Monday, May 6, 2024
More
    Home Blog Page 466

    ઈન્દૌરના શીતળામાતા મંદિરમાં ફિરોઝ, રાશીદ અને ઈમરાને તોડફોડ કરી: પૂજા કરી રહેલી મહિલાઓ સાથે કર્યું અભદ્ર વર્તન, કહ્યું- ‘મંદિર નહી હટાવો તો જીવથી જશો’

    મધ્યપ્રદેશના ઈન્દૌરમાં શીતળામાતાના મંદિરમાં તોડફોડ કરીને શ્રધ્ધાળુઓ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. તેવો પણ આરોપ છે કે કેટલાક મુસ્લિમ યુવકો 10 એપ્રિલ સોમવારની સાંજે મંદિરમાં પૂજા કરી રહેલી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પીડિત મહિલાઓ અને હિંદુ સંગઠનોએ પોલીસ સ્ટેશન જઈને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

    અહેવાલો અનુસાર ઈન્દૌરમાં શીતળામાતાના મંદિરમાં તોડફોડ કરવાની આ ઘટના ચંદન નગર સ્થિત બાંક વિસ્તારની છે. અહી 50 વર્ષ જુનું શીતળામાતાનું એક મંદિર આવેલું છે. જેના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન સોમવારે સાંજે મજુર માનસિંહ, છગનલાલ મંદિરનું સમારકામ કરી રહ્યાં હતા અને કેટલીક મહિલાઓ પૂજા કરી રહી હતી.

    આ અરસામાં રાજકુમાર નગરના રહેવાસી રાશીદ, ઇમરાન અને ફિરોઝ મંદિરમાં ઘુસી આવ્યાં હતા. અને મજુરોને સમારકામ કરતા અટકાવ્યાં હતા. આટલુજ નહી, આરોપીઓએ મજુરો સાથે મારપીટ કરીને પૂજા કરી રહેલી મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. ત્યાર બાદ તેમણે નિજસ્થાનેથી મંદિર હટાવી લેવા માટે ધમકીઓ આપી હતી. આ મામલે પીડિત મહિલાઓનાં જણાવ્યાં અનુસાર મુસ્લિમ યુવકોએ મંદિર નહી હટાવવા પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

    મંદિરમાં તોડફોડની જાણકારી મળતાની સાથે જ હિંદુ સંગઠનો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશન જઈ કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યો હતો. અને હાલ પોલીસના સુરક્ષા ઘેરામાં મંદિરના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત પોલીસે તોડફોડ કરીને ધમકી આપનારા લોકોની ઓળખ કરી ધરપકડ કરવાના પ્રયત્નો કરી રહી છે.

    ઘટના બાદ રોષે ભરાયેલા હિંદુ સંગઠનોનું કહેવું છે કે આ પ્રકારની ઘટના પહેલા પણ ઘટી ચુકી છે. ભૂતકાળમાં મંદિર પરિસરમાં માંસના ટુકડાઓ ફેંકવામાં આવ્યાં હતા. પૂજા કરવા આવતા લોકો સાથે પણ મારામારીની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે. અને હવે મંદિરમાં તોડફોડ પણ કરવામાં આવી રહી છે. હિંદુ સંગઠનનોએ કાર્યવાહી ન થવા પર મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

    હાલ ઈન્દૌર પોલીસે આરોપીતો વિરુદ્ધ પૂજા સ્થળે નુકસાન પહોંચાડવા અને મજૂરો સાથે મારામારી કરવા મામલે ગુનો નોંધ્યો છે. પીડિતોની ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમો 295, 294,323, અને 506 અંતર્ગત ગુનો દાખલ કરી આરોપીતોની ધરપકડ માટે ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

    ‘મુસ્લિમ યુવતીઓને ફસાવો, શારીરિક સબંધ બનાવો’: વાંચો ’10 લાખ મુસ્લિમ યુવતીઓની ઘર વાપસીના લક્ષ્ય’ સાથે RSSના નામે વાયરલ થઈ રહેલા પત્રની વાસ્તવિકતા

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના નામે એક પત્ર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં મુસ્લિમ યુવતીઓને ઘર વાપસીના માધ્યમથી હિંદુ બનાવવાનું કહેવામાં આવ્યું છે. આટલું જ નહી, આ પત્રમાં મુસ્લિમ યુવતીઓને ફસાવવા 15 દિવસનું પ્રશિક્ષણ આપવાની પણ વાત કરવામાં આવી છે. જોકે RSSના વાયરલ પત્રની વાસ્તવિકતા ત્યારે સામે આવી જયારે સંઘે આ પત્રને “ખોટો” હોવાની જાહેરાત કરી.

    RSSના વાયરલ પત્રની વાસ્તવિકતા જાણતા પહેલા આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તેના પર એક નજર કરીએ. આ પત્રને સર સંઘકાલક મોહન ભાગવતના ગોપનીય કથનના નામે વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે મોહન ભાગવતે દર વર્ષે 10 લાખ મુસ્લિમ યુવતીઓની ઘર વાપસીનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પત્રમાં મુસ્લિમ યુવતીઓની ઘર વાપસી માટેની 12 રીતો પણ જણાવી છે. જેમાં યુવતીઓ સાથે વાતચીતની શરૂઆત કરવાથી માંડીને સોશિયલ મીડિયામાં ચેટ કરવા સાથે જ શારીરિક સબંધ બનાવવા સુધીની વાત કરવામાં આવી છે.

    સોશિયલ મીડિયા પર ખોટો પત્ર વાયરલ

    આરએસએસના નામે સતત સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા આ પત્રને શાહનવાઝ અંજુમ નામના યુઝરે ટ્વીટ કરતા લખ્યું હતું કે, “RSSની મુસ્લિમો વિરુદ્ધ ધૃણાસ્પદ રમત. હિંદુ યુવકો કોલેજ, કોચિંગ, યુનિવર્સિટી, ઓફિસ, સોશિયલ મીડિયામાં મુસ્લિમ યુવતીને પ્રેમની જાળમાં ફસાવો. તેની સાથે શારીરિક સંબંધ બાંધો. જેથી તે પોતાના પરિવારને છોડીને ભાગવા માટે મજબુર થઈને તૈયાર થઈ જાય.”

    તેણે આગળ લખ્યું, “ઘર વસાવવા માટે 5 લાખ સહાય પણ આપવામાં આવશે. RSS ખુલ્લેઆમ મુસ્લિમ યુવતીઓની ગરિમા સાથે રમત રમવાનું કાવતરું ઘડી રહ્યું છે. આખું વાંચો. તમારી બહેનો, પુત્રીઓ અને અન્ય તમામ મુસ્લિમોને આ ષડયંત્રથી બચાવવા માટે આ પોસ્ટને રીટ્વીટ કરો અને શેર કરો.”

    ત્યાર બાદ તનવીર નામના યુઝરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, “આ પત્ર વાંચીને તમારી આંખો ખોલો મુસ્લિમ બાળકીઓ, RSS તમને મૂર્તદ બનાવી રહ્યું છે. તમારા ભોળપણનો લાભ લઈ રહ્યું છે. જો આવો પત્ર કોઈ મુસ્લિમ સંગઠને બહાર પાડ્યો હોત તો અત્યાર સુધીમાં ટીવી પર ડીબેટ થવા લાગી હોત. સંગઠનના લોકો જેલમાં હોત. તેને હિંદુ સમાજ પરનો હુમલો ગણાવ્યો હોત. આરબ દેશો તરફથી ફંડિંગની વાત કરવામાં આવી હોત. આટલું મોટું ષડયંત્ર મુસ્લિમોની બહેન-દીકરીઓ સાથે થઈ રહ્યું છે, પરંતુ અમારા મુસ્લિમ સંગઠનના લોકો પણ ચૂપ છે. “

    @savemuslimgirls નામના યુઝરે લખ્યું, “હિંદુ છોકરાઓ, કોલેજ, ઓફિસમાં મુસ્લિમ છોકરીઓને પ્રેમમાં ફસાવો. તેની સાથે શારીરિક સંબંધ બાંધો. જેથી તે પોતાના પરિવારને છોડીને ભાગવા માટે તૈયાર થઈ જાય. તેને 5 લાખ રૂપિયા ઘર વસાવવા માટે આપવામાં આવશે. આખું વાંચી લો અને તમારી બહેનો અને દીકરીઓને બધા મુસ્લિમોને મોકલો. “

    ઇમરાન હાશમી નામના યુઝરે લખ્યું, “આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, આર્ય સમાજ મંદિર જેવા કટ્ટરપંથી સંગઠનો હિંદુ છોકરાઓને કોલેજ, ઓફિસ, સુપરમાર્કેટમાં મુસ્લિમ છોકરીઓને ફસાવવા, શારીરિક સંબંધ બનાવવા અને ખાનગી વીડિયો ફોટા રેકોર્ડ કરવા માટે કહી રહ્યા છે.”

    RSSના વાયરલ પત્રની વાસ્તવિકતા

    આ પત્રને RSSના અખિલ ભારતીય પ્રચાર વડા સુનિલ અંબેકરે બનાવટી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામે સોશિયલ મીડિયાની આ પત્રિકા સંપૂર્ણપણે ખોટી છે.”

    આ મામલે સૌથી મોટી વાત એ હતી કે ઓપઇન્ડિયા જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ પત્રની સત્યતા તપાસી રહ્યું હતું, ત્યારે આ વાત સામે આવી કે આ પત્ર શેર કરનારા મોટાભાગના લોકો ઇસ્લામવાદી છે.

    AAPનું ‘ડિગ્રી બતાવો’ અભિયાન: કેજરીવાલની પાર્ટીના પંજાબના 40% ધારાસભ્યો સ્નાતક નથી, 19એ 12મું ધોરણ પણ પાસ નથી કર્યું

    10 એપ્રિલના રોજ, આમ આદમી પાર્ટી (AAP) ની ‘તમારી ડિગ્રી બતાવો’ ઝુંબેશની વચ્ચે, OpIndia એ દિલ્હીમાં પાર્ટીના ધારાસભ્યોની શૈક્ષણિક લાયકાત પર વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો. એવું બહાર આવ્યું છે કે AAPના લગભગ અડધા ધારાસભ્યો પાસે ખરેખર ડિગ્રી છે જ નહીં. દિલ્હી સિવાય પંજાબ એ બીજું રાજ્ય છે જ્યાં AAP સરકાર ચલાવી રહી છે અને ત્યાં પણ પરિસ્થિતિ બહુ અલગ નથી. અહીં AAPના 92માંથી 37 ધારાસભ્યો પાસે ડિગ્રી જ ન હોવાનું આવ્યું છે સામે.

    પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માટે ધારાસભ્યોના જાહેરમાં ઉપલબ્ધ એફિડેવિટ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે, OpIndiaએ શોધી કાઢ્યું કે AAPના 92માંથી 37 ધારાસભ્યોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું નથી. ચાર ધારાસભ્યો 10મું ધોરણ પણ પાસ નથી. 12 ધારાસભ્યોએ તેમના ઉચ્ચ શિક્ષણ તરીકે 10મું પૂર્ણ કર્યું છે જ્યારે બેએ મેટ્રિક કર્યા પછી ડિપ્લોમા કર્યું છે. એક ધારાસભ્યએ 11મું ધોરણ પૂરું કર્યા પછી શિક્ષણ છોડી દીધું. પંદરે 12મા સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે અને ત્રણે 12મા પછી ડિપ્લોમા કર્યું છે. નિયમો અનુસાર, ઉમેદવારે ચૂંટણી એફિડેવિટમાં તેણે મેળવેલ ઉચ્ચતમ શિક્ષણનો ઉલ્લેખ કરવો આવશ્યક છે.

    પંજાબના મુખ્યમંત્રી છે 12 પાસ

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (ધુરી) પોતે કોલેજ છોડી દેનાર છે. ચૂંટણી સમયે તેમના દ્વારા સબમિટ કરવામાં આવેલા સોગંદનામા મુજબ તેમની ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત 12મી છે. તેઓ નાગરિક ઉડ્ડયન, સામાન્ય વહીવટ, ગૃહ બાબતો અને ન્યાય, કર્મચારી, તકેદારી, ઉદ્યોગ અને વાણિજ્ય, હાઉસિંગ અને શહેરી વિકાસ, રોજગાર સર્જન, અને તાલીમ અને જેલ મંત્રાલયો/વિભાગો સંભાળે છે.

    10મું ધોરણ પાસ કરતા પહેલા શાળા છોડી દેનારા ધારાસભ્યોમાં અશોક પ્રાશર પપ્પી (લુધિયાણા સેન્ટ્રલ), સર્વન સિંહ ધૂન (ખેમકરણ), મદન લાલ બગ્ગા (લુધિયાણા ઉત્તર) અને જગદીપ સિંહ બ્રાર (મુક્તસર) છે.

    10મી પછી અભ્યાસ છોડી દેનારાઓમાં કુલદીપ સિંહ ધાલીવાલ (અજનાલા), અમનશેર સિંહ ઉર્ફે શેરી કલસી (બટાલા), લાલ ચંદ કટારુચક (ભોઆ), શીતલ અંગુરાલ (જલંધર પશ્ચિમ), ગુરમીત સિંહ ખુડિયા (લાંબી), દલજીત સિંહ ગ્રેવાલ (લુધિયાણા પૂર્વ), કુલવંત સિંહ (એસએએસ નગર), હરદીપ સિંહ મુંડિયન (સાહનેવાલ), જગતાર સિંહ (સમરાલા), હરમિત સિંહ પઠાણમાજરા (સનૌર), કુલવંત સિંહ બાઝીગર (શુત્રાણા) અને નરેશ કટારિયા (ઝીરા)નો સમાવેશ થાય છે.

    નોંધનીય છે કે, લાલચંદ ખાદ્ય અને નાગરિક પુરવઠા, ઉપભોક્તા બાબતો, વન અને વન્ય જીવન મંત્રાલયો/વિભાગો સંભાળે છે. કુલદીપ સિંહ ધાલીવાલ ગ્રામીણ વિકાસ અને પંચાયતો, NRI બાબતો, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયો/વિભાગો સંભાળે છે.

    સંતોષ કટારિયા (બાલાચૌર) અને જીવન સિંહ સાંગોવાલ (ગીલ)એ 10મા પછી ડિપ્લોમા કર્યું છે, જ્યારે ગુરદિત સિંહ સેખોન (ફરીદકોટ)એ 11મા સુધી ભણ્યા પછી ભણવાનું છોડી દીધું છે.

    12મી પૂર્ણ કર્યા બાદ જે ધારાસભ્યો હટી ગયા તેમાં દલબીર સિંહ ટોંગ (બાબા બકાલા), અમનદીપ સિંહ ‘ગોલ્ડી’ મુસાફિર (બલ્લુઆના), લાભ સિંહ ઉગોકે (ભદૌર), જય કૃષ્ણ સિંહ (ગઢશંકર), ગુરલાલ ઘનૌર (ઘનૌર), બ્રમ શંકર (હોશિયારપુર), તરુણપ્રીત સિંહ સોંડ (ખન્ના), અનમોલ ગગન માન (ખરાર), સુખવીર માઈસર ખાના (મૌર), ગુરદેવ સિંહ દેવ માન (નાભા), લાલજીત સિંહ ભુલ્લર (પટ્ટી), હકમ સિંહ ઠેકેદાર (રાયકોટ), ચેતન સિંહ જૌરા માજરા (સામાના), મનજિન્દર સિંહ લાલપુરા (શ્રી ખડૂર સાહિબ) અને જસવીર સિંહ રાજા ગિલ (ઉરમાર) છે.

    લાલજીત સિંહ ભુલ્લર પરિવહન, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડાયરી વિકાસ અને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયો/વિભાગો સંભાળે છે. બ્રામ શંકર પાણી પુરવઠા અને સ્વચ્છતા, મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયો/વિભાગોનું સંચાલન કરે છે. ચેતન સિંહ જૌરમાજરા સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંરક્ષણ સેવાઓ અને કલ્યાણ, માહિતી અને જનસંપર્ક વિભાગ અને બાગાયત મંત્રાલયો/વિભાગો સંભાળે છે. અનમોલ ગગન માન પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતો, રોકાણ પ્રોત્સાહન અને શ્રમ અને આતિથ્ય મંત્રાલયો/વિભાગો સંભાળે છે.

    નરિન્દરપાલ સિંઘ સાવના (ફાઝિલ્કા) અને માસ્ટર જગસીર સિંઘ (ભુચો મંડી) એ 12મી પછી ડિપ્લોમા કર્યું છે અને તેઓ એવા લોકોમાં સામેલ છે જેમની પાસે ડિગ્રી નથી.

    આ અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધીમાં, AAPએ પ્રચારના ત્રીજા દિવસે પ્રતિદિન એક ડિગ્રી બતાવવાનું પોતાનું વચન પૂરું કર્યું નથી.

    OpIndia એ ECIના નિયમો અનુસાર ધારાસભ્યો દ્વારા સબમિટ કરાયેલ જાહેરમાં ઉપલબ્ધ એફિડેવિટ્સમાંથી માહિતી એકત્રિત કરી છે. આ એફિડેવિટ ECIની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

    300 દિવસ, 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ: અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ‘શતકોટી અભિયાન’, આપ પણ લઈ શકો છો સંકલ્પમાં ભાગ

    અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ 15 જાન્યુઆરી 2024ના દિને નિર્ધારિત કરવામાં આવ્યો છે. પણ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા આખા દેશમાં “રામ પ્રતિષ્ઠા શતકોટી હનુમાન ચાલીસા અભિયાન” શરું કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પહેલા આખા દેશમાં 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

    શતકોટી હનુમાન ચાલીસા અભિયાન 21 માર્ચ 2023થી શરુ થઈ ચુક્યું છે. અને આ અભિયાન 15 જાન્યુઆરી 2024 સુધી ચાલશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશમાં સંસ્કૃતિક ચેતના જાગૃત કરવાનો છે. રામ-પ્રાણપ્રતિષ્ઠા એપમાં આ અભિયાન વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ સંકલ્પ પૂર્ણ કરવાવાળા તમામ ભક્તોના નામ અને પાઠની સંખ્યા પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રભુ શ્રી રામના પવન ચરણોમાં અર્પણ કરવામાં આવશે.

    આ સંકલ્પમાં તમામ રામ ભક્તોને પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર પ્રત્યેકદિન હનુમાન ચાલીસાના પાઠનો સંકલ્પ કરીને નિયમિત પાઠ કરવાનું કહેવામાં આવ્યું છે. આ શુભ અહ્વાનમાં તમામ રામભક્ત પોતાની ઈચ્છા અનુસાર હનુમાન ચાલીસના પાઠ કરવાનો સંકલ્પ લઈ શકે છે.

    તાજેતરમાં જ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું હતું કે, “14-15 જાન્યુઆરી 2024માં રામ લલાને ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા દેશમાં 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.”

    ઝી ન્યુઝ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “7 મે 2023 સુધીમાં રામ મંદિરની છત બનીને તૈયાર થઇ જશે. આગામી રામનવમી પહેલા પ્રભુ શ્રી રામ પોતાના મૂળ ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે.” તેમણે એમ પણ જણાવ્યું કે, “રામ મંદિરના ભૂતળનું કાર્ય ડીસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. રામ લલાની મૂર્તિ બાલ્યકાળ (4-5 વર્ષ)ની હશે, અને પાવન મૂર્તિ ઉભેલી અવસ્થામાં હશે.”

    નોંધનીય છે કે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં બની રહેલું ભગવાન રામનું ભવ્ય મંદિર હવે આકાર લઈ રહ્યું છે. રામ મંદિરના પ્રથમ તળનું નિર્માણ 70 ટકા પૂર્ણ થઈ ચુક્યું છે. ગર્ભગૃહનું નિર્માણ પણ વેગથી ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ગર્ભગૃહના ફોટા સામે આવ્યાં હતા. જેના અનુસાર ગર્ભ ગૃહનાં તમામ સ્તંભો ઉભા કરી દેવામાં આવ્યાં છે. અને અન્ય કાર્યો પણ પૂર્ણ વેગથી ચાલી રહ્યાં છે. રામ લલાના દર્શન કરવા માટે ભક્તોએ 32 પગથીયા ચઢવા પડશે.

    સ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટ્યુબર યશ રાઠીએ ભગવાન શ્રી રામ પર અભદ્ર ટીપ્પણી કરવાનો આરોપ: હિંદુ સંગઠનોના રોષ બાદ ફરિયાદ દાખલ

    આજ કાલ સ્ટેન્ડઅપ કોમેડીના નામે હિંદુ સમુદાય અને દેવી દેવતાઓનું અભદ્ર શબ્દો વાપરી અપમાન કરવાની જાણે ફેશન ચાલી રહી છે. મુનવ્વર ફારૂકી, કુનાલ કામરા કે પછી તન્મય ભટ, આ તમામ હિંદુ સંસ્કૃતિનું અપમાન કરી કોમેડીના નામે પોતાનું પેટીયું રળે છે. હવે આ સૂચિમાં વધુ એક નામ પણ જોડાયું છે. જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટ્યુબર યશ રાઠીએ ભગવાન શ્રી રામ પર અભદ્ર ટીપ્પણી કરી હોવાનો આરોપ લાગ્યો છે.

    યશ રાઠીએ ભગવાન શ્રી રામ પર કથિત અભદ્ર ટીપ્પણી દેહરાદુનના પ્રેમનગર વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. જેનો વિડીયો વાયરલ થતાની સાથે જ હિંદુ સમુદાય દુભાયો હતો. જેના પડઘા રૂપે હિંદુ સંગઠનોએ પ્રદર્શન પણ કર્યું હતું. આ દરમિયાન ભૈરવ વાહિનીના અધ્યક્ષની ફરિયાદ પર યશ રાઠી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    યશ રાઠીનો આ કાર્યક્રમ નંદાની ચોકી પાસે શીલા નામના એક ખાનગી ફાર્મમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ફરિયાદી ભૈરવ વાહિનીના અધ્યક્ષ સાગર જયસ્વાલે પોલીસને જણાવ્યું હતું કે, ગત 8 એપ્રિલે નંદાની ચોકી પાસે આવેલા શીલા ફાર્મમાં યુથ ફોર યુ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યશ રાઠીએ ભગવાન શ્રી રામ વિશે કથિત રીતે અભદ્ર અને અપમાન જનક ટીપ્પણી કરી હતી.

    ભગવાન રામના અપમાનનો વિડીયો વાયરલ

    આરોપ છે કે આ વિવાદિત કાર્યક્રમ દરમિયાન યશ રાઠીએ ભગવાન શ્રી રામ માટે અમર્યાદિત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અને આનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો અગલ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો શેર કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે, અને આ કોમેડિયન પર કાયદાકીય પગલાની માંગ કરી રહ્યાં છે.

    આ સિવાય પણ સ્થાનિક સ્તરે પણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. જેને લઈને ગઈકાલે (11 ફેબ્રુઆરી 2023, સોમવાર) સ્થાનિક હિંદુ સમુદાય અને હિંદુ સંગઠનોએ યશ રાઠી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસે યશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સ્ટેન્ડઅપ કોમેડિયન યશ રાઠીની ધરપકડ પણ કરવામાં આવશે.

    ‘આ અમૂલ વિરુદ્ધ નંદિની નથી, પરંતુ અમૂલ અને નંદિની છે’: વિવાદ વચ્ચે અમૂલના એમડી જયેન મહેતાની પ્રતિક્રિયા

    કર્ણાટકમાં ડેરી જાયન્ટ અમૂલના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાના કોલ વચ્ચે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે રાજ્યના ડેરી માર્કેટમાં કંપનીની એન્ટ્રી સ્પર્ધા કરવા માટે નથી પરંતુ સ્થાનિક નંદિની બ્રાન્ડ સાથે સહઅસ્તિત્વ માટે છે.

    અહેવાલો મુજબ બ્રુહત બેંગલુરુ હોટેલ એસોસિએશને તમામ હોટલ માલિકોને અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અને કર્ણાટકના ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે ‘રાજ્યનું ગૌરવ’ નંદિનીનો ઉપયોગ કરવા હાકલ કરી છે. બહિષ્કારના એલાન સાથે, આ મુદ્દા પર રાજકીય નિવેદનબાજી પણ તીવ્ર બની છે અને વિપક્ષી નેતાઓએ કર્ણાટક સરકાર પર ‘રાજ્યના ગૌરવ’, નંદિની બ્રાન્ડને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.

    મહેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને એક વિશિષ્ટ વાર્તાલાપમાં કહ્યું, “તે અમૂલ વિરુદ્ધ નંદિની વિશે નથી પરંતુ તે અમૂલ અને નંદિની છે. બંને ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થાઓ છે જે સમાન હિતો પર કામ કરે છે. અમે અહીં નંદિની સાથે સ્પર્ધા કરવા નથી આવ્યા.”

    ‘BoycottAmul’ અને ‘GoBackAmul’ જેવી ટીકાઓ અને સૂત્રોનો જવાબ આપતા, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ કહ્યું, “અમે અમારી રીતે આવતી પ્રતિક્રિયાઓ પર ટિપ્પણી અથવા ટીકા કરી શકતા નથી. અમારો વિરોધ કરનારાઓ પણ અમારા ગ્રાહક છે. તેઓ તેમના મનની વાત કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ નંદિની અને અમૂલ વચ્ચેના સારા સંબંધોને કંઈપણ બદલશે નહીં.”

    તેઓએ આગળ કહ્યું, “અમે નંદિની સાથે અનેક મુદ્દે નજીકથી કામ કરીએ છીએ. છેલ્લા એક દાયકાથી, અમે બેંગલુરુમાં મધર ડેરીના પ્લાન્ટમાં નંદિની દૂધનો ઉપયોગ કરીને અમૂલ આઈસ્ક્રીમનું પેકિંગ કરીએ છીએ. જ્યારે અમારી પાસે ચીઝની અછત હતી ત્યારે પણ અમે નંદિની પાસેથી ચેડર ચીઝ ખરીદી હતી જ્યારે તેઓ સરપ્લસ હતા.”

    શું છે અમૂલ-નંદિની વિવાદ?

    ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને તાજેતરમાં જ ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા બેંગલુરુમાં અમૂલ દૂધ અને દહીં રજૂ કરવાની યોજના જાહેર કરી છે.

    કર્ણાટકના વિપક્ષી નેતાઓ દ્વારા આ કાર્યવાહીની ટીકા કરવામાં આવી હતી, જેમણે દાવો કર્યો હતો કે તે KMFની માલિકીની નંદિની બ્રાન્ડના હિતોને નુકસાન પહોંચાડશે.

    સિદ્ધારમૈયાએ ભાજપ પર નિશાન તાકતાં કહ્યું કે કેવી રીતે બરોડા બેંકે વિજયા બેંકને સબમર્જ કરી અને દાવો કર્યો કે બંદરો અને એરપોર્ટ અદાણીને સોંપવામાં આવ્યા હતા. અને હવે અમૂલનો વારો છે.

    કર્ણાટક કોંગ્રેસના વડા શિવકુમારે કહ્યું કે અમૂલ કરતાં નંદિની દૂધની વધુ ‘સારી’ બ્રાન્ડ છે તથા કર્ણાટકના દૂધ અને ખેડૂતોને ‘સુરક્ષિત’ કરવામાં આવશે. તેમણે કહ્યું કે “અમે અમારા કર્ણાટક અને અમારા ખેડૂતોના દૂધની રક્ષા કરવા માંગીએ છીએ.”

    ‘મને મારી નાખશે’: યુપી પોલીસ સાબરમતી જેલથી અતીકને લઈને ફરો પ્રયાગરાજ લઇ જવા રવાના થઇ, આ વખતે જેલ વાનમાં લઇ જવાયો

    માફિયા ડોન અતીક અહેમદ (Atiq Ahmed)ને પ્રયાગરાજના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકાર્યા બાદ ફરીથી ગુજરાતની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે તેમને ફરી એકવાર પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. યુપી પોલીસ અતીક અહેમદને લેવા માટે આજે સવારે જ સાબરમતી જેલમાં પહોંચી ગઈ હતી. યુપી પોલીસનો કાફલો પણ અટિકને લઈને સાબરમતીથી રોડ માર્ગે પ્રયાગરાજ જવા રવાના થઇ ચુક્યો છે.

    અહેવાલો મુજબ પ્રયાગરાજ અને ગુજરાત પોલીસની કડક તકેદારી હેઠળ માફિયા અતીક અહેમદનો કાફલો થોડા સમય પહેલા ગુજરાતના હિંમતનગર પહોંચ્યો હતો.

    પોલીસ કાફલામાં બે જેલ વાન અને બે નાના વાહનોનો સમાવેશ થાય છે. આ વખતે પ્રયાગરાજ પોલીસની સાથે ગુજરાત પોલીસની ટીમ પણ દોડી રહી છે જે મધ્યપ્રદેશની સરહદ સુધી સાથે રહેશે.

    ‘રસ્તામાં મારી સાથે કાંઈ પણ થઇ શકે છે’- અતીક

    આ પહેલા માફિયાએ મીડિયાને કહ્યું કે “રસ્તામાં મારી સાથે કંઈપણ અનિચ્છનીય બની શકે છે.” અતીકે કહ્યું કે તેનો ઈરાદો સાચો નથી. નોંધનીય છે કે અતીક અહેમદને છેલ્લી વખત જ્યારે તેને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે યુપી પોલીસે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

    આ વખતે પણ યુપી પોલીસ અતીક અહેમદને જુના જ રૂટથી લાવવામાં આવી રહ્યો છે. સાબરમતી જેલમાંથી રાજસ્થાનના ઉદયપુર, મધ્યપ્રદેશના શિવપુરથી ઝાંસી થઈને પ્રયાગરાજ લાવવામાં આવશે. અગાઉ જે પોલીસ ટીમ અતીકને લઈને આવી હતી તે જ પોલીસ ટીમ આ વખતે પણ મોકલવામાં આવી છે. પોલીસ ટીમમાં ઈન્ચાર્જ ઈન્સપેક્ટર અને 30 કોન્સ્ટેબલ હાજર છે. આ ઉપરાંત એક જીપ અને બે કેદીઓ છે. આ ઉપરાંત એક જીપ અને બે કેદી ગાર્ડ વાહનો પણ મોકલવામાં આવ્યા છે.

    ઉમેશના પરિવારે એન્કાઉન્ટરની માંગ કરી હતી

    હવે અતીકને પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે, જ્યાં પોલીસ તેની ઉમેશપાલ હત્યા કેસમાં ષડયંત્ર અંગે પૂછપરછ કરશે. માનવામાં આવે છે કે યુપીનો ડોન કંઈક બોલશે અને હત્યાકાંડના રહસ્યો ખોલશે. દરમિયાન, ઉમેશ પાલના સંબંધીઓએ કહ્યું કે જેમ તેણે કર્યું છે તેમ તેનું પણ એન્કાઉન્ટર થવું જોઈએ. એટલે કે ઉમેશ પાલના પરિવારે એન્કાઉન્ટરની માંગ કરી છે.

    ઉમેશપાલ હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં બે બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. તે જ સમયે, પોલીસે અન્ય બદમાશોને પકડવા માટે દરોડા તેજ કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર અતીકના ભાઈ અશરફે બરેલી જેલમાંથી આ ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે અશરફે બરેલી જેલમાં બદમાશો સાથે બેઠક પણ કરી હતી.

    રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સજા પર સ્ટેની અરજી સામે વાંધા અરજી રજુ કરી: વધુ સુનાવણી 13 એપ્રિલે

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી આજે કોર્ટમાં જવાબ રજૂ કર્યો. કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીને કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેનો જવાબ આજે તેઓ કોર્ટમાં રજૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમને થયેલી સજા પર સ્ટે માટેની અરજી કોર્ટમાં કરી હતી જેની સામે પૂર્ણેશ મોદીએ વાંધા અરજી રજૂ કરી હતી.

    રાહુલ ગાંધી સામે ફરિયાદી પૂર્ણેશ મોદી તરફથી એડવોકેટ કેતન રેશમવાલા કોર્ટમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીમાં સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. અપીલની પ્રોસિડિંગ સુધી સજા પર સ્ટે આપ્યો હતો. આ મામલે આજે બપોરે ફરિયાદી પક્ષ તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ હાથ ધરાવામાં આવશે.

    શું છે આખો મામલો?

    વર્ષ 2019માં એક ચૂંટણી સભામાં બધાં જ મોદી ચોર હોય છે એ બાબતનું નિવેદન કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતનાં ધારાસભ્ય પુર્ણેશ મોદીએ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું હતું .

    રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં ચુકાદો સાંભળવા માટે હાજર થયાં ત્યારબાદ જજે તુરંત જ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને જણાવ્યું હતું કે રાહુલનાં નિવેદનથી ખરેખર મોદી સમાજની લાગણી દુભાઈ છે આથી તેઓને દોષિત ઠેરવવામાં આવે છે.

    રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસમાં બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ છે. ત્યારે આ કેસના ફરિયાદી એવા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને કોર્ટ દ્વારા નોટિસ મોકલાઈ છે. 

    માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ મહિનાના જામીન પર રહેલા રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. આ મામલો સુરતની કઈ કોર્ટમાં જશે તે હજુ સુધી નક્કી થયું નથી. જો કે હવે પછીની સુનાવણી આ કેસમાં 13 એપ્રિલના રોજ રોજ થશે.

    સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં છે. સરકાર પક્ષ પણ કેસમાં જોડાયો હોવાના કારણે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને મૂળ ફરિયાદીના વકીલ કેતન રેશમવાલા એક સાથે દલીલો કરશે. અત્યાર સુધી અનેક કેસમાં તેઓ સામ-સામે પણ રહ્યા છે.

    ‘બ્રિટિશ મીડિયા જૂઠાણું ફેલાવે છે’: અદાણીએ 4 વર્ષનો સંપૂર્ણ હિસાબ જાહેર કર્યો; રાહુલ ગાંધીના ‘20,000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા’ પ્રોપગેન્ડાનો પર્દાફાશ કર્યો

    20 હજાર કરોડ રૂપિયાના રોકાણના વિવાદ વચ્ચે અદાણી જૂથે છેલ્લા 4 વર્ષનો સંપૂર્ણ હિસાબ જાહેર કર્યો છે. અદાણી ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડાઓને રાહુલ ગાંધીના જવાબ તરીકે જોવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, અદાણી જૂથે ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’ના અહેવાલને પણ ખોટો ગણાવ્યો છે, જેમાં તેના પર વિદેશી રોકાણ (FDI)ને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા.

    વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત અદાણી જૂથની આવક પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ અંગે તેઓ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પણ પ્રહારો કરી રહ્યા છે. પરંતુ હવે રવિવારે (10 એપ્રિલ, 2023) અદાણી જૂથે છેલ્લા 4 વર્ષનો એટલે કે વર્ષ 2019 થી અત્યાર સુધીનો સંપૂર્ણ હિસાબ જાહેર કર્યો છે. અદાણી જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “વર્ષ 2019 થી, જૂથની કંપનીઓએ તેમનો હિસ્સો વેચીને $2.87 બિલિયન એટલે કે રૂ. 23525 કરોડ એકત્ર કર્યા છે. તેમાંથી 2.55 બિલિયન ડોલર એટલે કે રૂ. 20,902 કરોડનું બિઝનેસમાં ફરીથી રોકાણ કરવામાં આવ્યું હતું.”

    અદાણી ગ્રૂપના નિવેદનને વિગતવાર જોતાં એવું સમજાય છે કે અબુ ધાબી સ્થિત ગ્લોબલ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ કંપની અને ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની જેવા રોકાણકારોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં $2.593 બિલિયન એટલે કે 21255 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રોકાણ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી એનર્જી લિમિટેડમાં કરવામાં આવ્યું હતું. કંપનીના પ્રમોટરોએ અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં હિસ્સો વેચીને $2.783 બિલિયન અથવા લગભગ રૂ. 22812 કરોડ એકત્ર કર્યા હતા.

    અદાણી જૂથે વધુમાં જણાવ્યું છે કે આ ભંડોળ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી પાવર લિમિટેડ જેવી પોર્ટફોલિયો કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે.

    ફાઇનાન્શિયલ ટાઇમ્સ જૂઠાણું ફેલાવે છે: અદાણી

    બ્રિટનની મીડિયા સંસ્થા ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’એ અદાણી જૂથ વિશે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અદાણી જૂથને મળેલું મોટા ભાગનું વિદેશી રોકાણ (FDI) ગૌતમ અદાણીના પરિવાર સાથે સંબંધિત વિદેશી કંપનીઓમાંથી આવ્યું હતું. વિદેશી કંપનીઓએ વર્ષ 2017 થી 2022 દરમિયાન અદાણી જૂથની કંપનીઓમાં ઓછામાં ઓછા $2.6 બિલિયન એટલે કે લગભગ રૂ. 21334 કરોડનું રોકાણ કર્યું હતું. આ રકમ અદાણી જૂથ દ્વારા પ્રાપ્ત $5.7 બિલિયનની કુલ FDIના 45.4% છે.

    જો કે, અદાણી જૂથે કહ્યું છે કે ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટમાં ઉલ્લેખિત રોકાણોની માહિતી 28 જાન્યુઆરી 2021 અને 23 જાન્યુઆરી 2021ના રોજ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં, અદાણી જૂથે ફાઈનાન્સિયલ ટાઈમ્સને પત્ર લખીને રિપોર્ટ ડિલીટ કરવા જણાવ્યું છે.

    પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “અદાણી ગ્રૂપ વિરુદ્ધ એક નેગેટિવ નેરેટિવ બનાવવામાં આવી રહ્યું છે. જે પ્રકારના અહેવાલ પ્રકાશિત થયા છે તેનાથી અદાણી જૂથની છબીને ઠેસ પહોંચી છે અને તે રાજકીય મુદ્દો બની ગયો છે. આ રિપોર્ટ તાત્કાલિક દૂર કરવામાં આવે. અમને લાગે છે કે અદાણીનો વિનાશ કરવાની સ્પર્ધા સારી હોઈ શકે છે. પરંતુ અમે નિયમોનું સંપૂર્ણ પાલન કરીએ છીએ. અમે કંપનીના માલિકો અને તેમાં આવતા રોકાણ વિશે કંઈપણ અંધારામાં રાખવા માંગતા નથી.”

    અમેરિકાની મસ્જિદમાં રમઝાનની નમાઝ દરમિયાન ઈમામ પર હુમલો: તુર્કીના હુમલાખોરે ચાકુના આડેધડ ઘા ઝીંક્યા, લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો

    અમેરિકાની મસ્જિદમાં રમઝાનની નમાઝ દરમિયાન ઈમામ પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. ન્યુ જર્સીના પેટરસનની એક મસ્જિદમાં સવારની નમાઝ દરમિયાન હુમલાખોરે ઈમામ પર આડેધડ ચાકુના ઘા ઝીંક્યા હતા. આ હુમલા વખતે મસ્જિદમાં લગભગ 200 લોકો હાજર હતા, 65 વર્ષીય ઈમામ પર હુમલો કરનારની ઓળખ મૂળ તુર્કીના 32 વર્ષીય શેરીફ ઝોરબા તરીકે થઈ છે.

    અમેરિકાની મસ્જિદમાં ઈમામ પર હુમલો કરીને હુમલાખોર ભાગી જવાની તૈયારીમાં હતો. પરંતુ મસ્જિદમાં હાજર લોકોએ તેને ઝડપી લીધો હતો. અને પકડીને તેને પોલીસે સોંપી દીધો હતો. આ હુમલામાં મસ્જિદના ઈમામ સૈયદ એલ્નાકિબ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે ઈમામ પર ઇસ્લામના નામે પૈસા વસુલવાનો આરોપ લગાવ્યો હતો. તે આ પહેલા પણ અનેક વાર મસ્જિદમાં આવી ચુક્યો હતો.

    મીડિયા અહેવાલો મુજબ આ મસ્જિદ અમેરિકાના સહુથી વધુ મુસ્લિમ આબાદી વાળા વિસ્તારમાં આવેલી છે. આ ઘટના રવિવારે બની હતી. સવારે લગભગ 5:30 વાગ્યાના આરસમાં ઈમામ લગભગ 200 લોકો સાથે મળીને મસ્જિદમાં નમાઝ પઢી રહ્યાં હતા, આ દરમિયાન ઝોરબાએ તેમણે ચાકુના 2 ઘા જીકી દીધા હતા. હુમલો કરીને ભાગી રહેલા ઝોરબાને નમાઝીઓએ પકડી લીધો હતો.

    આ ઘટના બાદ ઈમામને નજીકના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, અહેવાલો મુજબ ઈમામના ફેફસામાં કાણું પડી ગયું છે, પરંતુ હાલ તેમની હાલત સ્થિર છે. આ ઘટનામાં હુમલો કરનાર વ્યક્તિ મૂળ તુર્કીનો છે, અને તેણે ઈમામ પર હુમલો કરવાનો ગુનો કબુલ્યો છે. આરોપીના કહેવા મુજબ ઈમામ ઇસ્લામનું અપમાન કરતા હતા, અને તે એક રાત પહેલા જ તેમની હત્યા કરવા માંગતો હતો.

    સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સેરીફ ઝોરબા મસ્જિદનો સભ્ય નથી. જો કે આ પહેલા પણ તે આ મસ્જિદમાં નમાઝ પઢી ચુક્યો હોવાની વાતો પણ સામે આવી હતી. આ ઘટનાના બે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પહેલા વીડિયોમાં આરોપી નમાઝ દરમિયાન ઈમામ પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. હુમલા બાદ તે ભાગવાનો પ્રયાસ કરે છે. બીજા વીડિયોમાં નમાઝીઓ તેને પકડીને માર મારતા જોવા મળી રહ્યો છે.

    એક સ્થાનિક કાઉન્સિલર અલ અબ્દેલ-અઝીઝે રમઝાન મહિના દરમિયાન મસ્જિદમાં ઇમામ પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને અમેરિકાના સ્થાનિક મુસ્લિમોને એકજુથ થવા માટે અપીલ કરી હતી. આ ઘટનાને પગલે પોલીસે સાવચેતીના ભાગરૂપે નજીકના ઈબાદતગાહોની સુરક્ષા વધારી દીધી છે.