Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણ'મારી સાથે કરવામાં આવી મારપીટ': દિલ્લી CM હાઉસથી AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ...

    ‘મારી સાથે કરવામાં આવી મારપીટ’: દિલ્લી CM હાઉસથી AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પોલીસને લગાવ્યો ફોન, કેજરીવાલના PA વિરુદ્ધ નોંધાવશે ફરિયાદ

    હાલ ઑપઇન્ડિયા પણ પોતાના સોર્સ દ્વારા આ બાબતે વધુ જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જે જાણકારી સામે આવશે એ મુજબ આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -

    આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ચોથા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. તેવામાં હવે રાજકારણ કઈક અલગ જ રંગ લઇ રહ્યું છે. તાજેતરમાં જ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ જામીન લઈને જેલની બહાર આવ્યા છે, તેવામાં સોમવારે સવારે 10 વાગે CM આવાસ પરથી AAPના જ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પોલીસને ફોન કરીને ફરિયાદ કરી છે કે કેજરીવાલના કહેવા પર તેમના PA તેમના સાથે મારપીટ કરી રહ્યા છે.

    અહેવાલોની માનીએ તો પોલીસના ઉચ્ચ સોર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્વાતિ માલીવાલે 2 PCR કોલ કર્યા હતા. પહેલામાં તેઓએ કહ્યું હતું કે કેજરીવાલના PA તેમની સાથે મારપીટ કરી રહ્યા છે. બાદમાં થોડી જ વારમાં તેઓએ ફરીથી કોલ કર્યો અને કહ્યું કે કેજરીવાલના PA કેજરીવાલના કહેવા પર તેમની સાથે મારપીટ કરી રહ્યા છે.

    તાજી જાણકારી મુજબ જ્યારે પોલીસ CM આવાસ પર પહોંચી ત્યારે સ્વાતિ માલીવાલ ત્યાં હાજર નહોતા, ત્યાંથી નીકળી ચૂક્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે હાલ તેઓ માનસિક આઘાતમાં છે અને બાદમાં પોલીસ સ્ટેશન પર આવીને પોતાની ફરિયાદ નોંધાવશે.

    - Advertisement -

    હાલ ઑપઇન્ડિયા પણ પોતાના સોર્સ દ્વારા આ બાબતે વધુ જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જે જાણકારી સામે આવશે એ મુજબ આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં