Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપહેલાથી પરણેલા અમરોહાના ઝાકીરે સંદીપ બની આસામની યુવતીને ફસાવી: ત્રણ વર્ષ સુધી...

    પહેલાથી પરણેલા અમરોહાના ઝાકીરે સંદીપ બની આસામની યુવતીને ફસાવી: ત્રણ વર્ષ સુધી અંધારામાં રાખી 3 બાળકોનો પિતા બન્યા બાદ તરછોડીને ભાગ્યો

    આરોપી લવ જેહાદી ઝાકિર પહેલાથી જ પરિણીત હતો, તેથી તે યુવતીને આસામમાં છોડીને તેના ઘરે ભાગી ગયો હતો. પરંતુ તેનો પીછો કરતા યુવતી અમરોહા પણ પહોંચી ગઇ હતી. અહીં જ્યારે તેને ખબર પડી કે સંદીપ મુસ્લિમ ધર્મનો છે અને તેનું સાચું નામ ઝાકીર છે અને તે પહેલાથી જ પરિણીત છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ સ્થિત અમરોહાના ઝાકીરે સંદીપ બની આસામની યુવતીને ફસાવી તેણે 3 વર્ષ સુધી અંધારામાં રાખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આટલું જ નહિ, તેણે યુવતી સાથે લગ્નનું તરકટ રચીને 3 બાળકોની મા પણ બનાવી દીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઝાકીરે 3 વર્ષ સુધી જુઠું બોલી યુવતીનું શોષણ કર્યા બાદ તે તેના બાળકો સહીત આસામમાં તરછોડીને અમરોહા ભાગી આવ્યો હતો.

    અહેવાલો અનુસાર અમરોહાના ઝાકીરે સંદીપ બની આસામની યુવતીને ફસાવી લવ જેહાદ આચર્યો હતો. ઝાકીર નામના આ મુસ્લિમ યુવકે પોતાનું નામ બદલ્યું અને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે 3 વર્ષ સુધી તેની સાથે રહ્યોહતો. પરંતુ થોડા દિવસ પહેલા જ તે તેને છોડીને પોતાના ઘરે ભાગી ગયો હતો. તેનો પીછો કર્યા બાદ યુવતી પણ અમરોહા પહોંચી હતી. અને પોલીસને આખો મામલો જણાવ્યો હતો.

    યુવતીની ફરિયાદ બાદ પોલીસે યુવકની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે તે સંદીપ નામનો હિંદુ યુવક નહીં પણ મુસ્લિમ ઝાકીર છે. હાલ દેહાત પોલીસ મથકે આરોપીઓ સામે લવ જેહાદનો ગુનો નોંધ્યો છે. યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આરોપી ઝાકિર દેહાત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ નઝરપુર ખુર્દનો રહેવાસી છે.

    - Advertisement -

    આ ઘટના બાબતે સિટી સીઓ વિજય કુમાર રાણાએ જણાવ્યું હતું કે દેહાત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ નઝરપુર ખુર્દનો રહેવાસી ઝાકીર ત્રણ વર્ષ પહેલાં નોકરી મેળવવા આસામ ગયો હતો. તે ગુવાહાટી જિલ્લામાં ભંગારની પ્લેટો બનાવતો હતો. અહીં ઝાકિર પોતાનો ધર્મ છુપાવતો હતો અને પોતાને હિંદુ ધર્મનો સંદીપ કહેતો હતો. આ દરમિયાન તેણે લવ જેહાદ આચરવા ગુવાહાટી જિલ્લાના એક ગામમાં રહેતી એક હિંદુ યુવતીને ફસાવી હતી અને પટના સ્થિત મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ પછી, બંને પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા. તેમને ત્રણ બાળકો પણ છે.

    આરોપી ઝાકીરના પહેલેથી જ નિકાહ થઈ ચુક્યા છે

    નોંધનીય છે કે આરોપી લવ જેહાદી ઝાકિર પહેલાથી જ પરિણીત હતો, તેથી તે યુવતીને આસામમાં છોડીને તેના ઘરે ભાગી ગયો હતો. પરંતુ તેનો પીછો કરતા યુવતી અમરોહા પણ પહોંચી ગઇ હતી. અહીં જ્યારે તેને ખબર પડી કે સંદીપ મુસ્લિમ ધર્મનો છે અને તેનું સાચું નામ ઝાકીર છે અને તે પહેલાથી જ પરિણીત છે, ત્યારે તેના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. પીડિતાએ આ મામલે એસપી આદિત્ય લંગેને ફરિયાદ કરી હતી.

    હાલ પીડિતાની ફરિયાદના આધારે આરોપી ઝાકિર વિરુદ્ધ ઉત્તર પ્રદેશ કાયદાની કલમ 3 અને 5(1) તથા ધર્મ પરિવર્તન પ્રતિબંધક ધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે. હાલ આ યુવતી હિન્દુ પરિવારના ઘરે રહે છે. મામલાની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં