Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘શાહરૂખ સૈફીને આખા ટ્રેન કોચને સળગાવવાનું કામ સોંપાયું હતું’: કેરળ ટ્રેન અગ્નિકાંડમાં...

    ‘શાહરૂખ સૈફીને આખા ટ્રેન કોચને સળગાવવાનું કામ સોંપાયું હતું’: કેરળ ટ્રેન અગ્નિકાંડમાં ટેરર એન્ગલની પુષ્ટિ કરતી NIA, IB- રિપોર્ટ

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ સૈફી કેરળ જાતે નહતો આવ્યો પરંતુ તેને ટ્રેનનો આખો કોચ સળગાવવાના ઉદ્દેશ્યથી અહીં લાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    થોડા દિવસો પહેલાં કેરળ રાજ્યના કોઝિકોડમાં ચાલુ ટ્રેનમાં મુસાફરો પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે એક શાહરૂખ સૈફી નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. આ ટ્રેન અગ્નિકાંડ મામલે ટેરર એન્ગલની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જે સાચી ઠરી છે. રિપોર્ટ્સ અનુસાર, એજન્સીઓએ આ બાબતી પુષ્ટિ કરી છે. 

    માતૃભૂમિના રિપોર્ટ અનુસાર, મામલાની તપાસ કરતી એજન્સીઓ NIA અને IBએ કેરળ ટ્રેન અગ્નિકાંડ મામલે ટેરર એન્ગલની પુષ્ટિ કરી છે. એજન્સીઓ અનુસાર, શાહરૂખ સૈફીને ટ્રેનના આખા કોચને સળગાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું. 

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ સૈફી કેરળ જાતે નહતો આવ્યો પરંતુ તેને ટ્રેનનો આખો કોચ સળગાવવાના ઉદ્દેશ્યથી અહીં લાવવામાં આવ્યો હતો. આ માટે તે પોતાની સાથે પેટ્રોલની ત્રણ બોટલો લાવ્યો હતો પરંતુ પૂરતી ટ્રેનિંગ ન મળી હોવાના કારણે તેની યોજના નિષ્ફળ ગઈ હતી. 

    - Advertisement -

    અહેવાલો અનુસાર, શાહરૂખ આતંકવાદી વિચારધારાથી પ્રભાવિત હતો અને આ કાંડ કરવા માટે મોટા આતંકી જૂથ દ્વારા તેનું બ્રેનવૉશિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, આગ લગાવ્યા બાદ તેને કેરળમાંથી ભાગવા માટે મદદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીનબાગના રહેવાસી શાહરૂખ સૈફીની મહારાષ્ટ્રના રત્નાગિરીથી ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યાંથી તેને કોઝિકોડ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    ઘરેથી કોડવડ લખેલી ડાયરી મળી, ઓનલાઇન રેડિકલાઈઝેશનની આશંકા 

    કેરળ પોલીસને શાહરૂખ સૈફીના શાહીનબાગ સ્થિત ઘરેથી અમુક દસ્તાવેજો અને ડાયરીનાં પાનાં મળી આવ્યાં છે. તેણે ડાયરીમાં ‘કુફ્ર’, ‘રોશન હોના’, ‘બડકાર- બુરા કામ કરને વાલા’, ‘મગલૂબ’ જેવા શબ્દો લખ્યા હતા. આ ઉપરાંત ડાયરીમાં ‘Do it, let’s do it’ પણ લખવામાં આવ્યું હતું. જોકે, આ કયા સંદર્ભે લખવામાં આવ્યા હોય શકે તેની હાલ તપાસ ચાલી રહી છે. આ કોઈ કોડ વર્ડ હોવાની પણ આશંકા છે અને એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.  

    એજન્સીઓને જાણવા મળ્યું છે કે કટ્ટરપંથી બન્યા બાદ શાહરૂખે પોતાની જીવનશૈલી બદલી નાંખી હતી. તેણે જૂન 2022માં જ સિગરેટ સહિતની કુટેવો છોડી દીધી હતી અને તે નમાજ પઢવા પણ લાગ્યો હતો. પોલીસને આશંકા છે કે સૈફીનો ઓનલાઇન સંપર્ક કરવામાં આવ્યો હશે અને ત્યારબાદ તેને આ કૃત્યને અંજામ આપવા માટે કહેવામાં આવ્યું હોય શકે.

    આ મામલો ગત 2 એપ્રિલના (સોમવાર) રોજ કેરળના કોઝિકોડમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. આગ લાગેલી જોઈને એક મહિલાએ એક બાળકને લઈને ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. ત્યારબાદ પોલીસને પાટા પરથી મા-બાળકના મૃતદેહો તેમજ અન્ય એક વ્યક્તિની લાશ મળી હતી. ઘટના બાદ મુસાફરોએ ટ્રેન ખેંચી દીધી હતી તો તક શોધીને શાહરૂખ સૈફી ભાગી છૂટ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં