ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણીઓનો બહુ વિરોધ થયા બાદ મુખ્ય ન્યાયાધીશ બી. આર ગવઈની એક ટિપ્પણી સામે આવી છે. તેમણે કહ્યું કે, તેઓ તમામ ધર્મોનું સન્માન કરે છે. જોકે બીજી કોઈ વાત કહી ન હતી.
એક સુનાવણી દરમિયાન CJI ગવઈએ કહ્યું, “મને કોઈકે કહ્યું કે મેં જે ટિપ્પણીઓ કરી હતી, તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.”
#BREAKING| CJI Gavai on his Comments on Vishnu Idol Matter being misportrayed on Social Media
— Live Law (@LiveLawIndia) September 18, 2025
CJI: Someone told me the other day that the comments I made, its been portrayed in social media…I respect all religions pic.twitter.com/xLZCzWETcX
ત્યારબાદ તેમણે આગળ કહ્યું, “હું તમામ ધર્મોનું સન્માન કરું છું.”
જોકે તેમણે અન્ય કોઈ વાત ન કહી, ન ટિપ્પણીઓ પરત લીધી કે માફી માંગવાની કોઈ વાત કહી ન હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજી પહોંચી હતી, જેમાં ખજુરાહો મંદિર સ્થિત ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિ પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. જે અરજી પર CJI ગવઈએ ટિપ્પણી કરી હતી કે જઈને તમારા ભગવાનને જ કહો કે કશુંક કરે. ત્યારબાદ આ ટિપ્પણીની સોશિયલ મીડિયા પર બહુ ટીકા થઈ હતી.

