Tuesday, February 25, 2025
More
    હોમપેજરાજકારણ'જંગલરાજવાળા લોકોને હિંદુ આસ્થાથી છે નફરત, કરી રહ્યા છે મહાકુંભની ટીકા': PM...

    ‘જંગલરાજવાળા લોકોને હિંદુ આસ્થાથી છે નફરત, કરી રહ્યા છે મહાકુંભની ટીકા’: PM મોદીએ બિહારમાં લાલુ યાદવ પર કર્યો તીખો હુમલો

    16 ફેબ્રુઆરી, 2025ના રોજ લાલુ યાદવે કહ્યું હતું કે, "કુંભ કા કહાં કોઈ મતલબ હૈ. ફાલતુ હૈ કુંભ (કુંભનો કોઈ અર્થ નથી. કુંભ નકામો છે)."

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રીય જનતા દળના (RJD) સુપ્રીમો લાલુ યાદવની (Lalu Yadav) ‘ફાલતુ હૈ કુંભ’ (Faltu hai kumbh) ટિપ્પણી પર ટીકા કરી હતી અને કહ્યું હતું કે, “જંગલરાજમાં માનનારાઓ આપણા વારસા અને શ્રદ્ધાને નફરત કરે છે.” સાથે જ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બિહારના લોકો પ્રયાગરાજ મહાકુંભ વિશે ખરાબ બોલનારાઓને માફ નહીં કરે.

    બિહારના ભાગલપુરમાં એક રેલીને સંબોધતા, તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા ‘એકતાના મહાકુંભ’ના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉજવણી ભારતની શ્રદ્ધા, એકતા અને સંવાદિતાના સૌથી મોટા મેળાવડાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં યુરોપની સમગ્ર વસ્તી કરતા વધુ લોકો પવિત્ર ડૂબકી લગાવે છે.

    “યુરોપની સમગ્ર વસ્તી કરતા વધુ લોકોએ આ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે. જો કે, ‘જંગલરાજ’ના લોકો આ પવિત્ર આયોજનની ટીકા કરી રહ્યા છે. જેઓ રામ મંદિરનો વિરોધ કરે છે તેઓ મહાકુંભની નિંદા કરવાની દરેક તક ઝડપી રહ્યા છે. મને વિશ્વાસ છે કે બિહારના લોકો આ પવિત્ર પ્રસંગ વિશે ખરાબ બોલનારાઓને ક્યારેય માફ નહીં કરે,” પીએમ મોદીએ કહ્યું.

    - Advertisement -

    પીએમ મોદીએ કહ્યું કે પ્રયાગરાજમાં હાલમાં ‘એકતાનો મહાકુંભ’ ચાલી રહ્યો છે. તે ભારતની શ્રદ્ધા, એકતા અને સંવાદિતાનો સૌથી મોટો ઉત્સવ રજૂ કરે છે.

    લાલુ યાદવે કુંભ પર કરી હતી ખરાબ ટિપ્પણી

    16 ફેબ્રુઆરી, 2025ના રોજ લાલુ યાદવે કહ્યું હતું કે, “કુંભ કા કહાં કોઈ મતલબ હૈ. ફાલતુ હૈ કુંભ (કુંભનો કોઈ અર્થ નથી. કુંભ નકામો છે),” નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર રેલવેના ગેરવહીવટને કારણે થયેલી ભાગદોડ બાદ મહાકુંભ માટે ભીડ વ્યવસ્થાપન અંગેના તેમના સૂચનનો જવાબ આપતા આ વાત સામે આવી છે. આ નિવેદન લાલુ યાદવે 16 ફેબ્રુઆરી, 2025ના રોજ આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં