Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણચાર રાજ્યોમાં કોંગ્રેસનું કામ તમામ કરીને રાહુલ ગાંધી ફરી પકડશે વિદેશની વાટ:...

    ચાર રાજ્યોમાં કોંગ્રેસનું કામ તમામ કરીને રાહુલ ગાંધી ફરી પકડશે વિદેશની વાટ: સંસદસત્ર, I.N.D.I. ગઠબંધનની બેઠક… બધા કરતા ‘વિદેશ પ્રવાસ’ છે જરૂરી

    તેમનો દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનો પ્રવાસ 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જેની શરૂઆત તેઓ મલેશિયાથી કરશે. તે દિવસે તે કુઆલાલંપુર ઉતરશે અને 10મી ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. બીજા દિવસે તે સિંગાપોર સુધી રોકાશે જ્યાં તેણે 12મી ડિસેમ્બર સુધી રહેવાનું છે.

    - Advertisement -

    રાહુલ ગાંધી ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીને લટકતી છોડીને વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. માત્ર 2 દિવસ પહેલા જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સંસદનું શિયાળુ સત્ર પણ એક દિવસ પહેલા શરૂ થઈ ગયું છે. I.N.D.I. ગઠબંધનના એક પછી એક ઘટક પક્ષો બુધવાર (6 ડિસેમ્બર, 2023)ના રોજ પ્રસ્તાવિત જોડાણની બેઠકમાંથી દૂર જઈ રહ્યા છે. આ બધા વચ્ચે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ માટે ઉડાન ભરી રહ્યા છે.

    તેમનો દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનો પ્રવાસ 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જેની શરૂઆત તેઓ મલેશિયાથી કરશે. તે દિવસે તે કુઆલાલંપુર ઉતરશે અને 10મી ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. બીજા દિવસે તે સિંગાપોર સુધી રોકાશે જ્યાં તેણે 12મી ડિસેમ્બર સુધી રહેવાનું છે. 13 ડિસેમ્બરે તેઓ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચશે. તે ત્યાં માત્ર 1 દિવસ રોકાશે. બીજા જ દિવસે તે વિયેતનામ જશે. આખરે રાહુલ ગાંધી 15મી ડિસેમ્બરે પોતાના દેશ પરત ફરશે અને તેઓ દિલ્હી જવા રવાના થશે.

    કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દેશોની યુનિવર્સિટીઓમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. તેઓ વિયેતનામમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. સાંસદ/ધારાસભ્ય કોર્ટે તેમને 16મી ડિસેમ્બરે હાજર થવા માટે સમન્સ પણ જારી કર્યા છે, જે પહેલા તેઓ વિદેશ પ્રવાસથી પરત આવશે તેવી સંભાવના છે. બેંગલુરુમાં એક કોન્ફરન્સ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, આ મામલો પણ તેનાથી જ સંબંધિત છે. હજુ સુધી તેમના પક્ષે એ નથી જણાવ્યું કે તે કોર્ટમાં હાજર થશે કે નહીં.

    - Advertisement -

    મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વ સામે પાર્ટીમાં અવાજ ઉઠ્યો છે, આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ‘ચાલ્યા કરે’ એ સૂત્ર પર કામ કરશે તે ચર્ચાનો વિષય છે. એક તરફ ભાજપે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી લીધી છે, તો કોંગ્રેસના રાહુલ ગાંધી ભારતમાં નહીં રહે. હા, વિદેશમાં આપેલા તેમના વિવાદાસ્પદ નિવેદનો અહીં કોંગ્રેસ પાર્ટીને ચોક્કસપણે નુકસાન પહોંચાડી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં