Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીના ‘મૈંને ઉસકો માર દિયા’વાળા નિવેદનની અસદુદ્દીન ઓવૈસીએ પણ મજાક ઉડાવી,...

    રાહુલ ગાંધીના ‘મૈંને ઉસકો માર દિયા’વાળા નિવેદનની અસદુદ્દીન ઓવૈસીએ પણ મજાક ઉડાવી, જાહેર મંચ પરથી કહ્યું….

    રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન એક નિવેદન આપીને કહ્યું હતું કે, તેમણે રાહુલ ગાંધીને મારી નાંખ્યા છે અને જેને આપણે જોઈ રહ્યા છીએ તે રાહુલ ગાંધી નથી.

    - Advertisement -

    ભારત જોડો યાત્રા લઈને નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત અટપટાં અને હાસ્યાસ્પદ નિવેદનો આપી રહ્યા છે, જેને લઈને સોશિયલ મીડિયા ઉપર તેમની મજાક પણ ઊડતી રહે છે. હવે AIMIM પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીની મજાક ઉડાવી હતી. તેમણે એક કાર્યક્રમના રાહુલ ગાંધીના ‘મૈંને રાહુલ ગાંધી કો માર દિયા’ના નિવેદન અને તેમની ટી-શર્ટ મુદ્દે ટિપ્પણી કરી હતી. 

    રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન એક નિવેદન આપીને કહ્યું હતું કે, તેમણે રાહુલ ગાંધીને મારી નાંખ્યા છે અને જેને આપણે જોઈ રહ્યા છીએ તે રાહુલ ગાંધી નથી. આ ટિપ્પણીને ટાંકીને અસદુદ્દીન ઓવૈસીએ મજાક ઉડાવતાં પૂછ્યું કે જો રાહુલ ગાંધીનું અસ્તિત્વ નથી તો તમે કોણ છો? એક જિન? 

    ઓવૈસી ગુરુવારે (12 જાન્યુઆરી 2023) હૈદરાબાદમાં એક સભા સંબોધી રહ્યા હતા. જેમાં તેમણે રાહુલ ગાંધીને લઈને કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા 50 વર્ષના થઇ ગયા અને હવે કહે છે કે મને ઠંડીથી ડર નથી લાગતો. પોતાનું નામ લઈને કહે છે કે મેં તેને મારી નાંખ્યો છે. હું એ છું જ નહીં. તો પછી તું છે કોણ? જિન છે? 

    - Advertisement -

    અસદુદ્દીન ઓવૈસીએ એમ પણ કહ્યું કે, જો આ જ નિવેદન તેમના જેવા કોઈ નેતાએ આપ્યું હોત તો તેમને નશો કરીને બોલનારામાં ખપાવી દીધા હોત પરંતુ રાહુલ ગાંધીના નિવેદન પર તાળીઓ પડી રહી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની આ સ્થિતિ થઇ ગઈ છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગાઉ એક નિવેદન આપતાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી તમારા મગજમાં છે, મેં તેને મારી દીધો છે. એ છે જ નહીં. મારા મગજમાં છે જ નહીં…જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો, એ રાહુલ ગાંધી નથી. એ તમને દેખાય છે. તમે વાત સમજ્યા નથી..હિંદુ ધર્મને વાંચો…શિવજીને વાંચો, વાત સમજાઈ જશે.”

    આ ઉપરાંત, રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમને ઠંડી લાગતી નથી અને તેઓ ઠંડીથી ડરતા નથી. જે પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો હતો તેને સામો સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે સ્વેટર પહેર્યું કારણ કે તેમને ઠંડીથી ડર લાગે છે. 

    આ સિવાય પણ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં પાંડવો અને GST વગેરેને લઈને અજીબોગરીબ નિવેદનો આપતા રહ્યા છે. જેને લઈને સોશિયલ મીડિયામાં મજાક પણ બહુ ઉડી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં