Wednesday, April 24, 2024
More
    હોમપેજદેશજેહાદી માનસિકતા ધરાવતા શાહરૂખનો શિકાર બનેલી અંકિતાના ઘરે પહોંચી મહિલા આયોગની ટીમ,...

    જેહાદી માનસિકતા ધરાવતા શાહરૂખનો શિકાર બનેલી અંકિતાના ઘરે પહોંચી મહિલા આયોગની ટીમ, નિરીક્ષણ કર્યું: કપિલ મિશ્રાએ પરિવારને સોંપ્યો 25 લાખનો ચેક

    - Advertisement -

    ઝારખંડમાં હિંદુ તરૂણી અંકિતાની હત્યા મામલે રાષ્ટ્રીય મહિલા કમિશન એક્શનમાં આવ્યું છે. આજે મહિલા આયોગની એક ટીમ દુમકા સ્થિત અંકિતાના ઘરે પહોંચી હતી અને પરિજનો સાથે વાતચીત કરી હતી. બીજી તરફ, ભાજપ નેતાઓએ પણ દેશભરમાંથી દાન એકઠું કરીને અંકિતાના પરિજનોને સોંપ્યું હતું. 

    NCWનાં લીગલ કાઉન્સિલર શાલિની સિંહે કહ્યું, “સમાચાર મળતાં જ અમે સ્વયં સંજ્ઞાન લઈને કાર્યવાહી કરી અને મામલો ડીજીપી સામે ઉઠાવ્યો હતો. અમે અહીં જે પણ જોયું છે તેને NCW અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં જણાવવામાં આવશે. જે બાદ તેઓ આગળ શું કરવું તે વિશે નિર્ણય લેશે. હાલ અમે કંઈ વધુ જણાવી શકીએ તેમ નથી.”

    શાલિની સિંઘે મૃતક અંકિતા સિંહની ગરિમા જાળવવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું, “સોશિયલ મીડિયા પર લોકો પીડિતાની તસ્વીરો શૅર કરી રહ્યા છે. મહેરબાની કરીને તેને રોકવામાં આવે. મહત્વની જાણકારીનો દુરુપયોગ ન થાય અને મહિલાની ગરિમાની રક્ષા કરવામાં આવે.”

    - Advertisement -

    રાષ્ટ્રીય મહિલા આયોગની બે સભ્યોની ટીમે મૃતક અંકિતાના ઘરે જઈ પરિજનો સાથે વાત કરીને સમગ્ર મામલાની જાણકારી લીધી હતી. આ સાથે જ ટીમે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી. ટીમે એ રૂમનું પણ ધ્યાનથી નિરીક્ષણ કર્યું હતું જેમાં અંકિતા ઊંઘી રહી હતી અને શાહરુખ હુસૈને બારીમાંથી પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. 

    આ પહેલાં રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ સોમવારે (29 ઓગસ્ટ 2022) ઝારખંડના ડીજીપી નીરજ સિન્હાને નોટિસ આપીને અંકિતાની હત્યા અંગે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો હતો.

    બીજી તરફ ભાજપ નેતા કપિલ મિશ્રાએ પીડિતાના પરિવાર માટે લોકો પાસેથી ફંડ એકઠું કર્યું છે અને દુનિયાભરના લોકોએ અંકિતાના પરિવાર માટે 25 લાખ રૂપિયાથી વધુની રકમ આપી છે. કપિલ મિશ્રાએ દુમકાના સંસદ નિશિકાંત દૂબે સાથે મળીને અંકિતાના પરિજનોને મળીને તેમને 25 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો.

    જેહાદી માનસિકતા ધરાવતા શાહરૂખ હુસૈનનો શિકાર બનેલી અંકિતાના મોટ પર ઝારખંડની હેમંત સોરેન સરકારે માત્ર 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. જેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ટીકા પણ ખૂબ થઇ રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકાર ધારાસભ્યોને છત્તીસગઢની રિસોર્ટમાં મોકલીને કરોડો રૂપિયા ઉડાવી શકે છે પરંતુ એક હિંદુ પીડિતાને પૂરતું વળતર પણ આપી શકતી નથી.

    ઉલ્લેખનીય છે કે શાહરૂખ હુસૈને હુમલો કર્યા બાદ 90 ટકા દાઝી ગયેલી અંકિતાએ 5 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ 23 ઓગસ્ટ 2022ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ રાજ્યમાં ઠેકઠેકાણે પ્રદર્શનો થઇ રહ્યાં છે. બીજી તરફ, પોલીસની કસ્ટડીમાં શાહરૂખ હુસૈનનો હસતો ફોટો પણ વાયરલ થયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં