Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીમાં નવા મદરેસાઓને ગ્રાન્ટ નહીં મળે: યોગી સરકારનો મોટો નિર્ણય; અખિલેશ યાદવના...

    યુપીમાં નવા મદરેસાઓને ગ્રાન્ટ નહીં મળે: યોગી સરકારનો મોટો નિર્ણય; અખિલેશ યાદવના સમયમાં તિજોરીઓ ખોલી નાંખવામાં આવી હતી

    ઉત્તર પ્રદેશ સરકારે અગાઉ અખિલેશ યાદવની સમાજવાદી સરકારના નિર્ણયને ઉલટાવીને હવે રાજ્યમાં નવા મદરેસાઓને કોઇપણ પ્રકારનું અનુદાન નહીં આપવાનો નિર્ણય લીધો છે.

    - Advertisement -

    યુપીમાં નવા મદરેસાઓને હવે ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. યોગી સરકારની કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, યોગી સરકારે આ સંબંધમાં ઠરાવ પસાર કરીને અખિલેશ સરકારની જૂની નીતિઓનો અંત આણ્યો હતો. નવા પ્રસ્તાવ પછી મદરેસાઓને કોર્ટનો દરવાજો ખખડાવીને પણ રાહત નહીં મળી શકે.

    હકીકત એવી છે કે આખા ઉત્તર પ્રદેશમાં કુલ 16461 મદરેસા છે. તેમાંથી 559 મદરેસાઓને હાલમાં સરકારી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. આ મદરેસાના શિક્ષકો, ઉપરાંત નોન-ટીચિંગ સ્ટાફને પણ આ ગ્રાન્ટમાંથીજ પગાર મળે છે, મંગળવારે (17 મે 2022) ના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં, લઘુમતી કલ્યાણ વિભાગે એક ઠરાવ પસાર કર્યો હતો, કે હવેથી કોઈપણ નવા મદરેસાને અનુદાન આપવામાં નહીં આવે. ગયા વર્ષે પણ યોગી સરકાર દ્વારા એકપણ નવા મદરેસાને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવી ન હતી.

    મળતી માહિતી મુજબ, ભૂતકાળની અખિલેશ સરકાર દ્વારા મદરેસાઓને અનુદાન આપવા માટે વર્ષ 2016માં એક નીતિ લાગુ કરવામાં આવી હતી, જેને વર્તમાન યોગી સરકારે નાબૂદ કરી દીધી છે. આ નીતિ હેઠળ, સપા સરકારે વર્ષ 2003 સુધીમાં માન્યતા પ્રાપ્ત 146 મદરેસાઓને અનુદાન આપવાનું નક્કી કર્યું હતું. જો કે યોગી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન કોઈપણ મદરેસાને આ ગ્રાન્ટ મળી નહોતી. આ પછી, સપા સરકારની નીતિને ટાંકીને, મદરેસાની પ્રબંધક કમિટી હાઈકોર્ટમાં ગઈ હતી અને અને અરજી કરીને ખુલાસો માંગ્યો કે તમામ કાયદાકીય માપદંડોને પુરા કરવા છતાં તેમને ગ્રાન્ટ શામાટે ફાળવવામાં નથી આવતી.

    - Advertisement -

    હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા સરકારને મઉ સ્થિત એક મદરેસાના કેસમાં અનુદાન આપવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. જ્યારે સરકારે આ મદરેસાના ધોરણો તપાસ્યા તો ખબર પડી કે તેને બનાવટી દસ્તાવેજોના આધારે માન્યતા આપવામાં આવી હતી. હવે, અન્ય મદરેસાઓને અનુદાન આપવાની બાબતમાં, સરકાર મઉ કેસમાંથી બોધપાઠ લઈ રહી છે, અને જેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ અનુદાન માટેના તમામ માપદંડોને પૂર્ણ કરે છે તે તમામની પહેલા તપાસ કરવામાં આવી રહી છે.

    રાષ્ટ્રગીત ફરજીયાતનો નિર્ણય

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યની મદરેસાઓને લઈને વધુ એક મોટો નિર્ણય લીધો હતો. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા નિર્ણય લેવામાં હતો કે રાજ્યના તમામ સહાયિત અને બિન-સહાયિત મદરેસામાં, વર્ગો પહેલાં રાષ્ટ્રગીતનું પઠન ફરજિયાત રહેશે. મદરેસાના વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો ભાવ વધે તે હેતુથી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ નિર્ણય લીધો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં