Friday, May 10, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે ચૂંટાયા મોહિત પાંડેય: ડાબેરીઓ જોઈ રહ્યા...

    અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે ચૂંટાયા મોહિત પાંડેય: ડાબેરીઓ જોઈ રહ્યા છે જાતિ, પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ શું કહે છે એ વાંચો

    આ અહેવાલ 14 ડિસેમ્બર 2023ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે થયેલ ઑપઇન્ડિયાની ખાસ વાતચીત બાદ અપડેટ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય રામ મંદિર માટે પૂજારીઓની પસંદગી કરવામાં આવી છે. આ માટે લોકો પાસેથી નિયમાનુસાર અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં 3000 લોકોએ ભાગ લીધો હતો. પૂજારીઓ માટે પણ અમુક માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા અને તેમને અઘરી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં, 200 અરજદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાંથી 50 ઉમેદવારોને પૂજારીના પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી મોહિત પાંડેયને મુખ્ય પૂજારી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

    દરમિયાન, સોશિયલ મીડિયા પર સમાચાર ઝડપથી ફેલાઈ ગયા કે મોહિત પાંડેયની મુખ્ય પૂજારી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ સવાલો પણ ઉઠ્યા કે આ પદ માટે માત્ર બ્રાહ્મણને જ કેમ પસંદ કરવામાં આવ્યો?

    મોહિત પાંડેયનું નામ સાંભળતા જ કેટલાક કુખ્યાત લોકોએ તેમની પસંદગીને બ્રાહ્મણવાદ સાથે જોડીને સોશિયલ મીડિયા પર SC અને OBC કાર્ડ રમવાનું શરૂ કર્યું. મૂકનાયક જેવા કથિત દલિત પોર્ટલે પોસ્ટ કર્યું છે કે ““મોહિત પાંડેય રામ મંદિરના પૂજારી બનશે!” – શું દલિતો માટે પૂજારી બનવું પ્રતિબંધિત છે?”

    - Advertisement -

    દિલીપ મંડલ નામના વરિષ્ઠ પત્રકારે લખ્યું, “આ મંદિર ભારત સરકારના ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. તે કોઈના બાપની મિલકત નથી. મંદિર પ્રબંધનમાં અનામત નહીં આપવામાં આવે તો આંદોલન કરવું જોઈએ. દરેક વ્યક્તિ દક્ષિણા આપશે અને માત્ર એક જ્ઞાતિના લોકો જ બધા પૈસા ઉપાડી લેશે, આ નહીં ચાલે.”

    સૂરજ યાદવ નામના એક્સ યુઝરે કટાક્ષમાં લખ્યું, “હિંદુ છે એટલે પસંદગી થઈ. ધ્યાનમાં રાખો કે દલિતો, પછાત લોકો, આદિવાસીઓ હિંદુ નથી. શુદ્રો, અતિ શુદ્રો અને જાતિ વ્યવસ્થાની બહારના લોકોનું ટ્રસ્ટ કે પૂજા સ્થાનમાં કોઈ સ્થાન નથી. અને આ ખાસ કરીને તે યાદવો માટે કે જેઓ મનુવાદ અથવા બ્રાહ્મણવાદના સમર્થક છે.”

    ખાસ વાત એ છે કે જે લોકો મોહિત પાંડેયના રામલલા મંદિરના પૂજારી બનવા પર આંગળી ચીંધી રહ્યા છે, તેઓને ન તો પસંદગી પ્રક્રિયાની ખબર છે અને ન તો તેઓ એ યોગ્યતાથી વાકેફ છે જેના કારણે મોહિત પાંડેયની મુખ્ય પૂજારીના પદ માટે પસંદગી કરવામાં આવી છે.

    શું હતા માપદંડો?

    વાસ્તવમાં રામલલાના મંદિરમાં પૂજારી બનવા માટે જરૂરી શરત હતી કે ઉમેદવારે માન્ય ગુરુકુળમાંથી વેદ, શાસ્ત્ર અને સંસ્કૃતનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઉમેદવારે રામાનંદીય પરંપરામાં દીક્ષા લીધી હોવી જોઈએ. આવી સ્થિતિમાં તમામ પૂજારીઓની પસંદગી દરમિયાન ઈન્ટરવ્યુ દરમિયાન વેદ, કર્મકાંડ અને વૈદિક મંત્રોના જ્ઞાન પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આ માટે વય મર્યાદા મહત્તમ 30 વર્ષ નક્કી કરવામાં આવી હતી.

    જો તેમને મુખ્ય પૂજારી તરીકે પસંદ કરવામાં આવે તો પણ, તેઓ મુખ્ય પૂજારીની ભૂમિકા ધારણ કરી શકે તે પહેલાં, તેમણે લાંબી તાલીમ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જે 6 મહિના સુધી ચાલે છે. હવે તાલીમ દરમિયાન તેઓને વેદ, ધાર્મિક વિધિઓ, વૈદિક મંત્રો અને રામાયણના જ્ઞાનનું ઉંડાણપૂર્વકનું શિક્ષણ આપવામાં આવશે. આ તાલીમ બાદ જ પૂજારીઓ રામલલાની પૂજા કરી શકશે.

    પસંદગી કયા આધારે કરવામાં આવી?

    હવે, રામલલાની પૂજા માટે નિમણૂક કરવામાં આવતા પૂજારીઓ માટે ઉપરોક્ત માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં રામનંદીય પરંપરાના વિદ્વાન હોવા જરૂરી હતા, સાથે જ તેઓ વેદ, શાસ્ત્રો અને સંસ્કૃતમાં નિપુણતા ધરાવતા હોવા જરૂરી હતા. આવી સ્થિતિમાં, તે સ્વાભાવિક છે કે તમામ ઉમેદવારોની તપાસ કરવામાં આવી હશે. હવે જો મોહિત પાંડેયે આ પરીક્ષા પાસ કરી તો તેમાં જાતિ અને ધર્મનો કોઈ મુદ્દો કેવી રીતે હોઈ શકે, ક્ષમતાના આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી.

    જાણકારી માટે નોંધીએ કે મોહિત પાંડેયે ગાઝિયાબાદની દૂધેશ્વર વેદ વિદ્યાપીઠમાં સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે તિરુપતિમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ સાથે જોડાયેલી શ્રી વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટીમાંથી શાસ્ત્રીની (સ્નાતક) ડિગ્રી મેળવી છે. આ વર્ષે (2023માં જ) તેમણે સામવેદનો અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ રામાનંદીય પરંપરાના વિદ્વાન પણ છે અને વેદ, શાસ્ત્રો અને સંસ્કૃતમાં નિપુણતા ધરાવે છે.

    એ જ રીતે, અન્ય પસંદ કરાયેલા પૂજારીઓમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના યુવાનોનો સમાવેશ થાય છે. તમામ પૂજારીઓ રામાનંદીય પરંપરાના છે અને વેદ, શાસ્ત્રો અને સંસ્કૃતમાં નિપુણતા ધરાવે છે.

    મોહિત પાંડેયની ચૂંટણી પર અધિકાર

    શ્રી વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર રાની સદાશિવ મૂર્તિએ ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી અને શ્રી રામ લાલ મંદિરના મુખ્ય પૂજારીના પદ માટે મોહિત પાંડેયની પસંદગી પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, “યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ વિવિધ મંદિરોમાં પૂજારી અને આચાર્ય તરીકે કામ કરે છે. પાંડેયનો મૃદુભાષી સ્વભાવ, અભ્યાસ પ્રત્યે ધ્યાન અને સમર્પણને કારણે તેમને પ્રતિષ્ઠિત અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની સેવા કરવાની તક મળી છે.”

    મોહિત પાંડેયની ગાઝિયાબાદથી તિરુપતિ અને હવે અયોધ્યા સુધીની યાત્રા, રામ લાલાના મુખ્ય પૂજારીના પદ માટે પસંદ કરવામાં આવી છે, તે તેમના સમર્પણ અને સખત તાલીમનો પુરાવો છે. દૂધેશ્વર વેદ વિદ્યાપીઠ અને ગાઝિયાબાદની શ્રી વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ પણ તેમની પસંદગીમાં આધ્યાત્મિક ક્ષમતાઓ ધરાવતા વ્યક્તિત્વને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં તેમની પસંદગી પર આંગળી ચીંધનારા લોકો માત્ર કુંઠિત માનસિકતા ધરાવતા લોકો જ નથી, પરંતુ તેઓ ખોટા વિચારો ફેલાવીને સમાજમાં ઝેર ઓકવાનું પણ કામ કરી રહ્યા છે.

    છેલ્લે, પુજારીની જતીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મંદિરોમાં માત્ર દલિત પૂજારીઓ, મહિલા પૂજારીઓ જ નથી, પરંતુ દલિત મહિલા પૂજારીઓ પણ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. OpIndiaએ આના પર એક વિશેષ લેખ પ્રકાશિત કર્યો હતો અને જણાવ્યું હતું કે કયા મંદિરોમાં મહિલાઓ અને દલિત મહિલાઓ પૂજારીની જવાબદારી નિભાવી રહ્યા છે. આ સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

    આ અહેવાલ 14 ડિસેમ્બર 2023ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે થયેલ ઑપઇન્ડિયાની ખાસ વાતચીત બાદ અપડેટ કરવામાં આવ્યો છે.

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ચોખવટ

    આ બધી ચર્ચાઓ વચ્ચે, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે ફેસબુક પોસ્ટ દ્વારા આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ મંદિર માટે કોઈ મુખ્ય પૂજારીની નિમણૂક કરવામાં આવી નથી.

    તેમણે અપીલ પણ કરી છે કે કૃપા કરીને ભ્રામક સમાચારો પર ધ્યાન ન આપો. ઑપઇન્ડિયા સાથે વાત કરતા કામેશ્વર ચૌપાલે એમ પણ કહ્યું કે રામ મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસ છે અને કોઈ નવા પૂજારીની પસંદગી કરવામાં આવી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં