Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશએક માસીયાઈ બહેન સાથે થવાના હતા નિકાહ, આગલા દિવસે દુલ્હો તેની બીજી...

    એક માસીયાઈ બહેન સાથે થવાના હતા નિકાહ, આગલા દિવસે દુલ્હો તેની બીજી ‘બહેન’ સાથે ભાગ્યોઃ સંબંધોનો એવો ચક્રવ્યૂહ કે પોલીસ પણ પોતાના વાળ ખેંચવા મજબુર

    દુલ્હો અને તેની માસીયાઈ બહેન જ્યારે ફરાર થયા ત્યારે દુલ્હનના પરિવારજનો ભારે ગુસ્સે થઈ ગયા હતા હતા અને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. હવે નવાબગંજ પોલીસ પણ માથાકૂટ કરી રહી છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના બરેલીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે જેનાથી પોલીસથી માંડીને સૌ કોઈ ચકરાવે ચડ્યા છે. મામલો કંઈક એવો હતો કે એક મુસ્લિમ યુવકનો પોતાની માસીયાઈ બહેન સાથે પ્રેમસબંધ ચાલી રહ્યો હતો. તેણે એ જ સબંધ પોતાની બીજી માસીયાઈ બહેન એટલે કે જેની સાથે સબંધ ચાલુ હતો તેની નાની બહેન સાથે પણ બનાવ્યો હતો. પણ તેમના પરિજનો માનતા ન હતા. અંતે યુવક અને તેની ‘મોટી પ્રેમિકા બહેન’ના સબંધ માટે ઘરવાળા માની ગયા અને નિકાહ માટેની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. નિકાહની તારીખ 6 ઓગસ્ટ રાખવામાં આવી હતી. પરંતુ તેના પછી રસપ્રદ ઘટનાઓ બની અને દુલ્હો નિકાહ પહેલાં દુલ્હનની બહેન સાથે ભાગી ગયો.

    આ આખી ઘટના બરેલીના નવાબગંજની છે. જ્યાં 6 ઓગસ્ટે બંને પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ઉજવણીનો માહોલ હતો. બંને પરિવારના મહેમાનો અને સબંધીઓ પણ આવી ગયા હતા. નિકાહની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. દુલ્હાની સાથે દુલ્હાના પરિવાર અને સબંધીઓ દ્વારા કેટલાક રિવાજો પણ કરવામાં આવ્યા હતા. પણ જ્યારે નિકાહ પહેલાં બારાત કાઢવાનો સમય આવ્યો ત્યારે દુલ્હો ગુમ થયો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તપાસ કરવામાં આવી તો દુલ્હનની બહેન પણ ગુમ થઈ છે તેવું જાણવા મળ્યું.

    ડીએનએ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે દુલ્હનની સાથો-સાથ તે યુવક દુલ્હનની નાની બહેન સાથે પણ પ્રેમસબંધ ધરાવતો હતો અને નિકાહના આગલા દિવસે જ તે તેની સાથે ફરાર થઈ ગયો હતો. સાથે જ કેટલાક મીડીયા અહેવાલોમાં એવું કહેવાયું હતું કે, દુલ્હો પોતાની માસીયાઈ બહેન સાથે ભાગી ગયો છે.

    - Advertisement -

    ત્યારબાદ શું થયું ?

    દુલ્હો અને તેની માસીયાઈ બહેન જ્યારે ફરાર થયા ત્યારે દુલ્હનના પરિવારજનો ભારે ગુસ્સે થઈ ગયા હતા હતા અને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. હવે નવાબગંજ પોલીસ પણ માથાકૂટ કરી રહી છે. દુલ્હનના ઘરવાળાઓએ યુવક પર કેસ દાખલ કરી દીધો હતો. સાથે જ અમર ઉજાલાના રિપોર્ટમાં કહેવાયું હતું કે, દુલ્હો આ સબંધથી ખુશ નહોતો. કારણ કે દુલ્હન સાથેના તેના સબંધો જગજાહેર થઇ ચૂક્યા હતા અને દુલ્હનની નાની બહેન સાથેના તેના અફેરની કોઈને જાણ નહોતી. સબંધ થયા બાદ યુવક ફરી ગયો હતો. જેના પર નાની બહેનના સબંધોથી અજાણ પરિજનોએ દુષ્કર્મનો કેસ પણ દાખલ કર્યો હતો.

    પંચાયત બાદ માની ગયો હતો યુવક, છેલ્લી ઘડીએ આપ્યો ધોખો

    દુષ્કર્મનો કેસ સામે આવ્યા બાદ પંચાયત બેસાડવામાં આવી હતી અને ફરીથી બંનેના પરિવારજનો માની ગયા હતા. પણ દુલ્હાના દિલમાં શું છે તેનાથી બધા અજાણ હતા સાથે જ દુલ્હનની બહેન સાથેના સબંધો વિશે હજુ જાણ ન હતી. જ્યારે નિકાહની તારીખ નજીક આવી ત્યારે દુલ્હાએ કેટલાક રિવાજોમાં હાજરી પણ આપી હતી. પરંતુ નિકાહની બારાત નીકળવાની હતી એ પહેલાં જ તે ભાગી ગયો હતો. અમર ઉજાલાના અહેવાલ પ્રમાણે જેની સાથે દુલ્હો ભાગ્યો હતો તે પોતાની ખાલાની નાની દીકરી હતી. જે પીલીભીતીની હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં