Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીએ કહ્યું- ‘રાહુલ ગાંધી કો મૈંને માર દિયા, તમે જેને જોઈ...

    રાહુલ ગાંધીએ કહ્યું- ‘રાહુલ ગાંધી કો મૈંને માર દિયા, તમે જેને જોઈ રહ્યા છો એ રાહુલ ગાંધી નથી: રાગાનો વધુ એક લોચો, નેટિઝન્સે મજા માણી

    રાહુલ ગાંધીની આ અટપટી વાતો ટ્વિટર યુઝરોને પણ સમજાઈ ન હતી. ત્યારબાદ કેટલીક રમૂજી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી તો લોકોએ મીમ્સ પણ શૅર કર્યાં હતાં. 

    - Advertisement -

    જેમ-જેમ ભારત જોડો યાત્રા આગળ વધી રહી છે તેમ રાહુલ ગાંધી પણ વિચિત્ર અને જલ્દીથી ન સમજાય તેવાં નિવેદનો આપવામાં એક-એક પગથીયું ઉપર ને ઉપર ચડી રહ્યા છે. તાજેતરમાં તેમણે આવું જ એક નિવેદન આપી દીધું હતું. તેમણે કહ્યું કે, જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો તે રાહુલ ગાંધી નથી અને કહ્યું કે, ‘રાહુલ ગાંધી કો મૈંને માર દિયા હૈ.’

    ભારત જોડો યાત્રા હરિયાણામાં પહોંચતાં અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ આ વાતો કહી હતી. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી તમારા મગજમાં છે, મેં તેને મારી દીધો છે. એ છે જ નહીં. મારા મગજમાં છે જ નહીં…જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો, એ રાહુલ ગાંધી નથી. એ તમને દેખાય છે. તમે વાત સમજ્યા નથી..હિંદુ ધર્મને વાંચો…શિવજીને વાંચો, વાત સમજાઈ જશે.” તેઓ આગળ કહે છે, “રાહુલ ગાંધી તમારા મગજમાં છે, મારા મગજમાં છે જ નહીં. રાહુલ ગાંધી ભાજપના મગજમાં છે, મારા મગજમાં છે જ નહીં. તમે (પત્રકાર) આટલા હેરાન થયેલા કેમ લાગો છો? (મને) છબી સાથે કશું લાગતું-વળગતું નથી, તેમાં કોઈ રસ નથી. મને કોઈ ફેર નથી પડતો.”

    રાહુલ ગાંધીની આ ‘રાહુલ ગાંધી કો મૈંને માર દિયા’ અને ‘યે રાહુલ ગાંધી નહીં હૈ’ જેવી અટપટી વાતો ટ્વિટર યુઝરોને પણ સમજાઈ ન હતી. ત્યારબાદ કેટલીક રમૂજી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી તો લોકોએ મીમ્સ પણ શૅર કર્યાં હતાં. 

    - Advertisement -

    એક યુઝરે ટિપ્પણી કરતાં લખ્યું કે, રાહુલ ગાંધી આવું ‘જ્ઞાન’ ક્યાંથી લાવતા હશે તે તેમને સમજાય રહ્યું નથી. 

    એક યુઝરે કટાક્ષ કરતાં કહ્યું કે, તેમણે 10 વખત તેમનું નામ લઈને પછી કહ્યું કે રાહુલ ગાંધી તેમના મગજમાં નથી. 

    અન્ય એક યુઝરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરીને કહ્યું કે, આનાથી વધુ ઈમાનદારી ન હોય શકે. 

    મનોજ શર્મા નામના યુઝરે રમૂજ કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીએ જ જો રાહુલ ગાંધીને મારી દીધા હોય તો હવે ભાજપના સ્ટાર પ્રચારક કોણ હશે? ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ઘણીવાર રાહુલ ગાંધીને મજાકમાં ‘ભાજપના સ્ટાર પ્રચારક’ ગણાવવામાં આવે છે. 

    સુરેશ ગિરી પ્રખર લખે છે કે, તેમને (રાહુલને) કોઈ જ્ઞાન નથી કે ન ધર્મ-ચરિત્ર જેવું કંઈ છે અને જે તેમના મગજમાં આવે એ બોલ્યા કરે છે. 

    કેટલાક યુઝરોએ મીમ્સ પણ બનાવીને શેર કર્યાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં