Thursday, May 2, 2024
More
    હોમપેજક્રાઈમમુફ્તી સલમાન અઝહરીના રિમાન્ડ પૂર્ણ, સાબરમતી જેલમાં ધકેલવા મોડાસા કોર્ટનો આદેશ: અરવલ્લી...

    મુફ્તી સલમાન અઝહરીના રિમાન્ડ પૂર્ણ, સાબરમતી જેલમાં ધકેલવા મોડાસા કોર્ટનો આદેશ: અરવલ્લી પોલીસે પણ ભડકાઉ ભાષણ મામલે નોંધ્યો હતો ગુનો

    સોમવારે (19 ફેબ્રુઆરી) આરોપી મુફ્તી સલમાન અઝહરીના વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવશે. જ્યાં સુધી કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અઝહરી સાબરમતી જેલની હવા ખાશે.

    - Advertisement -

    ગુજરાતમાં આવીને જૂનાગઢ, કચ્છ અને મોડાસામાં ભડકાઉ ભાષણ આપનારા મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢ કોર્ટ અને ભચાઉ કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ તેનો કેસ મોડાસા કોર્ટમાં ચાલી રહ્યો હતો. ડિસેમ્બર, 2023માં તેણે મોડાસામાં જઈને ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેને લઈને 9 ફેબ્રુઆરીએ મોડાસા શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો. તે સમયે અઝહરીનો કેસ ભચાઉ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યાં તેને જામીન મળ્યા કે તરત જ મોડાસા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. મોડાસા કોર્ટમાં રજૂ કરીને મોડાસા પોલીસે અઝહરીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતાં તેને ફરીવાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. હવે કોર્ટે તેને સાબરમતી જેલમાં મોકલવા આદેશ આપ્યો છે.

    શનિવારે (17 ફેબ્રુઆરી) મુફ્તી સલમાન અઝહરીના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. જે બાદ મોડાસા પોલીસે તેને ફરીવાર કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. કોર્ટે સમગ્ર કાયદાકીય પદ્ધતિને ધ્યાને રાખીને મોડાસા સબ જેલના બદલે અમદાવાદ સ્થિત સાબરમતી મધ્યસ્થ જેલમાં આરોપી મુફ્તી અઝહરીને ધકેલવા માટેનો આદેશ કર્યો છે. સોમવારે (19 ફેબ્રુઆરી) આરોપી મુફ્તી સલમાન અઝહરીના વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવશે. જ્યાં સુધી કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અઝહરી સાબરમતી જેલની હવા ખાશે.

    24 ડિસેમ્બરે મોડાસામાં આપ્યું હતું ભડકાઉ ભાષણ

    મુફ્તી સલમાન અઝહરીએ ગત 24 ડિસેમ્બર, 2023ના રોજ મોડાસામાં એક ભાષણ આપ્યું હતું, જેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેની વિરુદ્ધ એટ્રોસિટીની પણ કલમ ઉમેરવામાં આવી છે. પોલીસ સ્વયં ફરિયાદી બની હતી અને આરોપીઓમાં આયોજક ઈશાક નામના શખ્સનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે FIR નોંધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પહેલાં જૂનાગઢ અને કચ્છમાં તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ કોર્ટે તેને જામીન આપ્યા બાદ કચ્છ પોલીસે તેની ધરપકડ કરી હતી અને ભચાઉ કોર્ટમાં હાજર કર્યો હતો. ભચાઉ કોર્ટે રવિવારે (11 ફેબ્રુઆરી) તેના શરતી જામીન મંજૂર કર્યા હતા. જે બાદ અરવલ્લી પોલીસ તેને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન આવી હતી અને કોર્ટમાં રજૂ કરી તેના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે હવે કોર્ટે તેને સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

    - Advertisement -

    મુફ્તી અઝહરીનું ભડકાઉ ભાષણ અને સંપૂર્ણ કેસ

    મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરી, 2024ના રોજ જૂનાગઢમાં એક ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ આ મામલે પોલીસે સંજ્ઞાન લઈને જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    ગુનો દાખલ થયા બાદ ગુજરાત ATS મુફ્તીની ધરપકડ માટે મુંબઈ પહોંચી હતી અને ઘાટકોપર સ્થિત તેના ઘરેથી પકડી લેવામાં આવ્યો હતો. જ્યાંથી જૂનાગઢ લાવીને રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ ફરી રજૂ કરવામાં આવતાં કોર્ટે જામીન આપ્યા હતા. જોકે તે દરમિયાન તેની વિરુદ્ધ કચ્છમાં ગુનો નોંધાઈ ચૂક્યો હોવાથી કચ્છ પોલીસ તેને પકડીને લઇ ગઈ હતી. ભચાઉ કોર્ટે પણ તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે બાદ તેને જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે મોડાસામાં પણ તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને તેની વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. હવે કોર્ટે આ મામલે તેને સાબરમતી જેલમાં ધકેલવા આદેશ આપ્યો છે.

    બીજી તરફ, ગુજરાત ATS તેનાં ટ્રસ્ટથી માંડીને તેને ભંડોળ ક્યાંથી મળે છે અને કોઈ આતંકવાદી કનેક્શન છે કે કેમ તે બાબતની તપાસ કરી રહી છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં