Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં હિંદુઓ પર થયેલા પથ્થરમારામાં મોઈન-મોહમ્મદ સહિત વધુ 9 આરોપીઓની ધરપકડ: હમણાં...

    વડોદરામાં હિંદુઓ પર થયેલા પથ્થરમારામાં મોઈન-મોહમ્મદ સહિત વધુ 9 આરોપીઓની ધરપકડ: હમણાં સુધી 17 તોફાનીઓને પોલીસે દબોચ્યા

    આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યાર સુધી અભદ્ર ટિપ્પણી કરનાર સહીદ પટેલ સહિત કુલ 17 આરોપીઓની ધરપકડ કરી છે.

    - Advertisement -

    વડોદરામાં ગુરુવારે (22 ફેબ્રુઆરી, 2024) રાત્રે નવાપુરા પોલીસ મથકની બહાર, મુસ્લિમ યુવક દ્વારા અભદ્ર ટિપ્પણી મામલે ન્યાયની માંગ સાથે એકઠા થયેલા હિંદુ યુવકો પર પથ્થરમારો થયો હોવાનો બનાવ બન્યો હતો. જે મામલે પોલીસ દ્વારા 100થી 150 મુસ્લિમોના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી હતી. જેમાં પોલીસે 24 કલાકની અંદર જ ટિપ્પણી કરનાર આરોપી યુવક અને અન્ય ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, વડોદરા પોલીસે આ મામલે વધુ 9 આરોપીઓની ધરપકડ કરી છે. જેથી પથ્થરમારાની ઘટનામાં આરોપીઓની ધરપકડનો આંકડો 17એ પહોંચ્યો છે.

    વડોદરામાં પોલીસ સ્ટેશનની સામે જ હિંદુ યુવકો પર થયેલી પથ્થરમારાની ઘટનામાં નવાપુરા પોલીસે વધુ 9 આરોપીઓને ઝડપી પાડયા છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યાર સુધી અભદ્ર ટિપ્પણી કરનાર સહીદ પટેલ સહિત કુલ 17 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મોઈન મોહમ્મદ સિદ્દીકી, મોહમ્મદ રબ્બાની કુરેશી, હનીફ કુરેશી, વલી મોહમ્મદ ગુલામ રાજા કુરેશી, સકર અલી ગુલામ નબી શેખ, અફઝલ ખાન આસન ખાન નબી શેખ, હુસેન ખાન અબ્બાસ ખાન, સાજીદહુસેન મહેમૂદહુસેન મલેક, સદ્દામ હુસેન શેખ, હૈદર ગુલામ દસ્તગીર, સરફરાજ મકસુદઅલી મકરાણી, પટેલ સાહિલ ઈસ્માઈલ ભાઈ, તોસીફહુસેન અહેમદહુસેન સંધી, શાહનવાઝ સલીમભાઇ ખલીફા, નોમાન આરીફભાઇ શેખ, યાયાખાન અલ્તાફખાન પઠાણ અને શાહરૂખ અમાન ખાનનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે, આ વિવાદ સહીદ પટેલ નામના એક મુસ્લિમ વ્યક્તિએ હિંદુ દેવી દેવતા વિશે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ વિવાદ શરૂ થયો હતો. ઘટનાક્રમ મુજબ વડોદરાના જતીન પટેલ નામના એક વેપારીએ 21 ફેબ્રુઆરી, 2024ની સાંજે તેમની દુકાનેથી નવી ઑફરો વિશે ગ્રાહકોને જાણકારી આપવા માટે તેમના ઈન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યું હતું. જેની શરૂઆતમાં તેમણે લાઇવમાં જોડાનારાઓને ‘જય શ્રીરામ’ કહીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન ‘Shahid_patel_7070’ નામની ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી બીભત્સ ગાળો લખીને ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી. 

    - Advertisement -

    જે પછી આ મામલે તપાસ કરતા આ આઇડી ચલાવતો વ્યક્તિ પાદરામાં રહેતો સહીદ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જતીને તેને ફોન કરતાં તેણે દાદાગીરી કરીને ગાળાગાળી કરી હતી અને ધાકધમકીઓ આપી હતી. સહીદ સામે કાર્યવાહી કરવા માટે જતીન પટેલ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા, અને અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    આ દરમિયાન પોલીસ સ્ટેશનની બાજુના વિસ્તારમાંથી અચાનક 100-150નું મુસ્લિમ ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને ભેગા થયેલા હિંદુ લોકો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે અફરાતફરી મચાવ પામી હતી. પથ્થરમારામાં ઘણા યુવાનો ઘાયલ પણ થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા DCP લીના પાટીલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં