Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતું અનાડી મૈં ખિલાડી: કેજરીવાલે જે રિક્ષાચાલક માટે પોલીસ સાથે ઝઘડો કર્યો...

    તું અનાડી મૈં ખિલાડી: કેજરીવાલે જે રિક્ષાચાલક માટે પોલીસ સાથે ઝઘડો કર્યો હતો એ પહોંચ્યો પીએમ મોદીની સભામાં, કર્યો મોટો ખુલાસો

    પીએમ મોદીની સભામાં પહોંચેલા અમદાવાદના રિક્ષાચાલક યુવાને કહ્યું હતું કે, તે ભાજપનો જ સમર્થક રહ્યો છે અને કેજરીવાલનું અપમાન ન થાય તે માટે જમાડીને મોકલી આપ્યા હતા.

    - Advertisement -

    થોડા દિવસો પહેલાં અમદાવાદના એક રિક્ષાચાલક યુવાને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરે જમવાનું આમંત્રણ આપ્યા બાદ તેઓ અન્ય નેતાઓની સાથે તેના ઘરે પહોંચ્યા હતા. આ યુવાન હવે અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યો છે, એટલું જ નહીં તેણે કહ્યું કે, તે નરેન્દ્ર મોદીનો મોટો પ્રશંસક છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી તો અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો પણ શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને અમદાવાદ ખાતે એક જનસભા પણ સંબોધી હતી. 

    અમદાવાદમાં જે રિક્ષાચાલક યુવાને કેજરીવાલને ઘરે જમાડ્યા હતા તે વિક્રમ દંતાણી પણ આ જનસભામાં પહોંચ્યો હતો. હતો. તેનો ભાજપનો ખેસ પહેરેલી તસ્વીરો અને વિડીયો પણ સામે આવ્યા  છે.

    - Advertisement -

    એબીપી અસ્મિતાના એક રિપોર્ટ અનુસાર, વિક્રમ દંતાણીએ કહ્યું કે તે ભાજપ અને નરેન્દ્ર મોદીનો સમર્થક છે અને કાયમ ભાજપને જ મત આપતો આવે છે. તેણે કહ્યું,  “હું તો પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છું. નરેન્દ્ર મોદી સાહેબનો આશિક રહ્યો છું. મત નાંખવા શીખ્યો ત્યારથી ભાજપને જ મત આપતો આવ્યો છું. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે.” 

    કેજરીવાલને આમંત્રણ આપવાને લઈને તેણે કહ્યું હતું કે, મેં ખાલી કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર ન હતી કે તેઓ જમવા આવશે. તેઓ આવ્યા અને અપમાન ન થાય એટલે જમાડીને મોકલી આપ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે એક સભામાં રિક્ષાચાલક યુવાન વિક્રમ દંતાણીએ તેમને ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ કેજરીવાલે આમંત્રણ સ્વીકારી લઈને કહ્યું હતું કે, તેઓ તેની રિક્ષામાં જ બેસીને તેના ઘરે જશે. 

    ત્યારબાદ સાંજે કેજરીવાલ વિક્રમ દંતાણીની રિક્ષામાં જ બેસીને તેના ઘરે ગયા હતા. જ્યાં તેમણે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજગુરુ જેવા નેતાઓ સાથે ભોજન લીધું હતું. આ દરમિયાનની તસ્વીરો અને વિડીયોના આધારે આમ આદમી પાર્ટીએ કેજરીવાલની છબી ચમકાવવાના બહુ પ્રયાસો કર્યા હતા, પરંતુ હવે રિક્ષાચાલક ભાજપનો અને પીએમ મોદીનો આકંઠ સમર્થક હોવાનું બહાર આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં