Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણજેણે CM આવાસમાં કર્યો હતો સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો, જેના વિરૂદ્ધ...

    જેણે CM આવાસમાં કર્યો હતો સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો, જેના વિરૂદ્ધ એક્શન લેવાની AAPએ કરી હતી વાત: એ જ બિભવ કુમાર કેજરીવાલ સાથે હરતાં-ફરતાં દેખાયા

    72 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને AAPએ કેજરીવાલના સહયોગી બિભવ કુમાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. કોઈપણ પગલાં તો રેહવા દો, પરંતુ તે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે આરામથી ફરતા જોવા મળે છે.

    - Advertisement -

    AAPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પુષ્ટિ કરી હતી કે બિભવ કુમાર કે જેઓ દિલ્હીના સીએમ અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલના અંગત સહાયક છે તેમણે કેજરીવાલના ઘરે સાથી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરી હતી અને દુર્વ્યવહાર કર્યો હતો. હવે આ ઘટનાને 72 કલાકથી વધુ સમય થઈ ગયો છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે સીએમ કેજરીવાલે આ મામલાની નોંધ લીધી છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જો કે, હવે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં બિભવ કુમાર લખનૌ એરપોર્ટ પર કેજરીવાલની સાથે જોઈ શકાય છે.

    બીજેપીના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ X, ઔપચારિક રીતે X પર ફોટો શેર કર્યો હતો જ્યાં લખનૌ એરપોર્ટ પર કેજરીવાલની સાથે કેટલાક AAP નેતાઓ જોવા મળે છે. ફોટામાં સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન કરનાર અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમાર લખનૌ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી સાથે જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી સાથે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પણ જોવા મળ્યા હતા.

    આ તસવીર શેર કરતાં ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવા બદલ બિભવ કુમારને સજા કરવાના AAP દ્વારા કરવામાં આવેલા નાટકીય દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. બીજેપીના નેતાએ હકીકતમાં કહ્યું કે સ્વાતિ માલીવાલ પર હુમલો ખુદ કેજરીવાલના કહેવાથી થયો હતો.

    - Advertisement -

    સપા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ કરવા લખનૌ પહોંચ્યા કેજરીવાલ

    નોંધનીય છે કે જામીન પર છૂટેલા દિલ્હીના સીએમ બુધવારે લખનૌ જવા રવાના થયા હતા. કેજરીવાલ ગુરુવારે (16 મે) સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મળશે. ત્યારબાદ બંને નેતાઓ લખનૌમાં રાજ્યના એસપી મુખ્યાલયમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. 10 મેના રોજ દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ કેજરીવાલની ઉત્તર પ્રદેશની આ પ્રથમ મુલાકાત હશે.

    હવે, 72 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને AAPએ કેજરીવાલના સહયોગી બિભવ કુમાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. કોઈપણ પગલાં તો રેહવા દો, પરંતુ તે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે આરામથી ફરતા જોવા મળે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં