Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટVIDEO: “તું નુપુર શર્માની જીભ કાપીને લઇ આવ અને 2 કરોડ રૂપિયા...

    VIDEO: “તું નુપુર શર્માની જીભ કાપીને લઇ આવ અને 2 કરોડ રૂપિયા લઇ જા”, સુપ્રીમ કોર્ટના જજોની ટીપ્પણી બાદ મેવાતથી આવી ધમકી

    હરિયાણાના મેવાત નગરમાં હવે એક ઇસ્લામીએ નુપુર શર્માની જીભ કાપીને લાવનારને મોટું ઇનામ આપવાની જાહેરાત કરી દીધી છે.

    - Advertisement -

    ભાજપના પૂર્વ પ્રવક્તા નપુર શર્માને સતત ધમકીઓ મળી રહી છે. હવે હરિયાણાના મેવાત નગરના એક ઇસ્લામવાદીએ નુપુર શર્માની જીભ કાપીને લાવનારને 2 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. આ ધમકી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની એ ટીપ્પણી બાદ સામે આવી છે જેમાં તેમણે નુપુર શર્માને કન્હૈયાલાલની ક્રૂર હત્યા સહીત દેશભરમાં ઇસ્લામવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા માટે દોષી ગણવામાં આવ્યા હતા.

    6 જુલાઈએ વાયરલ થયેલા વિડીયોમાં મેવાતનો એક ઇસ્લામવાદી કોઈ પત્રકાર સાથે વાત કરી રહ્યો હોવાનું જોવા મળે છે. આ ઇસ્લામવાદીએ આ વિડીયોમાં કહ્યું છે કે, “હું આ પુરા મેવાત વતી કહી રહ્યો છું. જો કોઈ નુપુર શર્માની જીભ કાપીને મારી પાસે લાવશે તો તેને 2 કરોડનું ઇનામ આપવામાં આવશે. 2 કરોડ રૂપિયા આખું મેવાત અને હું આપીશ.” ત્યારબાદ તે પત્રકાર પર બુમો પાડીને કહે છે કે, “તું લઇ આવ નુપુર શર્માની જીભ, 2 કરોડ રૂપિયાની ઓફર તું લઇ લે, પત્રકાર!”

    ઇનામની ઘોષણા કરતો આ વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ. જો કે પોલીસે આ વિડિયોનું સંજ્ઞાન લઈને તપાસ શરુ કરી દીધી છે. મેવાત પોલીસ વિડીયો ક્લીપની તપાસ કરવા સાથે આરોપીઓને પણ શોધી રહી છે, નુંહના પોલીસ અધિક્ષક વરુણ સિંગલાએ કહ્યું, “મામલો અમારી પાસે હમણા જ આવ્યો છે. અમે આરોપીઓની ઓળખ કરવા માટે તપાસ ચલાવી રહ્યા છે. અમે લોકોને આ પ્રકારના વિડીયો અને કોમવાદી વસ્તુઓને આગળ ન ફેલાવવાની અપીલ કરીએ છીએ.

    - Advertisement -

    નોંધવાની વાત એ છે કે વિડીયોમાં દેખાઈ રહેલા ઇસ્લામવાદીની આ ધમકી સુપ્રીમ કોર્ટની એ ટીપ્પણી પછી સામે આવી છે જેમાં કોર્ટે કહ્યું હતું કે “જે રીતે આમણે (નુપુર શર્મા) સમગ્ર દેશમાં ભાવનાઓને ભડકાવી છે, દેશમાં જે કશું પણ થઇ રહ્યું છે તેને માટે આ મહિલા એકલી જવાબદાર છે.” જો કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્તે આ ટીપ્પણી મૌખિક રીતે કરી હતી અને પોતાના ઔપચારિક લિખિત આદેશમાં તેને સામેલ નહોતી કરી. તેમ છતાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની અવકાશ પીઠે સુનાવણી દરમ્યાન હિંસા માટે નુપુર શર્માને જ દોષી ગણાવ્યા હતા.

    આ અગાઉ પણ 8 જુન,2022ના દિવસે ભીમ સેનાના ચીફ નવાબ સતપાલ તંવરે નુપુર શર્માની જીભ કાપીને લાવનારને એક કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. આટલું જ નહીં ભીમ સેનાએ કાનપુરમાં થયેલી હિંસામાં મુસ્લિમ તોફાનીઓનો બચાવ કરતા નુપુર શર્માને જ ઘટનાના માસ્ટરમાઈન્ડ ગણાવી દીધા હતા. ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સતપાલ તંવરે કહ્યું હતું, “નુપુર શર્માએ નબીનું અપમાન કર્યું છે, જેના લીધે મુસ્લિમ સમુદાયના કરોડો લોકો આહત થયા છે.” આટલું જ નહીં આ મામલામાં સીધા મોદી પર જ આરોપ લગાવતા ભીમ સેનાના સંસ્થાપકે જણાવ્યું હતું કે મોદી સરકાર જાણીબુઝીને નુપુર શર્માની ધરપકડ નથી કરી રહી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં