9-10 મેની મધરાતે નાપાક દેશ પાકિસ્તાને ભારતની રાજધાની દિલ્હી પર પોતાની એક મિસાઈલ ‘ફતેહ-1’ અથવા ‘ફતેહ-2’ દ્વારા હુમલો કરી દીધો હતો. ભારતીય વાયુ સંરક્ષણ સિસ્ટમે આ મિસાઈલને હરિયાણા પાસે જ નાકામ કરી દીધી હતી. જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના 3 એરબેઝ પર બેલેસ્ટિક મિસાઇલ્સ નાખીને તેમને ભારે નુકશાન પહોચાડ્યું હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. આ 3 એરબેઝ ઈસ્લામાબાદ (Islamabad), લાહોર (Lahore) અને રાવલપિંડીના (Rawalpindi Airbase) હોવાનું કહેવાઈ રહ્યું છે.
#BreakingNews | Fateh 2 missile launched at Delhi from Pakistan, intercepted in Sirsa: Govt Sources
— News18 (@CNNnews18) May 10, 2025
Pak attack at Jammu airport thwarted by India#India #Pakistan #IndiaPakistan | @Zakka_Jacob @manojkumargupta @kaidensharmaa pic.twitter.com/NN8zoMOTi0
પાકિસ્તાને જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનની અંદર ત્રણ એરબેઝ પર મિસાઇલો છોડી હતા, જેમાં રાજધાની ઈસ્લામાબાદની બહારના એક એરબેઝનો પણ સમાવેશ થાય છે. આ સિવાય લાહોર અને રાવલપિંડી એરબેઝને પણ ભારે નુકશાન થયું હોય એમ કહેવાય રહ્યું છે.
Big BREAKING 🚨 Pakistan DG IGPR confirms: Three Airbases under attack 🇵🇰
— The Indian Index (@Indian_Index) May 9, 2025
PAF Murid Air Base – Chakwal, Punjab
Nur Khan Air Base – Chaklala, Rawalpindi
PAF Rafiqui Air Base – Shorkot, Punjab pic.twitter.com/Kz6dP6gibi
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારત દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલા બાદ રાવલપિંડીમાં નૂર ખાન લશ્કરી એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતા યુદ્ધવિરામ ઉલ્લંઘનના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. રાવલપિંડીમાં થયેલા એક વિસ્ફોટમાં આ વ્યૂહાત્મક એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના અનેક શહેરોમાં અનેક વિસ્ફોટો સંભળાયા – બે રાવલપિંડીમાં, એક-એક લાહોર અને ઇસ્લામાબાદમાં. આ હુમલામાં ત્રણ વાયુસેના મથકો – રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ, પંજાબના શોરકોટમાં રફીકી એરબેઝ અને પંજાબના ચકવાલમાં મુરીદ એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ બાબતે હવે ભારતીય વિદેશ મંત્રાલય સહનિવારે સવારે 10 વાગે એક ખાસ પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે, જેમાં આ હુમલા વિશે વધુ જાણકરી આપવામાં આવશે.