હોમપેજગુજરાતકલાણામાં થયેલા હિંદુઓ પરના હુમલામાં બાંગ્લાદેશ એન્ગલ, સ્થાનિકોએ ઑપઇન્ડિયાને કહી આપવીતી: ઘણા...

કલાણામાં થયેલા હિંદુઓ પરના હુમલામાં બાંગ્લાદેશ એન્ગલ, સ્થાનિકોએ ઑપઇન્ડિયાને કહી આપવીતી: ઘણા સમયથી હેરાનગતિ થતી હોવાનો મહિલાઓનો આરોપ– ગ્રાઉન્ડ રિપોર્ટ

પીડિત પિતાએ જણાવ્યું કે તેમના પુત્રએ બાંગ્લાદેશમાં થયેલી દીપુ દાસની હત્યા મામલે સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકી હતી. જેમાં તેણે ન્યાયની માંગ કરી હતી. તેમનો આરોપ છે કે આ સ્ટોરી જોયા બાદ સ્થાનિક મુસ્લિમોએ ધમકી આપતાં કહ્યું હતું કે બાંગ્લાદેશમાં એક હિંદુને સળગાવાયો છે, આવી સ્ટોરી મૂકશો તો સમગ્ર ઠાકોરવાસને સળગાવી દેવામાં આવશે.

- Advertisement -

અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં એક હિંદુ પરિવાર પર ગામના જ મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં એક તરફ પોલીસ તપાસ કરી રહી છે ત્યાં બીજી તરફ બાંગ્લાદેશ એન્ગલ સામે આવ્યો છે. પીડિતોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા બાદ ગામના એક હિંદુ યુવકે મૂકેલી સોશિયલ મીડિયા પોસ્ટથી ઉશ્કેરાઈને મુસ્લિમ શખ્સોએ ધમકીઓ આપી હતી.

ઑપઇન્ડિયાએ જ્યારે પીડિતોને મળીને તેમની સાથે વાતચીત કરી ત્યારે આ જાણવા મળ્યું. ઘટનામાં જેની ઉપર સૌથી પહેલો હુમલો થયો હતો એ હિંદુ સગીર છે. તેના પિતા પણ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી.

પીડિત પિતાએ જણાવ્યું કે તેમના પુત્રએ બાંગ્લાદેશમાં થયેલી દીપુ દાસની હત્યા મામલે સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકી હતી. જેમાં તેણે ન્યાયની માંગ કરી હતી. તેમનો આરોપ છે કે આ સ્ટોરી જોયા બાદ સ્થાનિક મુસ્લિમોએ ધમકી આપતાં કહ્યું હતું કે બાંગ્લાદેશમાં એક હિંદુને સળગાવાયો છે, આવી સ્ટોરી મૂકશો તો સમગ્ર ઠાકોરવાસને સળગાવી દેવામાં આવશે.

- Advertisement -

સ્થાનિક હિંદુ મહિલાઓનો આરોપ: ઘણા સમયથી બેન-દીકરીઓને હેરાન કરાય છે

આ સિવાય સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 12 મહિનાથી અમુક સ્થાનિક મુસ્લિમ શખ્સો તેમને હેરાન કરે છે. હિંદુ મહિલા-દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, તેમની સામે અશ્લીલ ઈશારાઓ કરવામાં આવે છે. હિંદુઓએ આરોપ લગાવ્યો કે તિલક લગાવવા પર તેમને ધમકાવવામાં આવે છે અને ગામમાં કોઈ હિંદુ તહેવાર કે ઉત્સવ શાંતિથી ઉજવવા દેવામાં આવતા નથી.

અન્ય એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ કે ઘરના અન્ય કોઈ સભ્યો નોકરી પરથી આવતી રહ્યા હોય ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. હિંદુ બહેન-દીકરીઓ બહાર નીકળે એટલે અશ્લીલ ઇશારા કરવામાં આવતા હોય છે. તેમણે માંગ કરતાં કહ્યું કે આરોપીઓને સજા થવી જોઈએ અને હિંદુઓને ન્યાય મળવો જોઈએ.

અન્ય મહિલાઓએ રડતાં-રડતાં આપવીતી સંભળાવીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરી હતી. મહિલાઓએ કહ્યું હતું કે તેઓ 3 દિવસથી ખાધા-પીધા વિના આ બધું સહન કરી રહ્યા છે હવે તેમને ન્યાય જોઈએ છે. અન્ય એક મહિલાએ ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરને પણ પ્રશ્નો કર્યા હતા.

ગામની એક હિંદુ મહિલાએ પથ્થરમારા વિશે જણાવીને કહ્યું કે એક જ દિવસમાં આટલા બધા પથ્થરો આવવા શક્ય નથી અને તેના માટે અગાઉથી પ્લાનિંગ થયું હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે તેઓ સવારે ઉઠીને ચા-પાણી અને સવારની દિનચર્યા કરી રહ્યા હતા એવામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઑપઇન્ડિયા તેમના ઘરનાં દ્રશ્યો પણ સામે લાવ્યું છે.

દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે નળિયાવાળા ઘરના છાપરામાં કાણે-કાણા પડી ગયાં છે. ઘરમાં હાજર મહિલાએ કહ્યું કે તે કપડાં ધોઈ રહ્યાં હતાં એટલામાં છાપરું તોડીને પથ્થરો આવવા માંડ્યા. આ સિવાય તેમનું બાળક સૂતું હતું ત્યાં પણ પથ્થરો પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પથ્થરો એટલી સંખ્યામાં આવતા હતા કે તેમના ઘરનાં છાપરાં તૂટી ગયાં છે.

શું હતી સમગ્ર ઘટના

સમગ્ર ઘટના સોમવારે (29 ડિસેમ્બર) રાત્રે બની હતી. ત્યારબાદ મંગળવારે સવારે પણ પથ્થરમારો થયો હતો. પછીથી પોલીસનો કાફલો ગામમાં આવી પહોંચ્યો અને કૉમ્બિંગ હાથ ધર્યું હતું. બીજી તરફ કાર્યવાહીના ડરે આરોપીઓ ઘર છોડીને ગામનાં ખેતરોમાં ભાગી ગયા હતા, જ્યાં ડ્રોન વડે શોધી-શોધીને ધરપકડ કરવામાં આવી હતી.

હિંદુ સમુદાયના એક સગીરની ફરિયાદ પર પોલીસે શાહરૂખ સહિત 22 મુસ્લિમ શખ્સો સામે FIR દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે સાણંદ GIDC પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 189(2), 191(2), 190, 194(2), 324(2) અને 125(a) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી અને પછીથી 42 લોકોની અટકાયત કરી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં