Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે મહિલા નેતાએ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પર લગાવ્યા હતા આરોપ, તેમને જ...

    જે મહિલા નેતાએ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પર લગાવ્યા હતા આરોપ, તેમને જ કોંગ્રેસે પાર્ટીમાંથી કાઢી મૂક્યાં: ‘પાર્ટીવિરોધી’ ગતિવિધિઓનું આપ્યું કારણ

    અંગકિતાએ તાજેતરમાં યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ અને યુથ કોંગ્રેસ સેક્રેટરી વર્ધન યાદવ પર પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    કોંગ્રેસે શનિવારે (22 એપ્રિલ, 2023) આસામ પ્રદેશ યુથ કોંગ્રેસનાં અધ્યક્ષ અંગકિતા દત્તાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં. તેમની ઉપર ‘પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓ’ કરવાનો આરોપ લાગ્યો છે અને 6 વર્ષ માટે બરતરફ કરી દેવામાં આવ્યાં છે. નોંધનીય છે કે તાજેતરમાં જ તેમણે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસ પર આરોપ લગાવ્યા હતા. 

    અંગકિતાએ તાજેતરમાં યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ અને યુથ કોંગ્રેસ સેક્રેટરી વર્ધન યાદવ પર પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. એક ટ્વિટમાં તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ દ્વારા સતત તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે અને તેમની સાથે લૈંગિક ભેદભાવ પણ થઇ રહ્યો છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં પાર્ટી નેતૃત્વે આંખ આડા કાન કર્યા હતા. 

    મહિલા નેતાએ કહ્યું કે, તેમની ફરિયાદો બાદ પણ શ્રીનિવાસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને છેલ્લા ઘણા મહિનાઓથી કાર્યવાહીની આશાએ તેઓ રાહ જોઈ રહ્યાં હતાં પરંતુ કોઈને રસ હોય તેમ લાગી રહ્યું નથી. આ ઉપરાંત, તેમણે એક ટ્વિટમાં પ્રિયંકા ગાંધીના ‘લડકી હું, લડ સકતી હું’ અભિયાન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 

    - Advertisement -

    પાર્ટીએ બે દિવસ પહેલાં કારણદર્શક નોટિસ પાઠવી હતી 

    યુથ કોંગ્રેસ અધ્યક્ષ પરના આ આરોપો બાદ આસામ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ તેમને એક કારણદર્શક નોટિસ પાઠવીને તેમની પાસેથી જવાબ માંગ્યા હતા કે શા અંતે તેમની સામે શિસ્તતાનાં પગલાં લેવામાં નહીં આવે. આ સાથે તેમને બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હવે અંગકિતા દત્તાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

    એક તરફ કોંગ્રેસની નોટિસ મળ્યા બાદ તે જ દિવસે તેમણે આસામ પોલીસ સમક્ષ શ્રીનિવાસ સામે પ્રતાડનાની ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રીનિવાસે તેમને માનસિક ત્રાસ આપ્યો હતો અને લૈંગિક ટિપ્પણીઓ કરીને અપશબ્દો પણ કહ્યા હતા. તેમજ આ બાબતની જાણ પાર્ટીના શીર્ષ નેતૃત્વને કરવા પર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. 

    આસામ સીએમ સમર્થનમાં આવ્યા 

    અંગકિતા દત્તાએ શ્રીનિવાસ સામે આરોપો લગાવ્યા બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પણ આ અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જો આંતરિક રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહે તો આસામ પોલીસ હસ્તક્ષેપ કરશે. તેમણે કહ્યું હતું કે, “અંગકિતા દત્તા આસામની દીકરી છે. જે રીતે આસામ પ્રદેશ કોંગ્રેસ આ મુદ્દે વલણ દાખવી રહી છે તે દુઃખદ છે. તેઓ વિચારે છે કે અંગકિતાએ ખોટું નિવેદન આપ્યું છે અને યુથ કોંગ્રેસ અધ્યક્ષ સાચા છે. જો કોંગ્રેસ અંગકિતાની પડખે ઉભી હોત તો આનંદ થાત પરંતુ જે દેખાય રહ્યું છે તે તેનાથી તદ્દન વિપરીત છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં