Thursday, March 20, 2025
More
    Home Blog

    નાગપુર હિંસા: ‘મુંબઈ સમાચાર’ના લેખકે હિંદુ સંગઠનોને દોષી ઠેરવવા ઘસી નાખ્યો લેખ, ચલાવ્યો સલાહનો મારો…પણ હિંસા આચરનારાઓ વિશે લખવા માટે ન ઉપડી કલમ

    મહારાષ્ટ્રના નાગપુરમાં (Nagpur Violence) મુસ્લિમ ટોળાંએ હિંસા આચર્યા બાદ લેફ્ટ ઇકોસિસ્ટમની જૂની આદત અનુસાર દોષ હિંદુઓના માથે નાખવાનું અને ઉત્પાત અને અરાજકતા મચાવનાર કટ્ટરપંથી ઇસ્લામીઓને ચાલાકીપૂર્વક છાવરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમાં યથાયોગ્ય ફાળો ગુજરાતનાં અખબારો અને તેમાં કલમ ઘસતા લેખકો પણ આપી રહ્યાં છે. 

    મુંબઇથી પ્રકાશિત થતા અખબાર ‘મુંબઈ સમાચાર’માં (Mumbai Samachar) 19 માર્ચે, બુધવારે પ્રકાશિત થયેલા લેખનું શીર્ષક વાંચો- ‘હિંદુઓ કોના વારસ? મરાઠાઓના કે ઔરંગઝેબના?’ બાયલાઇન ભરત ભારદ્વાજની છે. આવી કોઈ વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે કે ઘોસ્ટ રાઇટિંગ કરવામાં આવ્યું છે એ પણ એક પ્રશ્ન છે, પણ એને બાજુ ઉપર મૂકીને લેખમાં શું છે એ જોઈએ. 

    19 માર્ચ, 2025ના રોજ મુંબઈ સમાચારમાં પ્રકાશિત

    શરૂઆતમાં જ અહીં બદમાશી કરવામાં આવી છે. જ્યાં હિંસા માટે દોષ હિંદુ સંગઠનોના માથે નાખી દેવામાં આવ્યો અને બીજી એક ચાલ એ રમવામાં આવી છે કે હિંસા આચરનારા ઇસ્લામી કટ્ટરપંથીઓનો ઉલ્લેખ કર્યા વગર તોફાનીઓએ ઉત્પાત મચાવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    હિંદુ સંગઠનોને જવાબદાર ઠેરવવાની બદમાશી

    લેખની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્રના ખુલદાબાદમાં આવેલા મોગલ બાદશાહ (બાદશાહ? કે આક્રાંતા?) ઔરંગઝેબની કબરનો વિવાદ ધારણા પ્રમાણે જ વકર્યો છે અને હિંસા શરૂ થઈ ગઈ છે. નાગપુરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતનાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ ઔરંગઝેબના પૂતળાનું દહન કરીને તેમની કબર તોડી પાડવાની માગ કરી પછી પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ તેમાં નાગપુરમાં તણાવ છે. તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો અને રસ્તાની બાજુમાં આવેલા વાહનોને પણ આગ ચાંપી દીધી.”

    બહુ ચાલાકીપૂર્વક અહીં હિંસા આચરનારા કટ્ટરપંથી મુસ્લિમોનો ઉલ્લેખ ટાળી દેવામાં આવ્યો અને શરૂઆતમાં હિંદુવાદી સંગઠનોને ટાર્ગેટ કરવામાં આવ્યાં. હવે હિંદુવાદી સંગઠનોના ઉલ્લેખ પછી છેલ્લી હિંસાનો ઉલ્લેખ કરતી લીટી વાંચે એને ગેરસમજ થયા વગર રહે નહીં કે હિંસા આચરનારા આ સંગઠનના જ માણસો છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે અરાજકતા અને ઉત્પાત પાછળ કટ્ટરપંથી ઇસ્લામીઓનો હાથ છે. 

    લેખમાં બીજા ફકરામાં પણ પોલીસ પર હુમલો થયો હોવાનું જણાવવામાં આવ્યું, પરંતુ હુમલો કોણે કર્યો એ સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી. ત્યારબાદ લખ્યું- ‘300 વર્ષ પહેલાં મરી ગયેલા એક અત્યાચારી બાદશાહની કબરના કારણે અત્યારે જીવતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.’ અહીં પણ ફરી હિંદુઓને આડકતરી રીતે દોષ આપવાની વાત થઈ. અર્થાત્, હિંદુઓ કબર હટાવવાની માંગણી કરી રહ્યા છે એટલે અશાંતિ સર્જાઈ છે, કટ્ટરપંથી મુસ્લિમો અફવાથી દોરાઈ. જઈને હિંસા આચરે તેનાથી નહીં. 

    ત્યારબાદ આખા લેખમાં હિંદુ સંગઠનોને આડેધડ ઝૂડવામાં આવ્યાં છે, પણ લખનારની કલમ જેમણે ખરેખર હિંસા આચરી તેમના વિશે એક શબ્દ લખવાની પણ હિંમત કરી શકી નહીં. લખનાર ત્યાં સુધી પહોંચી જાય છે કે, ‘બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં હિંદુવાદી સંગઠનોને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા નથી પણ હિંદુઓની લાગણીના નામે પોતાનો રોટલો શેકવામાં રસ છે.’ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમને ખબર છે કે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર છે એટલે તેઓ કથિત રીતે શૂરાતન બતાવી રહ્યા છે. સાથે ફડણવીસને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. 

    બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં હિંદુઓ માટે, હિંદુત્વ માટે લડતાં અને નિઃસ્વાર્થ સેવા કરતાં સંગઠનો પ્રત્યે આવાઓને વિશેષ દ્વેષ હોય એ સમજી શકાય એવી વાત છે. ઇકોસિસ્ટમને એને તેના ચેલા ચપટાઓને તકલીફ જ એ વાતની છે કે હિંદુઓ પર જ્યારે-જ્યારે તેઓ પ્રહારો કરવા જાય ત્યારે આ સંગઠનો તેમની સામે ફરી વળે છે. આ સંગઠનના માણસો જીવ જોખમમાં મૂકીને ધર્મબાંધવોની રક્ષા માટે કૂદી પડે છે. જો આ સંગઠનો ન હોત તો આ ટોળકીનું કામ ઘણું સરળ થઈ પડ્યું હોત. 

    સંગઠનો કાશ્મીર કેમ નથી જતાં તેવી બાલિશ દલીલોના આધારે કક્કો ખરો કરવાનો પ્રયાસ

    આગળ આ ભાઈ તદ્દન અતાર્કિક અને બાલિશ દલીલો પર ઉતરી પડે છે અને કહે છે કે આ સંગઠનોને હિંદુઓની રક્ષામાં રસ હોય તો તેમણે જમ્મુ અને કાશ્મીર જઈને હિંદુઓની રક્ષા કરવી જોઈએ. મણિપુરમાં જઈને હિંદુઓને બચાવવા જોઈએ. આવાઓ ક્યારેય મુસ્લિમ મૌલાનાઓ કે નેતાઓને જઈને પૂછે છે કે તમને ભારતના મુસ્લિમોની આટલી ચિંતા થાય છે કે ગાઝા જઈને કેમ ઊભા રહેતા નથી? આ કેવી વાત થઈ? કાશ્મીરમાં હિંદુઓને આતંકવાદીઓ મારે છે કે મણિપુરમાં ધર્માંતરણ થાય છે એટલે હિંદુ સંગઠનોએ મહારાષ્ટ્રમાં નહીં બોલવાનું? 

    આગળ ઔરંગઝેબની કબર હટાવવાની માંગનો આડકતરો વિરોધ કરીને કહેવામાં આવ્યું છે કે કબર દૂર કરવાથી પણ ઇતિહાસ બદલાઈ જવાનો નથી. સાથે હિંદુઓને ઔરંગઝેબ સહિતના આક્રમણખોરો સાથે સરખાવી દેવામાં આવ્યા અને કહ્યું કે તેઓ પણ તેમની જેમ જ વર્તી રહ્યા છે. એવી પણ દલીલો આપવામાં આવી છે કે મરાઠા શાસકોએ ઔરંગઝેબની કબરો કેમ તોડી ન હતી. તેનું કારણ જાતે જ જજ બનીને એવું આપે છે કે એ હિંદુ સંસ્કાર નથી. 

    કબર તોડવાથી ઇતિહાસ બદલાઈ જતો નથી પણ એક કલંક દૂર કરી શકાય છે. કયા સ્વાભિમાની અને સ્વતંત્ર દેશમાં એવા આક્રાંતાઓની કબર બનાવીને તેનું મહિમામંડન કરવામાં આવે, જેણે એક મોટા સમુદાયને નષ્ટ કરી દેવા માટે રીતસર નરસંહાર કરાવડાવ્યો હોય અને તેમનાં મંદિરો ધ્વસ્ત કરાવ્યાં હોય?એક કારણ એ પણ છે કે એક બહુ મોટો વર્ગ ઔરંગઝેબનું મહિમામંડન જ એટલા માટે કરી રહ્યો છે, કારણ કે તેણે આ કૃત્ય કર્યાં હતાં. છતાં આપણે ત્યાંના લેખકો કબર હટાવવાની માંગની વિરોધમાં ઉતરી પડ્યા છે. 

    આખા લેખમાં લખનારે માત્ર હિંદુઓ પર જ સલાહનો મારો ચલાવ્યો છે અને કાયરતા અને મરદાનગીની વાતો કરી છે, પણ હિંસા આચરનારાઓ વિશે ક્યાંય લખવાની હિંમત ચાલી નથી. હિંદુ સંગઠનોને ફાલતુ અને વાહિયાત સલાહ આપીને તેમને જ મૂરખા અને અશાંતિ સર્જનારા ગણાવ્યા છે. ખરેખર તો ઘટનાનું નિરપેક્ષ વિશ્લેષણ કરનાર એ લખે કે કઈ રીતે હિંદુઓ માત્ર શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યાં અફવા ફેલાવીને કટ્ટરપંથી ઇસ્લામીઓએ તેમની ઉપર હુમલો કરી દીધો. એ પ્રશ્ન કરવો જોઈતો હતો કે કેમ એક આક્રાંતાને ગ્લોરિફાય કરવા માટે આટલી બધી મહેનત થઈ રહી છે કે કેમ તેની વિરુદ્ધમાં પડેલા લોકો પર હુમલો કરવા સુધી સમુદાય વિશેષ પહોંચી જાય છે. પણ આ બધું લખવા માટે ત્રેવડ હોવી જોઈએ. હિંદુ સંગઠનોને ઝૂડવામાં કોઈ બહાદૂરી બતાવવાની રહેતી નથી.

    ‘પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબરો ખોદીને બહાર કાઢીશું’- નાગપુર હિંસા મામલે CM ફડણવીસ: બાંગ્લાદેશ કનેક્શનના અહેવાલ, 84ની ધરપકડ; કહ્યું- નહોતી સળગાવાઈ કોઈ મઝહબી ચાદર

    સંભાજી નગરમાં આવેલ મુઘલ આક્રાંતા ઔરંગઝેબની કબર (Aurangzeb Tomb) હટાવવાને લઈને હિંદુ સંગઠનોએ 17 માર્ચે નાગપુર ખાતે પ્રદર્શન કર્યું હતું. ત્યારપછી મજહબી ચાદર સળગાવવા અને કુરાનની પ્રતો બળવાની અફવાહ ઉડી, જેની આડમાં મુસ્લિમો દ્વારા હિંદુઓ અને પોલીસકર્મીઓ પર હિંસા (Nagpur Violence) આચરવામાં આવી. આ હિંસામાં પોલીસકર્મીઓ સહિત સામાન્ય લોકો પણ ઘાયલ થયા હતા. તે પછી સરકારે કડક પગલા લેવાનું શરૂ કર્યું હતું. હિંસા મામલે 80થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ મજહબી ચાદર સળગાવવાની અફવાહને CM દેવન્દ્ર ફડણવીસ (CM Devendra Fadanvis) અને પોલીસ પ્રશાસને પણ ફગાવી દીધી છે.

    તાજેતરમાં જ સામે આવેલ અહેવાલ અનુસાર CM ફડણવીસે કહ્યું હતું, “પોલીસ પર હુમલો કરનાર કોઈપણ વ્યક્તિને અમે છોડશું નહીં. નાગપુર એક શાંતિપ્રિય શહેર છે. અમે 1992થી રમખાણો જોયા નથી. નાગપુરના લોકો ખૂબ જ સહિષ્ણુ છે, પરંતુ આ વખતે અમે જોયું કે કેટલાક તત્વો જાણી જોઈને હિંસા ફેલાવે છે. અમે વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. કેટલાક લોકોએ અફવાઓ ફેલાવી અને પરિસ્થિતિ વધુ વણસી. મેં પોલીસ દળને સૂચના આપી છે કે નાગપુરમાં હિંસા ફેલાવનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં ન આવે.”

    તેમણે કહ્યું હતું કે, “પોલીસ પર હુમલો કરનારાઓને અમે તેમની કબરોમાંથી ખોદી કાઢીશું.” મુખ્યમંત્રી ફડણવીસે માહિતી આપી હતી કે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી, જેના કારણે હિંસા થઈ હતી. તેમણે જણાવ્યા અનુસાર નાગપુરમાં આયાત લખેલી કોઈ ચાદર સળગાવવામાં આવી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે જાણી જોઈને અફવા ફેલાવવામાં આવી હતી કે આયાતો સળગાવવામાં આવી છે.

    80થી વધુની ધરપકડ અને તપાસ સઘન

    બીજીતરફ મહારાષ્ટ્રના ગૃહરાજ્યમંત્રીએ માહિતી આપી હતી કે પોલીસે અત્યારસુધી પોલીસે સોશિયલ મીડિયા પર ભ્રામક વિડીયો ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. રાજ્યના સાયબર વિભાગે હિંસા બાદ વાંધાજનક સામગ્રી ધરાવતી 140થી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયો ઓળખી કાઢ્યા છે. આ સિવાય આ એકાઉન્ટ હોલ્ડર્સની ઓળખ કરવા માટે નોટિસ પણ જારી કરવામાં આવી છે. સાથે જ 80થી વધુની ધરપકડ પણ આકરવામાં આવી છે.

    એવા પણ અહેવાલો છે કે જે એકાઉન્ટ્સ પરથી આ ભ્રામક પોસ્ટ કરવામાં આવી હતી તેમાંથી એક બાંગ્લાદેશથી ચલાવવામાં આવી રહ્યું હતું. આ પોસ્ટમાં, યુઝરે લખ્યું હતું, “સોમવારે થયેલા રમખાણો એક નાની ઘટના હતી અને ભવિષ્યમાં તેનાથી પણ મોટા રમખાણો થશે.” બીજીતરફ નાગપુર હિંસા મામલે નોંધાયેલી FIRની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    તંબૂઓ પર ચાલ્યાં બુલડોઝર, ખેડૂત નેતાઓ કસ્ટડીમાં..પંજાબ પોલીસે ખાલી કરાવી શંભુ બોર્ડર: એક વર્ષથી બ્લૉક કરીને બેઠા હતા પ્રદર્શનકારી ખેડૂતો

    છેલ્લા એક વર્ષથી વધુ સમયથી પંજાબ-હરિયાણા સરહદ પર પ્રદર્શન કરતા ‘ખેડૂતો’ને સ્થળ પરથી હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. પંજાબ પોલીસે બુધવારે (19 માર્ચ) સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી અને ખેડૂત નેતાઓની અટકાયત કર્યા બાદ પ્રદર્શન સ્થળ પરથી કામચલાઉ ધોરણે તાણી બાંધવામાં આવેલા તંબૂઓ અને અન્ય વ્યવસ્થાને બુલડોઝર વડે હટાવીને રસ્તો ખુલ્લો કરી દીધો હતો. 

    ખેડૂતો પંજાબ-હરિયાણા સરહદ, જેને શંભુ બોર્ડર પણ કહેવાય છે, ત્યાં 13 ફેબ્રુઆરી, 2024થી જ પ્રદર્શન કરી રહ્યા હતા. વચ્ચે ઘણી વખત તેમણે સરહદ પાર કરીને હરિયાણામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે સફળ થવા દીધા ન હતા. આ ખેડૂતો 2021-22ની જેમ જ ફરીથી દિલ્હી કૂચ કરવા મથી રહ્યા હતા, પરંતુ હરિયાણા પોલીસ પ્રવેશ આપી રહી ન હતી. 

    19 માર્ચે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત ચંદીગઢમાં આયોજિત થઈ હતી, પરંતુ તે પણ અનિર્ણિત જ રહી. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ખાદ્યમંત્રી પ્રહલાદ જોશી, ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ઉપસ્થિત રહ્યા. પરંતુ આ બેઠકમાં પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નહીં અને આગલી બેઠક 4 મેના રોજ નક્કી કરવામાં આવી. બીજી તરફ ખેડૂતોએ એલાન કર્યું કે તેઓ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રાખશે. 

    પરંતુ અચાનક પંજાબ પોલીસ તેમના પ્રદર્શન સ્થળ ઉપર ત્રાટકી અને પહેલાં મુખ્ય ખેડૂત નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને ત્યારબાદ પ્રદર્શન સ્થળ ખાલી કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન સરહદ પર ડેપ્યુટી આઈજી (પટિયાલા) મનદીપ સિંઘ સિદ્ધુની આગેવાનીમાં 3000 પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા. 

    શરૂઆતમાં ખેડૂતો પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા, પરંતુ પોલીસે 200 ખેડૂતોની અટકાયત કરી લીધી. જેમાં જગજિત સિંઘ ડલ્લેવાલ અને સરવન સિંઘ પંધેર વગેરે મુખ્ય નેતાઓનો પણ સમાવેશ થાય છે. હાલ ખનૌરી સરહદ અને આસપાસના સંગરૂર અને પટિયાલા જિલ્લાના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવે છે. સાવચેતીના ભાગરૂપે ભારે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. 

    મીડિયામાં સ્થળ પરથી અમુક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં પોલીસની હાજરીમાં બુલડોઝરની મદદથી ખેડૂતોના તંબૂઓ હટાવવામાં આવતા જોવા મળે છે. આ બાંધકામ સરહદ પર કરવામાં આવ્યું હતું, જેના કારણે યાતાયાતને અસર પડી રહી હતી. પોલીસ હવે આ બધું ખાલી કરાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરી રહી છે. 

    રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો થશે: પંજાબ પોલીસ

    પટિયાલા એસએસપીએ મીડિયાને જણાવ્યું કે, “શંભુ બોર્ડર પર ઘણા સમયથી ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનો ચાલી રહ્યાં હતાં. આજે ડ્યુટી મૅજિસ્ટ્રેટની હાજરીમાં પોલીસે સ્થળ ખાલી કરાવ્યું છે અને તે પહેલાં તેમને સૂચના પણ આપવામાં આવી હતી. અમુક લોકોએ ઘરે પરત ફરવાની ઇચ્છા દર્શાવી, જેમને મોકલી દેવામાં આવ્યા. અહીંથી બાકીનું સ્ટ્રક્ચર હટાવવામાં આવી રહ્યું છે અને રસ્તો સંપૂર્ણ ખાલી કરીને ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, હરિયાણા પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે અને તેઓ પૂર્ણ કરી દે ત્યારબાદ ટ્રાફિક ચાલુ થઈ જશે.”

    ‘અમે પોલીસને બતાવી દઈશું, એકેય હિંદુને છોડીશું નહીં’: નાગપુર હિંસા સુનિયોજિત કાવતરું, ટોળાંમાં લાગ્યા મજહબી નારા, મહિલા અધિકારીઓ સાથે અશ્લીલ હરકતો- FIRમાં વધુ ઘટસ્ફોટ

    17 માર્ચે ઔરંગઝેબની કબર હટાવવાને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કુરાનની પ્રત બળવાની અફવાહ ઉડાવવામાં આવી અને નાગપુર ખાતે હિંસા (Nagpur Violence) ભડકી ઉઠી. આ હિંસા દમિયાન જાણી જોઇને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા, તથા પોલીસ અધિકરીઓ (Attack on Hindus and Police officers) પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાના માસ્ટરમાઈન્ડ ફહીમ શેખની ધરપકડ થઈ ચૂકી છે. આ મામલે 5 FIR નોંધાઈ છે જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

    નોંધનીય છે કે આ ઘટનામાં 33 જેટલા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, આ સિવાય સામાન્ય લોકો પણ ઘાયલ થયા હતા. મુસ્લિમોના ટોળાએ જાણી જોઇને હિંદુઓના વાહનો સાથે તોડફોડ અને આગચંપી કરી હતી. આ મામલે 51 આરોપીઓ પર નામજોગ FIR નોંધાઈ છે. 10 ટીમોને ઉપદ્રવીઓને શોધવા માટે કામે લગાવવામાં આવી છે. નાગપુરના 11 પોલીસ સ્ટેશન વિસ્તારમાં હજુ પર કરફ્યુ લાદેલો છે. ત્યારે સામે આવેલી FIR સ્પષ્ટ કરી રહી છે કે આ હિંસા એક સુનિયોજિત કાવતરું હતું.

    શું કહે છે FIR

    નાગપુર હિંસા મામલે 57 કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. જેમાં 51 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જેમની પર BNSની વિવિધ 46 કલમો હેઠળ ગુનો નોંધાયો છે. FIRમાં ઉલ્લેખ છે કે મુસ્લિમ ટોળાએ ભડકાઉ નારાઓ લગાવ્યા હતા અને ખોટી અફવાહો ફેલાવી હતી. 500-600ના ટોળાએ જાણી જોઈને સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો અને સામાજિક સદ્ભાવને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

    આ ઉપરાંત FIRમાં કહેવાયું છે કે, મુસ્લિમોના ટોળામાં લોકો બુમો પાડી રહ્યા હતા કે, ‘અમે પોલીસને બતાવી દઈશું. અમે તેમને કે કોઈપણ હિંદુને છોડીશું નહીં.’ પોલીસ ચેતવણીઓ છતાં, ટોળું કુહાડી, પથ્થર, લાકડીઓ અને અન્ય ઘાતક વસ્તુઓ સહિતના ખતરનાક હથિયારો લઈને સામે પડ્યું હતું. ઉપદ્રવીઓએ આખા વિસ્તારમાં આતંક મચાવી દીધો હતો.

    પોલીસ-મહિલા અધિકારીઓ સાથે દુર્વ્યવહાર

    ટોળાએ પોલીસ પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા, જેથી ફરજ પર હાજર અધિકારીઓને મારી નાખવામાં આવે. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓને સાંપ્રદાયિક ટોણા અને મૌખિક દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું. એવું કહેવામાં આવ્યું કે તમે હિંદુ પોલીસ અધિકારી છો. તમે આમારી મજહબી ચાદરને સળગાવવામાં મદદ કરી છે.

    તોફાનીઓએ જાતીય હિંસાનો પણ પ્રયાસ કર્યો. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો, તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો. મહિલા અધિકારીનો યુનિફોર્મ ઉતારવાનો પ્રયાસ થયો અને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. અન્ય મહિલા અધિકારીઓને પણ જાતીય સતામણી, અશ્લીલ હરકતો અને અશ્લીલ ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

    કઈ-કઈ કલમો હેઠળ નોંધાયા છે કેસ

    ભારતીય ન્યાય સંહિતાની કલમ 45, 49, 50, 61(2), 74, 76, 79, 109, 115 (2), 117 (2) , 117 (4), 118 (1), 118 (2), 121 (1), 121 (2), 125, 126 (2), 127 (2), 132, 135, 189 (2), 189 (3), 189 (4), 189 (5), 189 (5), 190, 191 (2), 191 (3), 192, 195 (1), 195 (2), 196 (1), 197 (1), 223, 296, 324 (2), 324 (3), 324 (4), 324 (5), 324 (6), 326 (F), 326 (G), 351 (2), 351 (3), 352, 353 (2)  અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

    ઉપરાંત, ફોજદારી કાયદો (સુધારણા) અધિનિયમની કલમ 7, જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમની કલમ 3 અને 4, ડ્રગ્સ એક્ટની કલમ 3, 4, 5, આર્મ્સ એક્ટની કલમ 4 અને 25, મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 37(1), 135 અને પોલીસ (અપ્રિય લાગણીઓ નિવારણ) અધિનિયમની કલમ 3નો પણ FIRમાં ઉલ્લેખ છે. BNS અને અન્ય કલમો મળીને કુલ 57 કલમો હેઠળ 51 લોકો વિરુદ્ધ નામજોગ FIR નોંધવામાં આવી છે.

    વર્ષોના વિરોધથી કાંઈ ન વળ્યું, હવે AIના સહારે શરૂ કરી બાલિશ હરકતો: ગુજરાત સમાચારને અહીં સુધી લઈ આવ્યો મોદીદ્વેષ

    ‘ગુજરાત સમાચાર’ અને મોદીદ્વેષ હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. અવારનવાર આ છાપું સાવ ફાલતુ બાબતોને લઈને મોદીને ઘેરવાના પ્રયાસ કરતું રહે છે ને મોદીને નીચા પાડવાના પ્રયાસો કરતું રહે છે.  આ કામ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સતત ચાલતું આવ્યું છે. જોકે ફેર તેનો લેશમાત્ર પડ્યો નથી. મોદી ત્રણ ટર્મ ગુજરાતના મુખ્યમંત્રી રહીને ત્રણ વખત વડાપ્રધાન બની ગયા, ગુજરાતમાં ભાજપ આટલાં વર્ષે એક ચૂંટણી હારતો નથી અને ઉપરથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવું પરિણામ આવે છે, પણ છતાં સમાચારે પોતાનું કામ ચાલુ રાખ્યું છે. પરંતુ આટલા ધમપછાડા પછી પણ કોઈ પરિણામ ન આવતાં હવે આ દ્વેષ અકળામણ અને ફ્રસ્ટ્રેશનની હદ સુધી પહોંચી ગયો છે. 

    તાજું ઉદાહરણ ગુજરાત સમાચારની અમુક હરકતો પરથી જોવા મળશે, જેમાં હવે આ મોદીદ્વેષ છલકાવવા માટે AIનો સહારો લેવામાં આવી રહ્યો છે અને એ પણ ઈલોન મસ્કના એક્સ દ્વારા નિર્મિત ગ્રોક AI. 

    ગ્રોક એ એક AI ટૂલ છે, જે ચેટજીપીટી અને જેમીનાઈ વગેરેની જેમ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી માહિતી પૂરી પાડે છે, અન્ય અમુક ટાસ્ક કરવામાં મદદ કરે છે. હમણાં આ ગ્રોક ચર્ચામાં રહ્યું. તેનું કારણ એક્સ પર ભારતીય યુઝરો સાથે તેની ચર્ચા છે. આ ટૂલ હિન્દી, ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં વાત કરી શકે છે. 

    બાકીનાં AI ટૂલ વાતચીત કરે છે, પરંતુ તેમની ભાષા મોટેભાગે મશીન જેવી હોય છે. ગ્રોક અલગ એ રીતે પડે છે કે એ એકદમ માણસો જેવું જ વર્તન કરે છે, જાણે કોઈ વ્યક્તિ બેસીને અકાઉન્ટ ચલાવી રહી હોય. અને સવાલોના જવાબો આપી રહી હોય. સોશિયલ મીડિયા પર બે વ્યક્તિઓ અનૌપચારિક ચર્ચાઓ કરતા હોય એ રીતે ગ્રોક ચર્ચા કરી શકે એ એની વિશેષતા છે. અહીં સુધી કે તેની સાથે વધારે મગજમારી કરો તો એ ગાળો ભાંડવા સુધી પણ પહોંચી જાય છે. મજાકમાં સવાલ કરો તો રમુજી જવાબ આપે છે અને ટીખળ કરો તો એ સામે બમણા જોરથી મજાકમસ્તી કરે છે. 

    એક તરફ ભારતીયો ગ્રોક સાથે રમત કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત સમાચારે આમાં પણ એજન્ડા ચલાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. 18 માર્ચની આવૃત્તિમાં અખબારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેનું શીર્ષક છે- ‘મોદીએ ફાયદો કરાવ્યો, મસ્કની એપે મોદીની ઇમેજનો ધજાગરો કર્યો.’ 

    Screenshot

    રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મસ્કે મોદીને ટ્રમ્પ મારફતે ઘૂંટણિયે પડાવીને પોતાની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્પેસલિંકને ભારતમાં પ્રવેશની મંજૂરી અપાવી છે.’ પહેલી વાત એ છે કે મસ્કની કંપનીનું નામ ‘સ્પેસલિંક’ નહીં ‘સ્ટારલિંક’ છે. બીજું એ કે મસ્કે ટ્રમ્પ સામે ઘૂંટણિયે પડવાની બધી વાતો હવામાં ગોળીબાર છે, જેની કોઈ સાબિતી નથી. રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે શું વાતચીત થાય એ ક્યારેય બહાર આવતું નથી. સાથે એવો પણ દાવો કર્યો કે મોદીએ ટેસ્લાના ભારતમાં પ્રવેશનો માર્ગ મોકળો કરી દીધો છે, જે પણ હજુ સત્તાવાર કશું બહાર આવ્યું નથી. 

    આગળ લખ્યું છે કે, “મોદી મસ્કને ફાયદો કરાવે એ બધું કરી રહ્યા હોવા છતાં મસ્કની કંપનીનું AI ચેટબોટ મોદીની મજાક ઉડાવે છે અને તેમને જૂઠા ગણાવે છે. મસ્ક મોદીની ઈમેજના ધજાગરા ઉડાવી રહ્યા છે, પણ ભાજપ તેની સામે કશું કરી શકે એમ નથી.” 

    ત્યારબાદ રિપોર્ટમાં ગ્રોકે તેને મોદી વિશે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબમાં શું-શું કહ્યું એ જણાવવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે ચેટબોટે મોદીની કે તેમનાં કથિત જૂઠાણાંની પોલ ખોલી નાખી છે. અન્ય એક બોક્સની હેડલાઈન છે- ‘ભક્તોના સવાલ, ગ્રોકના જવાબ. મોદીને ગ્રોકે ઉઘાડા પાડી દીધા.’

    આ બોક્સમાં ગ્રોકને પૂછવામાં આવેલા પ્રશ્નો અને ત્યારબાદ તેના જવાબ લખવામાં આવ્યા છે. સાથે રાહુલ ગાંધીની ભાટાઈ પણ કરવામાં આવી છે. જેમાં ગ્રોકે મોદીની ડિગ્રીઓ શંકાસ્પદ હોવાનું પણ રાહુલ ગાંધી હાવર્ડ-કેમ્બ્રિજમાં ભણ્યા હોવાનું કહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે તો સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતને વિકાસ તરફ દોરવા રાહુલ ગાંધી શ્રેષ્ઠ નેતા છે. મોદી અદાણીના ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય શકે એવું પણ ધુપ્પલ ચલાવવામાં આવ્યું છે. આ બધા માટે સહારો લેવામાં આવ્યો છે AIના જવાબોનો. 

    બીજા એક બોક્સમાં સાવરકર વિરુદ્ધ પણ પ્રોપગેન્ડા ચલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને સંઘ વિશે પણ AIએ ફલાણા-ફલાણા જવાબ આપ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    કુલ મળીને ગુજરાત સમાચાર એવું સાબિત કરવા માંગે છે કે AIએ જે જવાબો આપ્યા છે એ સનાતન સત્ય છે અને તેનાથી ભાજપની કે મોદીની પોલ ખુલી ગઈ છે. અહીં સુધી કે અખબાર એવું લખવા સુધી પહોંચી ગયું કે જૂઠાણાંના કારણે વડાપ્રધાન મોદીની વિશ્વસનીયતા ખરડાઈ છે. 

    ગુજરાત સમાચારનો આ રિપોર્ટ લખનારાઓ કાં તો AI કામ કઈ રીતે કરે છે એ જાણતા નથી અથવા જાણતા હોવા છતાં જાગતા મૂતરી રહ્યા છે. AI એક મશીન લર્નિંગ ટૂલ છે. તેને અમુક ચોક્કસ કમાન્ડ આપવામાં આવે છે અને અમુક માહિતી સ્ટોર કરવામાં આવે છે. તેને જે સવાલો પૂછવામાં આવે એના જવાબ તે ક્યાંથી મેળવે છે? ઈન્ટરનેટ પર પહેલેથી ઉપલબ્ધ સામગ્રી પરથી. એવું નથી કે ગ્રોક AI કોઈ ત્રિકાળજ્ઞાની મશીન છે અને તેને બધી જ ખબર છે. તે માત્ર અહીં-ત્યાં ઉપલબ્ધ સામગ્રી એકઠી કરીને તેની ઉપરથી જવાબ રજૂ કરે છે. તેને પ્રતિપ્રશ્ન કરો તો ફરી એ એ જ રીતે કામ કરીને જવાબો લાવીને આપે છે.

    AI ટૂલ જે ઈન્ટરનેટ પરથી માહિતી લાવે છે ત્યાં બધા જ પ્રકારની સામગ્રી છે. એટલે કે ઈન્ટરનેટ પર તમને અમુક લેખો સાવરકરના સ્ટેન્ડનું સમર્થન કરતા પણ મળશે તો અમુક લેખોમાં સાવરકરની ટીકા પણ જોવા મળશે. હવે તમે સાવરકર વિશે કોઈ પ્રશ્ન કરો તો એ જેવો પ્રશ્ન હશે તેને અનુરૂપ આ બેમાંથી જે સોર્સ મળે ત્યાંથી માહિતી લઈને લાવીને મૂકી દેશે. તે સનાતન સત્ય જ હોય એ માની લેવાનું કોઈ કારણ નથી. એવું જ મોદીનું છે, બીજા નેતાઓનું છે. એવું જ વિવિધ ઘટનાઓનું પણ છે. ચેટબોટને જેવા પ્રશ્નો કરો એવી સામગ્રી એ શોધી લાવે છે અને તેનો જવાબ આપે છે. 

    ભારતમાં મોદી વિરુદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં જેટલું લખાયું એટલું કોઈના વિરુદ્ધ લખાયું નથી. હવે મોદીવિરોધી એજન્ડા ચલાવવા માટે AIને તમે કોઈ પ્રશ્ન કરશો તો એ જઈને ઈન્ટરનેટ પરથી એવી માહિતી લઈ આવશે, જેમાં મોદીવિરુદ્ધ એજન્ડા ચલાવાયો હોય અને તેને સોર્સ તરીકે રજૂ કરીને માહિતી આપશે અને મોદીવિરોધી એજન્ડામાં ગુજરાતી ચોપાનિયાં તો દૂર, વિદેશી મીડિયાએ પણ પીએચડી કરી રાખી છે. 

    અન્ય ઉદાહરણ લઈને તો મોદીને ટાર્ગેટ કરવા માટે તેઓ ઉદ્યોગપતિને અને ખાસ કરીને અદાણીને મદદ કરતા હોવાના આરોપ એક ઈકોસિસ્ટમ અને તેમના ચેલાચપાટાઓ વર્ષોથી લગાવી રહ્યા છે. જોકે સાબિત આજ સુધી એક પણ આરોપ કરી શક્યા નથી. આ વિષયમાં અનેક લેખો પણ લખાયા છે અને વિડીયો પણ બન્યા છે. હવે તમે ગ્રોકને આ વિષય પર પ્રશ્ન કરશો તો એ ઈન્ટરનેટ પર જઈને શોધે ત્યારે એને આ બધું પણ જોવા મળશે. તે તેને સોર્સ માનીને માહિતી તરીકે રજૂ કરે તો એવું માની લેવાનું કોઈ કારણ નથી કે એ સત્ય જ છે. તમે તેની પાસે કોઈ પણ પ્રકારના જવાબો અપાવી શકો છો.

    મજાની વાત એ છે કે આવું થયું પણ છે. એવું નથી કે ગ્રોકે માત્ર મોદી વિશે જ આવા જવાબો આપ્યા હોય. મોદી વિશે તો AIએ એમ પણ કહ્યું છે કે તેઓ ભારતના સૌથી શક્તિશાળી વડાપ્રધાન છે કે તેમની લોકપ્રિયતા સર્વાધિક છે, પરંતુ સ્વાભાવિક ગુજરાત સમાચાર એ દર્શાવે નહીં. પરંતુ સમાચારે એ પણ નથી લખ્યું કે આવું તો જવાહરલાલ નેહરૂ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી વગેરે નેતાઓના કિસ્સામાં પણ બન્યું છે, જેમના વિશે ગ્રોકે વિવાદિત જવાબો આપ્યા છે. 

    વાસ્તવમાં AIએ આ તમામ નેતાઓ-રાજકારણીઓ વિશે અનેક પ્રકારના જવાબો આપ્યા છે, તેમાં તેમના વિશે સકારાત્મક પણ છે અને નકારાત્મક અને ટીકા કરતા જવાબો પણ. પરંતુ ગુજરાત સમાચારના હોંશિયાર પત્રકારોએ મોદી વિશે જે વિવાદિત જવાબો આપવામાં આવ્યા હતા તેને એક તરફ તારવ્યા અને બીજી તરફ સોનિયા અને રાહુલ જેવા નેતાઓ વિશે સારા જવાબો આપવામાં આવ્યા તેને તારવી લીધા. મોદી વિશે સારું કહેવાયું હતું એ અને રાહુલ-સોનિયા વિશે જે નકારાત્મક કહેવામાં આવ્યું એ, બંને અવગણી દેવામાં આવ્યાં.

    આ બધામાં ગુજરાત સમાચાર એ પણ ભૂલી ગયું કે ‘લગેગી આગ તો જદ મેં આયેંગે કઈ.’ એટલે કે ગ્રોક પોતાના વિશે શું કહે છે એ પણ ગુજરાત સમાચારે જાણવું જોઈતું હતું. AI કહે છે કે, લોકો માને છે કે ગુજરાત સમાચાર ડાબેરી કે કોંગ્રેસતરફી ઝોક ધરાવે છે અને તેને સંપૂર્ણ નિષ્પક્ષ કહી શકાય નહીં. હવે કોઈ એમ કહી શકે કે ગ્રોક AIએ ગુજરાત સમાચારને ઉઘાડું પાડ્યું? 

    ‘रमंति इति रामः – જે બ્રહ્માંડના કણ-કણમાં રત છે, તે રામ છે…’: લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં PM મોદીએ શા માટે ભગવાન રામને કહ્યા ભારતીયોને જોડતા દિવ્ય સૂત્ર

    AI રિસર્ચર અને અમેરિકાના જાણીતા પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં PM મોદીએ અનેક વિષયો પર વાત કરી. તેમણે ભારતની સાંસ્કૃતિક, ભાષાકીય અને ક્ષેત્રીય વિવિધતા વિશે પણ ઊંડાણપૂર્વક વાત કરી અને જણાવ્યું હતું કે, ભારતીયો માત્ર એક નામ સાથે જોડાયેલા છે અને તે નામ છે ‘રામ’. વડાપ્રધાન મોદીએ ભગવાન રામને એક ‘સૂત્ર’ ગણાવ્યા છે, જે ભારતની ભાતીગળ વિવિધતાને પણ એક તાંતણે બાંધે છે અને સૌને એક હોવાનો અનુભવ કરાવે છે.

    લેક્સ ફ્રિડમેને પોડકાસ્ટમાં પૂછ્યું હતું કે, ભારતને એક તાંતણે બાંધનારો વિચાર કે બાબત કઈ છે અને રાષ્ટ્ર તરીકે ભારત શું છે? જવાબમાં PM મોદી કહે છે કે, “ભારત એક સાંસ્કૃતિક ઓળખ છે. તે એક સભ્યતા છે, જે હજારો વર્ષ પ્રાચીન છે. 100થી વધારે ભાષાઓ અને હજારો બોલીઓ સાથે ભારતની વિશાળતાની કલ્પના કરો.” વધુમાં તેમણે ‘બાર ગાઉએ બોલી બદલે’ની કહેવત પર ભાર આપતા કહ્યું હતું કે, અપાર વિવિધતા હોવા છતાં, એક સામાન્ય સૂત્ર (દોરી) છે, જે દેશને એક કરે છે, તે છે – ભગવાન રામ.

    આખા દેશમાં ગુંજતી ભગવાન રામની ગાથાઓ પર પણ વડાપ્રધાન મોદીએ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભગવાન રામથી પ્રેરાયેલું નામ દેશના દરેક ખૂણે મળી આવે છે. ગુજરાતમાં રામભાઈથી લઈને તમિલનાડુમાં રામચંદ્રન અને મહારાષ્ટ્રમાં રામ ભાઉ સુધી. તેમણે કહ્યું હતું કે, આ અનોખુ સાંસ્કૃતિક બંધન ભારતને એક સભ્યતા તરીકે એક સાથે જોડે છે.

    દેશની લગભગ તમામ ભાષાઓમાં રચાયું છે મહાકાવ્ય રામાયણ

    વડાપ્રધાન મોદીએ ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું છે કે, કઈ રીતે હિંદુ ધર્મ, ખાસ કરીને ભગવાન રામ એક અવિભાજ્ય સૂત્ર છે, જેણે ભાષા, પ્રાંત અને સાંસ્કૃતિક સીમાઓથી પરે જઈને ભારતની વિશાળ અને વૈવિધ્યસભર સભ્યતાઓને એક તાંતણે જોડી છે. આ વિશેષ લેખમાં આપણે પણ આધ્યાત્મિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી ભારત અને વિશ્વના પ્રત્યેક કણમાં રામના અસ્તિત્વ વિશેની ચર્ચા કરીશું. ભારતીય સંસ્કૃતિમાં રામ માત્ર એક ભગવાન કે રાજા નથી, પરંતુ રામ એક લાગણી છે અને ભારતનું ગૌરવ પણ છે.

    ભગવાન રામ અને તેમની વીરતાની પવિત્ર ગાથા- રામાયણ પણ દેશની લગભગ બધી જ ભાષાઓમાં રચાઇ છે અને બધી જ પૂજનીય પણ છે. જે-તે વિસ્તારની લોકસંસ્કૃતિ, લોકપરંપરા, લોકનૃત્ય અને સાહિત્ય તથા તહેવારોમાં પણ આ રામાયણ જીવંતતા સાથે પ્રગટ થાય છે અને લોકોને એક તાંતણે જોડે છે. રામ માત્ર હિંદુઓના ભગવાન કે મહાપુરુષ નથી. રામ ભારતના ભૂતકાળનું સત્ય છે અને ભવિષ્યનું સ્વપ્ન પણ છે.

    ઋષિ વાલ્મીકિ રચિત રામાયણ માત્ર પ્રાચીન હિંદુ ગ્રંથો સુધી સીમિત એક સ્થિર મહાકાવ્ય નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક સારમાં સમાયેલું અમૃત છે, જે લગભગ ભારતની અને વિદેશની મોટાભાગની ભાષાઓમાં અનુવાદિત થયું છે. ભારતીય ભાષાઓએ રામાયણ ગ્રંથને ક્યારેય પ્રાચીન થવા જ નથી દીધો, સમયાંતરે અનેક ભાષાઓમાં તેનો ભાવાનુવાદ થયો છે.

    પછી તે તુલસીદાસ રચિત રામચરિતમાનસ હોય, ગીતાવલી હોય, મરાઠીમાં રચાયેલ ગીત રામાયણ હોય, તમિલ રામાયણ હોય, તેલુગુ રામાયણ હોય, ઉર્દૂ હોય, કન્નડ હોય, ગુજરાતી હોય, અવધિ હોય, જૈન રામાયણ હોય, બૌદ્ધ રામાયણ હોય કે શીખોની રામાયણ હોય. બધી જ ભાષાઓ અને સંસ્કૃતિએ રામને પોતાના આરાધ્ય માન્યા છે અને એક કારણ આ પણ છે કે, રામ સૌ કોઈને જોડનારું એક સૂત્ર છે. ભારતીય ભાષાઓની સાથ-સાથે હવે રામાયણ મહાકાવ્ય વૈશ્વિક ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે.

    ભારતની સંસ્કૃતિમાં ભગવાન રામ સર્વસ્વ છે. રામાયણ એ ભારતનું પ્રથમ મહાકાવ્ય છે, જે દેશની ભાષાઓ, કળાઓ, પરંપરાઓ અને લોકોના જીવનમાં સમાયેલું છે. ગુજરાત, રાજસ્થાનમાં રામદેવપીરની પરંપરા હોય કે દક્ષિણ ભારતમાં કંબનનું ‘કંબ રામાયણ’, રામની કથા દરેક પ્રદેશમાં અલગ-અલગ રૂપે ભજવાય છે, ઉત્તર ભારતમાં ખાસ કરીને રામલીલા ભગવાન રામના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવામાં ઉમદા ફાળો આપે છે. ભગવાન શ્રીરામના અયોધ્યા પરત ફરવાના આંદનમાં ઉજવાતી દિવાળી, ભારતનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર માત્ર ધાર્મિક નથી, પણ સામાજિક સંવાદિતા અને એકતાનું પ્રતીક પણ છે.

    ભૌગોલિક રીતે પણ સમગ્ર ભારતને એક કરે છે પ્રભુ રામ

    ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીરામનું જીવન એક વિશાળ ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલું છે. માતા સીતાના જન્મસ્થાન નેપાળના જનકપુરથી લઈને રાવણના સામ્રાજ્ય શ્રીલંકા સુધી રામનું જીવન પ્રસરેલું છે. જેમાં વચ્ચે આવે છે, મધ્ય પ્રદેશનું ચિત્રકૂટ, મહારાષ્ટ્રના નાસિકમાં પંચવટી, કર્ણાટકમાં કિષ્કિંધા, તમિલનાડુમાં રામેશ્વરમ અને ગુજરાત. ભગવાન રામનો જન્મ ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં થયો હતો. અવધ ક્ષેત્રમાં ભગવાન રામને રાજા તરીકે આજે પણ પૂજવામાં આવે છે. હિંદુ આસ્થાનું પ્રતિક અયોધ્યા, તે સ્થાન છે, જેણે ભગવાન રામના દેદીપ્યમાન રાજ્યથી લઈને ઇસ્લામી આક્રાંતા બાબરના વિધ્વંસક હુમલા સુધીનું બધુ નરી આંખે જોયું છે. ભૂંસાઈ ગયા એ ઇસ્લામી આક્રાંતાઓ જે આ દેશમાંથી રામનું પ્રતિક ભૂંસવા માંગતા હતા.

    ભગવાન રામે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર યાત્રા કરી છે. તેમણે નેપાળથી લઈને છેક શ્રીલંકા સુધી પોતાના સામર્થ્ય અને પવિત્રતાનો સંદેશ આપ્યો છે. ગુજરાતમાં માતા શબરીના બોર ખાવાથી લઈને તમિલનાડુમાં ભગવાન રામેશ્વરમની શિવલિંગ સ્થાપવા સુધી. રામ આજે પણ આ સમગ્ર ભૌગોલિક સ્થાનની લોકસંસ્કૃતિમાં વણાયેલા છે. રામ આજે પણ લોકકથાઓ અને પરંપરાઓમાં જીવિત છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના રાજા રામથી લઈને ઉત્તર ભારતના ‘રામ રામ’ના આવકાર સુધી રામ જીવિત છે. ઉત્તર ભારતમાં આજે પણ દરેક ઘરમાં રામચરિતમાનસ મળી આવે છે, દક્ષિણ ભારતમાં પણ આજે ‘કંબ રામાયણ’ મળી આવે છે.

    હજારો વૈવિધ્યા હશે, પ્રાંતવાદ હશે, ભાષાવાદ હશે, સામાજિક ભિન્નતા હશે, પરંપરા અલગ હશે. પરંતુ તમામમાં ‘રામ’ હશે. આ માત્ર બે અક્ષરનું નામ ભારતને અડીખમ ઐક્યતા આપી રહ્યું છે. હજારો અનેકતા હોવા છતાં રામ એકતાનું સૂત્ર બનીને બધી સંસ્કૃતિઓ, પરંપરાઓ, લોકકથાઓને એકબીજા સાથે જોડે છે અને ભારતની મહાન સભ્યતાને ઊભી કરે છે. એટલે જ તો કહેવાય છે કે, ભારતના મૂળમાં રામ છે.

    વૈશ્વિક સ્તરે પણ ‘સત્ય અને પરાક્રમ’નું પ્રતીક છે ભગવાન રામ

    રામ એ માત્ર એક નામ નથી, એક પાત્ર નથી, પણ એક એવું જીવનમૂલ્ય છે જે સદીઓથી ભારતની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિકતાને આકાર આપે છે. રામ એટલે મર્યાદા પુરુષોત્તમ, જેમણે પોતાના જીવન દ્વારા ન્યાય, ધર્મ, કર્તવ્ય અને પ્રેમનું ઉદાહરણ રજૂ કર્યું. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન રામનું સ્થાન એટલું ઊંડું છે કે તેમનું નામ લેતાં જ લોકોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો સંચાર થાય છે. પરંતુ રામનું મહત્ત્વ માત્ર ભારત પૂરતું સીમિત નથી. તેમની વિચારધારા અને જીવનશૈલી વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી છે, જે એક સાર્વત્રિક સંદેશ આપે છે – સત્ય અને ધર્મના માર્ગે ચાલવું એ જ જીવનનો સાચો હેતુ છે.

    ભગવાન રામની મહાન કથા ભારતની સીમાઓને પાર કરીને વિશ્વભરમાં પ્રસરી છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં, ખાસ કરીને થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, કંબોડિયા અને મલેશિયામાં, રામાયણના સ્થાનિક સંસ્કરણો જોવા મળે છે. થાઈલેન્ડનું રાષ્ટ્રીય કાવ્ય છે ‘રામકિયેન’, કંબોડિયામાં પણ ‘રિયમકેર’ (રામની મહિમા) રાષ્ટ્રીય કાવ્ય છે અને ઈન્ડોનેશિયાનું ‘કાકવિન રામાયણ’ તથા મલેશિયાનું ‘હિકાયત સેરી રામ’ એ ભગવાન રામની વૈશ્વિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. તે સિવાય લાઓસ અને મ્યાનમારમાં પણ ક્રમશઃ ‘ફ્રા લાક ફ્રા લામ’ અને ‘યામા જાટડાવ’ જેવા રામાયણ સંસ્કરણો મળી રહે છે. આ દેશોમાં રામને એક નાયક તરીકે માનવામાં આવે છે, જે ન્યાય અને સત્યની લડતનું પ્રતીક છે.

    આધુનિક સમયમાં, ભગવાન રામનો દિવ્ય સંદેશ પશ્ચિમી વિશ્વમાં પણ પહોંચી ગયો છે. અયોધ્યાના દિવ્ય આદર્શોને ‘રામરાજ્ય’ના રૂપમાં વિશ્વએ સ્વીકાર્યા, જે એક એવી વ્યવસ્થા છે જ્યાં ન્યાય, સમાનતા અને શાંતિ પ્રવર્તે છે. રામરાજ્યના આ દિવ્ય વિચારે વિશ્વના અન્ય નેતાઓ, જેમ કે માર્ટિન લ્યુથર, કિંગ જુનિયરને પ્રેરણા પણ આપી છે. રામ પરોક્ષ રીતે વિશ્વનું એક આભૂષણ બન્યા છે અને સમાનતા, એકતા, પ્રામાણિકતા અને વચનબદ્ધતા માટે સમગ્ર વિશ્વ આજે નતમસ્તક છે.

    બ્રહ્માંડના કણ-કણમાં રમે છે તે છે રામ….

    ભારત એક એવી ભૂમિ છે જ્યાં આધ્યાત્મિકતા દરેક શ્વાસમાં સમાયેલી છે. આ દેશની માટીમાંથી ઉદ્ભવેલી અનેક સંસ્કૃતિઓ, ધર્મો અને પરંપરાઓ હોવા છતાં એક દિવ્ય શક્તિ છે જે આ બધાને એક સૂત્રમાં પરોવે છે, તે છે ભગવાન રામ. દંડકારણ્યના બૃહદ જંગલોથી લઈને જીવંત કિષ્કિંધા સુધી, ભગવાન રામની ગાથા, તેમની યાત્રા અને તેમનું તેજ ભારતીય સભ્યતાને એક સાથે જોડે છે. રામ ફક્ત એક ઐતિહાસિક પાત્ર કે રાજકુમાર નથી, તે એક આધ્યાત્મિક ચેતના છે, જે ભારતના આત્માને જાગૃત કરે છે અને તેને એકતાના પવિત્ર બંધનમાં બાંધે છે. તેમનું નામ, તેમનું જીવન અને તેમના આદર્શો એ ભારતની આધ્યાત્મિક ધરોહરનો પાયો છે, જે સદીઓથી આ દેશના લોકોને દિવ્ય માર્ગે લઈ જાય છે.

    ભગવાન રામ ન માત્ર એક ઐતિહાસિક મહાપુરુષ છે, પરંતુ તેઓ અતીતને વર્તમાન, વિસ્તારને વિસ્તાર, હ્રદયને હ્રદય અને આત્માને આત્મા સાથે જોડતા એક સેતુ છે. તેઓ વાસ્તવિક ‘રામસેતુ’ છે. ગૌસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે કે,

    हरि अनंत हरि कथा अनंता।
    कहहिं सुनहिं बहुबिधि सब संता॥
    रामचन्द्र के चरित सुहाए।
    कल्प कोति लगि जाहिं न गाए॥

    તેનો અર્થ છે, “હરિ (ભગવાન વિષ્ણુ) અનંત છે અને તેમની કથા પણ અંત છે. બધા જ સંતો તેમને અનેક પ્રકારે કહે અને સાંભળે છે. રામચંદ્રના સુંદર ચરિત્રને કરોડો કલ્પોમાં પણ વ્યક્ત કરી શકાય તેમ નથી.” વડાપ્રધાન મોદીએ જ્યારે ફ્રિડમેનને કહ્યું કે, રામ એક સૂત્ર છે, ત્યારે તેઓ સહેજ પણ ખોટા નહોતા. તેમણે આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ભૌતિક અને ભૌગોલિક બાબતોને ધ્યાને રાખીને ખૂબ જ ઉમદા ઉત્તર આપ્યો હતો અને ગહન ચિંતન રજૂ કર્યું હતું.

    આજના યુગમાં, જ્યાં મનુષ્ય ભૌતિક સુખોની પાછળ દોડી રહ્યો છે, ત્યારે રામનું જીવન અને તેમના આદર્શો એક પ્રકાશસ્તંભની જેમ ઉભા છે. આધુનિક ભારતમાં રામ મંદિરનું નિર્માણ એ ફક્ત એક ભૌતિક ઘટના નથી, પરંતુ રામની આધ્યાત્મિક ચેતનાનું પુનર્જાગરણ છે. આ મંદિર દર્શાવે છે કે રામ આજે પણ ભારતીયોના હૃદયમાં જીવંત છે. ભારતની આધ્યાત્મિક યાત્રામાં રામ એક એવું સૂત્ર છે જે દરેક આત્માને એક કરે છે. તેમનું નામ એક ધ્યાન છે, તેમનું જીવન એક સાધના છે અને તેમની કથા એક મોક્ષમાર્ગ છે. ભારત અને શ્રીલંકાને ભૌતિક રીતે જોડતા રામસેતુની જેમ, રામની ચેતના આધ્યાત્મિક રીતે ભારતના દરેક હૃદયને જોડે છે.

    જ્યારે સ્પષ્ટ શબ્દોમાં પૂછવામાં આવે કે શું છે રામ? ત્યારે તેનો એકમાત્ર ઉત્તર હોય છે ‘रमंति इति रामः’- બ્રહ્માંડ જેનામાં રત છે તે રામ છે, જે પ્રત્યેક હ્રદયમાં પરોક્ષ રીતે રત છે તે રામ છે. ભારતની આધ્યાત્મિક શક્તિઓનો સમૂહ છે તે રામ છે. બ્રહ્માંડના કણ-કણમાં જે રમે છે, તે રામ છે. આ જ કારણ છે કે, રામ વિશ્વ અને ભારતને એક તાંતણે જોડનારું એક મહત્વપૂર્ણ સૂત્ર પણ છે. રામ છે તો વિશ્વ છે અને બ્રહ્માંડ છે. કારણ કે, આખું બ્રહ્માંડ રામમાં ખીલી રહ્યું છે. રામ જ તેમને ઉછેરે છે અને રામ જ તેમને સહે છે.

    વડાપ્રધાન મોદીએ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ભારતને એક તાંતણે બાંધતું સૂત્ર ‘રામ’ છે. જો ખરેખર ગહન ચિંતન કરવામાં આવે તો તેમણે બ્રહ્માંડનું સૌથી મોટું સત્ય આખી દુનિયા સામે રાખી દીધું છે.

    અકાદમી તરફથી મેળવ્યું ઇનામ, એટલા માટે ગુજરાતી સાહિત્ય પરિષદે ઉપપ્રમુખને કર્યા સસ્પેન્ડ; વિરોધમાં ચાર સભ્યોનાં રાજીનામાં- શું છે મામલો, જેના કારણે ફરી વિવાદમાં આવી સંસ્થા?

    ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે નરેન્દ્ર મોદીએ તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહ્યાનું કહેવાય છે કે, ‘મારું એમાં કામ નહીં, હું સીમિત રાજકારણનો માણસ છું.’ સાહિત્ય માટે કામ કરતી કે એવો દાવો કરતી આ સંસ્થા સાહિત્યના કારણે ઓછી અને અમુક બીજા વિવાદોના કારણે વધારે ચર્ચામાં રહી છે. નવેમ્બર 2023માં દિવાળી પર સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજા થઈ ત્યારે પણ અમુક ડાબેરીઓ, કથિત પંથનિરપેક્ષોને વાંધો પડ્યો હતો અને જે બાબત પર ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત અહેવાલ થકી પ્રકાશ પાડ્યો હતો એ વાચકોને જાણ હશે. 

    હવે તાજેતરના કિસ્સામાં પરિષદે ત્રણ સભ્યોને બે ટર્મ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેમાંથી એક ઉપપ્રમુખ હતા. સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ દર્શક આચાર્ય અને પરિષદ મંત્રી (ગ્રંથાલય) પરીક્ષિત જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાથે મધ્યસ્થ સમિતિના સભ્ય રમેશ પટેલને પણ બરતરફ કરવામાં આવ્યા છે. અર્થાત્ તેઓ પદ પરથી બરતરફ થશે અને બે ટર્મ માટે એટલે કે છ વર્ષ માટે ચૂંટણી પણ લડી શકશે નહીં. 

    આ સસ્પેન્શન પાછળ કારણ ‘રસપ્રદ’ છે. વાત એમ છે કે દર્શક આચાર્યના ગઝલ સંગ્રહ ‘સાંસોટ’ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ઇનામ મળ્યું હતું. વર્ષ 2021નું આ ઈનામ તાજેતરમાં માતૃભાષા દિવસે (24 ફેબ્રુઆરી) એક કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીના હસ્તે તેમણે સ્વીકાર્યું. આ કારણોસર તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. 

    પરીક્ષિત જોશીના સસ્પેન્શન પાછળ કારણ એ આપવામાં આવ્યું કે તેઓ મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક પુસ્તક સ્વીકારવા માટે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહની ગ્રાન્ટમાંથી તેમણે અમુક પુસ્તકાલયોને પુસ્તકો ભેટ આપ્યાં હતાં. જેમાંથી પરિષદ વતી ગ્રંથાલય મંત્રી તરીકે પરીક્ષિત જોશી મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક પુસ્તક સ્વીકારવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને નોટિસ પાઠવવામાં આવી અને નિષ્કાસન કરી દેવામાં આવ્યું.

    સાહિત્યની કે સાહિત્યના આ રાજકારણની દુનિયાથી અજાણ હોય તેમના માટે- ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી નામની બે મોટી સંસ્થાઓ ગુજરાતમાં સક્રિય છે. અકાદમી સરકાર સંચાલિત છે. જ્યારે પરિષદ સ્વતંત્ર સંસ્થા છે. પરિષદ વર્ષોથી અકાદમી સામે આ સ્વાયત્તતાના મુદ્દે તલવાર તાણતી રહે છે. અગાઉ 2015માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે અકાદમી સરકાર સંચાલિત હોવાના કારણે સ્વાયત્તતાનો પ્રશ્ન રહેતો હોવાથી પરિષદના સભ્યો અકાદમી સાથે કોઈ પ્રકારના વ્યવહાર કરશે નહીં. ત્યારબાદ પણ વરસોવરસ આવા ઠરાવો થતા રહ્યા છે.

    સમગ્ર મામલે દર્શક આચાર્ય જણાવે છે કે, સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પરિષદે તરત તેમને નોટિસ પાઠવીને નિયમભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતે કોઈ નિયમનો ભંગ ન કર્યો હોવાનું અને અગાઉ પણ આવા દાખલાઓ બન્યા હોવાનું જણાવીને પ્રત્યુત્તર પાઠવ્યો, પરંતુ આખરે કાર્યવાહી કરવામાં આવી. 

    ઑપઇન્ડિયાને તેઓ જણાવે છે કે, “અમારી વિરુદ્ધ કાર્યવાહી કરનારાઓ કહે છે કે 2015ના એક ઠરાવ અનુસાર સાહિત્ય અકાદમી તરફથી કોઈ માન-અકરામો મેળવી શકાય નહીં. પરંતુ ત્યારબાદ પણ એવા ઘણા સાહિત્યકારો અને સભ્યો હતા, જેઓ આ નિયમોથી વિપરીત અકાદમી સાથે સંકળાયેલા રહ્યા, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. પરંતુ અમને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.”

    કાર્યવાહીના નામે રાષ્ટ્રવાદી, જમણેરીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા? 

    તેઓ આગળ જણાવે છે કે, “વર્ષ 2024માં નિયમો વધુ કઠોર બનાવવામાં આવ્યા અને ઠરાવ એવો કરવામાં આવ્યો કે આ નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે. પરંતુ મારું ઇનામ તો વર્ષ 2021નું છે, જે હાલ પ્રાપ્ત થયું છે. જેથી આ નિયમો મને લાગુ પડતા જ નથી. વાત જ્યાં સુધી 2015ના ઠરાવની છે તો ત્યારબાદ પણ અનેક સાહિત્યકારોએ તેની છૂટછાટ લીધી જ છે, તો કાર્યવાહી માત્ર અમારી વિરુદ્ધ શા માટે?”

    તેઓ આગળ એક એવા દ્રષ્ટિકોણ તરફ પણ ધ્યાન દોરે છે, જેની ચર્ચા આ વિવાદમાં ઓછી થઈ રહી છે. ગુજરાત સાહિત્ય પરિષદમાં ડાબેરી ઝોક ધરાવનારા સાહિત્યકારોનું વર્ચસ્વ સારું એવું છે એ જગજાહેર વાત છે. સરસ્વતી પૂજાવાળા એપિસોડ પરથી તેની ઉપર મહોર લાગી જાય છે. દર્શક આચાર્ય કહે છે કે, લેફ્ટ ઇકોસિસ્ટમની પકડ ધરાવતી બોડીમાં જમણેરી કે રાષ્ટ્રવાદીઓ ન પ્રવેશી શકે તે આશયથી અમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. “જેથી અમે જ બાજુ પર રહી જઈએ તો આવો કોઈ પ્રશ્ન જ ન રહે.” 

    ચાર સાહિત્યકારોનાં રાજીનામાં 

    બીજી તરફ, સાહિત્ય પરિષદના આ નિર્ણયથી ઘણા સાહિત્યકારો હવે દૂર થઈ રહ્યા છે અને બે-ત્રણ દિવસના ગાળામાં જ ચારેક રાજીનામાં પડી ચૂક્યાં છે. ઈશ્વર પટેલ, અમિત વ્યાસ, વિજય રાજ્યગુરુ અને ડૉ. એસ. એસ રાહી- તમામે અંદરોઅંદર ચાલતી આ ખેંચતાણ અને આવા વિવાદિત નિર્ણયોને પગલે મધ્યસ્થ સમિતિમાંથી રાજીનામાં ધરી દીધાં છે. 

    અન્ય સાહિત્યકારો અને પત્રકારો તરફથી પણ પરિષદના આ પગલાની ભારે ટીકા થઈ રહી છે. ‘નયા પડકાર’ના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર જશવંત રાવલ લખે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદના પદસ્થો સરકાર સામેની પોતાની નામર્દાનગી અને ક્લૈબ્ય સંતાડવા અને પરાક્રમનું પ્રદર્શન કરવા સાહિત્યકારો, સર્જકોને પરિષદમાંથી બરતરફ કરી પોતાની પૌરૂષહિનતાને ઢાંકે છે. મરઘાં મારી સિંહના શિકારના સાફા બાંધનારાઓની આ બાલિશ હરકત સામે સાહિત્યકારો, સહ્રદયીઓનો એક મોટો વર્ગ અકળાઈ ઉઠ્યો છે.”

    નિયમભંગ બદલ કાર્યવાહી કરી, રાજકારણ જેવી કોઈ વાત નથી: સાહિત્ય પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદી 

    સમગ્ર વિવાદ વિશે ઑપઇન્ડિયાએ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, પરિષદે પહેલેથી ઠરાવ કરી રાખ્યો હતો અને નિયમભંગ બદલ જ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે કહ્યું કે, પરિષદના ઉપપ્રમુખ હોવાથી તેમની પાસેથી નિયમોના કડકાઈથી પાલનની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ નિયમો ન પાળ્યા હોવાથી બરતરફ કરવામાં આવ્યા છે. 

    ચાર સભ્યોનાં રાજીનામાં વિશે જણાવ્યું કે, “જો સ્વેચ્છાએ રાજીનામાં આપ્યાં હોય તો તેમાં વધુ કંઈ કહેવાનું રહેતું નથી, પરંતુ એ સ્વીકારવાનો-ન સ્વીકારવાનો અધિકાર મધ્યસ્થ સમિતિ પાસે છે, જેથી જ્યારે આગામી બેઠક મળશે ત્યારે અમે આ ત્યાગપત્રો સમિતિમાં રજૂ કરીશું.”

    અંદરોઅંદરના રાજકારણ અને ખેંચતાણની વાતો તેમણે નકારી કાઢી હતી અને ઉપરથી કહ્યું કે, કાર્યવાહી નિયમો અનુસાર જ થઈ છે અને સંસ્થા સ્વતંત્ર છે, નિયમો બનાવી શકે અને તેના ભંગ બદલ પગલાં લઈ શકે. આ સર્વાનુમતે લેવામાં આવેલા નિર્ણયો હતા તેમ તેમણે ઉમેર્યું અને કહ્યું કે મુદ્દાને ભાવનાત્મક બનાવીને હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. 

    ઑપઇન્ડિયાએ પરિષદના મહામંત્રી સમીર ભટ્ટનો પણ સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. તેમનો પ્રત્યુત્તર મળ્યે કથન જોડી દેવામાં આવશે.

    ‘મંદિરોમાં હાથીઓનો ઉપયોગ આપણી સંસ્કૃતિ’: સુપ્રીમ કોર્ટે લગાવ્યો કેરળ હાઇકોર્ટના આદેશ પર સ્ટે, કથિત એક્ટિવિસ્ટો વિદેશી ફન્ડિંગની મદદથી હિંદુ પરંપરા રોકતા હોવાનો અરજદારનો આરોપ

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેરળ હાઇકોર્ટના (Kerala High Court) નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કેરળના મંદિરોમાં હાથીઓના (Elephants Use) સરઘસ પર પ્રતિબંધ અને ધાર્મિક વિધિઓમાં તેમના ઉપયોગ અંગે હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મંદિરોમાં હાથીઓનો ઉપયોગ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને હાઇકોર્ટના આદેશમાં તેને રોકવાની ક્ષમતા છે.

    17 માર્ચે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કેરળ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે ગજ સેવા સમિતિ નામના NGOની અરજી પર આ આદેશ આપ્યો છે. કેરળ હાઇકોર્ટે જાન્યુઆરી 2025માં મંદિરોમાં હાથીઓના ઉપયોગ અંગે આ આદેશ આપ્યો હતો.

    હાથીઓ સંસ્કૃતિનો ભાગ: સુપ્રીમ કોર્ટ

    આ અરજી દાખલ કરનાર ગજ સેવા સમિતિએ આરોપ લગાવ્યો છે કે હાથીઓ પર પ્રતિબંધની માંગ કરી રહેલા કહેવાતા એક્ટિવિસ્ટો 2 હજાર વર્ષથી વધુ જૂની હિંદુ પરંપરાઓને રોકવા માંગે છે. ગજ સેવા સમિતિએ આરોપ લગાવ્યો હતો કે આ એક્ટિવિસ્ટો વિદેશી ફન્ડિંગની મદદથી કામ કરે છે અને હિંદુઓની પરંપરાઓને રોકી રહ્યા છે.

    ગજ સેવા સમિતિએ જણાવ્યું હતું કે કેરળમાં હાથીઓને પવિત્ર માનવામાં આવે છે અને શક્તિના પ્રતીક તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. ગજ સેવા સમિતિએ આરોપ લગાવ્યો હતો કે કહેવાતા એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટો મંદિરોમાં તેમના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા માંગે છે.

    હવે સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2025માં આપેલા આદેશમાં કેરળ હાઇકોર્ટે મંદિરના તહેવારોમાં હાથીઓના ઉપયોગ અંગે ઘણી વાતો કહી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે 31 મે 2022 પહેલાં નોંધાયેલા ન હોય તેવા મંદિરો અને દેવસ્થાનો હાથીઓનું સરઘસ કાઢી શકશે નહીં.

    હાઇકોર્ટે લાદ્યા હતા પ્રતિબંધો

    કેરળ હાઇકોર્ટે નવેમ્બર 2024માં પ્રાણી અધિકાર એક્ટિવિસ્ટો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન મંદિરમાં હાથીઓના ઉપયોગ પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. હાઇકોર્ટે  કહ્યું હતું કે મંદિરોમાં વપરાતા હાથીઓ ‘નાઝી કેમ્પ’ જેવું જીવન જીવે છે.

    કેરળ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈપણ તહેવારમાં હાથીઓને 30 કિલોમીટરથી વધુ ચાલવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, તેમને એક દિવસમાં 125 કિલોમીટરથી વધુ દૂર લઈ જવામાં આવશે નહીં. આ સાથે, હાઇકોર્ટે  આદેશ આપ્યો હતો કે તેમને 6 કલાકથી વધુ સમય માટે કોઈપણ વાહનમાં રાખવામાં આવશે નહીં.

    કેરળ હાઇકોર્ટે  સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી જાહેર રસ્તાઓ પર હાથીઓના સરઘસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો; રાત્રે તેમના ઉપયોગ પર પણ પ્રતિબંધો મૂક્યો હતા. સરઘસ દરમિયાન પણ, હાથીઓ વચ્ચે 3 મીટરનું અંતર જાળવવાનું કહ્યું હતું. હાઇકોર્ટે  તો ત્યાં સુધી કહ્યું હતું કે એવી કોઈ ધાર્મિક પરંપરા નથી જેમાં હાથીનો ઉપયોગ ફરજિયાત હોય.

    આ આદેશ પછી, કેરળના મોટા મંદિરોએ કહ્યું હતું કે હવે હાથીઓનો ઉપયોગ લગભગ અશક્ય બની જશે. આ આદેશ પછી ઘણા મંદિરોએ રોબોટિક હાથીઓનો ઓર્ડર આપ્યો હતો. ડિસેમ્બર 2024માં સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂક્યો હતો. જોકે, આ પછી પણ, જાન્યુઆરી 2025માં, હાઇકોર્ટે આવો જ નવો આદેશ આપ્યો. જેના પર સુપ્રીમ કોર્ટે હવે સ્ટે લગાવી દીધો છે.

    શું દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસા માટે ફિલ્મ ‘છાવા’ને દોષ આપ્યો? મીડિયાએ ખોટી રીતે રજૂ કર્યું મહારાષ્ટ્ર સીએમનું નિવેદન- અહીં વાંચો તેમણે શું કહ્યું હતું

    તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાં મુઘલ આક્રાંતા ઔરંગઝેબની કબર હટાવવાની માંગ સાથે હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા શાંતિપૂર્ણ દેખાવો વચ્ચે કટ્ટરપંથી મુસ્લિમોનાં ટોળાંએ હુમલો કરી દીધો અને હથિયારો લઈને રસ્તા પર ઉતરીને ઉત્પાત મચાવ્યો અને હિંસા આચરી હતી. દરમ્યાન પોલીસકર્મીઓ પર પથ્થરમારો, સામાન્ય નાગરિકો પર હુમલા, વાહનોમાં તોડફોડ સહિતની ઘટનાઓ બની હતી. આ ઘટના બાદ એક તરફ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને બીજી તરફ વિધાનસભા સત્ર ચાલુ હોઈ 18 માર્ચના રોજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) વિધાનસભામાં એક નિવેદન આપ્યું હતું.

    આ દરમિયાન CM ફડણવીસે એક નિવેદન આપ્યું જેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું. આખા નિવેદનનો એક ટૂકડો ઉઠાવીને એક તૂત ચલાવવામાં આવ્યું, જેને લઈને રાજકારણ શરૂ થઈ ગયું. એક તરફ કટ્ટરપંથી ઇસ્લામી ટોળાએ કરેલી હિંસા માટે હિંદુઓને જવાબદાર ગણાવવાનું કાવતરું ચાલી જ રહ્યું છે ત્યારે બીજી તરફ એવું પણ ચલાવવામાં આવી રહ્યું છે કે CM ફડણવીસે આ હિંસા માટે તાજેતરમાં જ આવેલી છત્રપતિ સંભાજી મહારાજના બલિદાનને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ ‘છાવા’ને જવાબદાર ઠેરવી છે.

    મુખ્યધારાનાં ઘણાં મીડિયા સંસ્થાનોએ CM ફડણવીસના આખા નિવેદનનો એક ટુકડો લઈને મોટા અહેવાલો છાપી નાખ્યા. જેમાં એવા દાવા કરવામાં આવ્યા કે CM ફડણવીસે વિધાનસભાના સત્રમાં સ્વીકાર કર્યો કે હિંસા વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ને કારણે થઈ છે.

    ઇન્ડિયા ટુડેએ એક પોસ્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રમખાણો માટે ફિલ્મ છાવાને દોષ આપ્યો હોવાનો દાવો કરી દીધો.

    આવા જ અહેવાલોના આધારે શિવસેના UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, “મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હિંસા માટે ફિલ્મ ‘છાવા’ને જવાબદાર ઠેરવી છે. છત્રપતિ સંભાજી મહારાજની બહાદૂરી પર આધારિત ફિલ્મને હવે હિંસા માટે ઉશ્કેરણીજનક કહેવામાં આવી રહી છે તે આશ્ચર્યજનક છે. શરમજનક દોષારોપણનો ખેલ!”

    હિન્દુસ્તાન ટાઈમ્સે પણ એક ભ્રામક પોસ્ટ કરી. જેમાં ફડણવીસે છાવાને દોષ આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું.

    આ જ રીતે ડેક્કન હેરાલ્ડના રિપોર્ટની હેડલાઇન છે- દેવેન્દ્ર ફડણવીસે લોકોના ઔરંગઝેબ વિરુદ્ધના ગુસ્સા માટે છાવાને દોષ આપ્યો.

    વાસ્તવિકતા દાવાઓથી વિપરીત

    વાસ્તવિકતા થઈ રહેલા દાવાઓથી સાવ વિપરીત છે. વાસ્તવમાં જે ફિલ્મના આધારે CM ફડણવીસ પર આરોપ લગાવવામાં આવ્યા છે તે ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં ઔરંગઝેબે હિંદુઓ પર અને છત્રપતિ સંભાજી મહારાજ પર ગુજારેલા અત્યાચારોનું વાસ્તવિક ચિત્રણ કરવામાં આવ્યું છે.

    આ ફિલ્મ જોઈને સામાન્ય લોકો સમક્ષ એ ઔરંગઝેબની વાસ્તવિકતા ઉજાગર થઈ જેનું ચરિત્ર અત્યાર સુધી શુગર કોટિંગ કરીને અને તોડી-મરોડીને સકારાત્મક રીતે દર્શાવવામાં આવતું હતું. આ ફિલ્મ જોયા પછી ઔરંગઝેબે કરેલ ક્રૂરતા અને અત્યાચારો લોકો સમક્ષ ઉજાગર થયા. જેના પગલે લોકોમાં આક્રોશ ભડક્યો. સામાન્ય જનતાએ માંગ કરી કે જેણે સંભાજી મહારાજ જેવા વીર યોદ્ધાઓ અને હિંદુઓ પર આટલો અત્યાચાર ગુજાર્યો તેની કબર હટાવવામાં આવે.

    બીજી તરફ વાસ્તવિકતા પર પડદો ઢાંકવાનો પ્રયાસ કરતા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબના વખાણ કર્યાં…જેના કારણે હિંદુઓનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. હિંદુઓની ઔરંગઝેબની કબર હટાવવાની માંગ વધુ પ્રબળ બની. જેના કારણે 17 માર્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું.

    શું કહ્યું હતું CM ફડણવીસે

    આ પ્રદર્શન બાદ ઇસ્લામી ટોળાંએ હિંસા કરી, જાણીજોઈને હિંદુઓનાં વાહનો, દુકાનો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં. આ સમગ્ર ઘટનાની માહિતી CM ફડણવીસે વિધાનસભામાં આપી. જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આ હિંસા સુનિયોજિત હતી. શહેરમાં સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા માટે આ હિંસા કરવામાં આવી હતી.

    તેમણે ‘છાવા’ ફિલ્મને જવાબદાર ઠેરવી નહોતી. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે, “હું કોઈ સિનેમા કે ફિલ્મને દોષ નથી આપી રહ્યો, પરંતુ ‘છાવા’ ફિલ્મે છત્રપતિ સંભાજી મહારાજનો સાચો ઇતિહાસ આપણી સમક્ષ રજૂ કર્યો છે. આ ફિલ્મે નિઃશંકપણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને તેમના પ્રત્યે પ્રેમ અને પ્રશંસા રાખનારાઓ વિરુદ્ધ લોકોમાં એક આક્રોશ પેદા કર્યો છે.”

    વાસ્તવમાં CM ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ ફિલ્મમાં વાસ્તવિકતા અને સાચો ઇતિહાસ ઉજાગર થયા બાદ લોકોને સાચા-ખોટાની જાણ થઈ અને તેમનો ઔરંગઝેબ પ્રત્યે જે આક્રોશ હતો એ વધ્યો છે. તેમણે ક્યાંય એવું નથી કહ્યું કે આ ફિલ્મના કારણે રમખાણો થયાં છે અને તોફાનો અને અશાંતિ સર્જવામાં ફિલ્મનો ફાળો છે. પરંતુ તેમના નિવેદનને જુદી જ રીતે રજૂ કરવામાં આવ્યું.

    વાસ્તવમાં સેક્યુલર-લિબરલ ઇકોસિસ્ટમ જ્યારથી હિંસા થઈ ત્યારથી કટ્ટરપંથી ઇસ્લામીઓની આ કરતૂતોને ઢાંકવા માટે સતત બલિના બકરા શોધી રહી છે. અમુક ફિલ્મ છાવાને જવાબદાર ઠેરવી રહ્યા છે તો અમુક હિંદુ સંગઠનોને. બાકીના અમુક પોલીસ અને સરકાર પર દોષ નાખી રહ્યા છે. આશય સ્પષ્ટ છે કે કોઈ પણ રીતે જે મુસ્લિમોએ હિંસા આચરી તેમને રક્ષણ આપવામાં આવે અને દોષ તેમની ઉપર નાખવામાં ન આવે. આ જ નરેટિવને બળ આપવા માટે દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનો સહારો લેવામાં આવ્યો, જેઓ કહેવા બીજું કાંઈ માંગતા હતા અને તેમના નિવેદનને રજૂ ખોટી રીતે કરવામાં આવ્યું.

    નાગપુરમાં કેવી રીતે ફેલાઈ હતી હિંસા

    નાગપુરમાં ઔરંગઝેબની કબર હટાવવા માટે હિંદુ સંગઠનો દ્વારા આયોજિત પ્રદર્શન દરમિયાન કુરાનની પ્રત બાળવામાં આવી હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. ત્યારપછી કટ્ટરપંથી મુસ્લિમોનાં ટોળાંએ પથ્થરમારો શરૂ કરી દીધો. સામાન્ય લોકોના બાઈક-ગાડીઓને આગ ચાંપી દીધી હતી. પોલીસકર્મીઓ પર હુમલા થયા, જેમાં 33 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા. મહિલા અધિકારીઓ સાથે દુર્વ્યવહાર થયો, તેમના કપડાં ફાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમ છતાં વામપંથી લિબરલ ગેંગના માટે દોષ હિંદુઓનો જ હતો. આ હિંસા એટલી હદે ફેલાઈ ગઈ હતી કે 24 કલાક બાદ પણ નાગપુર સહિતના વિવિધ વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. સુરક્ષાના પગલે ભારે માત્રામાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

    મહિલા પોલીસ અધિકારીના કપડાં ફાડવાનો કરાયો પ્રયાસ, છેડતી અને અશ્લીલ હરકતો પણ કરાઈ: તમામ 51 આરોપીઓ મુસ્લિમ, નાગપુર હિંસા બાદની FIRમાં ચોંકાવનારી માહિતી

    મહારાષ્ટ્રના નાગપુરમાં ઇસ્લામિક ટોળાની હિંસા (Nagpur Violence) વચ્ચે એક મહિલા પોલીસ અધિકારી નિશાન બનાવાઈ હતી. તેમનું શોષણ થયું હતું. ટોળાએ મહિલા પોલીસ અધિકારીના (Female Police Officer) કપડાં ફાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. કોઈક રીતે તે ત્યાંથી ભાગી ગઈ અને બચવામાં સફળ રહી. બાદમાં તેઓએ આ બાબતે જાતીય સતામણીની ફરિયાદ પણ નોંધાવી છે. હિંસામાં ઘાયલ થયેલા ડીસીપી નિકેતન કદમે જણાવ્યું હતું કે ભીડમાં સેંકડો લોકો સશસ્ત્ર હતા.

    મહારાષ્ટ્ર ટાઈમ્સના અહેવાલ મુજબ, સોમવારે (17 માર્ચ, 2025) એક પોલીસ ટીમ ઇસ્લામિક હિંસાના ટોળાને રોકવા માટે પહોંચી હતી. આમાં એક મહિલા પોલીસ અધિકારીનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન, તોફાની ઇસ્લામી ટોળાએ એક મહિલા અધિકારીને પકડી લીધી અને મહિલા અધિકારીની છેડતી કરવાનું શરૂ કર્યું હતું.

    ભીડમાં રહેલા લોકોએ તેના તરફ અશ્લીલ હરકતો કરી અને પછી તેના કપડાં ફાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોઈક રીતે તે ટોળાના ચુંગાલમાંથી છટકી ગઈ. તેમણે હવે આ મામલે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. આ કેસ ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જાતીય સતામણી કરનારા તોફાનીઓની શોધ હવે ચાલુ છે. પોલીસ આ કેસમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

    સાથે જ આ વિષયની FIRની જાણકરી પણ સામે આવી છે. ફરિયાદમાં 51 આરોપીઓના નામ છે અને તે તમામ મુસ્લિમ છે. સાથે 500થી વધુના અનામી ટોળાનો પણ ઉલ્લેખ છે.

    ઈસ્લામિક ટોળું હથિયારો સાથે ધસી આવ્યું હતું

    રમખાણોમાં ઘાયલ થયેલા પોલીસ અધિકારી નિકેતન કદમનું નિવેદન પણ પ્રકાશમાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે તોફાની ટોળામાં મોટી સંખ્યામાં લોકો શામેલ હતા જેઓ હથિયારો લઈને આવ્યા હતા.

    તેમણે કહ્યું કે અચાનક એક શેરીમાંથી 100 લોકોનું ટોળું આવ્યું અને તેઓ બધા સશસ્ત્ર હતા. ડીસીપી નિકેતન કદમે જણાવ્યું કે જ્યારે તેમણે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક લોકો પાછળ હટી ગયા પરંતુ એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો. તેણે નિકેતન કદમના હાથ પર કુહાડી મારી. જેમાં તેમને ઈજા થઈ હતી.

    ડીસીપી કદમે જણાવ્યું કે પોલીસે હુમલાખોરોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. તે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ડીસીપી કદમ સાથે વાત કરી છે અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી છે.