Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મસ્જિદ વાળા મહોલ્લામાંથી નીકળેલા ટોળાએ હત્યા કરી': નિતેશ ચૌધરીની માતાએ કહ્યું- દિલ્હી...

    ‘મસ્જિદ વાળા મહોલ્લામાંથી નીકળેલા ટોળાએ હત્યા કરી’: નિતેશ ચૌધરીની માતાએ કહ્યું- દિલ્હી પોલીસ પણ તેમનાથી ડરે છે એટલે સાંપ્રદાયિક એંગલ નકારી કાઢ્યો

    ઑપઈન્ડિયાએ નિતેશ ચૌધરીની માતા બબીતા ​​ચૌધરી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે નિતેશના પિતા પહેલા જ દુનિયા છોડી ચૂક્યા હતા, ત્યારપછી નિતેશ જિમ ટ્રેનર તરીકે કામ કરીને ઘરનો ખર્ચ ચલાવી રહ્યો હતો.

    - Advertisement -

    12 ઓક્ટોબર 2022ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં નિતેશ ચૌધરીની હત્યા થઇ હતી, શહેરના શાદીપુર વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદમાં અદનાન, અબદાસ અને ઉફિઝાએ નિતેશ ચૌધરીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. 16 ઓક્ટોબર, 2022 ના રોજ, હત્યાના વિરોધમાં હિંદુ સંગઠનોએ મૃતકના સંબંધીઓ સાથે પટેલ નગર મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો હતો. જોકે, પોલીસે આ ઘટનામાં સાંપ્રદાયિક વલણ હોવાની વાતને નકારી કાઢી છે. દિલ્હીમાં નિતેશ ચૌધરીની હત્યા બાદ ઑપઈન્ડિયાની ટીમ સોમવારે (17 ઓક્ટોબર, 2022) ના રોજ નિતેશના ઘરે પહોંચી અને વાસ્તવિક માહિતી એકઠી કરવાનો પ્રયાસ કર્યો હતો.

    બપોરે 2 વાગ્યાની આસપાસ અમે પટેલ નગર પહોંચ્યા. ત્યાં રસ્તા પરના તમામ દુકાનદારો પોતાનું કામ સામાન્ય રીતે કરી રહ્યા હતા, પરંતુ તેઓને આ હત્યાકાંડની જાણ હતી. રસ્તાની બાજુમાં પાનની દુકાન ચલાવતા એક વ્યક્તિએ અમને પગપાળા જવાની સલાહ આપી, અમને જણાવ્યુ કે ગલીઓ સાંકડી છે. પટેલ નગર મેટ્રો પાસેના પાર્કિંગમાં અમે અમારું વાહન પાર્ક કર્યું અને પગપાળા નીકળ્યા. રસ્તામાં અમને દુકાનદારના સૂચન મુજબ ગલીઓ ખરેખર સાંકડી મળી.

    સાંકડી શેરીઓમાં લોકોના ઘર અને કરિયાણાની દુકાનો ખુલ્લી હતી, જેઓ તેમનું કામ રાબેતા મુજબ કરી રહ્યા હતા. ગલીમાં એક જગ્યાએ એક બોર્ડ દેખાયું જેમાં લખ્યું હતું, “કબ-કબ બટા ભારત”.

    - Advertisement -
    રંજીતનગરની સાંકડી ગલીઓ અને તેમાં લાગેલું પોસ્ટર (સાભાર ऑपइंडिया)

    નિતેશના ઘરે પોલીસ અને અર્ધલશ્કરી દળ તૈનાત

    અમે એ જ સાંકડી ગલીઓમાંથી આગળ વધ્યા અને પટેલ નગર મેટ્રો સ્ટેશનની અંદર લગભગ 1 કિલોમીટર ચાલીને જ્યાં નિતેશ ચૌધરીનું ઘર છે ત્યાં પહોંચ્યા. દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો નિતેશના ઘરની લગભગ 50 મીટર પહેલા તૈનાત જોવા મળ્યા હતા. જો કે, કોઈની અવરજવર પર કોઈ પ્રતિબંધ ન હતો. કેટલાક હિન્દુ સંગઠનો અને મીડિયાના લોકો ઘરની બહાર એકઠા થયા હતા. ઘરના આગળના ભાગ પર અમને એક માણસ ઊભો જોવા મળ્યો, જેણે પોતાને મૃતક નિતેશના કાકા તરીકે ઓળખાવ્યો હતો.

    નીતેશના ઘરની બહાર સુરક્ષાકર્મીઓ (સાભાર ऑपइंडिया)

    પડોસીઓ બારીઓમાંથી જોઈ રહ્યા હતા

    ગેટ પર ભીડને અંદર કહ્યા બાદ અમને થોડો સમય રોકાવાનું કહેવામાં આવ્યું. અમે રાહ જોઈ અને આસપાસ જોયું અને વાતાવરણ સામાન્ય લાગ્યું. લોકો અન્ય ઘરોમાંથી ડોકિયું કરતા જોવા મળ્યા હતા. નિતેશનું ઘર સામાન્ય ઘર જેવું છે. ઘરની સામે અનેક ઈલેક્ટ્રીક વાયરો એકબીજા સાથે ગૂંચવાયેલા જોવા મળ્યા. અંદરથી કેટલીક સ્ત્રીઓના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

    નીતેશના ઘરની બહાર એકઠા થયેલા હિન્દુ સંગઠનો અને મીડિયા કર્મીઓ (સાભાર ऑपइंडिया)

    પિતાના અવસાન બાદ નિતેશ એકમાત્ર સહારો હતો

    ઑપઈન્ડિયાએ નિતેશ ચૌધરીની માતા બબીતા ​​ચૌધરી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે નિતેશના પિતા પહેલા જ દુનિયા છોડી ચૂક્યા હતા, ત્યારપછી નિતેશ જિમ ટ્રેનર તરીકે કામ કરીને ઘરનો ખર્ચ ચલાવી રહ્યો હતો. આગળ તેમણે કહ્યું કે તેની પ્રાથમિકતા આર્થિક નહીં પરંતુ ન્યાયિક સહયોગ છે અને તે તેમના પુત્રના હત્યારાઓને વહેલી તકે ફાંસી પર લટકતા જોવા માંગે છે. આ દરમિયાન નિતેશની માતાએ તેના પરિવારને સંયુક્ત કહ્યું અને કહ્યું કે દુઃખના આ સમયમાં બધાએ એક રહેવું જોઈએ.

    અહીંના હિંદુઓએ પોતાના મકાનો મુસ્લિમોને ભાડે આપી દીધા છે

    તેમના વિસ્તારનો ઉલ્લેખ કરતાં નિતેશની માતાએ તેને જાટ બહુલ ગણાવ્યો અને કહ્યું કે ઘણા હિંદુઓએ તેમના મકાનો મુસ્લિમોને ભાડે આપી દીધા છે. પોતાનો મુદ્દો જણાવતા તેમણે કહ્યું કે અમારા પરિવારમાં ક્યારેય કોઈ મુસ્લિમને ભાડે નથી રાખવામાં આવ્યો. અમને કહેવામાં આવ્યું કે અમારા જાટ વિસ્તારમાં ઘણા મુસ્લિમો છે પરંતુ મુસ્લિમ વિસ્તારમાં એક પણ જાટ નથી. બબીતા ​​ચૌધરીના જણાવ્યા અનુસાર, તેમના ઘરના તમામ સભ્યો માત્ર ધાર્મિક વિચારસરણીના જ નથી પરંતુ વિવિધ હિન્દુ સંગઠનો સાથે પણ જોડાયેલા છે.

    મૃતક નીતેશની માતા (સાભાર ऑपइंडिया)

    વિસ્તારના મુસ્લિમોથી પોલીસ પણ ડરે છેઃ નિતેશની માતા

    નિતેશની માતાએ અમને જણાવ્યું કે જ્યાં તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી મુસ્લિમ વિસ્તાર શરૂ થાય છે. તેમણે કહ્યું કે ત્યાં એક મસ્જિદ છે, અને મસ્જિદના વિસ્તારમાંથી નીકળેલા બે ડઝન લોકોના ટોળાએ નિતેશની હત્યા કરી હતી. પોલીસ પર યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે પોલીસ રણજીત નગરના મુસ્લિમોથી પણ ડરે છે, તેથી જ તેમણે ક્યારેક સાંપ્રદાયિક એંગલને નકારી કાઢ્યો તો ક્યારેક પોતાના પુત્રનેજ ગુનેગાર ગણાવ્યો હતો.

    નિતેશની માતાએ અમને વધુમાં જણાવ્યું કે જે જગ્યાએ ટોળાએ નિતેશની હત્યા કરી હતી, ત્યાં મુસ્લિમોનો આખો વિસ્તાર છે. તેમના કહેવા પ્રમાણે તે વિસ્તારમાં મુસ્લિમો દ્વારા હિન્દુ બહેનો અને દીકરીઓની ખુલ્લેઆમ છેડતી કરવામાં આવે છે, જેના કારણે છોકરીઓ ત્યાં જવામાં ડરે છે. તેમણે અમને વધુમાં જણાવ્યું કે હિન્દુઓ આ બાજુ તેમની દુકાનો સાંજે વહેલી બંધ કરી દે છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં દુકાનો આખી રાત ખુલ્લી રહે છે, ખાસ કરીને માંસ અને માછલીની દુકાનો. અમને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે રાત હોય છે ત્યારે તે જ વિસ્તારમાંથી ઘણા લોકો બાઇક પર આવે છે અને ખોટા કામો કરે છે, તેમને રોકવાવાળું કોઈ નથી.

    અમારી સાથે વધુ વાત કરતાં નિતેશની માતા રડવા લાગી અને ઘરની અન્ય મહિલાઓએ તેમની સંભાળ લીધી.

    નિતેશ ચૌધરી હત્યા કેસ: શું કહેવું છે દિલ્હી પોલીસનું?

    જોકે નિતેશ ચૌધરી હત્યા કેસમાં દિલ્હી પોલીસનું કહેવું કંઈક અલગ જ છે. સેન્ટ્રલ દિલ્હી ડીસીપી શ્વેતા ચૌહાણે કહ્યું કે હત્યારાઓએ જેમની હત્યા કરી તે પોતે ગુનેગાર હતા. ‘એબીપી ન્યૂઝ’ સાથે વાત કરતા, તેમણે કહ્યું કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિતેશ અને તેનો મિત્ર આલોક પોતે ‘Aggressors (આક્રમક)’ છે અને તેમની સામે પહેલાથી જ અનેક ફોજદારી કેસ નોંધાયેલા છે. તે કહે છે કે અહીં બંનેએ પહેલા આરોપીઓને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પોતેજ પીટાઈ ગયા.

    પોલીસે હત્યાને ‘યુવકોના બે જૂથો વચ્ચેની લડાઈ’ ગણાવી છે. ચૌહાણે કહ્યું કે બંને યુવકોએ સામેથી આવતી બાઇકને રોકી અને લોકોને ઉતારી દીધા અને માર મારવા લાગ્યા. પોલીસ સંસ્કરણ મુજબ, આ પછી બીજા જૂથે લડાઈ દરમિયાન તેમને માર માર્યો. પોલીસનું કહેવું છે કે તેઓએ જણાવ્યું કે એફઆઈઆર કલમ ​​308 હેઠળ 13 ઓક્ટોબરે પ્રત્યક્ષદર્શીઓના અભાવે નોંધવામાં આવી હતી અને આલોકે કોઈ નિવેદન આપ્યું ન હતું.

    નિતેશ ચૌધરીના મૃત્યુ બાદ પોલીસે કહ્યું હતું કે તેનું મૃત્યુ વધુ પડતી ઈજાઓને કારણે થયું હતું, ત્યારબાદ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં