હોમપેજદેશએક્સક્લુઝિવ: ચંદ્રશેખર આઝાદ વિરુદ્ધ FIR દાખલ કરાવવા દિલ્હી પહોંચ્યાં રોહિણી ઘાવરી, સાંસદ...

એક્સક્લુઝિવ: ચંદ્રશેખર આઝાદ વિરુદ્ધ FIR દાખલ કરાવવા દિલ્હી પહોંચ્યાં રોહિણી ઘાવરી, સાંસદ પર લગાવ્યા ગંભીર આરોપ

રોહિણી ઘાવરી ચંદ્રશેખર વિરુદ્ધ FIR દાખલ કરવા માટે દિલ્હી આવી પહોંચ્યાં હતાં. દરમિયાન તેમણે ઑપઇન્ડિયા સાથે વિશેષ વાતચીત કરી અને આપવીતી કહી સંભળાવી.

- Advertisement -

દલિતો માટે કથિત રીતે અવાજ ઉઠાવવાના દાવાઓ કરીને લાઈમલાઈટમાં આવેલા અને 2024ની લોકસભા ચૂંટણીને જીતી ચૂકેલા ચંદ્રશેખર આઝાદ (અગાઉ રાવણ તરીકે પણ જાણીતા હતા) પર ગંભીર આરોપો લાગ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતાં પીએચડી વિદ્યાર્થિની ડૉ. રોહિણી ઘાવરીએ ચંદ્રશેખર પર શારીરિક-માનસિક શોષણના આરોપો લગાવ્યા એ વાત હવે સુપેરે જાણીતી છે. આ મામલે ચંદ્રશેખર વિરુદ્ધ FIR દાખલ કરવા માટે તેઓ દિલ્હી આવી પહોંચ્યાં હતાં. દરમિયાન તેમણે ઑપઇન્ડિયા સાથે વિશેષ વાતચીત કરી અને આપવીતી કહી સંભળાવી.

ડૉ. રોહિણી જણાવે છે કે,

“આ બધું 2021થી શરૂ થયું હતું, જેનો હું અગાઉ ઘણી વખત ઉલ્લેખ કરી ચૂકી છું. મેં આ વાત મારા લોકો, મીડિયા અને અન્ય મંચો પર કહી છે. હું આજે દિલ્હીમાં FIR નોંધાવવા માટે સ્વિટ્ઝર્લેન્ડથી ભારત આવી છું, કારણ કે મારે સામ-સામે આવીને મારું નિવેદન આપવું જરૂરી હતું. મેં ACP અને SHO સમક્ષ મારી સંપૂર્ણ વાત રજૂ કરી, અને કાનૂની પ્રક્રિયા ચાલુ છે. અમે પોલીસ મથકે 5 વાગ્યા સુધી રોકાયા હતા, અને મને પૂર્ણ આશા છે કે આજે FIR નોંધાશે. ચંદ્રશેખર અને તેમના સમર્થકો દ્વારા તેમને દલિત સમાજના નવા મસીહા તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ મેં જીવનમાં એવો કોઈ મસીહા નથી જોયો જે મહિલાઓનું સન્માન ન કરી શકે. તેમના પર મહિલા શોષણનો ડાઘ લાગેલો છે. જે વ્યક્તિ મહિલાનું શોષણ કરે, તે સમાજનું સન્માન કેવી રીતે કરી શકે? આ તો ખોટું છે.”

- Advertisement -

હું બહુજન આંદોલનના નામે તેમની સાથે જોડાઈ. મેં તેમને આર્થિક, સામાજિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ કરી. હું દુનિયાભરમાં ફરી ચૂકી છું, અને મેં તેમને આંતરરાષ્ટ્રીય મંચો બતાવ્યા. પરંતુ તેમણે મારી સાથે એવો સંબંધ બનાવ્યો જેમાં છેતરપિંડી અને શોષણ હતાં. આખી વાર્તા એક છળની છે. તેમની તરફથી કોઈ પ્રમાણિકતા નહોતી. તેમણે મને રાજકીય સફળતા ન મળે તો સ્વિટ્ઝર્લેન્ડમાં સેટલ થવાના બેકઅપ તરીકે જોઈ. તેમણે ઘણી વખત કહ્યું કે અમે લગ્ન કરીશું, જેથી તેમના માટે સ્વિટ્ઝર્લેન્ડમાં આવવું સરળ બનશે. પરંતુ મને શરૂઆતમાં ખબર નહોતી કે તેઓ પરિણીત છે. જો ખબર હોત, તો મારા જેવી શિક્ષિત મહિલા, જે સ્વિટ્ઝર્લેન્ડમાં રહે છે, તે ક્યારેય આવા સંબંધમાં ન આવત.”

દલિત યુવાનો, જે ચંદ્રશેખરને નેતા માને છે, તેમને હું કહેવા માંગું છું કે વાસ્તવિકતા અને પ્રમાણિકતા હોવી જરૂરી છે. અંધભક્તિ ક્યારેય યોગ્ય નથી. જે નેતા મહિલા શોષણ જેવા કેસમાં ફસાયેલો હોય, તે સમાજને શું માર્ગ બતાવશે? જેનામાં સંઘર્ષની તાકાત નથી, બલિદાનની ભાવના નથી, તે કેવી રીતે નેતા બની શકે? ચંદ્રશેખરે દલિત સમાજને કોઈ પરિણામ આપ્યું નથી. તેમણે કોઈ ઉત્પીડનમાં ન્યાય અપાવ્યો નથી. ઉલટું, હજારો યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું છે. દલિત સમાજની વસ્તી ઘણી મોટી છે, પરંતુ ઘણા યુવાનો હજુ અશિક્ષિત છે. આવા ખોટા લોભ અને વચનો આપીને ચંદ્રશેખર યુવાનોને ફસાવે છે. જે યુવાનો જેલ જાય છે, જે મરે છે, જે લડે છે, તેમનું જ નુકસાન થાય છે.”

હું બાબાસાહેબ આંબેડકરના આદર્શોને માનું છું. દલિત નેતૃત્વ પ્રમાણિક હોવું જોઈએ, જે સમાજ માટે ખૂનનું બલિદાન આપી શકે. ચંદ્રશેખરમાં મને આવું કોઈ નેતૃત્વ દેખાતું નથી. જે દિવસે એક ઈમાનદાર નેતા સમાજને મળશે તે જ આમારા સમાજને આગળ વધી શકશે.”

પરિવારની ન્યાયની માંગ

રોહિણીનાં માતા નૂતન ઘાવરીએ ચંદ્રશેખર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતાં કહ્યું કે, “મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. ચંદ્રશેખરે તેની સાથે ખોટું કર્યું. તેની સાથે રમત રમી. શારીરિક શોષણ કર્યું હતું.”

આ મામલે રોહિણી ઘાવરીના પિતાએ જણાવ્યું હતું કે, “આ ઘટના વિશે અમને 6-8 મહિના પહેલાં X દ્વારા ખબર પડી, જ્યારે રોહિણીએ આ વાત જાહેર કરી. તેણે અમને અગાઉ કહ્યું નહોતું, પરંતુ એટલું કહેતી હતી કે તે ચંદ્રશેખર અને ભીમ આર્મી સાથે દલિતો માટે કામ કરે છે. હું પણ સામાજિક કાર્યકર છું અને આંબેડકરજીને અનુસરું છું. રોહિણીએ વાલ્મીકિ સમાજના હિત માટે કામ કરવા ચંદ્રશેખર સાથે જોડાણ કર્યું, પરંતુ તેની સાથે લગ્નનાં ખોટાં વચનો આપીને માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું. ચંદ્રશેખર અમારા ઘરે આવ્યો, અમે તેને ખાણીપીણી કરાવી. તેણે કહ્યું કે રોહિણીને મારી સાથે કામ કરવા દો, તે મારી નાની બહેન જેવી રહેશે, અને અમે દલિત આંદોલનને આગળ લઈ જઈશું. તેણે એમ પણ કહ્યું કે તે રોહિણીને માયાવતીથી પણ મોટો નેતા બનાવશે. પરંતુ તેના બદલે તેણે અમારી દીકરીનું શોષણ કર્યું.”

તે સંસદસભ્ય બન્યો, પરંતુ તેના પહેલાં તેણે અમારી દીકરીનું શોષણ કર્યું. જે વ્યક્તિ દલિતોના હિતેષી હોવાનો દાવો કરે છે, તેણે દલિતની દીકરીનું શોષણ કર્યું. આવા નેતાઓથી દલિત સમાજે સાવધ રહેવું જોઈએ. ઉત્તર પ્રદેશમાં 200થી વધુ યુવાનો ભીમ આર્મીના નામે ચંદ્રશેખરના લોભમાં ફસાયા, તેમની શિક્ષા છોડીને તેની પાછળ ભૂતની જેમ ફરે છે. આવા નેતાઓ ભીડ ભેગી કરીને પોતાનો ચહેરો ચમકાવે છે, અને જ્યારે કેસ નોંધાય છે, ત્યારે યુવાનો ફસાય છે, ચંદ્રશેખર નહીં. દલિત સમાજે આવા નેતાઓથી બચવું જોઈએ, જે ખોટા વચનો આપીને યુવાનોનું ભવિષ્ય બરબાદ કરે છે.

વકીલે કહ્યું– ન્યાયપ્રક્રિયા પર પૂર્ણ વિશ્વાસ

કાયદો સત્યનો સાથ આપશે રોહિણીના વકીલે, જે તેમના કાનૂની સલાહકાર તરીકે કામ કરે છે, ચંદ્રશેખરની રાજકીય પહોંચ હોવા છતાં કાયદાની સમાનતા પર ભાર મૂક્યો. તેમનું નિવેદન નીચે મુજબ છે:

“ચંદ્રશેખર ગમે તેટલા મોટા નેતા હોય, અમારા કાયદામાં લખેલું છે કે સૌ માટે કાયદો સમાન છે, પછી તે સામાન્ય વ્યક્તિ હોય, નેતા હોય કે અભિનેતા. સત્ય બહાર આવશે. રોહિણીની ફરિયાદ પર અમને પોલીસ તરફથી આશ્વાસન મળ્યું છે કે ઝડપથી કાર્યવાહી થશે. FIR ટૂંક સમયમાં નોંધાશે અને તેમાંના આરોપો અને ધારાઓ સ્પષ્ટ થશે. દિલ્હી પોલીસ સત્યનો સાથ આપશે, અને મને ન્યાય પ્રણાલી પર પૂર્ણ વિશ્વાસ છે.

અમે અગાઉ પણ આવા શોષણના કેસોમાં કામ કર્યું છે. હું સરકારી પેનલ પર પણ છું. પરંતુ જ્યાં સુધી પીડિત અવાજ ન ઉઠાવે, ત્યાં સુધી ન્યાય મળતો નથી. રોહિણીએ સાત સમુદ્ર પારથી આવીને પોતાના હક માટે લડાઈ શરૂ કરી છે અને તે ખોટું નથી. જો ચંદ્રશેખર દલિતોના સૌથી મોટા નેતા છે, તો તેઓ દલિત બહેન-દીકરીઓનું શોષણ કેમ કરે છે? બાબાસાહેબ આંબેડકરે મહિલાઓને સન્માન આપવાનું શીખવ્યું હતું, પરંતુ ચંદ્રશેખરે તેનું ઉલ્લંઘન કર્યું.”

સમાજના નેતાઓ પણ સાથે આવ્યા

વાલ્મિકી સમાજના નેતાઓ પણ રોહિણી સાથે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે પણ ચંદ્રશેખર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. તેમણે કહ્યું–

“જો રોહિણીને ન્યાય નહીં મળે તો સમગ્ર વાલ્મીકિ સમાજ એકજૂટ થઈને પ્રદર્શન કરશે. ચંદ્રશેખર દલિત સમાજનો નેતા નથી તે દલિત સમાજના નામે પૈસા કમાય છે. અગાઉ તે ડીજે વગાડતો હતો. આજે તે ફોર્ચ્યુનર ગાડી અને Z-કેટેગરી સુરક્ષામાં ફરે છે. તેનું ઘર જુઓ, તેની સ્થિતિ જુઓ. તે દલિતોનું ભલું નથી કરતો, પરંતુ પોતાનો ફાયદો કરે છે. જ્યારે કોઈ દલિત પરિવારનું કોઈ મૃત્યુ થાય કે ઉત્પીડન થાય, ત્યારે ચંદ્રશેખર શોરબકોર કરીને ભાગી જાય છે અને પીડિત પરિવાર પર જ કેસ નોંધાય છે. ચંદ્રશેખરે યુવાનોને ભડકાવીને તેમનું ભવિષ્ય બરબાદ કર્યું છે. દલિત સમાજે આવા નેતાઓથી સાવધ રહેવું જોઈએ, જે ખોટાં વચનો આપીને યુવાનોને ફસાવે છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં