Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસતત બીજા દિવસે કચ્છની ધરા ધ્રુજી ઉઠી: ભચાઉ બાદ હવે ધોળાવીરામાં અનુભવાયો...

    સતત બીજા દિવસે કચ્છની ધરા ધ્રુજી ઉઠી: ભચાઉ બાદ હવે ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3.0ની નોંધાઈ તીવ્રતા

    બુધવારે ભૂકંપ આવ્યા પહેલાં મંગળવારની સવારે પણ ભૂકંપ આવ્યો હતો. મંગળવારે (21 નવેમ્બરે) કચ્છના ભચાઉ નજીક વહેલી સવારે 6 વાગીને 47 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 15 કિલોમીટર દુર નોંધાયું હતું.

    - Advertisement -

    કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મંગળવારે (21 નવેમ્બરે) ભૂકંપનો આંચકો આવ્યા બાદ બુધવારે (22 નવેમ્બરે) પણ કચ્છની ધરતી ધ્રુજી ઉઠી છે. જાણવા મળી રહ્યું છે કે સવારના લગભગ 6.55 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ધોળાવીરા નજીક ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં શિયાળાની શરૂઆત થતાં ભૂકંપના આંચકા પણ શરૂ થઈ ગયા છે. બુધવારે સતત બીજા દિવસે કચ્છના લોકોએ ધરતીકંપનો અનુભવ કર્યો છે.

    કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધોળાવીરા નજીક તેનું કેન્દ્ર સ્થાન હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. ધોળાવીરાથી લગભગ 16 કિલોમીટરના અંતરમાં તેનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યું છે. સતત બીજા દિવસે ભૂકંપ આવવાથી કચ્છના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ પહેલાં મંગળવારે (21 નવેમ્બર) પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

    સતત બીજા દિવસે ભૂકંપ

    બુધવારે ભૂકંપ આવ્યા પહેલાં મંગળવારની સવારે પણ ભૂકંપ આવ્યો હતો. મંગળવારે (21 નવેમ્બરે) કચ્છના ભચાઉ નજીક વહેલી સવારે 6 વાગીને 47 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 15 કિલોમીટર દુર નોંધાયું હતું. આધિકારિક માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 જેટલી હોવાનું કહેવામાં આવ્યું હતું. ભચાઉ અને કચ્છના પૂર્વ ભાગમાં આ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે સતત બે દિવસ અનુભવાયેલા આ ભૂકંપથી હજુ સુધી કોઈ જાન-માલનું નુકસાન નથી નોંધાયું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એટલે કે GSMDA મુજબ કચ્છ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની સૂચિમાં સહુથી વધુ તીવ્રતા સાથે ઝોન-5માં આવતો જિલ્લો છે. જે પાછલા કેટલાક વર્ષોમાં કચ્છ અનેક ભૂકંપોનો સામનો કરી ચુક્યું છે. નોંધનીય છે કે 2001માં પણ કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં