Sunday, May 5, 2024
More
    હોમપેજદેશઅયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી કોણ?: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે...

    અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી કોણ?: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ઑપઇન્ડિયા સાથે કરી વિશેષ વાત, મોહિત પાંડેયની નિમણૂક અંગે કર્યો મોટો ખુલાસો

    ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પણ મોહિત પાંડેયને મુખ્ય પૂજારી બનાવવાના સમાચાર બાબતે ઑપપઇન્ડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, "મીડિયા અને સોશિયલ મીડિયાનું શું, તેઓ કોઈપણ નામથી ચાલતા રહે છે, તેઓ કોઈપણનું નામ વાપરી શકે છે."

    - Advertisement -

    અયોધ્યામાં બની રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે. આ દરમિયાન મીડિયામાં સમાચાર વહેતા થયા કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી મોહિત પાંડેયની રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે પસંદગી કરવામાં આવી છે. ઘણા મીડિયા આઉટલેટ્સે જણાવ્યું હતું કે 3000 પૂજારીની અરજીઓ સ્વીકારવામાં આવી હતી જેમાંથી 50ની પસંદગી કરવામાં આવી હતી અને તેમાંથી મોહિત પાંડેયનું નામ છે અને તેમની મુખ્ય પૂજારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ દૂધેશ્વર વેદ વિદ્યાપીઠના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

    દરમિયાન, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે ફેસબુક પોસ્ટ દ્વારા આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે કોઈ મુખ્ય પૂજારીની નિમણૂક કરવામાં આવી નથી. તેમણે અપીલ પણ કરી છે કે કૃપા કરીને ભ્રામક સમાચારો પર ધ્યાન ન આપો. ઑપઇન્ડિયા સાથે વાત કરતા કામેશ્વર ચૌપાલે એમ પણ કહ્યું કે રામ મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસ છે અને કોઈ નવા પૂજારીની પસંદગી કરવામાં આવી નથી.

    તેમણે કહ્યું કે કોઈ મુખ્ય પૂજારીની નિમણૂક કરવામાં આવી નથી. કામેશ્વર ચૌપાલના જણાવ્યા અનુસાર ઇન્ટરવ્યુ બાદ 21 લોકોની પસંદગી કરવામાં આવી છે. જો કે, તેમને હજુ 6 મહિનાની તાલીમ આપવાની બાકી છે. ત્યાર બાદ યોગ્યતાના આધારે નિર્ણય લેવામાં આવશે. કામેશ્વર ચૌપાલે કહ્યું કે, “એ વાત સાચી છે કે સત્યેન્દ્ર દાસ વૃદ્ધ છે, પરંતુ અત્યારે તેઓ મુખ્ય પૂજારીની ફરજો નિભાવી રહ્યા છે અને તેમના અનુગામી તરીકે કોઈનું નામ નક્કી કરવામાં આવ્યું નથી.”

    - Advertisement -

    ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પણ મોહિત પાંડેયને મુખ્ય પૂજારી બનાવવાના સમાચાર બાબતે ઑપપઇન્ડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, “મીડિયા અને સોશિયલ મીડિયાનું શું, તેઓ કોઈપણ નામથી ચાલતા રહે છે, તેઓ કોઈપણનું નામ વાપરી શકે છે.” તેમણે કહ્યું કે જે ઈચ્છે છે તે તેમના નામનો ઉપયોગ કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર દાસ છેલ્લા 32 વર્ષથી રામ મંદિરના મુખ્ય પૂજારી છે. તેઓ ત્યાં રામલલાની પૂજા કરતા હતા. ડિસેમ્બર 1992માં બાબરી ઢાંચાને તોડી પાડવાના 9 મહિના પહેલા તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે પોતે કહ્યું હતું કે પૂજા કરતી વખતે તેમને લાગ્યું કે એક દિવસ રામલલાનું મંદિર બનશે. નોંધનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા થવા સુધી રામલલા એ તંબુમાં જ રહેશે જ્યાં તેઓ વર્ષોથી હતા. નિમણૂક સમયે સત્યેન્દ્ર દાસને માત્ર ₹100નો પગાર મળતો હતો, જે બાદમાં વધારીને ₹13,000 રૂપિયા કરવામાં આવ્યો હતો.

    સત્યેન્દ્ર જૈન વ્યવસાયે શિક્ષક છે અને આ નોકરી દ્વારા તેઓ ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમનું નામ ભાજપના પૂર્વ સાંસદ વિનય કટિયાર અને પૂર્વ VHP પ્રમુખ અશોક સિંઘલે નક્કી કર્યું હતું. તેમના હિંદુ નેતાઓ સાથે સારા સંબંધો હતા. 1949માં રામજન્મભૂમિમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરનાર બૈરાગીઓમાં તેમનો પણ સમાવેશ થતો હતો. તેમણે 1958માં ઘર છોડ્યું, 1975માં આચાર્યની ડિગ્રી લીધી અને બીજા જ વર્ષે તેઓ સંસ્કૃત શિક્ષક બન્યા. બાબરી વિધ્વંસ સમયે પણ તેઓ રામલલા સાથે હતા અને પ્રતિમા સાથે થોડે દૂર ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં