Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનિષ સિસોદિયાના હસ્તાક્ષર બન્યા ચર્ચાનો વિષય: નેટિઝન્સનો દાવો- અગાઉના પત્ર કરતાં જુદા...

    મનિષ સિસોદિયાના હસ્તાક્ષર બન્યા ચર્ચાનો વિષય: નેટિઝન્સનો દાવો- અગાઉના પત્ર કરતાં જુદા છે અક્ષરો, પૂછ્યું- તેમના નામે કોણ લખી રહ્યું છે પત્ર?

    ટ્વિટર યુઝર અંકુર સિંહે મનિષ સિસોદિયાના અગાઉના એક પત્રની તસ્વીર સાથે હાલના પત્રની તસ્વીર જોડી હતી અને બંનેની સરખામણી કરીને પૂછ્યું કે શું બંનેના હસ્તાક્ષરો સરખા લાગે છે? 

    - Advertisement -

    ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરતા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે. જેલમાંથી તેમણે શુક્રવારે (7 એપ્રિલ, 2023) દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ વિશે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, તેમના આ પત્રના કારણે નવી ચર્ચા પણ શરૂ થઇ ગઈ હતી. સોશિયલ મીડિયા પર નેટિઝન્સે તેમના હસ્તાક્ષર પર શંકા વ્યક્ત કરી હતી કે મનિષ સિસોદિયાના નામે કોઈ બીજું તો પત્ર નથી લખી રહ્યું? 

    ટ્વિટર યુઝર અંકુર સિંહે મનિષ સિસોદિયાના અગાઉના એક પત્રની તસ્વીર સાથે હાલના પત્રની તસ્વીર જોડી હતી અને બંનેની સરખામણી કરીને પૂછ્યું કે શું બંનેના હસ્તાક્ષરો સરખા લાગે છે? 

    એક વ્યક્તિએ કટાક્ષ કરતાં કહ્યું કે, લાગી રહ્યું છે મનિષ સિસોદિયા જેલમાં અક્ષર સુધારવાના ક્લાસ કરી રહ્યા છે. સાથે તેમણે મનિષ સિસોદિયાના બે પત્રોના ફોટા જોડ્યા હતા. 

    - Advertisement -

    એક વ્યક્તિએ કહ્યું કે, સિસોદિયા સાહેબ એટલા ભણેલા છે કે રોજ નવા-નવા અક્ષરોમાં લખે છે.

    મેજર સુરેન્દ્ર પૂનિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, મનિષ સિસોદિયા કેજરીવાલના ઈશારે પત્ર લખી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ મોદી MA છે જ્યારે સિસોદિયા માત્ર 12 પાસ અને ડિપ્લોમા છે અને પંજાબ સીએમ ભગવંત માન પણ 12 પાસ છે. સાથે તેમણે પત્રના હસ્તાક્ષરો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 

    વળી કેટલાક લોકોએ આમાં પણ રમૂજ શોધી કાઢી હતી. 

    આમ તો હસ્તાક્ષરો ચકાસવા માટે વિશેષ નિષ્ણાતો હોય છે અને તેઓ જ ચોક્કસ તારણ આપી શકે પરંતુ પ્રથમ દ્રષ્ટિએ જોતાં મનિષ સિસોદિયાના બંને પત્રોના હસ્તાક્ષરો થોડા જુદા લાગી રહ્યા છે. 

    પોતે ગ્રેજ્યુએટ પણ નહીં અને પીએમ મોદીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા 

    મનિષ સિસોદિયાએ શુક્રવારે (7 એપ્રિલ, 2023) જે પત્ર લખ્યો તેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ પર સવાલો કર્યા હતા. 

    મનિષ સિસોદિયાએ પત્રમાં ‘ચિંતાઓ’ વ્યક્ત કરતાં કહ્યું કે, જે દેશના વડાપ્રધાન ઓછું શિક્ષણ મેળવ્યાનો ગર્વ લેતા હોય ત્યાં સામાન્ય માણસનાં બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા થઇ શકે નહીં અને આ સંજોગોમાં દેશ કઈ રીતે પ્રગતિ કરશે?

    મજાની વાત એ છે કે મનિષ સિસોદિયાએ જે વ્યક્તિના (મોદી) શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જે ડિગ્રી સર્ટિફિકેટ પણ જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ છે. અને આ સવાલો ઉઠાવનાર મનિષ સિસોદિયા પોતે ગ્રેજ્યુએટ પણ નથી! તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. જ્યારે પીએમ મોદીએ MAની ડિગ્રી મેળવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં