Saturday, July 27, 2024
More
    Home Blog Page 3

    મોહરમ જુલૂસ દરમિયાન વિવાદ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓએ કર્યો હતો હુમલો, હિંદુ યુવકનું મોત: બરેલીની ઘટનામાં આરોપીઓનાં ઘર પર ચાલ્યું બુલડોઝર- જાણો શું છે સમગ્ર ઘટના

    ઉત્તર પ્રદેશના બરેલીમાં મોહરમના જુલૂસ દરમિયાન થયેલા વિવાદ બાદ મુસ્લિમ ટોળાએ હિંદુઓ ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં અમુકને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક યુવાન તેજારામનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેના કારણે સ્થાનિક હિંદુઓમાં આક્રોશ છે. બીજી તરફ, પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને તેમના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે. ઘટનામાં કુલ 35 વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે. 

    ઘટના ગત 19 જુલાઇના રોજ બની હતી. અહીં શુક્રવારે એક વિસ્તારમાં મોહરમનું જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું. પરંતુ તે દર વર્ષે જ્યાંથી પસાર થતું હતું તે રસ્તો બદલીને હિંદુ બહુમતી વિસ્તારમાંથી લઇ જવામાં આવ્યું. બીજી તરફ, હિંદુ મંદિર સામે ઢોલ વગાડવામાં આવ્યાં. જેના કારણે હિંદુઓએ વિરોધ નોંધાવ્યો અને વિનંતી કરી કે દર વર્ષે જ્યાંથી જુલૂસ કાઢવામાં આવતું હતું ત્યાંથી જ કાઢવામાં આવે. અન્ય એક રિપોર્ટ અનુસાર, મોહરમના જુલૂસમાં સામેલ અમુક લોકોએ મંદિર સામે જ ઢોલ વગાડવાનાં શરૂ કરી દીધાં હતાં, જેના કારણે બંને પક્ષો વચ્ચે મામલો બિચક્યો હતો. 

    આ ઘટના બાદ બીજા દિવસે મુસ્લિમ પક્ષે આખો દિવસ સતત બેઠકો કરી અને શુક્રવારે હિંદુઓ પર અદાવત રાખીને હુમલો કરી દીધો હતો. જાગરણના રિપોર્ટ અનુસાર, મુસ્લિમ યુવકોએ ટોર્ચના પ્રકાશમાં અમુક હિંદુ પરિવારના લોકોની ગણતરી કરી અને ત્યારબાદ 100થી વધુ લોકો ઘરોમાં ઘૂસી ગયા અને તોડફોડ કરીને મારપીટ કરી. હુમલામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી અને તેમાંથી એક તેજારામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ થોડા દિવસ પહેલાં તેણે દમ તોડી દીધો. 

    ધમાલ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુ ઘરો પર પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં ઘણાને ઈજા પહોંચી. 24 વર્ષીય તેજારામને ઘેરી લઈને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્યંત ગંભીર અવસ્થામાં તેને સ્થાનિક મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. 

    ઘટનાની જાણ થતાં જ SP સહિતના અધિકારીઓ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. અહેવાલો જણાવે છે કે પોલીસને જોતાં જ આરોપીઓ ભાગી છુટયા હતા. દરમ્યાન, પોલીસે ઘેરાબંદી કરીને 1૦ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પછીથી તેમને પોલીસ મથક લઇ જઇને પૂછપરછ હાથ ધરવામાં આવી અને 40 સામે નામજોગ અને 60 અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

    અત્યાર સુધીમાં કુલ 35 આરોપીઓની ધરપકડ, 2 મુખ્ય આરોપીઓનાં ઘર પર બુલડોઝર એક્શન

    ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 35 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં મુખ્ય આરોપીઓ પણ સામેલ છે. બીજી તરફ, તેજારામનું મૃત્યુ થતાં હત્યાની કલમ પણ ઉમેરી દેવામાં આવી છે. હાલ જેઓ ફરાર છે તેમની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. 

    ચાર દિવસ પહેલાં પોલીસે 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી, દરમ્યાન એકને પગમાં ગોળી પણ વાગી હતી. બાતમીના આધારે પોલીસે સર્ચ ઑપરેશન શરૂ કરતાં બંને એક બાઈક પર જતા જોવા મળ્યા હતા. તેમને થોભવાનો ઈશારો કરતાં બંનેએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કરતાં એકને ગોળી વાગી હતી. તેમની પાસેથી તમંચા મળી આવ્યા હતા. બંનેની ઓળખ આલમગીર અને નિજાકત તરીકે થઈ છે. 

    પછીની તપાસમાં સામે આવ્યું કે બે મુખ્ય આરોપીઓએ ગ્રામ પંચાયતની જમીન પર અતિક્રમણ કરીને ઘરનું નિર્માણ કર્યુ હતું. જેની વિરુદ્ધ તંત્રે પોલીસની હાજરીમાં બુલડોઝર ફેરવીને દબાણ હટાવી દીધું હતું. હાલ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. 

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તાલિબે કર્યું ફાયરિંગ: નદીમ અને કલીમ થયા ઘાયલ, આ પહેલા પણ બની છે આવી ઘટના

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં (AMU) બુધવાર (24 જુલાઈ) સવારે ફાયરિંગની ઘટના બની છે. AMU વારે-તહેવારે વિવાદોમાં હોય છે જ ત્યારે આજે યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ થતાં ડરનો માહોલ ઉભો થયો છે. આ હુમલામાં 2 કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 2 હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા હતા.

    અલીગઢના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કોલોનીમાં AMU રજિસ્ટ્રાર ઓફિસમાં કામ કરતાં બે સગા ભાઈઓ નદીમ અને કલીમને ગોળી મારી દેવામાં આવી હતી. ગોળી વાગવાથી બંને ભાઈઓ ઘાયલ થયા હતા. ઘાયલ કર્મચારીઓને જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં કામ કરતા બે સગા ભાઈઓને અલીગઢના બે હુમલાખોરોએ ગોળીબાર કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. બંને ભાઈઓ સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે મિતરોઈ ચારરસ્તા પાસે બે હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરતાં યુનિવર્સિટીમાં કામ કરતા બંને ભાઈ મહોમ્મદ નદીમ અને મહોમ્મદ કલીમ ગંભીર રીતે ઘાયલ થઈને રોડ પર પડ્યા હતા. નદીમને પેટમાં અને કલીમને માથામાં ગોળી વાગી છે.

    ઉલ્લેખનીય છે કે AMUની મેડિકલ કૉલોનીના રહેવાસી મોહમ્મદ નદીમ અને મોહમ્મદ કરીમ રજિસ્ટ્રાર ઑફિસના કર્મચારી છે. બુધવારે સવારે 9:30 વાગ્યે મેડિકલ કોલોનીમાં તાલિબ નામના વ્યક્તિએ બંને ભાઈઓ પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતાં બંને ભાઈઓને ગંભીર રીતે ઘાયલ થયા. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર તાલિબે 5 રાઉન્ડ ફાયર કર્યા હતા.

    મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે ગોળી ચલાવનારનો AMU સાથે કોઈ સબંધ નથી પરંતુ બંને પક્ષો વચ્ચે પહેલેથી જ દુશ્મની હતી. જે બાબતે કેસ પણ ચાલી રહ્યો હતો અને ગુરુવારે(25 જુલાઈ)ના રોજ આ કેસની સુનાવણી થવાની હતી. હુમલો કરનાર તાલિબ અને ઘાયલ નદીમ અને કલીમ એક જ ગામના હતા. તાલિબની ઓળખ ગેંગસ્ટર તરીકે થઈ છે, તેના ગામમાં તે ‘તાલિબ ગેંગ’ નામે પોતાની ગેંગ ચલાવે છે. તાલિબના ત્રાસથી બચવા નદીમ અને કલીમ ગામ છોડીને શહેરમાં ભાગી આવ્યા હતા.

    અગાઉ પણ થઈ ચૂક્યું છે AMUમાં ફાયરિંગ

    AMUમાં વિવાદો ચાલતા જ હોય છે ત્યારે AMU કેમ્પસમાં ફાયરિંગ થવાની આ પ્રથમ ઘટના નથી. હોળી દરમિયાન AMUમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડાઓ થયા હતા. હોળી રમી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કરીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ દરમિયાન ભય ઉભો કરવા માટે હુમલાખોરો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મારપીટ દરમિયાન પણ એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમયે કેમ્પસમાં હાજર સુરક્ષાદળના જવાનોએ હુમલો કરનારા વિદ્યાર્થીઓને પકડી પોલીસના હવાલે કર્યા હતા.

    આ સિવાય ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ AMUના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ ખાતે ફાયરિંગ્નિ ઘટના બની હતી. કેટલાક ગુંડાઓ કોલેજ પાસે આવેલી કેન્ટીનમાં હપ્તો ઉઘરાવવા ગયા હતા. કેન્ટીન સંચાલકે હપ્તો આપવાની ના પાડતાં ગુંડાઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ સિવાય AMUના 19 વર્ષીય વિદ્યાર્થી ફૈઝાન અન્સારીનું ISIS સાથે કનેક્શન પણ બહાર આવ્યું હતું.

    બુધવારે (23 જુલાઈ) થયેલી ફાયરિંગ માટે ASP અમૃત જૈને માહિતી આપી છે કે AMUમાં સવારમાં આ ઘટના બની હતી. ઘાયલોને જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. AMU પ્રશાસન અને પોલીસ ફોર્સ મેડિકલ કોલેજમાં હાજર છે. પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે જેમાં આંતરિક દુશ્મનીની વાત સામે આવી છે.

    માજિદ ફ્રીમેન પર આતંકવાદનો આરોપ: કરી ‘કાશ્મીરની જેમ હિંદુ કૂતરાઓનો સફાયો’ વાળી પોસ્ટ અને લેસ્ટરમાં ફાટી નીકળી હતી હિંસા, છે હમાસનો સમર્થક

    2022માં બ્રિટનના લેસ્ટરમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા (Leicester Violence) ઉશ્કેરનાર મુસ્લિમ કટ્ટરપંથી માજિદ ફ્રીમેન પર સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તેના દ્વારા ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસને પ્રોત્સાહન આપવા અને ફ્રાન્સમાં ચાર્લી એબ્દો પર હુમલાના પુરાવા મળ્યા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 36 વર્ષીય માજિદ નોવસરકાને (Majid Freeman) બુધવારે (24 જુલાઈ, 2024) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના ઉપર આરોપ છે કે, ડિસેમ્બર 2023 અને જૂન 2024 વચ્ચે, માજિદે ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસના સમર્થનમાં વ્યાપક પ્રચાર કર્યો.

    હમાસ (Hamas) યુકેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. આ સિવાય માજિદે 2015માં ફ્રેન્ચ મેગેઝિન ચાર્લી એબ્દો (Charlie Hebdo) પર ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને પણ યોગ્ય ઠેરવ્યો હતો અને લોકોને આવો જ હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. ચાર્લી એબ્દો પર આ હુમલો ISIS દ્વારા કરવામાં આવ્યો હતો કેમ કે તેણે પયગંબર મોહમ્મદનું કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું.

    માજિદ ફ્રીમેનની 9 જુલાઈ, 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર થયા બાદ તેને શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે. માજિદને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા અને ઘર છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તેની સામેનો આ કેસ ચાલુ રહેશે.

    લેસ્ટરમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ભડકાવવામાં માજિદ ફ્રીમેન હતો સૌથી મોખરે

    માજિદ ફ્રીમેન લેસ્ટરના સ્થાનિક મુસ્લિમ ‘કાર્યકર’ છે, જે સમસ્યાઓ ઊભી કરવા અને ઉગ્રવાદી ઇસ્લામિક વિચારોને પ્રોત્સાહન આપવા માટે જાણીતો છે. લેસ્ટર હિંસા દરમિયાન, માજિદ હિંદુઓ વિરુદ્ધ હિંસા ઉશ્કેરતા નકલી સમાચાર ફેલાવવામાં મોખરે હતો.

    ભારત અને પાકિસ્તાન વ 28 ઓગસ્ટ 2022ના રોજ રમાયેલી T-20 મેચમાં હાર બાદ ભારતીય ધ્વજનું અપમાન થતાં ઘર્ષણ થયું હતું. અથડામણ બાદ હિંદુઓએ પરિસ્થિતિને શાંત પાડી અને તે વ્યક્તિની મદદ કરી જેણે ભારતીય ધ્વજને છીનવીને તેનું અપમાન કર્યું હતું. જો કે, માજિદ ફ્રીમેને એક અલગ જ વાર્તા ચલાવી હતી.

    30 ઓગસ્ટના રોજ, જ્યારે લેસ્ટર પોલીસે મુસ્લિમ સંગઠનોથી પ્રભાવિત થઈને જૂઠું બોલ્યું કે હિંદુઓ ‘મુસલમાનોને મારી નાખો’ના નારા લગાવી રહ્યા છે. (તેમણે પાછળથી સ્પષ્ટતા કરી કે તેમની તપાસમાં આવા કોઈ સૂત્રો સાંભળ્યા નથી) બીજી બાજુ માજિદે X પર આ જૂઠનો સહારો લઈને હિંસા ભડકાવી હતી.

    ‘તમે લોકો ભારત પાછા ભાગો’: ખાલિસ્તાની આતંકી પન્નુ દ્વારા કેનેડામાં હિંદુ સાંસદને અપાઈ ધમકી, મંદિર પર થયેલ હુમલાનો વિરોધ કરવા બદલ ભડક્યો

    ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ કેનેડાની લિબરલ પાર્ટીના સાંસદ ચંદ્ર આર્યને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો. હકીકતમાં, જ્યારે ચંદ્ર આર્યએ કેનેડામાં હિંદુ મંદિર પર હુમલાને લઈને ખાલિસ્તાની આતંકવાદીઓ (Khalistani Terrorist) પર હુમલો કર્યો હતો, ત્યારે ગુરપતવંત સિંઘ પન્નુએ તેમને તેમની કેનેડિયન નાગરિકતા પરત કરવા અને ભારત પાછા ફરવા કહ્યું હતું. પન્નુ તરફથી દેશ છોડવાની ધમકી મળ્યા બાદ સાંસદ આર્યએ (Chandra Arya) પણ પ્રતિક્રિયા આપી છે.

    ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ (Gurpatwant Singh Pannun) એક વિડીયો શેર કર્યો છે જેમાં તે ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય અને તેમના સમર્થકોને તરત જ ‘ભારત પાછા જવા’ માટે કહી રહ્યો છે. તેના જવાબમાં આર્યએ કહ્યું છે કે, “અમારા કેનેડિયન ચાર્ટર ઓફ રાઈટ્સમાં આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતી પર ઝેર ઓંકી રહ્યા છે અને તેને ગંદી કરી રહ્યા છે.”

    નોંધનીય બાબત છે કે, કેનેડાના એડમોન્ટન શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલ પર વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા હતા, જેનો આરોપ ખાલિસ્તાની તત્વો પર છે. સાંસદ ચંદ્ર આર્યએ આ અંગે નિવેદન જાહેર કર્યું હતું, આ નિવેદન માટે પન્નુએ તેમને દેશ છોડવાની ધમકી આપી હતી.

    કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ X પર એક પોસ્ટ કરી છે, જેમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ સામે ધમકીઓ આપવા બદલ તેની નિંદા કરી છે. તેમણે X પર લખ્યું, “મેં એડમોન્ટનમાં BAPS સ્વામિનારાયણ મંદિરની તોડફોડ અને કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ફેલાવવામાં આવી રહેલી હિંસાની નિંદા કરી. મારી નિંદાના જવાબમાં, શીખ્સ ફોર જસ્ટિસના (SFJ – Sikhs For Justice) ગુરપતવંત સિંઘ પન્નુએ મને અને મારા હિંદુ કેનેડિયન મિત્રોને ધમકી આપતો અને અમને ‘ભારત પાછા જવા’નું કહેતો એક વિડીયો જાહેર કર્યો છે.”

    ચંદ્ર આર્યએ આગળ લખ્યું, “અમે હિંદુઓ દક્ષિણ એશિયાના દેશો ઉપરાંત, આફ્રિકા અને કેરેબિયન દેશો તથા વિશ્વના અલગ અલગ ભાગોમાંથી અહીં આવ્યા છીએ અને અમે કેનેડામાં ભાડુઆત નથી. કેનેડા અમારો દેશ અને અમારી પોતાની જમીન છે. અમે કેનેડાના સામાજિક અને આર્થિક વિકાસમાં ખૂબ જ સકારાત્મક યોગદાન આપ્યું છે. હજુ પણ યોગદાન કરી રહ્યા છીએ અને કરતા રહીશું.”

    આર્યએ વધુમાં જણાવ્યું હતું કે હિંદુ સંસ્કૃતિ અને વારસાના લાંબા ઈતિહાસ સાથે હિંદુ સમાજે, કેનેડાના બહુસાંસ્કૃતિક તાણા-વાણાંને મજબૂત કરવા માટે કામ કર્યું છે. એ વાત સાચી છે કે તાજેતરના સમયમાં, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ કેનેડિયન ચાર્ટર ઓફ રાઈટ્સ દ્વારા અપાયેલી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરીને અહીંની જમીન, કેનેડાને પ્રદૂષિત કરી છે.

    પન્નુએ કહ્યું હતું કે “તેના આકાઓ ભારતના હિતોને પ્રોત્સાહન આપતા હતા”. પન્નુએ કહ્યું કે “સાંસદ અને તેમના સમર્થકોએ તેમની નાગરિકતાનો ત્યાગ કરીને તેમની માતૃભૂમિ ભારત પાછા જતાં રહેવું જોઈએ.” વધુમાં પન્નુએ કહ્યું કે, “અમે ખાલિસ્તાન તરફી શીખોએ દાયકાઓથી કેનેડા પ્રત્યે અમારી વફાદારી દર્શાવી છે,” જો કે ચંદ્ર આર્યએ પન્નુને યોગ્ય જવાબ આપ્યો છે. તેઓ આ મુદ્દે પારોઠના પગલાં ભરવાની જગ્યા એ ખલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

    ટ્રેક્ટરો, JCB લઈને દિલ્હીમાં પ્રવેશી ન શકે ‘ખેડૂતો’, શંભુ બોર્ડર પર યથાસ્થિતિ જાળવી રાખવાનો સુપ્રીમનો આદેશ: સ્વતંત્ર પેનલ બનાવીને વાતચીત કરવાનો પ્રસ્તાવ

    પંજાબ અને હરિયાણા રાજ્યો વચ્ચે આવેલી શંભુ બોર્ડર પ્રાયોગિક ધોરણે ખોલવાના પંજાબ-હરિયાણા હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સાથે કોર્ટે કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે જેમાં સરકાર અને કૃષિ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે. હરિયાણા સરકારની અરજી પર બુધવારે (24 જુલાઈ) આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે પંજાબ-હરિયાણા સરહદ ફેબ્રુઆરી મહિનાથી ‘ખેડૂતો’ના આંદોલનને પગલે બંધ કરવામાં આવી છે. આ પહેલાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 10 જુલાઈના રોજ એક સપ્તાહની અંદર બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો, જેનો સમયગાળો 17 જુલાઈ બુધવારના રોજ પૂરો થઈ રહ્યો હતો. પરંતુ ડેડલાઇન પહેલાં હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં મામલાની સુનાવણી ચાલી રહી છે.

    જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જવલ ભૂયાંની બેન્ચે આદેશ પસાર કરતાં કહ્યું કે, “અમે એક સ્વતંત્ર સમિતિની રચના કરવા માટે પ્રસ્તાવ કરી રહ્યા છીએ, જે ખેડૂતો સાથે વાતચીત કરી શકે અને હિતધારકો સાથે પણ ચર્ચા કરે.” તેમણે આ સમિતિમાં કોને સમાવી શકાય તે માટે પંજાબ અને હરિયાણા રાજ્યની સરકારો પાસેથી નામો મંગાવ્યાં છે. 

    જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, “આ કેસ વિશ્વાસના અભાવનો છે. આપણને એવા સ્વતંત્ર વ્યક્તિઓની જરૂર છે, જેઓ આ વિવાદમાં તટસ્થ હોય. ત્યાં સુધી બંને રાજ્યો સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખે, જેથી શંભુ બોર્ડર પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને.”

    હરિયાણા તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, “પ્રદર્શનકારીઓ પાસે સેંકડો JCB, ટ્રેક્ટરો અને ‘આર્મર્ડ ટેન્ક’ તરીકે મોડિફાય કરેલી ટ્રોલીઓ છે અને તેમને જો દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવે તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેમ છે.” કોર્ટે તેમને પૂછ્યું હતું કે, શું તેઓ ટ્રેક્ટરો અને ટ્રોલીઓ વગર પ્રવેશ માટે સરહદ ખોલી શકે કે કેમ? જેના જવાબમાં SGએ જણાવ્યું કે, પ્રાયોગિક ધોરણે પણ જો સ્થિતિ બદલવામાં આવે તો તેનાથી કાયદો-વ્યવસ્થાને અસર પડી શકે છે અને આ બાબત રાજ્ય સરકાર પર છોડવી વધુ યોગ્ય રહેશે. 

    ખેડૂતોનું દિલ્હીમાં સ્વાગત, પણ ટ્રૅક્ટરો લઈને નહીં આવી શકે: SG

    SGએ કહ્યું કે, ખેડૂતોનું દિલ્હીમાં સ્વાગત જ છે, પરંતુ તેઓ ટેન્કરો અને JCB લઈને નહીં આવી શકે. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, તે વાત સાચી છે અને ટ્રેક્ટરો અને ટ્રોલીની પરવાનગી આપી શકાય નહીં. તેના કારણે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે આખરે સરકારે ખેડૂતો સાથે વાતચીતના પ્રયાસ કર્યા છે કે કેમ? જેનો સોલિસિટર જનરલે હકારમાં જવાબ આપ્યો હતો. 

    જોકે કોર્ટે કહ્યું કે, “તમે મંત્રીઓ અને અન્યોને મોકલી રહ્યા છો. ત્યાં વિશ્વાસનો અભાવ સર્જાય છે. તમારા મંત્રીઓ ત્યાં જશે અને ખેડૂતો સાથે સ્થાનિક મુદ્દાઓ સમજ્યા વગર વાતચીત કરશે. જેના કારણે મંત્રીઓનો આશય શુભ પણ હોય તોપણ બીજા પક્ષને લાગશે કે તેઓ માત્ર સરકારનો જ પક્ષ રાખી રહ્યા છે. તમે કોઇ ન્યુટ્રલ એમ્પાયર માટે કેમ વિચારતા નથી..બંને પક્ષે? તેનાથી વિશ્વાસ સ્થપાશે.”

    જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે, “ઊંઘેલા માણસને જગાડી શકાય છે, પણ ઊંઘવાનો ઢોંગ કરતા માણસને જગાડી નથી શકાતો.” તેમણે કહ્યું કે, ખેડૂતોએ અગાઉ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શનો કર્યાં હતાં, પણ તે પછીથી હટાવી લેવામાં આવ્યા. હવે તેઓ બીજી જ માંગો લઈને આવ્યા છે. જોકે, સાથે કહ્યું કે, સરકાર કોર્ટનાં સૂચનોને ગંભીરતાથી લઈને એ દિશામાં પ્રયાસો કરશે. 

    ‘આતંકીઓ જેલ જશે અથવા જહન્નુમ’: કાશ્મીરમાં વધતી આતંકી ઘટનાઓ વિશે બોલ્યા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, કહ્યું- મોદી સરકાર અપનાવી રહી છે ઝીરો ટોલરન્સની નીતિ

    કાશ્મીરમાં વધતા આતંકવાદી હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં આ મુદ્દે જવાબ આપ્યો છે. રાજ્યસભામાં બોલતી વખતે તેમણે કહ્યું કે, મોદી સરકાર આતંકવાદીઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આ સાથે એમ પણ કહ્યું કે, આતંકવાદીઓ કાં તો જેલમાં જશે અથવા તો જહન્નુમમાં જશે. દરમ્યાન તેમણે આતંકવાદી હુમલાઓ, હુતાત્મા જવાનો, જીવ ગુમાવનારા સામાન્ય નાગરિકો તેમજ જમ્મુ-કાશ્મીરમાં વધતા પ્રવાસીઓના પણ આંકડા આપ્યા.

    નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આતંકી ઘટનાઓ મુદ્દે જણાવતાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના આતંકીઓ જેલ જશે અથવા જહન્નુમ જશે. તેમણે વધુમાં કહ્યું કે મોદી સરકાર આતંકીઓ પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવે છે. વર્તમાનમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓ નજીકના સમયમાં જ બંધ થઈ જશે અને આતંકવાદીઓ તેમના ઈરાદાઓમાં સફળ થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે પાછલા કેટલાક દિવસોમાં જ જમ્મુ-કાશ્મીરમાં 28 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

    રાયે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના પ્રમોદ તિવારીના પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, તાજેતરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કેટલાક સૈનિકો વીરગતિ પામ્યા છે, પરંતુ માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા હુતાત્મા થયેલા સૈનિકોની સંખ્યા કરતાં વધુ છે. તેમણે કહ્યું કે UPA સરકારના કાર્યકાળ દરમિયાન 2004થી 2014 સુધી જમ્મુ-કાશ્મીરમાં 7217 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન 2014થી અત્યાર સુધીમાં 2259 ઘટનાઓ બની છે.

    ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ રાયે UPA કાર્યકાળ દરમિયાન આતંકી હુમલાઓમાં જીવ ગુમાવનારા સામાન્ય નાગરિકો અને હુતાત્મા થયેલા સૈનિકોનો આંકડો પણ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે UPAના સમયે આતંકવાદી ઘટનાઓમાં 2829 નાગરિકો અને સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આ સંખ્યા માત્ર 941 હતી. આંકડા અનુસાર જીવ ગુમાવનારાઓની સંખ્યામાં 67 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ગુનાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, આતંકવાદી ઘટનાઓમાં નાગરિકોના મૃત્યુની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે અને કલમ 370 નાબૂદ થયા પછી લગભગ 900 આતંકવાદીઓ માર્યા ગયા છે.

    ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીરના પ્રવાસન અંગે પણ આંકડાઓ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રવાસીઓની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2023માં 2.11 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. વર્ષ 2004થી 2014 દરમિયાન પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા માટે ખચકાતા હતા પરંતુ હવે આ ડર પણ ધીમેધીમે ઓછો થઈ રહ્યો છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લઈ રહી છે અને પ્રવાસીઓને સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ જ ક્રમમાં વર્ષ 2023માં પ્રદેશમાં G-20 કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ અને પ્રવાસનનો લાભ પાંચ લાખ લોકોને મળ્યો છે.

    રાયે કહ્યું કે રાજ્યમાં શાંતિનું વાતાવરણ છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે પ્રદેશમાં સ્વચ્છતા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને પર્યાવરણની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ કોઈપણ બાબતની મંજૂરી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પર્યાવરણ પર સંભવિત અસરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રદેશ પ્રશાસન અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી પર્યાવરણને ધ્યાનમાં રાખીને આપવામાં આવે.

    બરોડા સ્ટેટ પાસે હતી સોનાની તોપ, સંસ્કૃતિ મંત્રાલયે ન ખરીદતાં ઓગાળવી પડી: મહારાણીએ સંભળાવ્યો કિસ્સો; કોંગ્રેસના ટેક્સેશનના કારણે આજે પણ રજવાડાંની અનેક ચીજો વિદેશમાં 

    સ્વતંત્રતા બાદ જ્યારે રાજા-રજવાડાંનું વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારબાદ કેન્દ્રની કોંગ્રેસ સરકારની ટેક્સેશન નીતિઓના કારણે સેંકડો ચીજવસ્તુઓ દેશ બહાર મોકલી દેવામાં આવી હતી અથવા અમુક ઓગાળી દેવામાં આવી હતી. તાજેતરમાં રણવીર અલાહાબાદિયાના (Ranveer Allahbadia) એક પોડકાસ્ટમાં બરોડા સ્ટેટના (આજનું વડોદરા) મહારાણી રાધિકારાજે ગાયકવાડે રાજ્યની એક સોનાની તોપ વિશે એક કિસ્સો સંભળાવીને આ વાત કહી હતી. 

    મહારાણીએ જણાવ્યું કે, બરોડા સ્ટેટ (Baroda State) પાસે બહુ જૂની-પુરાણી એક સોનાની તોપ હતી, જે વર્ષોથી સાચવવામાં આવી હતી. પરંતુ સ્વતંત્રતા બાદ તેની ઉપર ડ્યુટી અને ટેક્સ એટલા લાગતા હતા કે રાજવી પરિવાર તે ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતો. જેના કારણે મહારાજા રણજીતસિંહે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયને તેને ખરીદી લેવા માટે વિનંતી કરી, પરંતુ સરકારે કોઇ રસ ન દાખવ્યો.

    તેઓ કહે છે કે, “મહારાજાએ કહ્યું હતું કે, આ ભારતની બહુ કીમતી અને સુંદર ચીજ છે અને ફરી ક્યારેય કોઇ નહીં બનાવે, સરકાર તેને ખરીદી લે. સરકાર માત્ર સોનાની કિંમત ચૂકવી દે, કારણ કે અમે ટેક્સ ભરી શકીએ તેમ નથી. પણ તે ન ખરીદાઈ અને આખરે તે ટંકશાળમાં વેચી દેવામાં આવી અને આખરે ઓગાળી દેવામાં આવી હતી.”

    સ્વતંત્રતા બાદ રજવાડાંઓની સ્થિતિને લઈને મહારાણી રાધિકારાજે જણાવે છે કે, “રજવાડાંનું વિલીનીકરણ કરવાનો નિર્ણય દ્રઢ હતો અને કોઇ (રજવાડું) એમ નહીં કહે કે તે ખોટો હતો. આજે પણ વિશ્વાસ અતૂટ છે કે હિન્દુસ્તાન એક છે અને આપણને લોકતંત્રની જરૂર હતી જ. પરંતુ જ્યારે સાલિયાણાંનો મુદ્દો આવ્યો, ઈન્દિરા ગાંધીએ જ્યારે તે હટાવ્યાં…… હું એ વિષય પર ટિપ્પણી નહીં કરું કે તે હટાવવા જોઈતાં હતાં કે નહીં પરંતુ સંભવતઃ રાજવી પરિવારો આ નિર્ણય માટે તૈયાર ન હતા.”

    તેઓ આગળ કહે છે, “ત્યારબાદ ઘણો સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે પછીથી વેલ્થ ટેક્સ આવી ગયા, ઘણું ટેક્સેશન થઈ ગયું હતું. જેથી અમારા પરિવારોને મુશ્કેલીઓ પડવા માંડી હતી અને પોતાની ચીજો હતી, જેમકે, પૂજાનાં વાસણો સોના-ચાંદીનાં હતાં, સિંહાસનો હતાં, અન્ય ચીજો હતી…. ઘણાએ આ બધું વેચવું પડ્યું, કારણ કે ટેક્સેશન વધુ હોવાના કારણે તેઓ તેને સાચવી શકે તેમ ન હતા.”

    મહારાણી કહે છે કે, “હું એ સંદર્ભે નથી કહી રહી કે લોકોનાં સોના-ચાંદી જતાં રહ્યાં, પરંતુ હું એ સંદર્ભ કહી રહી છું કે ઘણાએ આખરે આ ચીજો ઓગાળવી પડી. આ ચીજો બહાર વિદેશોમાં મોકલી દેવામાં આવી. આ જ ચીજો આપણા દેશમાં હોત, નેશનલ મ્યુઝિયમમાં હોત તો આજે પણ આપણી ભવ્ય સંસ્કૃતિની ઝલક તેમાં દેખાતી હોત. લોકોને ખબર પડી હોત કે ભારતનો વારસો કેવો છે, કેવી ચીજો હતી, કેટલું હૂનર અને કળા હતાં.”

    રાધિકારાજે ગાયકવાડે કહ્યું કે, ‘અનેક ચીજો વિદેશોમાં ગઈ છે, અનેક દેશોના ખાનગી સંગ્રહમાં છે અને બહુ સામાન્ય ભાવમાં વેચાઈ છે. અનેક ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓ બહાર ચાલી ગઈ છે, જે હવે ક્યારેય ભારત પરત નહીં ફરે.  

    આતંકીઓને કરી મદદ, હથિયારો અને પૈસા પણ પૂરા પાડ્યા: કાશ્મીરમાં ઈમ્તિયાઝ, મુશ્તાક સહિત ચાર સરકારી કર્મચારીઓને ઘરભેગા કરાયા

    જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની મદદ કરી રહેલા અને તેમના માટે હથિયાર અને પૈસા એકઠા કરનારા 4 સરકારી કર્મચારીઓને તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. બરતરફ થનાર કર્મચારીઓમાં બે પોલીસકર્મી છે. આ પહેલાં પણ સરકાર ડઝનબંધ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરી ચૂકી છે. હાલ પણ સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસમાં જોતરાયેલી છે. બરતરફ કરાયેલા કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

    મળતી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં સરકારે આતંકીઓની મદદ કરવાના આરોપસર બે પોલીસકર્મીઓ, એક શિક્ષણ વિભાગના કર્મચારી અને એક પંચાયતી રાજ કર્મચારીને નોકરીમાંથી બરતરફ કર્યા છે. સુરક્ષા એજન્સીઓને તેમની ગતિવિધિઓ પર શંકા ગઈ હતી અને તે સરકારી કર્મચારીઓ સામે તપાસ કરી રહી હતી. નોકરીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.

    બરતરફ કરાયેલા કર્મચારીઓના નામ ઇમ્તિયાઝ અહેમદ લોન, બાઝિલ અહેમદ મીર, મુશ્તાક અહેમદ પીર અને ઝૈદ શાહ છે. આમાંથી કેટલાક આતંકવાદીઓને શસ્ત્રો અને સાધનો પૂરા પાડતા હતા, જ્યારે બાકીના પાકિસ્તાનના ડ્રગ સ્મગલરો સાથે મળીને કાશ્મીરમાં ડ્રગ્સ ફેલાવવામાં વ્યસ્ત હતા. તેઓ પાકિસ્તાન મારફતે આવતા ડ્રગ્સને કાશ્મીરમાં ફેલાવતા હતા અને તેનાથી મળેલા નાણાંનો ઉપયોગ આતંકવાદ માટે કરતા હતા. હવે તેમને જમ્મુ-કાશ્મીર સરકારની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમની સામે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે સરકારી કર્મચારીઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને મદદ કરતા જોવા મળ્યા હોય. આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે.

    60થી વધુ કર્મચારીઓ પર થઈ છે કાર્યવાહી

    નોંધનીય છે કે, આ પહેલાં જૂન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 4 કર્મચારીઓ સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. તે પહેલાં નવેમ્બર 2023માં પણ 4 કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેમના પર આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ પણ લાગ્યો હતો. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, સરકારે આવા ઓછામાં ઓછા 55 કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે જેમના આતંકવાદીઓ સાથે સંબંધ હતા.

    આવા કર્મચારીઓની ઓળખ કરવા માટે સરકારે ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે. નોકરીમાંથી બરતરફ કરાયેલા મોટાભાગના કર્મચારીઓ જમ્મુ-કાશ્મીરના શિક્ષણ વિભાગ અથવા પોલીસ વિભાગ સાથે સંકળાયેલા છે. તેઓ આતંકવાદીઓ માટે મેદાન તૈયાર કરવાનું કામ કરે છે. હાલ પણ સુરક્ષા એજન્સીઓ આ મામલે ચાંપતી નજર રાખીને બેઠી છે.

    ‘બજેટમાં કોઇ રાજ્ય સાથે અન્યાય નહીં’: વિપક્ષના આરોપો પર નાણામંત્રીનો જવાબ, કહ્યું- કોંગ્રેસ ઈરાદાપૂર્વક લોકોને દોરી રહી છે ગેરમાર્ગે

    મંગળવારના (23 જુલાઈ) રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024-25ની ઘોષણા કરવામાં આવી. આ બાદ જ વિપક્ષના બજેટ પર દાવાઓ શરૂ ગયા હતા. વિપક્ષનું કહેવું હતું કે બજેટમાં બધા રાજયોના વિકાસને ધ્યાનમાં નથી રાખવામાં આવ્યો અને અમુક રાજયોની અવગણના થઈ છે. ત્યારે બુધવારના (24 જુલાઈ) રોજ રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી વિપક્ષ કોઈને કોઈ મુદ્દો ઉપાડીને સંસદની કાર્યવાહી ચાલવા દેતો નથી ત્યારે આજે પણ વિપક્ષના સાંસદો બજેટનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધની વચ્ચે નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2024 અંગે જણાવ્યુ કે બજેટ ભેદભાવપૂર્ણ નથી. રાજ્યસભામાં તેમણે કહ્યું કે “બજેટમાં કોઈપણ રાજ્યની અવગણના કરવામાં આવી નથી અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ જાણી જોઈને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.”

    સીતારમણે વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે કહ્યું કે “દરેક બજેટમાં, તમને દેશના દરેક રાજ્યનું નામ લેવાની તક મળતી નથી,” આ બાબતને સ્પષ્ટ કરવા તેઓએ મંગળવારે જે યોજનાઓનો ઉલ્લેખ ન કરી શક્યા તેવી બાબતો જણાવી હતી અને કહ્યું કે ”કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વંધવન પર બંદર બનાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ મંગળવારે તેમના બજેટ ભાષણમાં રાજ્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.” નિર્મલા સીતારમણે કહ્યું કે જો મંગળવારે મહારાષ્ટ્ર રાજ્યનું નામ લેવાની તક ન મળી તો એનો અર્થ એવો નથી કે મહારાષ્ટ્રની અવગણના થઈ રહી છે.

    વધુમાં તેમણે કહ્યું કે, “જો ભાષણમાં કોઈ ચોક્કસ રાજ્યનું નામ નથી લેવામાં આવતું, તો શું તેનો અર્થ એ છે કે ભારત સરકારના કાર્યક્રમો આ રાજ્યોમાં જતા નથી? લોકોમાં ‘અમારા રાજ્યોને કંઈ આપવામાં નથી આવ્યું’ આવી છાપ ઊભી કરવાનો કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળ વિપક્ષનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે.” નાણામંત્રીએ આને એક અપમાનજનક આરોપ ગણાવ્યો.

    નોંધનીય છે કે નાણામંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના એ ભાષણ તરફ ધ્યાન દોર્યું હતું જે ભાષણમાં ખડગેએ બજેટને ‘ભેદભાવપૂર્ણ’ ગણાવ્યું હતું. નાણામંત્રીના ભાષણ બાદ વિપક્ષના નેતાઓ રાજ્યસભાનું સત્ર છોડીને ચાલ્યા ગયા હતા. નાણામંત્રીએ ખૂબ સ્પષ્ટતા સાથે રાજ્યસભામાં જણાવ્યુ છે કે બજેટમાં કોઈપણ રાજ્યની અવગણના કરવામાં આવી નથી.

    બુધવારે રાજ્યસભામાં નાણામંત્રીએ વિપક્ષના આરોપ પર સ્પષ્ટતા આપતા જણાવ્યુ કે ઘણી વાર એવું બનતું હોય છે કે બજેટ ભાષણ દરમિયાન તમને દરેક રાજયો માટેની યોજનાઓ ઉલ્લેખ કરવાનો અવસર મળતો નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે કેન્દ્ર સરકાર કોઈપણ રાજ્ય પ્રત્યે ભેદભાવ રાખી રહી છે.  

    બનવું હતું IAS, દિલ્હીએ આપ્યું મોત! વીજ કરંટથી મહિનામાં 3ના ગયા જીવ: આખા દેશના મુદ્દાઓ પર પ્રેસ કૉન્ફરન્સ કરતાં રાજધાનીના વીજ મંત્રીને નથી દેખાઈ રહ્યું પોતાનું જ મંત્રાલય?

    રાજધાની દિલ્હીથી ચોંકાવનારા સમાચાર સામે આવવાના સતત ચાલુ છે. છેલ્લા મહિનામાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જોકે, ત્રણેય ઘટનાઓ અલગ-અલગ સ્થળો પર અલગ-અલગ સમયે સામે આવી છે. પરંતુ તમામમાં એક સામ્યતા એ છે કે, આ ત્રણેય ઘટના દિલ્હીમાં બની છે. રાજધાની દિલ્હીના ‘વીજ મંત્રી’ આતિશી મારલેના છે. એ જ આતિશી જે વારંવાર આખા દેશના મુદ્દાઓને લઈને પ્રેસ કૉન્ફરન્સ કરતાં રહે છે અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરતાં રહે છે. દિલ્હી વીજળી વિભાગની બેદરકારીથી ગયેલી ત્રણ જિંદગીઓની કિંમત આતિશી માટે એક પ્રેસ કૉન્ફરન્સ કરતાં પણ હલકી હશે? પોતાના જ મંત્રાલય હેઠળ આવતા વિભાગોમાં આવી ઘટનાઓ બનવી અને તેમ છતાં દેશના અલગ-અલગ મુદ્દાઓ પર ‘જ્ઞાન’ આપવું કોઈ આતિશી પાસેથી શીખે.

    રાજધાની દિલ્હીના સાઉથ પટેલ નગર વિસ્તારમાં તારીખ 23 જુલાઈના રોજ વરસાદ દરમિયાન PG પાસેના લોખંડના ગેટમાં કરંટ આવવાથી UPSCની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીનું મોત થયું છે. મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં રહેનારા 26 વર્ષીય નીલેશ રાય તરીકે થઈ છે. તે માત્ર સિવિલ સર્વન્ટ બનવાનું સપનું લઈને દિલ્હીમાં UPSCની તૈયારી કરવા માટે આવ્યો હતો. ત્રણ વર્ષથી તે પોતાના પરિવારને હિંમત આપીને UPSCની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ સ્થાનિક વહીવહી તંત્રની બેદરકારીથી તેનું મોત થયું. તેમ છતાં આતિશી મારલેના તરફથી એક શબ્દ પણ સામે આવ્યો નથી.

    દિલ્હી ભાજપે આ ઘટનાને ‘હત્યા’ ગણાવી છે. દિલ્હી ભાજપ તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવી છે કે, “કેજરીવાલ ગેંગ, UPSC વિદ્યાર્થિની માત્ર એટલી ભૂલ હતી કે, તે તમારા લંડનમાં ભણવા આવ્યો હતો. તેને ખબર નહોતી કે, અહીં માત્ર પ્રેસ કૉન્ફરન્સમાં ચાલતી નકામી સરકાર છે. દેશની રાજધાનીમાં વારંવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે. અહિયાં સામાન્ય નાગરિકોની જિંદગીની કોઈ કિંમત નથી. કેજરીવાલ ગેંગ પર હત્યાનો કેસ થવો જોઈએ.”

    જોકે, આ એક જ ઘટના બની એવું નથી. આ પહેલાં અન્ય 2 વ્યક્તિઓના મોત વીજ કરંટથી થયા છે. આ ઘટના પહેલાં 27 જૂનના રોજ એક વ્યક્તિનું કરંટ લાગવાથી મોત થયું હતું. તે વ્યક્તિ પણ યુવાન હતો. રસ્તા પર ચાલી રહ્યો હતો અને વીજ પોલની નજીક પહોંચતા કરંટ લાગવાથી ઢળી પડ્યો હતો. તે સમયે પણ દિલ્હી સરકારના મંત્રીઓ તરફથી કોઈપણ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી. ત્યારબાદ પણ આવી જ એક ઘટના બનવા પામી હતી.

    દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં 34 વર્ષની પૂનમ નામની મહિલા વીજ કરંટ લાગવાથી ઢળી પડી હતી. ત્યારબાદ હવે 23 જુલાઈએ આ નવી ઘટના સામે આવી છે. આટલી બેદરકારી છતાં દિલ્હી સરકારના વીજ મંત્રી આતિશીના પેટનું પાણી નથી હલતું. વારંવાર પ્રેસ કૉન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકારના વહીવટ પર આંગળી ઊંચકનાર આતિશીએ ક્યારેય પોતાના મંત્રાલય તરફ ધ્યાન જ નહીં આપ્યું હોય?