Wednesday, April 24, 2024
More
    Home Blog Page 465

    વધુ એક અભિનેતાએ બોલિવુડની કાળી બાજુ છતી કરી: પ્રિયંકા ચોપરાનું સમર્થન કરતા વિવેક ઓબેરોયે કહ્યું- ‘હું ભાગ્યશાળી રહ્યો, અગ્નિપરીક્ષામાંથી પાસ થઈ ગયો’

    બોલિવુડમાં નેપોટીઝમ અને પ્રોપગેન્ડાનું રાજ છે એ વાત ખુદ કલાકારો પણ સ્વીકારે છે. થોડા સમય પહેલા એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ બોલિવુડ માફિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તો આજે વિદેશમાં સ્થાયી થઈ ચૂકેલી અને કહેવાતી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે બોલિવુડમાં તેની વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે અભિનેતા વિવેક ઓબેરોયે બોલિવુડ અંગે પોતાની વ્યથા વર્ણવી છે.

    અભિનેતાએ પ્રિયંકાના નિવેદનને ટાંકીને પોતાની વીસ વર્ષ જૂની કોન્ફરન્સને યાદ કરી હતી જેના પછી તેને બહુ કપરો સમય જોવો પડ્યો હતો. તેણે કહ્યું કે, પોતે નસીબદાર છે કે તે આવી પરિસ્થિતિમાંથી બહાર આવી ગયો છે. વિવેક ઓબેરોયે બોલિવુડ અંગે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીએ તેની અગ્નિપરીક્ષા લીધી, જેમાં તે પાસ થઈ ગયો. પરંતુ બધા આટલા ભાગ્યશાળી નથી હોતા.

    વિવેક ઓબેરોયે બોલિવુડ અંગે શું કહ્યું?

    વિવેકે કહ્યું કે, તેના વિરુદ્ધ ભરપૂર લોબિગ કરવામાં આવી હતી અને ખોટી વાતો ફેલાવવામાં આવી હતી, જેવું પ્રિયંકા ચોપરાએ કહ્યું તેવું એની સાથે પણ થયું હતું. વિવેકે કહ્યું કે, “ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હોલમાર્ક જ આ છે અને સૌથી મોટી ડાર્ક સાઈડ પણ. હું ખુદ એક સમયે આનાથી પીડિત હતો. આ તમને એટલું થકવી નાખે છે કે તમે કમજોર પડી જાઓ છો.”

    સમાજસેવા તરફ વળી ગયો વિવેક ઓબેરોય

    વિવેક ઓબેરોયે એ દિવસો યાદ કર્યા જ્યારે તેની ફિલ્મ ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ (2007) થિએટરમાં બહુ ચાલી હતી અને એવોર્ડ્સ પણ મેળવ્યા હતા. ફિલ્મ સફળ થઈ તેમ છતાં અભિનેતાને 14 મહિના ઘરે બેસવું પડ્યું હતું. વિવેકે કહ્યું કે, એ સમયે તે કંઈક એવું કરવા ઈચ્છતો હતો જે તેને ખરાબ સમયમાંથી બહાર લઈ જાય. એ પછી તે બિઝનેસ અને સમાજસેવામાં જોડાઈ ગયો. તેણે ઉમેર્યું કે, એક જગ્યાએથી નીકળીને બીજી નવી જગ્યામાં પોતાની ઓળખ બનાવવાની દિશામાં પ્રિયંકા ચોપરાનું નિવેદન પ્રેરક છે.

    વિવેક ઓબેરોયે કહ્યું કે પ્રિયંકા ચોપરા બહાર નીકળી ગઈ અને કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે તેની પર્સનલ અને પ્રોફેશનલ જિંદગીમાં ચમત્કાર થયા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા નિર્માતા અપૂર્વ અસરાનીએ દાવો કર્યો હતો કે 2012માં પ્રિયંકા ચોપરાએ સતત બે હિટ ફિલ્મો આપી હતી, જે પછી બોલિવુડમાં તેને સાઈડલાઈન કરવા માટે કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું.

    ‘મઝહબી વિચારધારા’ અને ‘ભારત વિરોધી મનસૂબા’: રામનવમી પર દેશમાં થયેલી હિંસા પર ઇસ્લામિક સહયોગ સંગઠનના પ્રોપગેંડા ફેલાવવાના પ્રયત્ન પર ભારત સરકારે જડબાતોડ જવાબ આપ્યો

    ઇસ્લામિક દેશોના સંગઠન OIC (Organisation of Islamic Cooperation) એટલે કે ઇસ્લામિક સહયોગ સંગઠન દ્વારા ભારતમાં રામનવમી દરમિયાન થયેલી હિંસાને લઈને પ્રોપગેંડા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મુસ્લિમો વિષે ચિંતા વ્યક્ત કરવાના નામે હિંદુઓને કટ્ટરપંથી અને મુસ્લિમોને પીડિત દેખાડવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ રામનવમી પર હિંસા બાબતે OICના પ્રોપગેંડા ફેલાવવાના પ્રયત્ન પર ભારત સરકારે જડબાતોડ જવાબ આપ્યો હતો.

    અહેવાલો અનુસાર રામનવમી પર હિંસા બાબતે OICના પ્રોપગેંડા ફેલાવવાના પ્રયત્ન પર ભારત સરકારે જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે તેમની આ પ્રતિક્રિયા મજહબી વિચારશ્રેણી અને ભારત વિરોધી એજંડાનું મોટું ઉદાહરણ છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ OICની પ્રતિક્રિયા પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “OIC સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલા ભારત વિશેના નિવેદનની આકરી નિંદા કરીએ છીએ. તેમનું આ નિવેદન તેમની સાંપ્રદાયિક માનસિકતા અને ભારત વિરોધી એજંડાનું વધુ એક ઉદાહરણ છે. ભારત વિરોધી તાકતોના ઝાંસામાં આવીને OIC તેમની પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યું છે.”

    શું હતું OICનું વાંધાજનક નિવેદન?

    તાજેતરમાં રામનવમી પર દેશ ભરમાં થયેલી હિંસાની ઘટનાઓને ટાંકીને ઓઆઈસીએ 4 એપ્રિલના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “OIC સચિવાલય રામનવમી શોભા યાત્રા દરમિયાન ભારતના ઘણા રાજ્યોમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવેલી હિંસા અને તોડફોડની ઘટનાઓથી ચિંતિત છે. કટ્ટરપંથી હિન્દુઓના ટોળાએ 31 માર્ચે બિહારશરીફમાં એક મદરેસા અને પુસ્તકાલયને આગ ચાંપી દીધી હતી. OIC ભારતીય અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને દેશમાં મુસ્લિમોની સલામતી અને સલામતી સુનિશ્ચિત કરવા આહ્વાન કરે છે.”

    OIC ના આ નિવેદન બાદ ભારત સરકારે રોકડો જવાબ આપતા પ્રતિક્રિયા આપી હતી. અહી નોંધનીય છે કે ભારતના 7 રાજ્યોના અનેક જગ્યાએ રામનવમી શોભા યાત્રાને નિશાન બનાવી તેના પર હુમલાઓ થવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં શોભા યાત્રા પર હુમલા મસ્જિદ પાસે જ થયા છે.

    ગુજરાતના વડોદરામાં, પશ્ચિમ બંગાળના હાવડામાં અને બિહારના સાસારામ અને બિહારશરીફમાં પણ હિંસા થઈ છે. બિહારશરીફમાં મદરેસા સળગાવવાની ઘટના સામે આવી છે. અહીં આગ કેવી રીતે લાગી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. કેટલાક લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે તોફાનીઓએ પોતાને પીડિત બતાવવા માટે જાણી જોઈને આગ લગાવી હોઈ શકે.

    OICના નિવેદનમાં મુસ્લિમોને પીડિત બતાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં છે, તેમણે “ઇસ્લામોફોબિયા” નામનો શબ્દ પણ પોતાના આધિકારિક નિવેદનમાં વાપર્યો છે.

    જોકે આ કોઈ પહેલી વાર નથી કે OIC એ ભારતની કોઈ આંતરિક બાબતમાં ભારતને મુસ્લિમ વિરોધી ગણાવીને પ્રોપગેંડા ચલાવ્યો હોય. આ પહેલા પયગંબર મોહમ્મદ પર કરાયેલી કથિત વિવાદિત ટિપ્પણી મામલે OIC એ ભારતને ઘેરતું નિવેદન આપ્યું હતું. તે સમયે પણ વિદેશ મંત્રાલયે પણ વળતો પ્રહાર કરીને રોકડો જવાબ આપતા OICની ટિપ્પણીની આકરી ટીકા કરી અને તેને ‘અયોગ્ય અને સંકુચિત માનસિકતા’વાળી ગણાવી હતી.

    કિંગ ઓફ સાળંગપુર: આજે હનુમાનજીની 30 હજાર કિલોની 54 ફૂટ ઊંચી મૂર્તિનું થશે અનાવરણ, હનુમાન જયંતીના દિવસે ગૃહમંત્રી અમિત શાહ નવી ભોજનશાળા ખુલ્લી મુકશે

    બુધવાર, 5 એપ્રિલ 2023ના દિવસથી દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે. આમ તો કષ્ટભંજન દેવ નામ બોલતા જ શ્રદ્ધાળુઓને હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું સ્મરણ થઈ આવે, પરંતુ હવે શ્રદ્ધાળુઓને વધુ એક દિવ્ય હનુમંત પ્રતિમાના દર્શન થવાના છે. આજે પ્રતિમાનું અનાવરણ થવાનું છે અને આવતી કાલે હનુમાન જયંતીના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયાની નવી ભોજનશાળાનું અનાવરણ કરશે.

    અહેવાલો મુજબ હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે બુધવારે સાળંગપુર ધામમાં 54 ફૂટ ઊંચી હનુમાન દાદાની આ પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરવામાં આવશે. ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજના હસ્તે હનુમાન દાદાની ભવ્ય અને વિશાળકાય મૂર્તિનું અનાવરણ થશે. જેને લઈને સાળંગપુર હનુમાનજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પાવન અવસરનો લ્હાવો લેવા માટે સાળંગપુરમાં અત્યારથી જ મોટાપાયે શ્રદ્ધાળુઓનો જમાવડો થઈ રહ્યો છે.

    જે બાદ 6 એપ્રિલે હનુમાન જયંતિના પાવન પર્વ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અહીં અત્યાધુનિક ભોજનાલયનું લોકાર્પણ કરવાના છે. દેશની પવિત્ર ભૂમિઓ પરથી માટી લાવીને આ સ્થાન પર પાથરવામાં આવી અને તેના પર ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે હનુમાન દાદાના દિવ્ય મહોત્સવને લઈને પોલીસ દ્વારા પણ ટ્રાફિકથી લઈને સુરક્ષા સુધી એમ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

    હરિયાણાના માનેસરમાં તૈયાર થઇ છે પ્રતિમા

    કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરવામાં આવ્યું છે. મૂર્તિ પંચધાતુથી બનાવવામાં આવી છે. 200થી 300 કારીગરોએ રોજના આઠ કલાક કામ કરીને પ્રતિમા તૈયાર કરી છે.

    જે બાદ મૂર્તિના અલગ-અલગ ભાગને સાળંગપુર લાવી અને પછી તેને જોડીને આ ભવ્ય રૂપ પ્રદાન કરવામાં આવ્યું છે.

    હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું કરાશે અનાવરણ

    આજે (5 એપ્રિલ) સાંજે પાંચ વાગ્યે હનુમાન દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવવામાં આવી છે અને 30 હજાર કિલો વજન ધરાવે છે. મૂર્તિની પૂજાવિધિ કર્યા બાદ રાતે ભવ્ય લોકડાયરાનું આયોજન પણ થવાનું છે.

    જે બાદ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીના પર્વ પર તેમની મંગળા આરતી કર્યા બાદ શણગાર આરતી કરવામાં આવશે. બપોરે 11 કલાકે કેક કાપીને તેમને શુભેચ્છા પાઠવવામાં આવશે. હનુમાન જયંતી પર સાળંગપુરમાં યજ્ઞ પણ યોજાવાના છે, જેમાં આશરે 500 દંપતી ભાગ લેશે. હનુમાન જયંતી પર મંદિરમાં આખો દિવસ ભક્તોની ભીડ રહેશે અને તેમને તકલીફ ન પડે તે માટે ત્યાં શરબત-છાશના કાઉન્ટર ગોઠવવામાં આવશે.

    ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની વિશેષતાઓ

    હનુમાન દાદાની ભવ્ય પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે. તો પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે.

    11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. પ્રતિમાનો બેઝ બનાવતા એક વર્ષનો સમય લાગ્યો હતો. 50 હજાર સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘનફૂટ લાઇમ ક્રોંકિટના ફાઉન્ડેશનથી બેઝ બનાવાયો છે. આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા.

    બેઝની ચારે બાજુ હનુમાન દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. સ્ટીલના સ્ટ્રક્ચરથી તૈયાર થયેલી આ પ્રતિમાને ભૂકંપની અસર થશે નહીં. પ્રતિમાના અલગ અલગ પાર્ટ એક હજાર કિમી દૂરથી સાળંગપુરમાં ગયા ઓક્ટોબરમાં લવાયા હતા. પ્રતિમા બનાવવા થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને સીએનસી મશીનનો ઉપયોગ કરાયો હતો.

    જેની આસપાસ હનુમાન ચરિત્રની કલાકૃતિઓને અંકિત કરવામાં આવી છે તે સંપૂર્ણ સાળંગપુર ધામ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં વિસ્તારવામાં આવ્યો છે.

    ભોજનાલયની ખાસિયત

    ‘કિંગ ઓફ સાળંગપુર’ની સાથે-સાથે અહીં પાસે જ એક હાઈટેક ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. જેનું કેન્દ્રીય મંત્રી અમિત શાહ અનાવરણ કરવાના છે.

    અહીં એકસાથે 10 હજાર લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને ભોજન લઈ શકશે. શ્રદ્ધાળુઓ માટે ભોજન બનાવવામાં અગવડતા ન પડે તે માટે ભવ્ય રસોડું પણ તૈયાર કરાયું છે.

    પંજાબમાં ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ વિડીયો પોસ્ટ કરીને પૈસા પડાવનાર યુવતીની ધરપકડ: કોંગ્રેસી નેતાની પણ સંડોવણી, ગેંગસ્ટરો મારફતે ધમકી અપાવતો હતો લક્કી સંધુ

    પંજાબના લુધિયાણામાં લોકોને હનીટ્રેપમાં ફસાવતી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરવામાં આવી છે. પોતાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કહેતી જસનીત કૌર ઉર્ફે રાજબીર કૌર તેના અશ્લીલ ફોટોઝ શેર કરીને સોશિયલ મીડિયા ફોલોઅર્સને ફસાવતી હતી. ત્યારબાદ તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવી લેતી હતી. આ મામલે જસનીતના સાથી લકી સંધુની પણ ધરપકડ કરવામાં આવી છે, જે કોંગ્રેસનો નેતા પણ છે.

    લુધિયાણા પોલીસના જણાવ્યા મુજબ, તેમને એક લોકલ બિઝનેસમેન તરફથી ફરિયાદ મળી હતી કે જસનીત કૌર તેને બ્લેકમેલ કરી રહી છે. ઇન્ફ્લુએન્સર પર એવા આરોપ પણ છે કે તે કેટલાક ગેંગસ્ટરોના પણ સંપર્કમાં હતી જે લોકોને ધમકીઓ આપતા હતા.

    જસનીત કૌર સામે લુધિયાણામાં મોડેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં 1 એપ્રિલના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ બાદ તેની બીએમડબલ્યુ કાર અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. જસનીત કૌરને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

    કોંગ્રેસ નેતાની પણ સંડોવણી

    જસનીત કૌરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની પણ તપાસ થઈ રહી છે જેથી અન્ય ફોલોઅર્સ પણ બ્લેકમેલિંગમાં ફસાયેલા છે કે નહીં તે ખ્યાલ આવે. પોલીસના જણાવ્યા મુજબ જસનીતના બે લાખ ફોલોઅર્સ છે.

    તપાસમાં સામે આવ્યું છે કે જસનીત સાથે આ કામમાં તેના મિત્ર અને કોંગ્રેસ નેતા લક્કી સંધુની સંડોવણી પણ છે. તે જસનીતને લોકોને ફસાવવામાં મદદ કરતો હતો.

    કોણ છે જસનીત કૌર?

    જસનીત કૌર સંગરૂરની રહેવાસી છે. તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જસનીતે પૈસા કમાવા માટે ઇન્સ્ટાગ્રામ પર એડલ્ટ રીલ નાખવાનું શરુ કર્યું હતું. તેને એવી લાલચ હતી કે આ પ્રકારની રીલ્સ પોસ્ટ કરવાથી તેના ફોલોઅર્સ વધશે અને ફેમસ થઈ જાય તો પૈસા પણ કમાઈ શકશે. જોકે, તેની આ ઈચ્છા પૂરી ન થતાં તેણે બ્લેકમેલિંગ શરુ કર્યું હતું.

    પહેલા પણ થઈ ચૂકી છે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ

    પ્રારંભિક તપાસમાં જ એવું જાણવા મળ્યું છે કે જસનીત કૌર ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે. તેના પર 2018માં પણ આવા જ આરોપો લાગ્યા હતા અને મોહાલીમાં તેન ધરપકડ થઈ હતી.

    ગેંગસ્ટરો મારફતે ધમકી આપતી હતી જસનીત

    લુધિયાણાનો બિઝનેસમેન ગુરબીર જસનીતની જાળમાં ફસાઈ ગયો હતો. જસનીતે ગુરબીરને બ્લેકમેલ કર્યા બાદ એક કરોડ રૂપિયા માગ્યા હતા. આ મામલે ગુરબીરે મોહાલીમાં કેસ નોંધાવ્યો હતો. તેમ છતાં જસનીતે હદ પાર કરી અને ગેંગસ્ટર મારફતે ધમકીઓ અપાવવા લાગી. ત્યારબાદ ગુરબીર લુધિયાણાના મોડલ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે એ પછી જસનીતની ધરપકડ કરી લીધી હતી.

    કોંગ્રેસ નેતાની ગેંગસ્ટરો સાથે લિંક

    પોલીસે આ કેસની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે ધમકીઓ આપનારો સાહનેવાલના લક્કી સંધુનો ખાસ છે. પોલીસનું કહેવું છે કે કોંગ્રેસ નેતા લક્કીની ગેંગસ્ટરો સાથે લિંક છે. તેની કોલ ડિટેલ્સ પણ તપાસવામાં આવી રહી છે.

    ‘રાત્રીના અંધારામાં રામ નવમી પર લગાવેલા ભગવા ઝંડા ફાડીને, પગથી કચડી નાખ્યા…’ વીડિયો વાયરલઃ દિલ્હી પોલીસે CCTVના આધારે અઝીમની ધરપકડ કરી

    દિલ્હીમાં રામ નવમીના અવસર પર લગાવવામાં આવેલા ભગવા ધ્વજને કચડી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગભગ 28 સેકન્ડના આ વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ અઝીમ તરીકે થઈ છે. પોલીસે અઝીમ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી પોલીસે અઝીમ વિરુદ્ધ IPCની કલમ 153A અને 295A હેઠળ કાર્યવાહી કરી છે. આ મામલો દિલ્હીના શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંની ગલી નંબર 8માં રહેતા સાગરે અઝીમ વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે ભગવા ધ્વજને અપમાનિત કરતા અઝીમના કૃત્યનો વીડિયો પણ પોલીસને આપ્યો હતો.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના અંધારામાં કુર્તા-પાયજામા પહેરેલો વ્યક્તિ પહેલા શેરીમાં લટકેલા ભગવા ધ્વજને ફાડે છે અને પછી તેને પગથી કચડવા લાગે છે. 28 સેકન્ડના આ વીડિયોના અંતે આરોપી તેના ઘરે જાય છે. પોલીસ તપાસમાં આ કૃત્ય કરનાર આરોપી અઝીમ હોવાનું બહાર આવ્યું છે, જેની ધરપકડ કરવામાં આવી છે.

    દેશના વિવિધ ભાગોમાં રામ નવમીના દિવસે હિંસા

    નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે રામ નવમી પર દેશના વિવિધ ભાગોમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંસા કરવામાં આવી હતી. બિહાર, બંગાળ, ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્ર આ હિંસાથી ખાસ પ્રભાવિત થયા છે. ગયા વર્ષે રામ નવમી પર દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા પછી, વહીવટીતંત્ર આ વખતે શોભાયાત્રાને મંજૂરી આપવા માટે આનાકાની કરી રહ્યું હતું. જો કે બાદમાં હિન્દુ સંગઠનોએ ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.

    બિહારમાં પણ રામ નવમી શોભાયાત્રા દરમિયાન નાલંદા જિલ્લાના બિહાર શરીફ અને બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાં હિંસા શરૂ થઈ હતી. ઘણી જગ્યાએ આગચંપીથી લઈને ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ સુધીના સમાચારો સામે આવ્યા હતા. અત્યાર સુધીના અહેવાલો અનુસાર બિહાર શરીફ અને નાલંદામાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ નથી. બિહાર પોલીસે હિંસામાં સામેલ 187 લોકોની ધરપકડ કરી છે. હિંસાગ્રસ્ત બંને જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

    ગુજરાતના ઉના અને વડોદરામાં પણ આ જ પ્રકારની હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં કટ્ટરપંથીઓએ હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાની સામે ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવ્યા હતા.

    ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે: પોતાના રાજ્યમાં થયેલ હિંસા માટે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ ભાજપને જણાવી જવાબદાર; કહ્યું ‘વામ અને રામ એ હાથ મિલાવ્યા’

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં થયેલી હિંસાને લઈને ભારતીય જનતા પાર્ટીની સરખામણી વામપંથીઓ સાથે કરી નાખી છે. રામનવમીની શોભાયાત્રા દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી ઉઠી હતી અને મમતા બેનર્જીએ આ માટે બીજેપીને જવાબદાર ઠેરવી છે. મમતાએ કહ્યું કે, “પાર્ટી એક સમુદાયને બીજા સમુદાયની સામે ઉશ્કેરીને હિંદુ ધર્મને બદનામ કરી રહી છે”.

    હિંસા એ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ નથી

    પશ્ચિમ બંગાળમાં હિંસા અને રમખાણો અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, “બીજેપી રાજ્યમાં ‘ગુંડાઓ’ લઈને આવી છે. હિંસા એ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ નથી. બીજેપી દંગાઓને ઉશ્કેરે નહીં એ માટે મારે હંમેશા સતર્ક રહેવું પડશે. તેઓ સમજતા નથી કે બંગાળના લોકોને હિંસા પસંદ નથી. અમે રમખાણો નથી કરતા, સામાન્ય પ્રજા દંગાથી નથી ઉશ્કેરાતી. જ્યારે બીજેપી પોતે દંગા ન કરી શકે ત્યારે તે બહારથી લોકોને લાવે છે.”

    ‘વામ’ અને ‘રામ’એ અમારી સામે હાથ મિલાવ્યા

    ખેજુરીમાં એક સભાને સંબોધિત કરતા CMએ બીજેપીને વામપંથીઓ સાથે સરખાવ્યા હતા. તેમણે એવું કહ્યું હતું કે, “રામનવમી દરમિયાન જે યુવાનોના હાથમાં તમે હથિયારો જોયા હતા… CPI (M) પણ એવું જ કરતી હતી. તમે CPI(M) દ્વારા કરાયેલા અત્યાચારને ભૂલી ગયા? ‘વામ’ (વામપંથી) અને ‘રામ’ (બીજેપી)એ અમારી સામે હાથ મિલાવ્યા છે.”

    અમિત શાહ પર કર્યો કટાક્ષ

    બિહારમાં હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવું નિવેદન આપ્યું હતું કે ‘તોફાનીઓને ઉલટા લટકાવવામાં આવશે’. મમતા બેનર્જીએ તેનો ઉલ્લેખ કરીને બીજેપી પર પ્રહાર કર્યા કે, “અહીં તેમના ગુંડાઓ સાથે શા માટે આવું નથી કરતા?”

    નોંધનીય છે કે, બંગાળમાં છેલ્લા અઠવાડિયામાં હાવડા અને હુગલી જિલ્લામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસાના બે બનાવ બન્યા હતા. ટીએમસી અને ભાજપ આને લઈને સામસામે આક્ષેપો કરી રહ્યા છે.

    મસ્જિદની બહાર શોભાયાત્રા પર હુમલો થયો

    ભાજપે એવો આક્ષેપ કર્યો હતો કે હુગલી જિલ્લામાં રિશરામાં એક મસ્જિદની બહાર રામનવમીની રેલી પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના સ્થાનિક ધારાસભ્ય પણ ઘાયલ થયા છે. તો શુક્રવારે રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. રિપોર્ટ મુજબ, વાહનોને આગ ચાંપવામાં આવી હતી, દુકાનો અને ઓટો-રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી.

    ઇસ્લામવાદીઓ અને ઓલ્ટન્યૂઝના ઝુબેર જેવા ઓનલાઈન ખલીફાઓ હિંદુ એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીને ટાર્ગેટ કરવા થયા છે તૈયાર: જાણો ઉના હિંસાનો હમણાં સુધીનો ઘટનાક્રમ

    ગત 30 માર્ચ 2023ના દિવસે ગીર-સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના ઉપલક્ષમાં રામજી ભગવાનની એક શોભાયાત્રા યોજાઈ હતી. જે બાદ યોજાયેલ ધર્મસભામાં હિંદુ વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ કર્યું હતું. તે ભાષણ વિવાદિત હોવાનું બહાનું કાઢીને સ્થાનિક મુસ્લિમોએ આખા શહેરને બાનમાં લીધું હતું અને 2 દિવસ સુધી પથ્થરમારા અને આગચંપી કરી હતી. જે બાદ હવે કાજલ સિંગલા (Kajal Hindustani) મોટા ભાગના ઇસ્લામવાદીઓ સમેત કથિત ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર દ્વારા ટાર્ગેટ થયેલા જોવા મળે છે.

    ગુજરાત અને દેશભરમાં રામનવમીની શોભાયાત્રાઓ પર ઠેર ઠેર થયેલ પથ્થરમારાની ઘટનાઓ સામે આવ્યા બાદ ઇસ્લામવાદીઓ હંમેશાની જેમ તેનો આરોપ હિંદુઓ પર જ થોપવા માટે મથી રહ્યા છે. તેવા જ એક પ્રયાસમાં તેઓએ કાજલ હિન્દુસ્તાનીને નિશાન બનાવી છે.

    નવરાત્રીની એ શોભાયાત્રાથી લઈને હવે જયારે હિન્દુત્વ વોચ અને ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર જેવા પંકાયેલા ઇસ્લામવાદીઓએ ટ્વીટર પર કાજલ હિન્દુસ્તાનીએ ટાર્ગેટ કરવા સુધીના સમગ્ર ઘટનાક્રમ પર આપણે એક નજર મારીએ.

    30 માર્ચ- ઉનામાં રામજીની શોભાયાત્રા અને ધર્મસભા

    30 માર્ચ 2023ના દિવસે હિંદુઓના આરાધ્ય એવા ભગવાન શ્રીરામનો જન્મોત્સવ એટલે કે રામનવમી હતી. આ દિવસે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે રામજીની એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ શોભાયાત્રામાં પ્રખર હિંદુત્વવાદી વક્તા એવા કાજલ હિન્દુસ્તાની પણ પહોંચેલા હતા. આ શોભાયાત્રા બાદ એક વિષયલ જાહેર સભા ‘ધર્મસભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

    અહેવાલો મુજબ ઉનામાં યોજાયેલ આ રામજીની શોભાયાત્રામાં 30 હજારથી વધી લોકો જોડાયા હતા. શોભાયાત્રા બાદ ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત સનાતની વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ આપ્યું હતું. જ્યાં કાજલ હિન્દુસ્તાનીએ પોતાના ભાષણમાં લવજેહાદ અને લેન્ડ જેહાદ સહિતના મુદ્દાઓ પર બોલ્યાં હતાં. 

    31 માર્ચ- મુસ્લિમોએ કર્યો ચક્કાજામ અને લગાવ્યા ‘સર તન સે જુદા’ના નારા

    ઉનામાં થયેલ રામનવમીની શોભાયાત્રા દરમિયાન યોજાયેલી જાહેર સભામાં થયેલાં ભાષણોને ‘વિવાદિત’ ગણાવીને શુક્રવારે (31 માર્ચ, 2023) મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. 

    નોંધનીય છે કે આ જુમ્માનો દિવસ હતો. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં મુસ્લિમ યુવાનો ‘સર તન સે જુદા’ના નારા લગાવતા જોવા મળે છે. પોલીસ સ્ટેશનની સામે જ આ ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ના નારા લાગતા જોવા મળ્યા હતા.

    1 એપ્રિલ- સવારે ગીર-સોમનાથ એસપી દ્વારા સમાધાનનો પ્રયાસ, સાંજે ઇસ્લામવાદીઓનો પથ્થરમારો

    શુક્રવારે સાંપ્રદયિક તણાવને લઈને ઉના પોલીસે બીજા દિવસે બંને સમુદાયના અગ્રણીઓને બોલાવીને સમાધાન માટે એક બેઠકનું આયોજન કર્યું હતું પરંતુ આ બેઠકમાં પણ વિખવાદ થયો હતો. બેઠકમાં બંને સમુદાયો વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ માહોલ તંગ બનતાં મુસ્લિમ આગેવાનો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જેની જાણ શહેરમાં પણ થતાં વેપારીઓએ પણ ટપોટપ દુકાનો બંધ કરવા માંડી હતી અને સમગ્ર બજાર બંધ રહ્યું હતું.

    પછીથી ગીર સોમનાથ એસપીએ બંને સમુદાયના માત્ર પાંચ-પાંચ આગેવાનોને સર્કિટ હાઉસ ખાતે બોલાવીને સમાધાન કરાવ્યું હતું તો બીજી તરફ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 

    જોકે, આ બેઠક બાદ ફરી સાંજે વાતાવરણ બગડ્યું હતું અને શહેરમાં પથ્થરમારાની ઘટના બની હતી. મોડી સાંજે ઉનામાં કુંભારવાડા, કોળીવાડ અને ચંદ્રકિરણ સોસાયટી વિસ્તારોમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને આ દરમિયાન સોડાની બોટલો પણ ફેંકવામાં આવી હતી. જેના કારણે મોટી સંખ્યામાં ટોળું ફરી એક વખત રસ્તા પર ઉતરી આવતાં પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

    2 એપ્રિલ- પોલીસ દ્વારા 70 તોફાનીઓની અટકાયત, કોમ્બિંગમાં મળ્યા હથિયારોના ઢગ, હમલો પૂર્વઆયોજિત હોવાની શંકા

    શુક્રવારે (31 માર્ચ, 2023) મુસ્લિમ યુવાનોએ ચક્કાજામ કર્યો હતો તો ‘સર તન સે જુદા’ના નારા પણ લાગ્યા હતા. ત્યારબાદ શનિવારે સાંજે પથ્થરમારો થયો હતો. જે બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.

    પોલીસે ઉનામાં પથ્થરમારો કરનારા તોફાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને 70 લોકોની ધરપકડ કરી લીધી હતી. આ માટે પોલીસે આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું અને આરોપીઓને ઝડપી લીધા હતા. બીજી તરફ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, તેમજ SRPની ટીમો પણ તહેનાત કરવામાં આવી હતી.

    ઉનામાં પથ્થરમારા બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને તોફાનોમાં સામેલ લોકોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યાં હતાં. જે પૂર્વનિયોજિત કાવતરા તરફ પણ ઈશારો કરી રહ્યાં છે.

    આ હથિયારોમાં તલવાર, કુહાડી, છરી, ધારિયાં, લોખંડના પાઇપ, લાકડાં તથા જથ્થાબંધ કાચની બોટલો મળી આવી હતી. હાલ પોલીસે આ હથિયારો જપ્ત કરી લીધાં છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    2 એપ્રિલ: કાજલ હિન્દુસ્તાનીએ એક ઈન્ટરવ્યુંમાં આપ્યા ઉઠી રહેલા સવાલોના જવાબ

    હવે જયારે જેહાદીઓ કાજલ હિન્દુસ્તાનીને ‘સર તન સે જુદા’ની ધમકીઓ આપવાનું શરૂ કરી ચુક્યા હતા, ત્યારે લોકો કાજલ હિન્દુસ્તાની પાસેથી પણ અપેક્ષા રાખીને બેઠા હતા કે તેઓએ પોતાના ભાષણમાં જે કહ્યું હતું તેના પર સફાઈ આપે.

    ઈન્ડિયા ટીવીના શો ‘સવાલ તો બનતા હૈ‘માં હિન્દુત્વની ફાયરબ્રાન્ડ નેતા કાજલ સિંગલા ઉર્ફે કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે આજે દેશમાં જો કોઈ હિંદુ શ્વાસ લે છે તો પણ કેટલાક લોકોને તે નફરતનું ભાષણ લાગે છે.

    કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે “આજે દેશમાં મુસ્લિમ બહેનોને સમાન હક્ક અને અધિકારો આપવામાં આવી રહ્યાં નથી. ભારતમાં મહિલાઓને પુરૂષો કરતા વધુ અધિકારો છે પરંતુ મુસ્લિમ સમાજમાં મહિલાઓને તેમના અધિકારો આપવામાં આવતા નથી.”

    તેમણે કહ્યું કે “મેં આજ સુધી ક્યારેય કોઈ જાતિ, ધર્મ અને કોઈના ભગવાન વિશે ખરાબ નથી કહ્યું. મેં સાચું કહ્યું છે અને જો આમાં પણ કોઈને ખરાબ લાગતું હોય તો તેના માટે હું જવાબદાર નથી.”

    તેમણે કહ્યું કે “PFIની આ યોજના હેઠળ દેશમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્મ પરિવર્તનની ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું કે PFI ભારત માટે એક ઝેરીલું સંગઠન છે, જે મુસ્લિમ યુવાનોને કટ્ટરવાદ, આતંકવાદ અને અલગતાવાદ શીખવે છે.”

    તેમણે કહ્યું કે “હું તેમની યોજનાની વિરુદ્ધ બોલું છું જે લવ અને લેન્ડ જેહાદ છે, તેથી મને નથી લાગતું કે હું કંઈ ખોટું બોલી રહી છું અથવા તે નફરતનું ભાષણ છે.” કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે “જ્યારે હું મુસ્લિમ સમાજની મહિલાઓના હિત માટે સમાન સિવિલ કોડની વાત કરું છું ત્યારે તે લોકોને ખરાબ લાગે છે.”

    નોંધનીય છે કે જયારે કોઈ મુસ્લિમ અથવા ઈસાઈ વ્યક્તિ દ્વારા પોતાની સાચી ઓળખ અને ધર્મ છુપાવીને કોઈ હિન્દૂ યુવક/યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવામાં આવે, લગ્ન કરવામાં આવે અથવા તો લગ્ન બાદ તેમના પર ધર્માંતરણ કરવામાં આવે તેને લવ જેહાદ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ગુજરાતભરમાં લવ જેહાદના કિસ્સાઓમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે.

    આ જ રીતે જયારે કોઈ મુસ્લિમ અથવા ઈસાઈ વ્યક્તિ દ્વારા પોતાની ઓળખ અથવા ધર્મ છુપાવીને, અથવા બીજાના નામ સાથે, અથવા બળજબરી પૂર્વક અન્યની કે સરકારની માલિકીની જમીન પચાવી પાડવામાં આવે ત્યારે તેને લેન્ડ જેહાદ તરીકે ઓળખવામાં આવે છે. આવા કિસ્સાઓમાં મોટા ભાગે આવી પચાવી પડેલી જમીનો પર મસ્જિદો કે મજારો બનાવેલી હોવાનું માલુમ પડતી હોય છે.

    3 એપ્રિલ- કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ

    રામનવમીની શોભયાત્રા દ્વારા યોજાયેલ ધર્મસભામાં પોતાના વકતવ્યમાં કાજલ હિન્દુસ્તાનીએ હિંદુઓને લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, ‘મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરશે તો ફાયદા થશે’.

    બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી.

    જે બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 295 A 153 એ અને 505 મુજબ ગુનો નોંધાયો છે. જે પૈકી 153 A અંતર્ગત કોઈપણ વ્યક્તિ બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવું નિવેદન કે ભાષણ કરે તેવા કિસ્સામાં આ ધારાનો ઉપયોગ થાય છે તથા 295 A ઉશ્કેરીણીજનક ભાષણ આપવાના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે.

    આ દરમિયાન સતત જુદા જુદા સોશિયલ મીડિયા પર ઇસ્લામવાદીઓ પુરી ઉગ્રતા સાથે કાજલ હિન્દુસ્તાની પર નિશાન તાકી રહ્યા હતા.

    4 એપ્રિલ- ઈકોસીસ્ટમ થઇ એક્ટિવ, હિન્દુત્વવોચ અને ઝુબૈર જેવા હિંદુદ્વેષીઓએ ટ્વીટર પર ઝહેર ઓકવાની કર્યું શરૂ

    આખરે હંમેશાની જેમ ઇસ્લામવાદીઓએ કરેલી હિંસા અને તોફાનોનું ઠીકરું હિંદુઓના માથે ફોડવાનું આયોજનપૂર્વકનું કાવતરું શરૂ કરી દીધું. હમણાં સુધી છૂટાછવાયા ઇસ્લામવાદીઓ સોશિયલ મીડિયા પર કાજલ હિન્દુસ્તાનીને ટાર્ગેટ કરી રહ્યા હતા.

    પરંતુ હવે આ વિષયના કુખ્યાત અને પંકાયેલા ખેલાડીઓ મેદાનમાં આવી ગયા હતા. સૌ પહેલા કુખ્યાત હિન્દુત્વવૉચ નામના ટ્વીટર અકાઉન્ટે કાજલ હિન્દુસ્તાનીનો એક વિડીયો ટાંકીને લખ્યું કે, “હિંદુ જાગૃતિ સંમેલનમાં, કાજલ શિંગ્લા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની, જે પુનરાવર્તિત અપરાધી છે, તેણે મુસ્લિમોને ટાર્ગેટ કરીને દ્વેષપૂર્ણ ભાષણ આપ્યું અને હિંદુઓને જાગી જવા અને પોતાનો બચાવ કરવા માટે હથિયાર ઉપાડવાનું આહ્વાન કર્યું.”

    અહીંયા જેમ કે વીડિયોમાં સાંભળી શકાય છે અને જે હિન્દુત્વવૉચે પોતે લખ્યું એમ હિન્દુસ્તાની હિંદુઓને પોતાના પર આવી રહેલા સંકટ સામે પોતાની રક્ષા માટે હથિયાર ઉઠાવવાનું કહી રહ્યા છે. વિડીયોના કોઈ પણ ભાગમાં તેઓ ક્યાંય હિંદુઓને સામેથી હથિયાર લઈને કોઈના પર હુમલો કરવાનું કહ્યું હોય એવું સંભળાતું નથી.

    જે બાદ થોડી જ વારમાં ઓલ્ટન્યુઝના સહ-સ્થાપક અને કથિત ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર પણ મેદાનમાં આવી ગયા. તેણે હિન્દુત્વવૉચના જ એ વીડિયોને ક્વોટ કરીને દિલ્હી પોલીસને મેંશન કરીને લખ્યું કે, “કાજલ સિંગલા (કાજલ હિન્દુસ્તાની) કહે છે, ‘ઉઠો હિંદુઓ, ઉભા થાઓ, તમારી જાતને સુરક્ષિત કરો’
    શું આ હથિયાર ઉપાડવાની ઉશ્કેરણી નથી?”

    અહીં પણ આ ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર પોતાની રક્ષા માટે હથિયાર ઉઠાવવાના આહવાનને ઉશ્કેરણીજનક દર્શાવી રહ્યો છે. નોંધનીય છે કે આ એ જ ફેક્ટચેકર છે જેણે ભૂતકાળમાં આવી જ રીતે પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માને પણ આ રીતે સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કર્યા હતા અને પરિણામે તેમને ઇસ્લામવાદીઓ તરફથી ‘સર તન સે જુદા’ કરવાની ધમકીઓ મળી હતી.

    ઝુબૈરની એ ઉશ્કેરણી બાદ જ કટ્ટરવાદીઓએ ઉદયપુરમાં કન્હૈયા લાલ નામના એક દરજીની માત્ર એટલા માટે હત્યા કરી હતી, કારણ કે તેમણે સોશિયલ મીડિયામાં નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકી હતી.

    તે બાદ તેની જ ઉશ્કેરણીમાં આવીને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની પણ ઇસ્લામવાદીઓએ ગાળું કાપીને ક્રૂર હત્યા કરી દીધી હતી. તેમનો ગુન્હો પણ એટલો જ હતો કે તેમણે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી.

    જે રીતે આ ઇસ્લામવાદીઓ અને ખાસ કરીને ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર જેવા ઉશ્કેરણીખોરોએ સોશિયલ મીડિયા માથે લઈને નૂપુર શર્માનું જીવવું હરામ કરી દીધું હતું તેવી જ પરિસ્થિતિ હવે તેઓ કાજલ હિન્દુસ્તાની માટે ઉભી કરવા માંગતા હોય તેવું જોઈ શકાય છે.

    નોંધનીય છે કે 2 એપ્રિલ બાદથી કાજલ હિન્દુસ્તાનીના કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર કોઈ પોસ્ટ કે સ્ટેટ્સ જોવા નથી મળ્યા. ઑપઇન્ડિયાની ટીમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમનો સંપર્ક પણ નથી થઇ રહ્યો. જો યાદ કરીએ તો આવી જ પરિસ્થિતિ જયારે પૂર્વ ભાજપા પ્રવક્તા નૂપુર શર્માને ‘સર તન સે જુદા’ની ધમકીઓ મળવાની શરૂ થઇ ત્યારે જોવા મળી હતી.

    જોવાનું એ પણ રહેશે કે શું કાજલ હિન્દુસ્તાનીને પણ પોતાની આગળની જિંદગી નૂપુર શર્માની જેમ જેહાદીથી ડરીને છુપાઈને કાઢવાની રહેશે કે પછી આ વખતે સરકાર અને તંત્ર સ્થિતિ બગાડતા પહેલા તેને રોકવા માટે કોઈક પગલાં લેશે!

    હાઇકોર્ટ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે હિંસા પર રીપોર્ટ માંગ્યો: રામનવમી પર્વ દરમિયાન થઈ હતી હિંસા

    રામનવમી પર પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર રાજકારણતો ચાલુ જ છે, પરંતુ મમતા સરકાર પર હાઇકોર્ટ કોર્ટ અને ગૃહ મંત્રાલય કડક વલણ અપનાવી રહ્યા છે. એક તરફ કોર્ટ બંગાળની મમતા બેનર્જી સરકારને ઠપકો આપી રહી છે, તો બીજી તરફ ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે હિંસા પર વિસ્તૃત રિપોર્ટ માંગ્યા છે.

    પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકંતા મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્રમાં મજુમદારે હિંસા વિશે વિસ્તારથી લખ્યું છે. તેમણે લખ્યું છે કે કેવી રીતે રામનવમી પર ધાર્મિક કાર્યક્રમો, રામ ભક્તો અને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસ સાથે વાત કરી હતી.

    તેવામાં હવે ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે રીપોર્ટ માંગ્યા છે. સુકાંત મજુમદારે પોતાના પત્રમાં લખ્યું હતું કે, “ગઈકાલે સાંજે હુગલી જિલ્લાના રેલવે સ્ટેશનો પર ભારે પથ્થરમારો થયો હતો, જેના કારણે ટ્રેન સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના શાસક પક્ષ એટલે કે ટીએમસી અને તેના ટોચના નેતૃત્વના સમર્થન વિના આ હિંસા ચાલુ રાખવી શક્ય નથી.”

    “સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે હાલના ડીજીપી મનોજ માલવિયાના નેતૃત્વ હેઠળ પોલીસની ભૂમિકા, જેણે તેની કરોડરજ્જુ અને નિષ્પક્ષતા સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. સામાન્ય લોકો અને ખાસ કરીને અસરગ્રસ્ત હિંદુઓના જાનમાલની રક્ષા કરવાને બદલે લઘુમતી કોમના અસલી ગુનેગારો અને સામે આંખ આડા કાન કરી રહ્યા છે.”

    મજુમદારે પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે, “અસલી ગુનેગારો વિશેના સીસીટીવી ફૂટેજ અને વીડિયો પહેલાથી જ ફેલાવવામાં આવી રહ્યા છે. તેમને સરળતાથી ઓળખી શકાય તેમ છે. જો કે, માત્ર મુખ્યમંત્રીને જ ખુશ કરવામાં આવી રહ્યા છે, જે લઘુમતી વોટબેંક માટે ગુનેગારો અને રાષ્ટ્રવિરોધી પરિબળોને ખુલ્લેઆમ છાવરી રહ્યા છે. “

    તેમણે આગળ લખ્યું કે, રાજ્ય સરકાર ભાજપના ધારાસભ્યો અને સાંસદોને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં જતા રોકી રહી છે. તેમણે તેમ પણ કહ્યું કે ટીએમસીના નેતાઓ આ વિસ્તારોમાં મુક્તપણે ફરી રહ્યા હતા, પરંતુ તેમને પાંચ કિલોમીટર અગાઉથી જ રોકી દેવામાં આવ્યા હતા.

    રાજ્યમાં થયેલી હિંસાને લઈને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલાની સુનાવણી 3 એપ્રિલ, 2023 સોમવારના રોજ થઈ હતી. કોર્ટે આ હિંસા માટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે મમતાની સરકાર પાસે 5 એપ્રિલ 2023 સુધી રિપોર્ટ માંગ્યો છે.

    ‘ટોળું પેટ્રોલ બોમ્બ લઈને આવ્યું ને અમારી દુકાનો ભડકે બાળી’: મીડિયા સામે બિહારના પીડિત હિંદુઓની પીડા છલકાઈ, કહ્યું- આજીજી કરવા છતાં ફાયર બ્રિગેડ ન આવી

    એક તરફ લોકો મર્યાદા પુરસોત્તમ ભગવાન રામનો જન્મોત્સવ મનાવી રહ્યા હતા, તો બીજી તરફ દેશના અનેક હિસ્સાઓ સાંપ્રદાયિક હિંસાની આગમાં ભડકે બળી રહ્યાં હતા. હિંસાની આ આગે બિહારના નાલંદા જિલ્લામાં પણ ભારે તબાહી મચાવી હતી. અહેવાલો અનુસાર, નાલંદાના બિહારશરીફમાં એક ટોળાએ હિંદુઓની દુકાનો અને ગોડાઉનોને આગ ચાંપીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. બિહારના નાલંદા હિંસામાં હિંદુઓની દુકાનો સળગાવાઈ ત્યાર બાદ મીડિયા સામે હિંસામાં પીડિત હિંદુઓની પીડા છલકાઈ.

    વાસ્તવમાં TV9 દ્વારા બિહારશરીફની સોગરા કોલેજની પાછળ હિંસક ઘટનાઓ અને આગચંપી વિશે એક વિશેષ અહેવાલ આપવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નાલંદા હિંદુઓની દુકાનો સળગાવાઈ હતી, અને હિંસામાં હિંદુઓની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.

    TV9 સાથે વાત કરતા ઉમેશ પ્રસાદ ગોસ્વામી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની 10 દુકાનોમાં નુકસાન થયું છે. તેમની દુકાનોમાંથી સામાન લૂંટીને આગ ચાંપી દેવામાં આવી હતી. આ નુકસાન વિશે પૂછતાં ઉમેશે કહ્યું હતું કે તેમની કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. સાથે જ અન્ય એક વ્યક્તિએ પણ કહ્યું હતું કે પહેલા દુકાનમાં ઘૂસીને લૂંટ કરવામાં આવી હતી. આ પછી, ગેટ તોડીને આગ ચાંપી દેવામાં આવી હતી.

    ઉમેશકુમારની દુકાનની બરાબર સામે આવેલી આ પુસ્તકની હોલસેલની દુકાન લગભગ એવી જ હાલતમાં છે. આ દુકાનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પીડિતોનું કહેવું છે કે તેમની દુકાનોમાં આગ લાગ્યાના 2-3 કલાક બાદ ફાયર બ્રિગેડ અહીં પહોંચી હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ ઘણું બધું બળીને રાખ થઇ ગયું હતું. લોકોએ કહ્યું હતું કે તેઓ ફાયર બ્રિગેડ મોકલવા માટે અધિકારીઓને આજીજી કરતા રહ્યા પરંતુ ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જ ન હતી.

    એક પીડિતે જણાવ્યા અનુસાર લગભગ 50-60 લોકોના ટોળાએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ભીડના હાથમાં પેટ્રોલ બોમ્બ હતા. આ પેટ્રોલ બોમ્બને સળગાવીને દુકાનો અને ગોડાઉનમાં ફેંકી દેવામાં આવ્યા હતા. એક પાઇપની દુકાનના માલિકે જણાવ્યું હતું કે દુકાનના એક ભાગમાં રાખેલી પાઇપો બચી ગઇ છે. પણ બાકીનું બધું જ બળી ગયું છે. આગચંપીના પીડિતોનું કહેવું છે કે બિહારશરીફમાં જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે પોલીસ પ્રશાસન ઘટના સ્થળેથી ગેરહાજર હતું.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થળ પર પોલીસની ગેરહાજરીના કારણે આરોપીઓને લૂંટ કરવા માટે પૂરતો સમય મળી ગયો હતો. દુકાનમાં સ્ટેશનરીની વસ્તુઓ હતી અને ત્યાં તેમની ઓફિસ પણ હતી. ભીડે બધે જ આગ ચાંપી દીધી. પીડિતોએ જણાવ્યું કે આગ લાગવાની માહિતી મળ્યા બાદ તેઓ મદદ લેવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ કોઈ જ પ્રકારની સુનાવણી થઈ ન હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં તો બધું ખતમ થઈ ગયું હતું.

    આ વીડિયોમાં મોટી વાત એ છે કે જ્યારે લોકોએ TV9 રિપોર્ટરને કહ્યું કે મંદિરમાં પણ આગ લગાવી દેવામાં આવી છે તો રિપોર્ટરે હાથ હલાવીને કહ્યું કે, “ના, ના, તે નથી બતાવવાનું.” અહી સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ ટોળું મંદિરને આગ લગાડે તો તેને દેશની સામે લાવીને દુનિયાને બતાવવામાં શું વાંધો છે? અમે આ દાવાઓની પુષ્ટિ નથી કરતા, પરંતુ જો પીડિતોએ આવું કહ્યું હોય તો તે તપાસનો વિષય છે.

    નાલંદાના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભંકરે જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. આરોપીઓની ઓળખ માટે સીસીટીવી અને ડીવીઆર, ડ્રોન અને વીડિયોગ્રાફી ફૂટેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. નાલંદા હિંસા દરમિયાન ફાયરિંગ પણ થયું છે. અનેક લોકો ઘાયલ થયા છે.

    વડોદરા રામનવમી હિંસા મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની ધારા 295A ઉમેરી: તલવાર લઈને ફરતા ઇસ્તિયાન શેખ સહીત વધુ 12 ઉપદ્રવીઓ ઝડપાયા

    વડોદરા રામનવમી હિંસામાં પોલીસે તલવાર લઈને ફરતા ઇસ્તિયાન ઇલ્યાસ શેખ સહીત વધુ 12ને ઝડપ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, આ ધરપકડ SIT દ્વારા કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ IPCની ધારા 295A (કોઈ પણ વર્ગ કે ધર્મનુ અપમાન અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે કરાયેલા કૃત્યો) ઉમેરાઈ છે. આ ઉપરાંત ફતેપુરા વિસ્તારમાં એક મસ્જીદ પરથી પથ્થરમારો કરનાર 2 સગા ભાઈઓને પણ પોલીસે ઝડપી પડયા છે.

    મળતા અહેવાલો અનુસાર વડોદરા રામનવમી હિંસામાં તલવાર લઈને ફરતા ઇસ્તિયાન ઇલ્યાસ શેખ પાસેથી તેણે સાથે રાખેલી તલવાર પોલીસે જપ્ત કરી છે. ઇસ્તિયાન વિરુદ્ધ સાર્વજનિક રીતે હથિયાર રાખવાની કલમો અનુસંધાન પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝડપાયેલા 12 આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ સામે આવેલા પુરાવાઓના આધાર પર તેમના વિરુદ્ધ પોલીસે આઈપીસીની ધારા 295A પણ જોડી હતી.

    ઉલ્લેખનીય છે કે વડોદરા (Vadodara) શહેરમાં રામનવમીના દિવસે ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો (Stone Pelting) થયા બાદ આ કૃત્યને અંજામ આપનારા ઉપદ્રવીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. અગાઉ 5 મહિલાઓ સહિત 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ અન્ય કેટલાક આરોપીઓ પોલીસને હાથ લાગ્યા છે. જેમાં મસ્જિદ પર ચડીને પથ્થરમારો કરનાર ઈસમ પણ સામેલ છે.

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. જેમાં એક વિડીયોમાં એક શખ્સ મસ્જિદ પર ચડીને પથ્થર ફેંકતો જોવા મળ્યો હતો. વડોદરા પોલીસ બે દિવસની તેની શોધખોળ કરી રહી હતી. આખરે રવિવારે (2 એપ્રિલ, 2023) તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેની ઓળખ નોમાન લિયાકત શેખ તરીકે થઇ છે.

    SITએ નોમાનના ભાઈ ફૈઝ શેખની પણ ધરપકડ કરી હતી. તોફાનો દરમિયાન ઇસ્તિયાન ઇલ્યાસ શેખ હાથમાં ખુલ્લી તલવાર લઈને, ચહેરા પર બુકાની બાંધીને ફરતો જોવા મળ્યો હતો. પાંજરીગર મહોલ્લામાં શોભાયાત્રા પર હુમલો થયા બાદ ઇસ્તિયાન ઇલ્યાસ શેખ હાથમાં તલવાર લઈને ફરતો જોવા મળ્યો હતો. તેની પણ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી. આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.