Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમિત શાહ સામે અયોગ્ય નિવેદન બાબતે રાહુલ ગાંધી ફસાઈ શકે: બદનક્ષી કેસમાં...

    અમિત શાહ સામે અયોગ્ય નિવેદન બાબતે રાહુલ ગાંધી ફસાઈ શકે: બદનક્ષી કેસમાં હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી, 22 માર્ચે થશે સુનવણી

    રોહન ગુપ્તા કોગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયા ચેરમેન હતા. હાલ રોહન ગુપ્તા કોંગ્રેસના પ્રવક્તા છે. અમિત શાહ વિરુદ્ધ ટીપ્પણી કરતા રાહુલ ગાંધી સામે અમદાવાદ કોર્ટમાં ફરિયાદ નોંધાઇ છે.

    - Advertisement -

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થયેલ બદનક્ષીના કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવા હાઈકોર્ટમાં અરજદારે રજુઆત કરી હતી. આ અરજીમાં રાહુલ ગુપ્તાની જુબાની ખૂબ મહત્વની હોવાની અરજદારે રજુઆત કરી છે. 22 માર્ચે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે.

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થયેલ બદનક્ષીના કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવાની અરજી મેટ્રો કોર્ટે ફગાવી હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં અરજદારે હુકમને પડકાર્યો છે. તમને જણાવી દઈએ કે રોહન ગુપ્તા કોગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયા ચેરમેન હતા. હાલ રોહન ગુપ્તા કોંગ્રેસના પ્રવક્તા છે. અમિત શાહ વિરુદ્ધ ટીપ્પણી કરતા રાહુલ ગાંધી સામે અમદાવાદ કોર્ટમાં ફરિયાદ નોંધાઇ છે.

    લોકસભા ચૂંટણી સમયનો મામલો

    2019માં લોકસભાની ચૂંટણી સમયે અમિત શાહ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ ભાજપના નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. આ જ કેસમાં રાહુલ ગાંધીએ પણ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની આપી હતી. પરંતુ મેટ્રો કોર્ટે તત્કાલીન કોંગ્રેસ ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાની જુબાની લેવાની મંજુરી આપી નહોતી.

    - Advertisement -

    આથી શુક્રવારે, 5 ફ્રેબ્રુઆરીએ બદનક્ષીના કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવા માટે હાઈકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી છે. અરજદારે અરજીમાં જણાવ્યું છે કે, બદનક્ષીના કેસમાં કોંગ્રેસના હાલના પ્રવક્તા રોહન ગુપ્તાની જુબાની મહત્વની છે. 

    રાહુલ ગાંધી પોતાના જુદા જુદા નિવેદનો માટે અનેકવાર માંગી ચુક્યા છે માફી

    આ પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ 2019માં પોતે PM મોદી પર કરેલ ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન માટે બિનશરતી માફી માંગી ચુક્યા છે. 2019ના મે મહિનામાં શ્રી ગાંધીએ કોર્ટમાં ટિપ્પણીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા બદલ બિનશરતી માફી માંગી અને કહ્યું કે તેઓ તેને “સૌથી વધુ સન્માન અને આદર” માં રાખે છે.

    નોંધનીય છે કે રાફેલ મામલામાં સર્વોચ્ચ અદાલતના પ્રાથમિક ચુકાદાને કથિત રીતે ખોટી રીતે સૂત્ર આપવા બદલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની મીનાક્ષી લેખી દ્વારા રાહુલ ગાંધી સામે તિરસ્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    “(રાહુલ ગાંધી) આ માનનીય કોર્ટમાં ખોટા એટ્રિબ્યુશન માટે બિનશરતી માફી માંગે છે. જુબાની આપનાર વધુમાં જણાવે છે કે આવા કોઈપણ એટ્રિબ્યુશન સંપૂર્ણપણે અજાણતા, બિન-ઇરાદાપૂર્વક અને અજાણતા હતા,” નવા સોગંદનામામાં જણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં