હોમપેજદેશદૂધ-લોટ-ચોખાથી લઈને ટીવી-એસી સુધીની વસ્તુઓમાં કેટલી થશે બચત: મોદી સરકારની વેબસાઈટ પર...

દૂધ-લોટ-ચોખાથી લઈને ટીવી-એસી સુધીની વસ્તુઓમાં કેટલી થશે બચત: મોદી સરકારની વેબસાઈટ પર જાતે તપાસો GST 2.0ના ફાયદા

સરકાર વેબસાઈટ દ્વારા ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહી છે. આ ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ માત્ર નવા દરો બતાવે છે એટલું જ નહીં, પરંતુ લોકોમાં તે વિશ્વાસ પણ જગાડે છે કે નવી GST સિસ્ટમ સામાન્ય જનતાની મદદ માટે બનાવવામાં આવી છે.

- Advertisement -

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. હવે તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. GST કાઉન્સિલે જૂના ચાર સ્લેબને (5%, 12%, 18% અને 28%) નાબૂદ કરીને તેને માત્ર બે દરો – 5% અને 18%માં ફેરવી દીધા છે. લક્ઝરી ચીજવસ્તુઓ તેમજ તમાકુ, પાન મસાલા અને સોફ્ટ ડ્રિંક્સ જેવી હાનિકારક વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. આ નવા GST દરો 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે. આ દરોથી કેટલી બચત થશે તે સૌ કોઈ જાણી શકે તે માટે સરકારી વેબસાઈટ પણ લૉન્ચ કરવામાં આવી છે.

રોજિંદા જીવનની ચીજવસ્તુઓ પર રાહત

આ નિર્ણયથી સામાન્ય લોકોને રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ પર સૌથી વધુ રાહત મળશે. ઉદાહરણ તરીકે, દૂધ, બ્રેડ, ઘી અને પનીર જેવી ચીજવસ્તુઓ પર હવે GST શૂન્ય કરવામાં આવ્યો છે. સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ જેવી ઘરેલું ચીજવસ્તુઓ પર માત્ર 5% ટેક્સ લાગશે. અગાઉ 12% અને 18% GST સાથેના નમકીન, ભુજિયા, ચોકલેટ, પાસ્તા અને કોફી જેવા પેકેજ્ડ ફૂડ આઇટમ્સ પર હવે ફક્ત 5% ટેક્સ લાગશે. આ ઉપરાંત 32 ઇંચ સુધીના ટીવી, એસી અને ડીશવોશર જેવી ચીજવસ્તુઓ પર ટેક્સ 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે.

સરકારનો દાવો: ‘નેક્સ્ટ-જનરેશન GST’થી સીધી બચત

સરકારનો દાવો છે કે આ ‘નેક્સ્ટ-જનરેશન GST’ પરિવારોને સીધી બચત આપશે. તેને સમજાવવા માટે સરકારે એક ખાસ વેબસાઇટ www.savingswithgst.in લૉન્ચ કરી છે. આ વેબસાઇટ પર લોકો કોઈપણ ઉત્પાદનની જૂની કિંમત, વેટ સાથેની કિંમત અને નવી GST કિંમત જોઈ શકે છે.

- Advertisement -

ઉદાહરણ તરીકે જો તમે દૂધને કાર્ટમાં ઉમેરો છો તો અગાઉ ₹60 પ્રતિ લીટરની કિંમત વેટ સાથે ₹63.6 દેખાશે, જ્યારે નવા GST હેઠળ તે જ દૂધ ₹60માં મળશે. આ રીતે ગ્રાહકો ખાદ્યપદાર્થો, નાસ્તા, ઘરેલું સામાન, ઇલેક્ટ્રોનિક્સ અને રસોડાની ચીજવસ્તુઓની કિંમતો જોઈને જાણી શકે છે કે તેઓ કેટલી બચત કરી રહ્યા છે.

ઘરેલું સામાન પરGST લાગુ થયા પછી બચત ઘણી વધી છે. ઉદાહરણ તરીકે, એક કપાસનું ગાદલું, જે અગાઉ વેટમાં ₹1,536માં મળતું હતું, તે હવે GSTમાં ₹1,416માં મળશે. ટૂથપેસ્ટની કિંમત ₹38.1થી ઘટીને ₹31.5 થઈ ગઈ છે. એક લીટર ડિટર્જન્ટ, જે અગાઉ વેટમાં ₹281.6માં મળતું હતું, તે હવે GSTમાં ₹259.6માં ઉપલબ્ધ છે.

વાંસનું ફર્નિચર પણ ₹1,230થી ઘટીને ₹1,050 થયું છે. કુલ મળીને ઘરેલું સામાનની સંપૂર્ણ ટોકરી પર વેટ ટેક્સ ₹635.7 હતો, જે GSTમાં ઘટીને ₹307.1 થયો છે. એટલે કે, ગ્રાહકોને લગભગ ₹328.6ની સીધી બચત થઈ રહી છે.

સરકાર વેબસાઈટ દ્વારા ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહી છે. આ ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ માત્ર નવા દરો બતાવે છે એટલું જ નહીં, પરંતુ લોકોમાં તે વિશ્વાસ પણ જગાડે છે કે નવી GST સિસ્ટમ સામાન્ય જનતાની મદદ માટે બનાવવામાં આવી છે.

ખાદ્યપદાર્થો, ઘરેલું સામાન, ઇલેક્ટ્રોનિક્સ, રસોડું અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સની કિંમતો ઘટવાથી પરિવારો પરનો આર્થિક બોજ ઘટશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલું આગામી તહેવારોની સીઝનમાં રિટેલ વેચાણને પણ મોટો બૂસ્ટ આપી શકે છે.

નવી GST સિસ્ટમ એક પારદર્શી અને ગ્રાહકલક્ષી પગલું છે, જેનાથી લોકોના ખિસ્સા પરનો બોજ ઘટશે અને તહેવારોની મોસમમાં ખરીદીનો ઉત્સાહ વધશે. વેબસાઈટ પર જઈને ગ્રાહકો પોતાની બચતની ગણતરી કરી શકે છે અને આ નવા ફેરફારોનો લાભ ઉઠાવી શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં