Wednesday, May 14, 2025
More
    હોમપેજદેશપહલગામ આતંકી હુમલા બાદ કાશ્મીરના 48 પર્યટન સ્થળો બંધ: સરકારની કડક કાર્યવાહીના...

    પહલગામ આતંકી હુમલા બાદ કાશ્મીરના 48 પર્યટન સ્થળો બંધ: સરકારની કડક કાર્યવાહીના જવાબ તરીકે વધુ એટેક થવાની એજન્સીઓને આશંકા, સ્લીપર સેલ્સ સક્રિય થયા હોવાના અહેવાલ

    પહલગામ હુમલા અને ત્યારબાદ ભારતની કાર્યવાહી પછી કાશ્મીર ઘાટીમાં કેટલાક સ્લીપર સેલ સક્રિય થયા છે. આ સ્લીપર સેલ્સને ઑપરેશન શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આતંકવાદીઓને પહલગામ હુમલા કરતાં પણ મોટાપાયે લક્ષિત હુમલાઓનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

    - Advertisement -

    22 એપ્રિલના રોજ કાશ્મીરના પહલગામમાં એક ભયાનક આતંકવાદી હુમલો (Pahalgam Terror Attack) થયો હતો. જેમાં ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા વીણીવીણીને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ભયાનક આતંકવાદી હુમલામાં 25થી વધુ નિર્દોષ હિંદુ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. હવે ઇન્ટેલે કાશ્મીરના પર્યટન સ્થળો (Tourist places) પર આવા વધુ હુમલાઓની ચેતવણી (Warning) આપી છે. જેને લઈને કાશ્મીરના ઘણા પર્યટન સ્થળો બંધ કરી દેવાયા છે.

    ચેતવણી બાદ કાશ્મીરના 87 પ્રવાસન સ્થળોમાંથી 48 સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સંદેશાવ્યવહાર અવરોધોએ પુષ્ટિ આપી છે કે, પહલગામ હુમલા અને ત્યારબાદ ભારતની કાર્યવાહી પછી કાશ્મીર ઘાટીમાં કેટલાક સ્લીપર સેલ સક્રિય થયા છે. આ સ્લીપર સેલ્સને ઑપરેશન શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

    આતંકવાદીઓને પહલગામ હુમલા કરતાં પણ મોટાપાયે લક્ષિત હુમલાઓનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલ છે. દેખીતી રીતે પહલગામ હુમલા પછી આતંકવાદીઓના ઘરો તોડી પાડવાના જવાબમાં આ કરવામાં આવ્યું છે. હાલ જોકે, આ વિશેની સત્તાવાર માહિતી સામે નથી આવી, પરંતુ અહેવાલોમાં આ વિશેનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    વધુમાં કાશ્મીરમાં આતંકવાદીઓને સ્થાનિક સમર્થન મળતું હોવાના ખુલાસાને લઈને પણ પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા છે. દેશના અન્ય ભાગના લોકો પર હુમલો થવાની શંકા હોવાના કારણે આ પગલાં ભરવામાં આવ્યા છે. હાલ સુરક્ષાદળો અને એજન્સીઓ સતત તે દિશામાં તપાસ કરી રહી છે અને કડક કાર્યવાહી હાથ ધરી રહી છે.

    પહલગામ હુમલો, હિંદુઓને વીણીવીણીને કરાયા ટાર્ગેટ

    ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પહલગામની બૈસરન ઘાટીમાં હિંદુ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હત્યાકાંડ બાદ ભારતે શ્રેણીબદ્ધ કડક પગલાં લીધાં છે અને પાકિસ્તાન વિરુદ્ધ પણ અનેક પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, ખીણમાં આતંકવાદીઓના ઘરો તોડી પાડવા અને કાશ્મીરમાં આતંકવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા તમામ લોકોને અટકાયતમાં લેવાનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત, ભારતે ભારતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા છે, જેમાં મેડિકલ વિઝા પરના લોકોનો પણ સમાવેશ થાય છે. જોકે, લાંબા ગાળાના વિઝા પર અત્યાચારનો ભોગ બનેલા હિંદુઓને રહેવા દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ ઘૂસણખોરોને વીણીવીણીને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ બધી કાર્યવાહીના જવાબમાં ફરી આતંકી હુમલો થઈ શકે તેવા અહેવાલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં