Wednesday, May 14, 2025
More
    હોમપેજગુજરાતઅમરેલીમાં બેઠા-બેઠા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સોશિયલ મીડિયા ગ્રુપમાં સક્રિય હતો મદરેસાનો મૌલવી:...

    અમરેલીમાં બેઠા-બેઠા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સોશિયલ મીડિયા ગ્રુપમાં સક્રિય હતો મદરેસાનો મૌલવી: પોલીસે ઓળખના પુરાવા માગ્યા તો ન મળ્યા, પકડીને શરૂ કરી પૂછપરછ

    ગ્રુપમાં અરબી ભાષામાં વાતચીત અને સંદેશાઓની આપ-લે થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં મૌલાના પાસે તેના ભારતીય નાગરિક હોવાના કોઈ પુરાવા ન હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

    - Advertisement -

    અમરેલીના (Amreli) ધારી વિસ્તારના એક મદરેસાના (Madrasa) મૌલવીનું (Maulvi) પાકિસ્તાન કનેક્શન (Pakistan Connection) હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, મૌલવી મહોમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખના મોબાઈલમાં પાકિસ્તાન, આઘાનિસ્તાન અને બાંગ્લાદેશના કુલ 8 ગ્રુપ મળી આવ્યાં છે. આ તમામ ગ્રુપમાં અરબી ભાષામાં વાતચીત કરવામાં આવી રહી હતી. વધુમાં મૌલવી તેના કોઈ રહેઠાણ પુરાવા પણ પોલીસ સામે રજૂ કરી શક્યો નથી. હાલ પોલીસે તેની પૂછપરછ ચાલુ કરી છે. આ સાથે જ પાકિસ્તાન કનેક્શનને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી રહી છે.

    ઘટનાની વિગતો અનુસાર, અમરેલીના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ગેરકાયદે રહેતા લોકો અંગે પોલીસનું સર્ચ ઑપરેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન અંતરિયાળ ધારીના હિમખીમડીપરાના એક મદરેસામાં મજહબી તાલીમ આપી રહેલા મૌલવીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું. પોલીસે મૌલવીના મોબાઈલની તપાસ કરતા 8 જેટલા વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યાં છે. તે તમામ ગ્રુપ પાકિસ્તાનમાંથી ઑપરેટર થઈ રહ્યા હતા.

    તમામ ગ્રુપમાં અરબી ભાષામાં વાતચીત અને સંદેશાઓની આપ-લે થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં મૌલાના પાસે તેના ભારતીય નાગરિક હોવાના કોઈ પુરાવા ન હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. તેનો મોબાઈલ પણ SOG પોલીસે જપ્ત કરી લીધો છે.

    - Advertisement -

    અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાની પ્રાથમિક તપાસ

    મૌલવીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મૌલવી અમદાવાદના જુહાપુરાનો રહેવાસી છે અને મદરેસામાં મજહબી તાલીમ આપવાનું કામ કરે છે. તેના મોબાઈલમાંથી મળી આવેલા ગ્રુપની પણ તપાસ કરવામાં આવી રહી છે. અરબી ભાષામાં થતી વાતચીતનું પણ ભાષાંતર કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વધુમાં પહલગામ આતંકી હુમલા વખતે કે તે પહેલાંના સમયમાં થયેલા કોઈ મેસેજ ડિલીટ કરવામાં આવ્યા છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે.

    આ સાથે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, હિમખીમડીપરાના મદરેસાની સ્થાપના 2018 પહેલાં કરવામાં આવી હતી. જેમાં મૌલવી છેલ્લા એક મહિનાથી તાલીમ આપી રહ્યો હતો. વધુમાં મદરેસામાં માત્ર ચાર બાળકો જ તાલીમ લઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૌલવીના પરિવારની પણ પૂછપરછ કરી છે. દરમિયાન તેઓ જુહાપુરાના મૂળ રહેવાસી હોવાનું તેમણે કહ્યું હતું. પૂછપરછ બાદ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસની ટીમે મૌલાનાની ધરપકડ કરી છે અને હાલ અમદાવાદ લઈને જવાયો છે. અહીં તેની પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ પણ કરાશે.

    નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મદરેસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વિવિધ ટીમો બનાવીને આ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન મૌલવીના પાકિસ્તાન કનેક્શનની વિગતો સામે આવી હતી. ઘટનાને લઈને પોલીસે હાલ તુરંત જાણવાજોગ દાખલ કરી છે અને તપાસ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં