Tuesday, April 29, 2025
More
    હોમપેજમિડિયાઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અને 'જમાવટ'ના સહાનુભૂતિ ઊભી કરવાના પ્રયાસો!: ગેરકાયદે રહીને...

    ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અને ‘જમાવટ’ના સહાનુભૂતિ ઊભી કરવાના પ્રયાસો!: ગેરકાયદે રહીને ‘આતંકવાદ-અરાજકતા’ને પોષી રહેલા ઘૂસણખોરો માટે ‘કરુણ કહાણી’ઓ કેમ?

    સરકારે આખરે દેશના દુશ્મનો વિરુદ્ધ કાર્યવાહી ઉપાડી છે તો આપણે પણ તેમાં સહભાગી બનીને દેશની સુરક્ષાનું દાયિત્વ યોગ્ય રીતે નિભાવીએ. સરકાર આવા ઘૂસણખોરો વિરુદ્ધ ઝુંબેશ ઉપાડે અને આપણે તે અરાજક તત્વોને 'પીડિત' ગણાવતી ગેંગ સામે ઝુંબેશ ઉપાડીએ.

    - Advertisement -

    પહલગામ આતંકી હુમલા (Pahalgam terror attack) બાદ જ્યારે આખા દેશમાં પાકિસ્તાન પ્રત્યે રોષ હતો તેવા સમયે મોદી સરકાર પાકિસ્તાનીઓના વિઝા સ્થગિત કરી દે છે અને તાત્કાલિક ધોરણે દેશમાંથી નીકળી જવાના આદેશ આપી દે છે. દેશભરમાં સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો. પરંતુ તેના થોડા જ દિવસોમાં મીડિયાએ ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોની ‘કરુણ કહાણી’ઓ શરૂ કરી દીધી અને ભાવનાઓમાં વહી જઈને દેશના આક્રોશીત નાગરિકોને લાગણીમાં બાંધી દેવાનું શરૂ કરી દીધું.

    અહીં મુદ્દો એ નથી કે, ભારતીય મીડિયાએ કરુણ કથાઓ સંભળાવી. મુદ્દો એ છે કે, ખોટા સમયે સંભળાવી. એક તરફ દેશ 26 હિંદુઓના લોહી રેડાવાથી ઉકળી રહ્યો હતો અને બીજી તરફ મીડિયા આતંકી દેશ પાકિસ્તાનના નાગરિકો માટે સહાનુભૂતિ ઊભી કરી રહ્યો હતો. મીડિયાના આ કારસ્તાનમાં ગુજરાતી મીડિયાએ પણ યથાશક્તિ ફાળો આપ્યો હતો. દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખીને હવે જ્યારે રાજ્યમાં પણ ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી આદરવામાં આવી છે, ત્યારે આ જ ગુજરાતી મીડિયા હવે ચંડોળા તળાવના ઘૂસણખોરો માટે ‘કરુણ કહાણી’નો વિકસાવીને તેમને પીડિત ચિતરવાના વ્યર્થ પ્રયાસો કરી રહ્યું છે.

    આ મીડિયામાં એક નામ ‘જમાવટ’નું (Jamawat) પણ છે. જમાવટે ઇન્સ્ટાગ્રામ પર કેટલીલ રિલ પોસ્ટ કરીને ‘ઘૂસણખોરોના દર્દને વાચા આપવાનું’ કામ કર્યું છે. દેશની સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરતા આવા તત્વોને સાવરવા માટે સમાચારનો સહારો લેવામાં આવ્યો છે. ક્યાંક ઘૂસણખોરોના રહેવા માટેની ચિંતા કરવામાં આવી છે તો ક્યાંય તેમના પરિવારના વૃદ્ધની ફિકર દર્શાવવામાં આવી છે. આ બધા સમાચાર ઊભા કરીને ગુજરાત સરકારના નિર્ણય દ્વારા ઊભી થયેલી આ ઘટનાઓને લઈને સરકાર અને જનતા બંનેને ગિલ્ટમાં નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે.

    - Advertisement -

    પોતાનો અલગ પ્રોપગેન્ડા ચલાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ

    આતંકવાદ, અરાજકતા અને કટ્ટરતાને ડામવા માટે એક તરફ ગુજરાત સરકાર ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ની નીતિ અપનાવીને ઘૂસણખોરો, ખાસ કરીને બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ઐતિહાસિક કાર્યવાહી કરી રહી છે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અભિયાન ચલાવી રહી છે, ગેરકાયદે ઊભા કરાયેલા આતંક અને અરાજકતાના ગઢને ધ્વસ્ત કરી રહી છે, તેવામાં જમાવટ પોતાનો એક અલગ જ નેરેટિવ સેટ કરીને ગુજરાતના લોકોમાં ઘૂસણખોરો પ્રત્યે કરુણ સહાનુભૂતિ ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

    મીડિયાએ નિમિમત્તા અને દેશની આંતરિક સુરક્ષાને પ્રાથમિકતા આપીને અહેવાલો પ્રકાશિત કરવા જોઈએ. આતંકવાદ અને અરાજકતા સામેની લડાઈમાં સરકારની મક્કમતાને વધાવવાના સ્થાને તેને ગિલ્ટમાં મૂકવાનું બંધ કરવું જોઈએ. હવે સ્વયં ગુજરાત હાઇકોર્ટે ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે વસાહતોને ‘માટીમાં ભેળવી’ દેવાની ગુજરાત સરકારની કાર્યવાહીને લીલી ઝંડી આપી દીધી છે. તેવામાં અરાજકતા અને ઘૂસણખોરી વિરુદ્ધ સરકારની પડખે રહેવાના સ્થાને આરોપીઓને પીડત દર્શાવવાની આ પરંપરા બંધ થવી જોઈએ.

    મીડિયાએ ઘૂસણખોરો પ્રત્યે આવી સહાનુભૂતિ દર્શાવીને કરુણ કહાણીઓ ઊભી કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાના સ્થાને આંતરિક સુરક્ષા માટે આ ઘૂસણખોરો કેટલા ઘાતક સાબિત થઈ શકે છે તે દિશામાં જ્ઞાન આપવું જોઈએ. રાજ્ય અને દેશના લોકોને જણાવવું જોઈએ કે, ચંડોળા વિસ્તારમાં કેટલા ગેરકાયદે કામ થતાં હતા. અરે ઘણી વખત તો આતંકવાદ સાથે કનેક્શનના કિસ્સાઓ પણ પ્રકાશિત થતાં હતા. આ બધુ છોડીને મીડિયા આવા ઘૂસણખોરો માટે કરુણા ઉપજાવે એ ખરેખર ટીકાપાત્ર છે.

    ચાર બાંગ્લાદેશીઓની અલ-કાયદા સાથેની સંડોવણી- સરકાર

    ઘૂસણખોરો વિરુદ્ધ ચંડોળા તળાવમાં ચાલેલી કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષ હાઇકોર્ટ પણ પહોંચી ગયો હતો. હાઇકોર્ટમાં સરકારે શું જવાબ આપ્યો એ પણ આવા મીડિયાએ ધ્યાને લેવા જેવો છે. સરકારે રજૂઆત કરી હતી કે, ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યૂશન અને આતંકી સંગઠનો સાથે સંડોવણી સામે આવી છે. આ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટ છે. ચાર બાંગ્લાદેશીઓની અલ-કાયદા સાથેની સંડોવણી બહાર આવી છે, જેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જોકે, રાષ્ટ્રીય સિક્યુરિટીને જોતાં આ વિશેની સંપૂર્ણ માહિતી સરકારે આપી નથી અને એટલે જ કદાચ કોર્ટમાંને મીડિયા પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

    સરકારે એમ પણ કહ્યું છે કે, ડ્રગ્સ, મની લોન્ડરિંગ અને ખોટા દસ્તાવેજો બનાવવા જેવા ગુનાઓ પણ ચંડોળા તળાવમાં થતાં હતા. અરાજકતા અને આતંકવાદનો ગઢ બની ગયેલા આ ચંડોળા તળાવને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્ત કરવો સમયની જરૂરિયાત હતી. જો સરકારે આવું ન કર્યું હોત તો ગુજરાત કે દેશના અન્ય ભાગમાં પહલગામ જેવી ઘટના બનતા વાર ન લાગત. તેથી જમાવટ જેવા મીડિયા સંસ્થાનોએ આવા આતંકી માનસિકતાના, અરાજક ઘૂસણખોરોની ‘કરુણ કહાણી’ઓ દર્શાવીને તેમને પીડિત તરીકે દર્શાવવાનું બંધ કરવું જોઈએ.

    આ જ સમય છે અને યોગ્ય સમય છે. સરકારે આખરે દેશના દુશ્મનો વિરુદ્ધ કાર્યવાહી ઉપાડી છે તો આપણે પણ તેમાં સહભાગી બનીને દેશની સુરક્ષાનું દાયિત્વ યોગ્ય રીતે નિભાવીએ. સરકાર આવા ઘૂસણખોરો વિરુદ્ધ ઝુંબેશ ઉપાડે અને આપણે તે અરાજક તત્વોને ‘પીડિત’ ગણાવતી ગેંગ સામે ઝુંબેશ ઉપાડીએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં