થા સર્જવાના ષડયંત્રમાં હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું કનેક્શન હોવની આશંકાઓ સેવાઈ રહી છે. જેને પગલે સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઝડપાયેલ આરોપી રાહુલ વધુ 2 સિમ બોક્સ મધ્યપ્રદેશના સતના જિલ્લામાં મકાન ભાડે રાખીને ઓપરેટ કરી રહ્યો હતો. આ બન્ને સિમ બોક્સ સાયબર ક્રાઇમે જપ્ત કરતા તેમાંથી 60 જેટલા સિમકાર્ડ મળી આવ્યા છે.
ખાલિસ્તાની ધમકી મામલે ખુલાસો
તપાસમાં મળેલા 2 સીમ બોક્સના 60 સીમકાર્ડમાં ખુલાસો
મેસેજ વાયરલ કરવા 5 લાખ આપીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો
5 લાખ રૂપિયામાં મોહસીન નામના શખ્સે આપ્યો હતો કોન્ટ્રાકટ
અહેવાલો અનુસાર તપાસમાં તેવું પણ બહાર આવ્યું હતું કે પકડાયેલ આરોપી રાહુલને મોહસીન નામના શખ્સએ ખાલિસ્તાનના ધમકી ભર્યા મેસેજ વાયરલ કરવા કોન્ટ્રાકટ આપ્યો હતો. જેના બદલામાં આરોપીને 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ રૂપિયા રાહુલને કુરિયર અને હવાલા મારફતે મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં હવાલા મારફતે મળેલા રૂપિયાનું રાહુલે સ્પામાં રોકાણ કર્યું હોવાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે આરોપી રાહુલે છેલ્લા 1 વર્ષમાં 80 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. રાહુલ દુબઇમાં મોહસીનના પરિચયમાં આવ્યો હતો. જો કે કોન્ટ્રાકટ આપનાર મોહસીન અન્ડર વલ્ડના કનેક્શન સાથે સંકળાયેલા હોવાની આશંકા સાયબર ક્રાઇમેં વ્યક્ત કરી છે.
અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન હુમલો કરવાની ધમકી આપવાનો મામલો હવે આતંકી સંગઠનો સાથે જોડાયેલો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. આ આખા કેસનો મુખ્ય સુત્રધાર ગણાતો મોહસીન મૂળ બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો હોવાની આશંકાઓ છે. જે પ્રમાણે આતંકી પ્રવૃત્તિ અને ધમકીઓ આપવા માટે સિમ બોક્સનો ઉપયોગ થઈ રહ્યો છે, તે જોતા આ કેસની કડીઓમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે તેમ છે. હાલ સાયબર ક્રાઇમે બાંગ્લાદેશ, દુબઈ અને પાકિસ્તાનના કનેક્શનને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
UPમાં ઓસામા બિન લાદેનને ગુરુ માનનારા UPPCLના (ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લીમીટેડ) એક અધિકારીને નોકરી માંથી હાંકી કાઢવામાં આવ્યો છે. વીજળી વિભાગમાં SDOના પદ પર નોકરી કરતા રવીન્દ્ર પ્રકાશ ગૌતમે પોતાની ઓફિસમાં અલકાયદાના મુખિયા ક્રૂર આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો લગાવ્યો હતો. આટલું જ નહી, આ અધિકારી લાદેનને સહુથી બેસ્ટ એન્જીનીયર પણ કહેતો હતો. જુન 2022માં આ ઘટના સામે આવ્યાં બાદ ગૌતમને સસ્પેન્ડ કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં આરોપો સાચા પુરવાર થતાં ગૌતમે અભિવ્યક્તિની આઝાદીના નામે તેના ઉપરી અધિકારીઓ સાથે અભદ્રતા પણ કરી હતી.
UPમાં ઓસામા બિન લાદેનને ગુરુ માનવાનો આ કિસ્સો ગત વર્ષે જૂન 2022 માં પ્રકાશમાં આવ્યો હતો, તે સમયે રવિન્દ્ર ગૌતમને યુપી પાવર કોર્પોરેશનમાં ફરુખાબાદ જિલ્લાના પેટાવિભાગ નવાબગંજમાં SDO તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેણે અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનનો ફોટો ઓફિસમાં લગાવ્યો હતો. જ્યારે આ બાબતે જોર પકડ્યું ત્યારે ગૌતમે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો અને પોતાની કરતુતને છાવરવા લૂલી દલીલો આપવાનું ચાલુ રાખ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને દક્ષિણાંચલ વિદ્યુત નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અમિત કિશોરે તેને સસ્પેન્ડ કરી દીધો હતો. તેમજ વિભાગ દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.
“ओसामा बिन लादेन को दुनिया का बेहतरीन इंजीनियर बताना और उसकी फोटो दफ़्तर में लगाना पड़ गया भारी।”
સામે આવેલા મીડિયા અહેવાલો અનુસાર તપાસ દરમિયાન રવિન્દ્ર ગૌતમે એક પત્ર દ્વારા એમડી સાથે અશ્લીલ અને ગંદી વાતો કરી હતી. આ સમય દરમિયાન તે પોતાની કરતુતને યોગ્ય સાબિત કરવા માટે મક્કમ રહીને દલીલો કરી રહ્યો હતો. તેણે અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ પોતાના કૃત્યને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સિવાય તેણે નાથુરામ ગોડસે દ્વારા ગાંધીની હત્યા અને દેશમાં ગોડસેમાં વિશ્વાસ રાખનારાઓનું ઉદાહરણ આપીને પોતે સાચો હોવાનું રટણ ચલાવ્યે રાખ્યું હતું.
ગૌતમે ફરિયાદ નોંધાતા તેમ પણ કહ્યું હતું કે ઓસામા બિન લાદેન અને અન્ય મહાપુરુષોના ફોટોગ્રાફ્સ મૂકવાની પરવાનગી માગ્યા બાદ પણ વિભાગ દ્વારા તેમને પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ગૌતમે કહ્યું કે, 2011માં પોતાની પહેલી નિયુક્તિ દરમિયાન અમેરિકામાં બનેલી 9/11ની ઘટના તેમના મગજમાંથી હટવાની નથી. દરમિયાન વરિષ્ઠ અધિકારીઓને તેનો જવાબ સંતોષકારક લાગ્યો ન હતો. તપાસ દરમિયાન તેની પર લાગેલા આરોપો પણ સાચા ઠર્યા હતા. આ જોતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
કર્ણાટકના હાવેરી જિલ્લામાં મંગળવારે (14 માર્ચ, 2023) હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં વિવાદ થયો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે તેમની મસ્જિદો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાવેરી એ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇનો ગૃહ જિલ્લો છે. તો આ ઘટનામાં એકતરફી પત્રકારિતા કરીને હાવેરી વિવાદમાં વામપંથી મીડીયાએ હિંદુઓને ‘બદમાશ’ કહ્યા હતા.
આ સમગ્ર મામલે વામપંથી મીડિયા સંસ્થાઓએ એકતરફી રીપોર્ટીંગ કર્યું. હાવેરી વિવાદમાં મીડીયાએ હિંદુઓને તમામ અહેવાલોમાં હુમલાખોર તરીકે વર્ણવવામાં આવ્યા હતા. ધ વાયર’ જેવી સંસ્થાઓએ આરોપીત હિંદુ પક્ષને ‘બદમાશ’ શબ્દથી સંબોધન કર્યું હતું. ‘બદમાશો’ શબ્દની બરાબર નીચે લાગેલા પ્રોફાઇલ ફોટોમાં ભગવા રંગના જંડા બતાવવામાં આવ્યાં હતા. હાવેરી વિવાદમાં આ વામપંથી મીડીયાએ હિંદુઓને વખોડવાનો એક પણ મોકો છોડ્યો ન હતો.
ધ વાયરના અહેવાલનો સ્ક્રીનશોટ (સાભાર ऑपइंडिया)
પોતાને પત્રકાર કહેવા વાળા મોહમ્મદ તનવીરે હિંસા કરવા વાળા લોકોને “હિંદુ ભીડ” કહી હતી.
સાભાર ऑपइंडिया
આ સમગ્ર મામલે ઓપઇન્ડિયાએ આરોપીત પક્ષનો સંપર્ક કર્યો હતો. તેઓએ અમને જણાવ્યું કે 14 માર્ચે થયેલા આ વિવાદનું કારણ લાંબા સમય સુધી કરવામાં આવેલી એકપક્ષીય કાર્યવાહી અને પ્રતાડના છે. કર્ણાટકના હિન્દુ સંગઠનોએ પણ મીડિયા અહેવાલોને “એકતરફી રિપોર્ટિંગ” ગણાવ્યા હતા. સુરક્ષાના કારણોસર અમે માહિતી પ્રદાન કરનારી વ્યક્તિઓના નામ જાહેર કરી રહ્યા નથી.
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિન્દુ સંગઠનોનો પ્રવેશ નહીં
14 માર્ચની શોભાયાત્રામાં સામેલ હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા કેટલાક લોકોએ ઓપઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઝઘડાનું મુખ્ય કારણ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા તેમના પ્રભાવવાળા વિસ્તારમાં જતા તેમના દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રાને અટકાવવાનું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે જે વિસ્તારમાં હિંસા થઈ છે તે રેટ્ટીહેલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. અહીં મુસ્લિમ વસ્તી લગભગ 40 ટકા હોવાનું કહેવામાં આવ્યું હતું. રેટ્ટીહેલ્લીમાં એક ટીપુનગર છે, જેનું નામ ટીપુ સુલતાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઘટનાને એક તરફી હવા આપીને હાવેરી વિવાદમાં મીડીયાએ હિંદુઓને ઘેરવાની કોશિશ કરી હતી.
અમને કહેવામાં આવ્યું હતું કે આ જ વિસ્તારમાં આવેલા કોટાઓન વિસ્તારમાં, જ્યાં લગભગ 70% મુસ્લિમ વસ્તી છે, ત્યાં હિન્દુ સંગઠનોને રેલી કાઢતા સતત રોકવામાં આવ્યા હતા.
પહેલા ધાર્મિક યાત્રા રોકતા હતા, હવે દેશભક્તિથી પણ તકલીફ
ઓપઇન્ડિયા સાથે વાત કરતા શોભાયાત્રામાં સામેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ કોઇ ધાર્મિક સરઘસ નહોતા કાઢી રહ્યા. 14મીએ નીકળેલી આ શોભાયાત્રા કર્ણાટકના બલિદાન આપનાર ક્રાંતિકારી સાંગોલી રાયન્નાની હતી, જેમણે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડી હતી. સ્થાનિકોએ અમને જણાવ્યું હતું કે રાયન્નાને બ્રિટિશરો મારફતે ભારતીય દેશદ્રોહીઓના બાતમીદારી કરવાના કારણે ફાંસી આપવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સામેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે 9 માર્ચે રેટ્ટીહેલીની અંદર એક ચોક પર ક્રાંતિકારી રાયન્નાની પ્રતિમા સ્થાપિત થવાની હતી, પરંતુ તે દિવસે મુસ્લિમ જૂથે તેમને યાત્રા કોટેઓની તરફ જતા અટકાવ્યા હોવાથી તે શક્ય બની શક્યું નહીં.
ઓપઇન્ડિયા સાથે વાત કરતા શોભાયાત્રામાં સામેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે, “અમને મુસ્લિમો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ક્રાંતિકારી રાયન્ના હિન્દુ છે, તેથી અમે વિરોધ કરીશું. અમારી સાથેની વાતચીત દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રાયન્નાની પ્રતિમા સામે મુસ્લિમ પક્ષ ટીપુ-ટીપુના નારા લગાવી રહ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે 9 માર્ચ, 2023 ના રોજ જ્યારે હિન્દુ પક્ષ કોટેઓની વિસ્તારમાંથી પસાર થયો હતો, ત્યારે મુસ્લિમ પક્ષે તેમને રોકવા માટે તેમના હાથમાં પથ્થરો અને લોખંડના સળિયા રાખ્યા હતા. જોકે, પોલીસે દરમિયાનગીરી કરતાં વિવાદ વધ્યો ન હતો. જોકે, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, શોભાયાત્રા રોકનારાઓની પાછળ મહિલાઓ પણ ઉભી હતી.
અમને મોકલવામાં આવેલા એક વીડિયોમાં અમને જણાવવામાં આવ્યું કે જે વિસ્તારમાં ક્રાંતિકારી રાયન્નાની યાત્રાને રોકવામાં આવી હતી, ત્યાં મુસ્લિમ સમાજના લોકો જાહેરમાં પોતાના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરે છે. વીડિયોમાં આખા રસ્તા પર ભીડ જોવા મળી રહી છે અને અનેક મોટી મ્યુઝિક સિસ્ટમ લગાવીને કેટલીક જાહેરાત કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં ઉશ્કેરણીજનક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે, જેના પર ભીડ બૂમો પાડતી અને સમર્થન કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ડિસેમ્બર 2022નો હોવાનું કહેવાય છે.
સાભાર ऑपइंडिया
પોલીસે પહેલા કોઈ કાર્યવાહી કરી ન હતી
ક્રાંતિકારી રાયન્નાની પ્રતિમા લઈને નીકળેલી શોભાયાત્રામાં સામેલ વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે, 9 માર્ચના રોજ, જ્યારે મુસ્લિમ પક્ષના 100 જેટલા લોકોએ તેમનો રસ્તો રોક્યો હતો, ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે પોલીસ પર આ મામલે કોઇ કાર્યવાહી ન કરવાનો અને ફરિયાદને ગંભીરતાથી ન લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમને 9 માર્ચની ઘટનાનો વીડિયો મળ્યો. આ વીડિયોમાં ઉશ્કેરાયેલું ટોળું પોલીસની સામે જ બેરિકેડ તોડતું જોવા મળી રહ્યું છે.
9 માર્ચના જ અન્ય એક વીડિયોમાં એક ટોળું પોલીસની સામે સૂત્રોચ્ચાર કરતું જોવા મળી રહ્યું છે.
9 માર્ચે કાસીમ અને મુમ્મું દ્વારા ક્રાંતિકારી રાયન્નાની મૂર્તિ સ્થાપિત કરતા અટકાવવામાં આવ્યાં બાદ અને પોલીસ તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી ન થયાં બાદ 5 દિવસ પછી 14 માર્ચ 2023ના રોજ હિંદુ સંગઠનો ફરી એ જ મૂર્તિ લઈને નીકળ્યાં હતા. દાવો કરવામાં આવ્યો છે કે આ યાત્રામાં પણ 9 માર્ચની જેમ જ પોલીસ પરવાનગી લેવામાં આવી હતી. આ રેલીમાં શામેલ એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે 14 માર્ચની રેલીમાં ભારે પોલીસ બંદોબસ્ત હતો. પણ તે દિવસે મુસ્લિમ પક્ષના લોકો દુરથી “આઓ-આઓ” ની બુમો સાથે હાથના ઈશારા કરીને ઉશ્કેરી રહ્યાં હતા.
અમને જણાવવામાં આવ્યું હતું કે આ પછી રેલીમાં આવેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા, જોકે સ્થળ પર હાજર પોલીસે પેઈસ્થીતી વણસે તે પહેલા કાબુ મેળવી લીધો હતો. સ્થાનિકોએ જણાવ્યાં અનુસાર મુસ્લિમ પક્ષનું નેતૃત્વ કરવા વાળા વ્યક્તિનું નામ કાસીમ કાઝી અને અમ્મુ કાઝી છે જે બન્ને સગ્ગા ભાઈ છે, કાસીમ વેલ્ડીંગનું કામ કરે છે.
ભીડને ઉશ્કેરનાર કાસીમ કાઝી (સાભાર ऑपइंडिया)
અત્યાર સુધીમાં હિંદુ સંગઠનના 31 લોકોની ધરપકડ
હાવેરી જિલ્લાના સ્થાનિક રહેવાસીઓ અને હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા લોકોએ અમને જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા કુલ 31 લોકોની ધરપકડ કરી છે. આ 31 લોકોમાંથી કેટલાકને જામીન મળી ગયા છે. હિન્દુ સંગઠનોના લોકોએ અમને તેમ પણ જણાવ્યું કે આ હિંસામાં સમગ્ર કાર્યવાહી એકતરફી હતી અને 9 અને 14 માર્ચની ઘટનામાં મુસ્લિમ સંગઠન સાથે સંકળાયેલું કોઈ પકડાયું ન હતું.
ડિસેમ્બર 2022 માં RSSના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.
સ્થાનિક હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા લોકોએ અમને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ત્રણ કાર્યકરોને ડિસેમ્બર 2022 માં તે જ જગ્યાએ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો જ્યાં ક્રાંતિકારી સંગોલી રાયન્નાની શોભાયાત્રાને રોકવામાં આવી હતી. જાણકારી મુજબ આરએસએસના આ કાર્યકર્તાઓ પથ સંચલન પહેલા આ વિસ્તારનો રૂટ મેપ જોવા માટે ગયા હતા. એવો દાવો કરવામાં આવે છે કે કાર્યકરોની મારપીટને કારણે એક પીડિત હજી પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યા નથી.
RSS સ્વયંસેવક સાથે મારપીટ (સાભાર ऑपइंडिया)
સ્થાનિકોનું કહેવું છે કે આ કેસમાં પણ પોલીસે હુમલાખોરો સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. અમને આ ઘટનાનો વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો. વીડિયોમાં પોલીસની સામે જ સંઘ કાર્યકર્તાઓને ભીડ નિર્દયતાથી માર મારતા નજરે પડી રહ્યું છે. વીડિયોમાં આરએસએસના કાર્યકર્તાઓને ચીસો પાડતા સાંભળી શકાય છે.
ભૂતકાળમાં પણ ધાર્મિક યાત્રાઓમાં વિક્ષેપો ઉભા કરવામાં આવ્યાં હતા
હાવેરીના એક સ્થાનિકે ઓપઇન્ડિયાને જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022 માં RSS કાર્યકર્તાઓ પર હુમલો, 9 માર્ચ, 2023 ના રોજ રેલીમાં વિક્ષેપ વગેરે જેવી ઘટનાઓ પહેલા પણ અનેક વાર હિંદુ કાર્યક્રમોમાં વિક્ષેપો ઉભા કરવામાં આવ્યાં છે. અમને કહેવામાં આવ્યું હતું કે અગાઉ ગણપતિ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓ પર પણ અનેક વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેના કારણે કોમી તંગદિલી ફેલાઈ હતી. પોતાને બે તરફી મારથી પીડિત આ વ્યક્તિએ અમને જણાવ્યું કે હિંસાની આ ઘટનાઓ બાદ પોલીસ પણ હિન્દુ સંગઠનના લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવે છે.
તમામ મીડિયા રિપોર્ટ્સમાં જે મસ્જિદનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મસ્જિદને રેટ્ટીહેલીની જામિયા મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. શોભાયાત્રામાં સામેલ એક વ્યક્તિએ ઓપઇન્ડિયાને જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયના ડઝનેક લોકો ઘણીવાર જામિયા મસ્જિદની આસપાસ એકઠા થાય છે અને છોકરીઓની છેડતી કરે છે અને તેમનો એવો પણ દાવો છે કે જામિયા મસ્જિદની જગ્યાએ ઘણા સમય પહેલા હિન્દુ મંદિર હતું.
આ દાવાની તપાસ થાય તેવી પણ માંગ ઉઠી હતી. અમારી સાથે વાતચીત દરમિયાન સ્થાનિકોએ હાવેરીને ‘લેન્ડ જેહાદ’ અને ‘લવ જેહાદ’થી ગંભીર રીતે પ્રભાવિત ગણાવ્યા હતા. અમને એ પણ જાણકારી આપવામાં આવી હતી કે આ વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી પહેલા એટલી બધી નહોતી. જો કે, તેમની પાસે વસ્તી કેવી રીતે વધી તેનો જવાબ નહોતો.
કોંગ્રેસીઓ અમને ફસાવીને જેલમાં મોકલવા માગે છે.
આ શોભાયાત્રામાં શામેલ લોકોએ ઓપઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાના દિવસે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હાવેરીથી માત્ર થોડા કિલોમીટર દૂર હાજર હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે 14 માર્ચની ઘટનામાં હિન્દુઓ પર એકપક્ષીય કાર્યવાહી પાછળ સિદ્ધારમૈયા અને કોંગ્રેસના અન્ય નેતાઓનો હાથ હતો. અમને જણાવવામાં આવ્યું હતું કે આ જ દબાણને કારણે આવા લોકોના નામ પણ FIRમાં સામેલ કરવામાં આવ્યા છે, જેઓ ઘટના સમયે હાજર નહોતા.
આ સિવાય પોતાના પુત્રને નિર્દોષ હોવાનો દાવો કરી રહેલી એક મહિલાનો વીડિયો પણ ઓપઇન્ડિયાને મોકલવામાં આવ્યો હતો.
પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો દાવો કરી રહેલી હિંદુ મહિલા (સાભાર ऑपइंडिया)
હિન્દુઓ ક્યાં સુધી પક્ષપાતી અત્યાચારો સહન કરશે: VHP
કર્ણાટકના વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કેટલાક પદાધિકારીઓએ પણ ઓપઇન્ડિયા સાથે વાત કરી હતી. અને જણાવ્યું હતું કે આ વિવાદનું કારણ મુસ્લિમોએ ક્રાંતિકારીના માનમાં સરઘસ અટકાવ્યું તે જ હતું. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ઓપઇન્ડિયા સાથે વાત કરતા હાવેરીમાં થયેલા આ ઝઘડાને કટ્ટરપંથી સમૂહો દ્વારા હિન્દુઓ પર લાંબા સમયથી ચાલી રહેલા અત્યાચારનું પરિણામ ગણાવ્યું હતું.
પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે
આ મામલે વાત કરતા હાવેરી જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, રેલીમાં સામેલ 100 જેટલા લોકોએ તોડફોડ અને પથ્થરમારો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Stone pelted a mosque, few homes & vehicles in Haveri’s Rattihalli. Cops have confirmed that a group of about 100 people took a detour from the rally they were part of & indulged in the stone pelting, about 15 arrested and investigation is on. Dr Shivakumar, SP Haveri 👇🏼 pic.twitter.com/2FUdwctbkV
આજથી જગતશક્તિ મા અંબાની આરાધનાનો પવિત્ર તહેવાર ચૈત્રી નવરાત્રી શરૂ થયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રીના પહેલા દિવસે મહાકાળી માતાના પ્રખ્યાત ધામ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે પાવાગઢ અન્ય કારણથી પણ ચર્ચામાં છે અને એ છે શ્રીફળ વધેરવાની મનાઈ કરવાનો વિષય.
અહેવાલો મુજબ 2 દિવસ પહેલા જ શ્રીફળ વિવાદની વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા માચી પાસે શ્રીફળ વધેરવાનું મશીન મુકવામાં આવ્યું હતું. પરંતુ તહેવારની પહેલા અને અપૂરતા પ્રચાર પ્રસારના કારણે ગુજરાત અને દેશભરમાંથી આવતા યાત્રીઓને તેના વિષે ખ્યાલ જ નહોતો.
ભક્તોને જ્યાં જગ્યા મળી ત્યાં વધેર્યાં શ્રીફળ
નોંધનીય છે કે આજે વહેલી સવારથી જ અહીંયા ભક્તો મોટી સંખ્યામાં પહોંચવા માંડયા હતા. તળેટીમાંથી માચી જવાના રસ્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને છોલેલું શ્રીફળ ડુંગર પર ન લઈ જવા દેવાતા અને શ્રીફળ વધેરવાની મનાઈ હોવાથી ભક્તોએ તેનો રસ્તો શોધી કાઢ્યો હતો. ડુંગરની નીચે ભક્તોને જ્યાં પણ જગ્યા મળી ત્યાં તેમણે શ્રીફળ વધેર્યા હતા.
ભક્તોએ છોલેલું શ્રીફળ ઉપર ન પહોંચે તે માટે બનાવેલી લક્ષ્મણ રેખા નજીક દૂળિયા તળાવ પાસે બનતા બગીચાના પગથિયા, રસ્તામાં આવતા વૃક્ષોની ફરતેના ચોરા પર તો ડુંગર ચડવા પહેલા આવતા પગથિયા પર શ્રીફળ વધેર્યાં હતા. જેના પગલે પ્રવેશદ્વાર પર જ મોટી સંખ્યામાં શ્રીફળ જોવા મળ્યા હતા.
શ્રીફળ વધેરવાનું મશીન બન્યું શોભાનો ગાંઠિયો
નોંધનીય છે કે 20 માર્ચના દિવસે જ માચી પાસે શ્રીફળ વધેરવાનું મશીન મુકવામાં આવ્યું હતું. પરંતુ અપૂરતા પ્રચાર પ્રસાર અને ભક્તોની ભારે ભીડના કારણે આ મશીન વિષે કોઈને ખ્યાલ જ નહોતો. જેના કારણે આ મશીન માત્ર એક મુકદર્શક બનીને પડી રહેલું જોવા મળ્યું હતું.
પાવાગઢ શ્રીફળ વિવાદ
મળતી માહિતી અનુસાર, ગત તારીખ 14 માર્ચના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી જેમાં મુખ્ય હતી કે 20 તારીખથી પાવાગઢ પર કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં અને વધેરી શકશે નહીં.
આ મામલે હિંદુ સંગઠનો બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને એએચપી પણ મેદાને આવ્યા હતા. તેમને આ મુદ્દે મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમજ આ નિર્ણય પાછો લેવા માટે અપીલ કરી હતી. ગઈ કાલે વડોદરાના માંડવી ગેટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ઘંટનાદ કરી નિર્ણય પરત ખેંચવાની માંગણી કરવામાં આવી. સાથે જ આગામી દિવસોમાં ચલો પાવાગઢ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
મહાઠગ સુકેશ તિહાડ જેલમાં હોવા છતાં તેની કોઈના કોઈ હરકતના કારણે ચર્ચામાં જ રહે છે. હાલમાં તેણે જેલ ડીજીને પત્ર લખીને જેલમાં તેની સાથે રહેલા કેદીઓને મદદ કરવા માટે દાન આપવાની મંજુરી માંગી છે. આ મદદ તે જામીન રકમ ભરવા માટે આપવા માંગે છે.
મળતી માહિતી મુજબ, મહાઠગ સુકેશે દિલ્લીના જેલ ડીજીને પત્ર લખ્યો છે. જેમાં તે તેની સાથે જેલમાં રહેલા કેદીઓને દાન આપવાની મંજુરી માંગી છે. સુકેશ એવા કેદીઓને મદદ કરવા માંગે છે જે કેદીઓ પોતાની જામીન મેળવવા પુરતી રકમ પણ જમા કરાવી શક્યા નથી. સુકેશ કુલ પાંચ કરોડ અગિયાર લાખ જેટલી રકમનું દાન કરવા માંગે છે.
સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં લખ્યું છે કે “હું જેલના મારા સાથી કેદીઓ માટે જામીન બોન્ડ ભરવા માંગુ છું, જેઓ ઘણા વર્ષોથી જેલમાં છે અને જેમના પરિવારો તેમની જામીનની રકમ ચૂકવવા સક્ષમ નથી, ખાસ કરીને જેમના બાળકો નાના છે.” આ દાન તે પોતાના જન્મદિવસ નિમિત્તે આપવા માંગે છે. આવનારી 25 માર્ચે તેનો જન્મદિવસ છે. પોતાનો જન્મદિવસ તે સાથી કેદીઓના કલ્યાણ માટે કરોડોની રકમ દાન કરવા માંગે છે. સુકેશે પત્રમાં ઈ.સ. 2017થી લઈને હમણા સુધીમાં 400થી વધુ કેદીઓને મદદ કરી હોવાનો દાવો કર્યો છે. જો કે આ આખા મામલે જેલ પ્રશાસન તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.
સુકેશે પત્રમાં લખ્યું છે કે “હું જયારે એવા કેદીઓને જોઉં છું કે તે લોકો જામીન રકમ ન ભરી શકવાના કારણે જેલમાં છે અને પરિવારને મળી શકતા નથી, એ જોઇને મને દુ:ખ થાય છે. ખાસ કરીને તેના બાળકો બાબતે વિચારીને ઘણું દુ:ખ લાગે છે.” સાથે તેણે એ પણ કહ્યું છે કે હું એ રકમ દાન આપવા માંગું છું તેના તમામ કાયદાકીય કાગળો પણ બતાવીશ. જેથી બ્લેક મની નથી જે જાણી શકાશે.
સુકેશના પત્રનો આધાર લઈએ તો તેના કહેવા અનુસાર તે અને તેનો પરિવાર વર્ષોથી શારદા અમ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને ચંદ્રશેખર કેન્સર ફાઉન્ડેશનના માધ્યમથી અસંખ્ય ગરીબ પરિવારોની મદદ કરી ચુક્યા છે. જેમાં જે પણ ગરીબ લોકો કેન્સરથી પીડિત છે તેને નિશુલ્ક કીમોથેરાપી પૂરી પાડી છે.
આ પહેલીવાર નથી કે સુકેશે જેલમાંથી પત્ર લખ્યો હોય, આ પહેલા તેને પત્ર લખીને જજની બદલી કરવાની માંગ કરી હતી. ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ બાબતે પણ લખીને લેટર બોમ્બ ફોડતો રહ્યો છે.
કોરોનાનો એ સમય, એ ભયાનક સમય એ લોકોને તો બરોબર યાદ હશે જ જેમણે આ મહામારીને કારણે પોતાનાં પ્રેમાળ સ્વજનોને ગુમાવ્યાં છે. પરંતુ આ આજે પણ થથરાવી દેતો સમય એ લોકોને પણ યાદ છે જેમણે કોઈને કોઈ રીતે તેનો માનસિક અને શારીરિક રીતે સામનો કર્યો હતો. આ કોરોનાની એન્ટ્રી ભારતમાં થઇ તેની શરૂઆતમાં 22 માર્ચ 2020નાં દિવસે ભારતમાં જનતા કર્ફ્યું લગાવવામાં આવ્યો હતો.
જો કે આ જનતા કર્ફ્યુંનું પાલન કરવું એ કોઇપણ નાગરિક માટે ફરજીયાત ન હતું પરંતુ તેમ છતાં દેશનાં મોટાભાગનાં નાગરિકોએ તેનું ચુસ્ત પાલન કર્યું હતું અને એ દિવસે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સ્વયંભુ ઘરમાં પુરાયેલા રહીને એ સમયની એ થીયરી કે કોરોનાની ચેઈન તોડવા માટે લોકોને જાહેર સ્થળોએ મળતાં અટકાવવા પડે તેનું પાલન કર્યું હતું. આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને સાંજે 5 વાગ્યે દેશભરમાં લોકોએ પોતપોતાના સ્થળે ઉભા રહીને થાળી, ઘંટ, ઝાલર, શંખ વગેરે વગાડીને કે પછી તાળી પાડીને એકબીજાનું મનોબળ વધાર્યું હતું.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યું જાહેર કર્યો ત્યારેજ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોરોના સામે આવનારી લડતમાં મેડીકલ સ્ટાફ, સરકારી કર્મચારીઓ, પોલીસ, એરલાઈન સ્ટાફ, મીડિયાકર્મીઓ, બસ,ટ્રેન અને ઓટોરિક્ષા ચાલકો વગેરે તેની પ્રથમ હરોળમાં હશે આથી દેશભરનાં લોકો જનતા કર્ફ્યુંના દિવસે સાંજે 5 વાગ્યે થાળી વગાડીને કે અન્ય કોઈ પણ રીતે તેમનું અને પોતાનું મનોબળ વધારે.
ત્યારબાદ 5મી એપ્રિલ 2020નાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ફરીથી અપીલ કરી કે તેઓ રાત્રે 9 વાગ્યે 9 મિનીટ સુધી પોતપોતાનાં ઘરનાં આંગણામાં દીવો કે મીણબત્તી પ્રગટાવે જેથી કોરોના દ્વારા ફેલાવવામાં આવેલા આ અંધકારમાં દરેક દેશવાસીઓને હકારાત્મક પ્રકાશ દેખાય અને પોતે આ લડાઈમાં એકલો નથી એવી ભાવના તેને થાય.
દેશવાસીઓમાં કોરોના સામે લડવા માટે નવું જોમ પુરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સુધી જ અટક્યા ન હતાં. 3 મે 2020 જ્યારે કોરોના સામેની લડાઈ લગભગ દોઢ મહિનો વિતાવી ચુકી હતી ત્યારે તેમણે આ લડાઈમાં ફ્રન્ટલાઈન લડવૈયાઓ એટલેકે મેડીકલ સ્ટાફનું સન્માન કરવા દેશનાં મોટા મોટા શહેરોની હોસ્પિટલ પર ઇન્ડિયન એરફોર્સનાં હેલીકોપ્ટર દ્વારા ફૂલ પાંખડીઓ વરસાવવાનું જાહેર કર્યું હતું. આ કૃત્ય મેડીકલ સ્ટાફ જે દિવસ રાત એક કરીને કોરોનાથી ગ્રસિત દર્દીઓની સારવાર કરી રહ્યો હતો તેમનું મનોબળ જ વધારવા નહીં પરંતુ તેમનું સન્માન કરવા માટે કરવામાં આવ્યું હતું.
પરંતુ આપણે જાણીએ છીએ એક લેફ્ટ લિબરલ જે ભારતીય વિચારમાંથી ઉત્પન્ન થયેલા કોઇપણ સકારાત્મક નિર્ણયને હસી કાઢીને તેનો અવળો જ અર્થ કાઢવામાં હોંશિયાર છે તેણે આ જનતા કર્ફ્યું, થાળી વગાડવા, દીવા પ્રગટાવવા તેમજ હોસ્પીટલો પર ફૂલ પાંખડી વરસાવવાની ભાવનાત્મક વિધિઓની ફક્ત હાંસી જ ન ઉડાવી પરંતુ તેને પોતાને મનગમતો ટ્વિસ્ટ આપી એક વરવું સ્વરૂપ પણ આપી દીધું.
ઘણા લેફ્ટ લિબરલ બુદ્ધિજીવીઓ તેમજ વિપક્ષી નેતાઓએ એવો દુષ્પ્રચાર કર્યો કે નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યું પત્યા બાદ થાળી એટલા માટે વગડાવી કારણકે તેમનું માનવું હતું કે આમ કરવાને લીધે કોરોના જતો રહેશે. કોરોનાનાં અંધકારમાં દીપ પ્રગટાવીને અસંખ્ય લોકોમાં સકારાત્મકતા લાવવાના નવીન પ્રયાસની મશ્કરી પણ આ લોકો કોરોના ભગાડવાની એક રીત સાથે જોડી ચુક્યા છે.
આમ, જ્યારે ભારત કોરોનાથી ડરી રહ્યું હતું અને તેનાં નાગરિકોમાં આ ડર ઓછો કરવા કે પછી તેમનામાં લડાયક અને સુરક્ષાની ભાવના આપોઆપ અને સંયુકતપણે આવે તેવા એક નવલા પ્રયાસ રૂપે નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યું બાદ થાળી વગાડવી કે પછી દીપ પ્રગટાવવાનું કહ્યું અને લોકોએ તેને અદભુત અને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ આપ્યો તેનાથી પેલા એજન્ડાધારીઓ કદાચ ખાર ખાઈ ગયા અને આ જ નવીન પ્રયાસોને ટ્વિસ્ટ આપી દીધો.
અહીં આપણે પુરાવા સાથે જોઈ લીધું છે કે લેફ્ટ લિબરલોનો એજન્ડા કેમ ખોટો હતો કે જનતા કર્ફ્યું બાદ થાળી વગાડવાની નરેન્દ્ર મોદીની અપીલ એ કોરોના ભગાડવા નહીં પરંતુ ફર્સ્ટ લાઈનમાં રહેલાં કોરોના સૈનિકોનું જોમ વધારવા માટે જ હતી.
એક નાટકીય પગલામાં, ભારતીય સત્તાધીશોએ બ્રિટિશ હાઈ કમિશન અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામેથી સુરક્ષા હટાવી દીધી છે. આશ્ચર્યજનક રીતે આવેલા આ નિર્ણયને લંડનમાં ભારતીય હાઈ કમિશન પર તાજેતરમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહ્યો છે.
અહેવાલો મુજબ ભારતીય સત્તાધીશોએ બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામેથી બેરિકેડ્સ હટાવી દીધા છે અને ભારતમાં બ્રિટિશ મિશનને પૂરી પાડવામાં આવતી તમામ બાહ્ય સુરક્ષા દૂર કરી છે.
Breaking: India removes all external security infront of the British High commission & high commissioner's residence. Move come after Indian commission in London was vandalized by Khalistani extremists. pic.twitter.com/GloYp1e8a9
ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવ ખાતે શાંતિપથ પર બ્રિટિશ હાઈ કમિશનના ગેટની સામે લગાવેલા બેરિકેડ અને બંકરોને હટાવવા ઉપરાંત, દિલ્હી પોલીસની ટીમ અને ત્યાં તહેનાત પીસીઆર વાન પણ હટાવી દેવામાં આવી છે.
એ જ રીતે, લ્યુટિયન્સ દિલ્હી વિસ્તારમાં મીના બાગ ખાતે રાજાજી માર્ગ પર બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની સામે લગાવવામાં આવેલા બેરિકેડ્સને પણ દિલ્હી પોલીસે હટાવી દીધા છે.
શું શું દૂર કરાયું?
ખાસ સુરક્ષા પગલાં જેમ કે રોડ ડાયવર્ટર, સ્પીડ બ્રેકર, રેતીની થેલીઓથી બનેલા બંકરો, પીસીઆર વાન અને પરિસરની બહાર તૈનાત સ્થાનિક પોલીસ દૂર કરવામાં આવી છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિઝ્યુઅલ દર્શાવે છે.
અહેવાલ મુજબ, ભારત સરકારનો અભિપ્રાય છે કે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશન પહેલેથી જ સલામત ક્ષેત્રમાં છે, અને આવા વધારાના સુરક્ષા પગલાંની કોઈ આવશ્યકતા નથી.
રવિવારે જ્યારે ખાલિસ્તાની તત્વો દ્વારા ભારતીય દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે યુકે સરકાર લંડનમાં ભારતીય હાઈ કમિશન ઓફિસને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી. તે પછી આ ભારત દ્વારા પારસ્પરિક પગલા તરીકે આમ કરવામાં આવ્યું છે. આ મુદ્દા પર સરકારના ઉચ્ચ સ્તરે મૂલ્યાંકન પછી પગલાં લેવાયા છે.
બ્રિટિશ હાઈ કમિશને આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તેઓ સુરક્ષાના મામલામાં કોઈ ટિપ્પણી કરતા નથી.
બ્રિટિશ સરકારે ભારતના ઈન્પુટની કરી અવગણના અને ભારતીય દૂતાવાસ પર થયો હુમલો
રવિવારે (19 માર્ચ) સાંજે, ખાલિસ્તાની તરફી તત્વો લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ઘૂસી ગયા હતા અને પરિસરમાંથી ત્રિરંગો હટાવી દીધો હતો.
જે વિડીયો સામે આવ્યો છે તેમાં ખાલિસ્તાનીઓનું ટોળું ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરતું જોઈ શકાય છે. ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ ના નારાઓ વચ્ચે, નારંગી પાઘડી પહેરેલો એક વ્યક્તિ બિલ્ડિંગની દિવાલોને સ્કેલ કરતો અને ભારતીય ધ્વજ નીચે ખેંચતો જોવા મળ્યો હતો.
ભારત સરકારે આ હુમલાની સખત નિંદા કરી હતી અને બ્રિટિશ હાઈ કમિશનરને બોલાવીને તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારત ખાસ કરીને ગુસ્સે છે કારણ કે ભારતીય સત્તાવાળાઓએ તેમના બ્રિટિશ સમકક્ષોને ખાલિસ્તાન તરફી જૂથો દ્વારા સંભવિત હિંસક વિરોધ વિશે જાણ કરી હતી, પરંતુ બ્રિટિશ સરકારે તે ઇનપુટની અવગણના કરી હતી.
આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવાના સંબંધમાં પોલીસે લગભગ 36 FIR નોંધી છે. અત્યાર સુધીમાં 6ની ધરપકડ કરવામાં આવી છે. આ પોસ્ટરોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ લખેલું છે. રવિવાર (19 માર્ચ, 2023) થી સોમવાર સવાર સુધી દિલ્હીના વિવિધ ભાગોમાં લગાવવામાં આવ્યા હતા. તેમાં તેને છાપનારનું નામ પણ નહોતું.
આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયની બહાર નીકળેલી એક વાન પકડાઈ છે, જેમાં આવા પોસ્ટર જોવા મળ્યા હોવાનું કહેવાય છે. 50,000 જેટલા પોસ્ટર છપાવવાના ઓર્ડર આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિલ્હીમાં વડા પ્રધાન મોદી વિરોધી પોસ્ટર લગાવવા પર 100 FIR નોંધવામાં આવશે. પરંતુ હવે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે નોંધાયેલી 100 FIRમાંથી 36 PM મોદી વિરોધી પોસ્ટરો સાથે સંબંધિત છે. બાકીની એફઆઈઆર અન્ય પોસ્ટરો સાથે જોડાયેલી છે.
#UPDATE | Out of the 100 FIRs registered so far, 36 FIRs have been done regarding PM Narendra Modi’s poster. Rest all FIRs are in connection with other posters: Delhi Police officials
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે રાત્રે દિલ્હીના અલગ-અલગ ભાગોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ લખેલા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરો માત્ર સાર્વજનિક સ્થળો અને સરકારી ઈમારતો પર જ નહીં પરંતુ ઘણી ખાનગી મિલકતો પર પણ ચોંટાડવામાં આવ્યા હતા.
પોસ્ટરોમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ પણ નહોતું. આ અંગેની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસે અલગ-અલગ ભાગોમાંથી લગભગ 2000 પોસ્ટર હટાવ્યા હતા. દિલ્હી પોલીસ પ્રિન્ટિંગ પ્રેસ એક્ટની સાથે પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ 100 FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે.
Delhi | A van was also intercepted as soon as it left the AAP office. Few posters were seized & arrests were made: Special CP Deependra Pathak to ANI
તપાસ દરમિયાન, દિલ્હીના નારાયણા ખાતે પોસ્ટર છાપવા માટે એક પ્રિન્ટિંગ પ્રેસનું સરનામું મળી આવ્યું હતું. પોલીસે પ્રિન્ટિંગ પ્રેસના માલિકની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેને આવા 50,000 પોસ્ટર છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પોલીસે પ્રિન્ટિંગ પ્રેસમાંથી મળી આવેલા કેટલાક પોસ્ટરો જપ્ત કર્યા છે.
આમ આદમી પાર્ટીનો હાથ પણ આવ્યો સામે
આ દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીની ઓફિસ પાસે એક વાહનને રોક્યું હતું. વાહન આમ આદમી પાર્ટીની ઓફિસથી નીકળીને DDU માર્ગ તરફ આગળ વધી રહ્યું હતું. સર્ચ દરમિયાન લગભગ 10,000 પોસ્ટર મળી આવ્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે. વાહન માલિક વિષ્ણુ અને ડ્રાઈવર પપ્પુની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પોસ્ટર છાપવા અને ચોંટાડવા માટે બે અલગ-અલગ પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પોલીસે અન્ય પ્રિન્ટિંગ પ્રેસના માલિકની પણ ધરપકડ કરી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પોલીસ એ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે કોની સૂચના પર પોસ્ટર છપાઈ રહ્યા છે અને ચોંટાડવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે નિયમો અનુસાર પોસ્ટર પર પ્રિન્ટિંગ પ્રેસની માહિતી આપવી ફરજિયાત છે. તેમજ જાહેર કે સરકારી મિલકત પર પરવાનગી વગર પોસ્ટર ચોંટાડવું એ પણ કાયદેસરનો ગુનો છે.
આધુનિક યુગની આ ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકો એટલા વ્યસ્ત થઈ ચુક્યા છે કે તેમનું ધ્યાન અધ્યાત્મ તરફ ઘટતું જઈ રહ્યું છે. ખાસ કરીને આજની યુવા પેઢી અધ્યાત્મથી અળગી દેખાઈ રહી છે. પરંતુ ક્યારેક તેવી ઘટનાઓ ધ્યાન પર આવી જતી હોય છે જે ઉપરોક્ત બાબતે ફરી એક વાર વિચારવા ચોક્કસ મજબુર કરી દે, આવી જ એક ઘટના હરિયાણાથી (Haryana) સામે આવી છે, જ્યાં કેટલાક યુવાનો ભેગા મળીને ગુરુગ્રામના (Gurugram) એક કેફેની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરે છે. અને તે પણ સંગીતના તાલથી તાલ મેળવીને.
ન્યુઝ એજેન્સી ANI એ ગુરુગ્રામના કેફેની હનુમાન ચાલીસાના પાઠ વાળો વિડીયો તેના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવાનો ગીટાર, ઢોલક સહિતના સંગીતના વાજિંત્રો વગાડીને તાલબધ્ધ રીતે હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કરી રહ્યાં છે. આટલું જ નહી તેમને હનુમાન ચાલીસા કરતા જોઇને કેટલાક રાહદારીઓ પણ ઉભા રહીને તેમનો વિડીયો ઉતારતા કે પછી તેમની સાથે તાળીઓના તાલ પુરાવી હનુમાન ચાલીસા કરતા નજરે પડી રહ્યાં છે.
#WATCH | Haryana: Spiritual jamming by youths outside a cafe in Gurugram.
ANI દ્વારા આજે સવારે (22 માર્ચ 2023) 8 વાગીને 34 મીનીટે અપલોડ કરવામાં આવેલો આ વિડીયો જોત જોતામાં વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો પર આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 571.K વ્યુ આવ્યાં છે, જયારે 5 હજારથી વધુ વખત રીટ્વીટ થયેલા આ વિડીયો પર 23 હજારથી વધુ લાઈક આવી ચુકી છે. કેટલાક લોકોએ આ વિડીયોના કમેન્ટ સેક્સનમાં પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી. જે અમે અહી ટાંકી રહ્યાં છીએ.
હનુમાન ચાલીસના આ વિડીયો પર અંજલી લાઈવ ટ્રેડીંગ પરથી કમેંટ કરવામાં આવી હતી કે, “પીવા અને બોલીવુડના મુર્ખામી ભર્યા ગીતો ગાવાના બદલે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યાં છે. આ ખરેખર સતયુગની શરૂઆત છે.”
Instead of drinking and singing foolish Bollywood Songs….. they are singing Hanuman Chalisa!!……it’s the beginning of Satya Yuga!!……
અન્ય એક અભિનવ ખરે નામના યુઝરે ખરા અર્થમાં ભારતીય યુવકો કેટલા અધ્યાત્મિક હોય અને તેમાં તેમના માતાપિતાનું યોગદાન શું હોય તે સંદર્ભમાં લખ્યું કે, “આ છે ભારતીય યુવા, આમને સનાતની સંસ્કાર આપી શકનાર સદાચારી માતાપિતાને નમન છે. આ ખરેખર ‘કુલ’ છે.”
❤️❤️❤️❤️❤️
यह होता है भारतीय युवा।
नमन ऐसे सदाचारी माता पिता को जो इन सबको सनातनी संस्कार दे पाए।
તો સ્કીન ડૉક્ટર નામના એક આઈડી પરથી સોશિયલ મીડિયામાં સનાતનનો વિરોધ કરનારા લોકો પર વ્યંગ કરતા લખ્યું કે, “અદ્ભુત ઉર્જા છે, હનુમાન ચાલીસા સાંભળીને સામાન્ય જીવનમાંથી ભૂત-પિસાચ ભાગી જાય છે. પણ પછી તે સોશિયલ મીડિયામાં પ્રગટ થઈ જાય છે. આજે તે ભૂત પ્રેત મોટી સંખ્યામાં વિચલિત થઈ જશે. હશે, તમામને વિક્રમ સંવંત 2080ની મંગળ કામનાઓ, જય હનુમાનજી”
Amazing energy! Hanuman Chalisa sun kar aam zindagi me bhoot-pisaach bhaag jaate hain, lekin social media par prakat ho jaate hain. Badi sankhya me offend honge aaj to. Anyway, sabhi ho Vikram Samvat 2080 ki Mangal kamnayein. Jai Hanuman.
આવીજ એક કમેંટ સૌરભ લક્ષ્મણપૂરી નામના હેન્ડલ પરથી કરવામાં આવી હતી. જેમાં તેઓ કહે છે કે, “આનંદ જ આનંદ, જયારે લોકો પ્રભુનું નામ લેવા ભેગા થાય છે, તે અદ્ભુત દ્રશ્ય હિય છે. આ વિડીયોમાં તો દુર દુર સુધી ભૂત-પિસાચ નજરે નહી પડે, પણ કેટલાક નકારાત્મક ટીપ્પણીઓ જરુરુથી કરશે ટ્વીટર પર.
आनंद ही आनंद। जब प्रभु का नाम लेने लोग साथ आते हैं अद्भुत दृश्य होता है। इस चलचित्र में तो भूत पिशाच नहीं दिखाई पड़ेंगे दूर दूर तक। पर कुछ नकारात्मक टिप्पणी अवश्य करेंगे ट्विटर पर। #जय_श्रीराम#शुभ_नवरात्रि#नववर्ष_की_हार्दिक_शुभकामनाएं
— Saurabh Lakshmanpuri (@SaurabhLakhnavi) March 22, 2023
તો અન્ય એક પ્રકાશ નામના યુઝરે ભારતના સનાતન મૂળને ઉલ્લેખીને લખ્યું કે, “મારો દેશ ફરી એક વાર તેના મૂળ તરફ આગળ વધી રહ્યો છે, જય શ્રી રામ.”
मेरा देश पुनः अपनी जड़ो की तरफ बढ़ रहा है. जय श्री राम🚩
નોંધનીય છે કે સોશિયલ મીડિયાના સમયમાં પણ હનુમાન ચાલીસા પ્રત્યે લોકોનો ભાવ અકબંધ રહ્યો છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે, યુ-ટ્યુબ ઉપર ગુલશન કુમારની T-સિરીઝની હનુમાન ચાલીસા 3 બિલિયનથી વધુ વખત જોવામાં આવી છે, જેની સાથે તે યુ-ટ્યુબ પર સૌથી વધુ જોવાયેલો વિડીયો બન્યો હતો. જગવિખ્યાત મ્યુઝીક કંપની T-seriesના આધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી હતી. આ વિડીયો 10 મે 2011ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. 9 મિનીટ 14 સેકન્ડના આ વિડીયોમાં તુલસીદાસ રચિત સંપૂર્ણ હનુમાન ચાલીસા છે.