ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊભા થયેલા તંગ વાતાવરણ વચ્ચે પણ પાકિસ્તાનની કંગાળ સ્થિતિથી આખી દુનિયા વાકેફ થઈ છે. આધિકારિક રીતે ભીખ માંગ્યા બાદ એકાઉન્ટ હેક થઈ ગયું હોવાનું કહેનારું પાકિસ્તાન હવે IMF પાસેથી 1 બિલિયન ડોલરની લૉન લઈ આવ્યું છે. લૉન મંજૂર થયા પહેલાં IMF બોર્ડે આ અંગે વોટિંગ કર્યું હતું, જેમાં ભારત અળગું રહ્યું હતું. હવે કોંગ્રેસ તે વિષયને મુદ્દો બનાવીને સતત ભ્રામક વાતો ફેલાવી રહી છે કે, ભારતે ‘નો’માં વોટ આપીને મજબૂત સંદેશો આપવો જોઈતો હતો.
વાસ્તવમાં IMF બોર્ડે 9 મેના રોજ પાકિસ્તાનને વધુ એક લૉન આપવી જોઈએ કે ન આપવી જોઈએ એ અંગે એક મતદાન કર્યું હતું. આ મામલે ભારતે સ્પષ્ટ શબ્દોમાં વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાન આ તમામ નાણાંનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવામાં કરી રહ્યું છે. આ સાથે જ ભારત મતદાનથી પણ અળગું રહ્યું હતું. જોકે, IMFએ પાકિસ્તાનની લૉન મંજૂર કરી હતી. પરંતુ હવે આવા સંવેદનશીલ સમયમાં કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવી રહી છે કે, ભારતે ‘નો’માં વોટ આપીને દુનિયાને સ્ટ્રોંગ મેસેજ આપવો જોઈતો હતો.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સરકારને ‘સલાહ’ આપી છે. તેમણે લખ્યું છે કે, “29 એપ્રિલના રોજ કોંગ્રેસે માંગણી કરી હતી કે, ભારત પાકિસ્તાનને આપવામાં આવતી IMF લૉનના વિરોધમાં વોટ કરે. જેના પર 9 મેના રોજ IMF કાર્યકારી બોર્ડે વિચાર કર્યો છે. ભારતે માત્ર મતદાનથી પોતાને અળગું રાખ્યું છે. મોદી સરકારે પીછેહઠ કરી. જો ભારતે આ મામલે ‘નો’માં વોટ આપ્યો હોત તો એક કડક સંદેશ પહોંચ્યો હોત.”
On April 29th, the INC had demanded that India vote against the IMF loan to Pakistan, which was considered today by its Executive Board. India has only abstained from the vote. The Modi Government has chickened out. A strong NO would have sent a powerful signal. https://t.co/AhAwNyHnYo
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 9, 2025
કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ જ વાતને હવા આપવાનું કામ કર્યું છે. તેમણે લખ્યું છે કે, “આશા એવી હતી કે, મોદી સરકાર ન માત્ર પાકિસ્તાન વિરુદ્ધ વોટિંગ કરશે, પરંતુ પાકિસ્તાનને આપવામાં આવતી લૉનને લઈને તેનો વિરોધ કરીને અન્ય સભ્યો સાથે પણ લોબિંગ કરશે. પણ મોદી સરકારે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.”
The Modi govt was expected to not only vote against but also to lobby with other members to oppose fresh IMF loans to Pakistan.
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 9, 2025
But the Modi govt chose to abstain from voting. https://t.co/mIJzLid34o
આ ઉપરાંત કોંગ્રેસ નેતા શ્રીનિવાસ BVએ પણ આવી જ હરકત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું છે કે, “Abstain કરીને શું મળ્યું? પાકિસ્તાનને IMF તરફથી લૉન અપાવવામાં સરળતા? સારું હોત કે તમે વિરોધમાં વોટ આપ્યો હોત અને બાકીના દેશો પર દબાણ બનાવીને આવું જ કરવા કહ્યું હોત.”
Abstain करके क्या मिला?
— Srinivas BV (@srinivasiyc) May 9, 2025
पाकिस्तान को IMF से लोन दिलाने में सहूलियत? बेहतर होता खिलाफ में वोट करते और बाकी देशों पर दबाव बनाकर यही करने बोलते। https://t.co/t0gnPHuPGY
કોંગ્રેસના આ મોટા નેતા સિવાય અનેક કોંગ્રેસ સમર્થકોએ પણ આ જ પોસ્ટ કરીને સરકારને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ભારતે શા માટે પોતાને મતદાનથી અલગ રાખ્યું? કેમ વિરોધમાં વોટ ન આપ્યો? એ વિશેની હકીકત જુદી છે. કોંગ્રેસે ફેલાવેલી આ ‘માયાજાળ’ આખરે નિષ્ફળ સાબિત થાય છે. કારણ કે, વાસ્તવિકતા આખી અલગ છે.
શું છે હકીકત?
કોંગ્રેસે ફેલાવેલા જુઠ્ઠાણાંથી વિપરીત હકીકત એ છે કે, IMFના નિયમો ઔપચારિક રીતે ‘નો’ વોટની મંજૂરી નથી આપતા. એટલે મતદાનમાં કોઈપણ દેશ કાં તો ‘હા’માં મતદાન આપી શકે અથવા તો મતદાનથી અળગા રહી શકે. IMFમાં ‘નેગેટિવ વોટિંગ’ની કોઈ સિસ્ટમ જ નથી. જોકે, મતદાનથી અળગા રહીને ભારતે IMFની વોટિંગ સિસ્ટમની મર્યાદાની ભીતર રહીને પોતાની મજબૂત અસહમતી વ્યક્ત કરી છે અને આ તકનો ઉપયોગ ઔપચારિક રીતે પોતાનો વાંધો નોંધાવવા માટે કર્યો છે.
આ બાબતની સ્પષ્ટતા ભારત સરકાર દ્વારા પણ કરવામાં આવી છે.
Govt Sources on Why India Abstained at IMF vote
— Aman Sharma (@AmanKayamHai_) May 9, 2025
• India abstained from the recent IMF vote on approving a loan to Pakistan not due to a lack of opposition, but because IMF rules do not permit a formal “no” vote.
• By abstaining, India conveyed its strong dissent within the…
તે સિવાય ભારતે વાંધો ઉઠાવતા એ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન છેલ્લાં 35 વર્ષોમાંથી 28 વર્ષ સુધી IMFની મદદ લેતું રહ્યું છે અને છેલ્લા 5 વર્ષમાં તો 4 વખત મદદ મળી છે. તેમ છતાં પણ કોઈ મોટા સુધારા થયા નથી. તે સિવાય ભારતે આર્થિક બાબતોમાં પાકિસ્તાની સેનાના નિરંતર પ્રભુત્વ વિશે પણ સવાલો ઉઠાવ્યા હતા.
ભારતે એવા દેશને લૉન આપવાનો દ્રઢતાથી વિરોધ કર્યો, જે સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખી રહ્યો છે. ભારતે ચેતવણી પણ આપી હતી કે, આવા દેશને મદદ કરવી તે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પ્રતિષ્ઠા માટે જોખમરૂપ છે અને આંતરરાષ્ટ્રીય માનદંડોને પણ નબળાં પાડે છે.