Sunday, May 18, 2025
More
    હોમપેજગુજરાત'બાંગ્લાદેશી આતંકીઓ ચંડોળામાં ઊભા કરી રહ્યા હતા સ્લીપર સેલ્સ, સ્થાનિકો પણ હતા...

    ‘બાંગ્લાદેશી આતંકીઓ ચંડોળામાં ઊભા કરી રહ્યા હતા સ્લીપર સેલ્સ, સ્થાનિકો પણ હતા સંપર્કમાં’: કેમ ડિમોલિશન કાર્યવાહી હતી જરૂરી, પોલીસે આપ્યા જવાબ

    પોલીસે કહ્યું છે કે, બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત-ઉલ-બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં સ્લીપર સેલ્સ એક્ટિવ કરવા માંગે છે. આ માટે તેણે ચંડોળાના લોકોનો પણ સંપર્ક કર્યો હતો.

    - Advertisement -

    અમદાવાદના (Ahmedabad) ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી (Demolition Action) ચંડોળામાં (Chandola) થઈ છે. 28 એપ્રિલની મોડી રાત્રે જ પોલીસ કાફલો, 50 બુલડોઝર અને AMCની ટીમ પહોંચી હતી. સવારે 7 વાગ્યાથી તો બાંધકામને ધ્વસ્ત કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, કાર્યવાહીને અટકાવવા માટે મુસ્લિમ પક્ષ 18 અરજીઓ સાથે હાઇકોર્ટ પહોંચી ગયો હતો. હાઇકોર્ટમાં (High Court) સરકારે (Gujarat Government) જે ઘટસ્ફોટ કર્યા તેના પર ધ્યાન આપવું જરૂરી બને છે. સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી આતંકીઓ ચંડોળામાં સ્લીપર સેલ્સ ઊભા કરવા માંગતા હતા.

    હાઇકોર્ટમાં સરકારે શું ઘટસ્ફોટ કર્યા તે વિશે ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત-ઉલ-બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં સ્લીપર સેલ્સ એક્ટિવ કરવા માંગે છે. આ માટે તેણે ચંડોળાના લોકોનો પણ સંપર્ક કર્યો હતો. વધુમાં ચંડોળા વિસ્તારના કેટલાક લોકો આતંકી સંગઠન સાથે જોડાઈ પણ ચૂક્યા હતા.

    ચંડોળામાંથી પકડાયા હતા 4 અલ-કાયદાના આતંકીઓ- પોલીસ

    ક્રાઇમ બ્રાન્ચના શરદ સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં જ ગુજરાત ATSએ 4 અલ-કાયદાના આતંકવાદીઓને પકડ્યા હતા. આ મામલે NIAની તપાસ પણ ચાલી રહી છે. બીજા આતંકવાદીઓ પણ ચંડોળામાં કોઈના સંપર્કમાં રહેવા માંગતા હતા. તેમણે જણાવ્યું કે, અહીં ડ્રગ્સના કેસ પણ ઘણા જોવા મળ્યા છે. અહીંથી જ ડ્રગ્સની મોટી કાર્ટેલ ઑપરેટ થતી હતી. આ સાથે જ પ્રોસ્ટિટ્યૂટનું પણ મોટું રેકેટ ચાલતું હતું. ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો પણ કરાવાતો હતો.

    - Advertisement -

    નોંધનીય છે કે, એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે (ATS) બોગસ આઈડી પ્રૂફથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરી રહેલા ચાર બાંગ્લાદેશઓને ડપી પાડ્યા હતા. જેમાં સોજીબમિયાં, આકાશખાન, મુન્નાખાન અને અબ્દુલ લતીફનો સમાવેશ થાય છે. પોલીસે એ પણ જણાવ્યું છે કે, ગયા વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફેક ડોક્યુમેન્ટ અને મની લોન્ડરિંગના કેસ કર્યા હતા, જેમાં આરોપીઓ અહીંથી ગેરકાયદે પ્રવૃત્તિઓથી રૂપિયા કમાઈને ગેરકાયદે રીતે બાંગ્લાદેશ મોકલતા હતા.

    ઉલ્લેખનીય છે કે, ચંડોળા તળાવ વિસ્તારમાં 2000 બાંગ્લાદેશીઓના ઝૂંપડાં હટાવવામાં આવ્યા છે અને 1 લાખ સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. હજુ બે દિવસ આ કાર્યવાહી ચાલશે એવું કહેવાય રહ્યું છે. આ સાથે જ માસ્ટરમાઇન્ડ મહેમૂદ પઠાણનું (લલ્લા બિહારી) ફાર્મ હાઉસ પણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે અને મહેમૂદ સહિત તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં