Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઇએ તેમની ઉપર ઉઠાવ્યા સવાલ, કહ્યું- કેટલાને ખરીદશો?...

    હવે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઇએ તેમની ઉપર ઉઠાવ્યા સવાલ, કહ્યું- કેટલાને ખરીદશો? અંતે ભંગારવાળા, દલાલો અને બકરીઓ વેચનારા હાંકતા-હાંકતા નર્કમાં લઈ જશે

    નવાઝુદ્દીન સિદ્દકી પર તેની દુબઈ સ્થિત કામવાળીએ થોડા દિવસ પહેલા  વિડીઓ બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં તેને આરોપ લગાવ્યો હતો કે મને નવાઝ પૈસા નથી આપતો. હાલમાં મારી પાસે ખાવાના પણ પૈસા નથી. મારે ભારત પાછું આવવું છે.

    - Advertisement -

    વર્તમાનમાં બોલીવુડ સતત વિવાદોથી ઘેરાતું જાય છે, એક તરફ બોલીવુડના બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જયારે બોલીવુડ સાથે જોડાયેલ લોકોના વિવાદો બહાર આવી રહ્યા છે. હાલમાં જ કલાકર નાવાઝુદ્દીન સિદ્દકી વિવાદોમાં છે. થોડા દિવસ પૂર્વે તેની પત્નીએ આરોપ લગાવ્યા હતા, ત્યારે બાદ તેની દુબઈ સ્થિત કામવાળીએ પણ આરોપ લગાવ્યા હતા અને હવે તેના સગા ભાઈએ તેના પર ટ્વીટ કરી હમલો કર્યો છે. 

    મળતી માહિતી અનુસાર, નવાઝુદ્દીન સિદ્દકી પર તેની દુબઈ સ્થિત કામવાળીએ થોડા દિવસ પહેલા  વિડીઓ બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં તેને આરોપ લગાવ્યો હતો કે મને નવાઝ પૈસા નથી આપતો. હાલમાં મારી પાસે ખાવાના પણ પૈસા નથી. મારે ભારત પાછું આવવું છે. જો કે બીજા જ દિવસે તેણે એક વધુ વિડીઓ બનાવીને પોતાની વાતથી ફરી ગઈ હતી. તેમજ નવાઝને નિર્દોષ કહ્યો હતો. આજ વાતને લઈને તેના સગા ભાઈએ નવાઝ પર ટ્વીટ કરી હમલો કર્યો હતો.

    નવાઝના ભાઈ શમ્સ નવાબે એક ટ્વીટ કરી હતી, જેમાં તેણે એક ન્યુઝ મીડિયાની લિંક સાથે રાખીને આરોપ કર્યો હતો કે દુબઈની કામવળી પોતાના બયાનથી એટલે ફરી ગઈ છે કારણ કે નવાઝે તેને પૈસા આપી ખરીદી લીધી છે. સાથે સાથે તેણે એ પણ કટાક્ષ કર્યો હતો કે હવે તેની ફિલ્મો પણ નથી ચાલતી, જેના કારણે બોલીવુડના કરોડો રૂપિયા પણ ફસાયેલા છે. અંતે તેણે ટોણો માર્યો હતો કે કબાડી વાળા, દલાલો અને બકરીઓ વેચનારાઓ જ તેને નરકમાં હાંકતા હાંકતા લઈ જશે.

    - Advertisement -

    વિવાદની શરૂઆત, નવાઝની પત્ની અને તેના વકીલે એક વિડીઓ ટ્વીટ કર્યો હતો, તે વિડીઓમાં જે મહિલા હતી તે દુબઈ સ્થિત નવાઝના ઘરમાં કામવાળી હતી. તેણે રડતા રડતા ઉપર મુજબના આરોપો મુક્યા હતા. પરંતુ બીજા જ દિવસે તે તમામ આરોપોથી ફરી ગઈ હતી. આ બાબતને લઈને તેના ભાઈએ કહ્યું હતું કે કેટલા લોકોને ખરીદશો? અંતે બેંક બેલેન્સ પૂરી થઇ જશે. 

    આ તમામ વિવાદોમાં નાવાઝે કોઈ જ બયાન આપ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા અને મીડિયામાં તેની ચર્ચા થઇ રહી છે. લોકોની નજર પણ એ છે કે નવાઝ આના પર શું બોલે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં