Monday, May 20, 2024
More
    Home Blog Page 964

    બંગાળમાં મુસ્લિમોનો પોલિટીકલ વીટો, કોણ શાસન કરશે, કેવી રીતે કરશે એ તેઓ જ નક્કી કરે છે : સ્વપન દાસગુપ્તા

    પશ્ચિમ બંગાળ. વર્ષ 2021, તારીખ 2 મે. કેટલાક લોકો સત્તાની ખુરશી જીતી રહ્યા હતા, તો બીજી તરફ કેટલાક જિંદગી સામેનો જંગ હારી રહ્યા હતા. ક્યાંક લીલો ગુલાલ ઉડી રહ્યો હતો તો ક્યાંક અનેકનું લોહી વહી રહ્યું હતું. કેટલાક માનનીય જીતી રહ્યા હતા તો કેટલાયની ઈજ્જત-આબરૂ લૂંટાઈ રહી હતી.

    2 મે 2021. આ દિવસ અનેક લોકો માટે જાણે થોભી ગયો છે. અને આ ‘અનેક લોકો’ પશ્ચિમ બંગાળ નામના રાજ્યના છે. આ રાજ્ય વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં જ સ્થિત છે. આ એ રાજ્ય છે, જેના લોકોએ જીવ બચાવીને બીજા રાજ્યમાં ભાગવું પડ્યું હતું. એ દિવસે જ્યારે લોકતંત્રના સત્તાધારીઓ જીતી રહ્યા હતા ત્યારે બીજી તરફ સ્વયં લોકતંત્ર હારી રહ્યું હતું. લોકતંત્રના સાચા સિપાઈઓને કચડી નાંખવામાં આવી રહ્યા હતા.

    કટોકટી વખતે નાગરિકોની, નેતાઓની અને સત્તા-તંત્રની શું સ્થિતિ હતી? ચાળીસ વર્ષથી ઓછી ઉંમરના લોકો તેની કથા કે વાતો માત્ર વાંચી કે સાંભળી શકે છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં બીજી મેના દિવસે જે થયું એ 21મી સદીના ભારતની કટોકટી જ હતી. મમતા બેનર્જીની સરકાર ભલે તેને લઈને લાખ સ્પષ્ટતાઓ કરે, પરંતુ તે દિવસે થયેલ દરેક દમન, હત્યા, બળજબરી, લૂંટ.. બધું જ આંખ સામે છે. મમતા બેનર્જીને આ બધું સરળતાથી ભૂલવા દેવામાં નહીં આવે.

    રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તા સાથે આ જ મુદ્દાને લઈને બંગાળની રાજનીતિ, સમાજ વગેરે વિષયો પર ઑપઇન્ડિયાની લાંબી વાતચીત થઇ હતી.

    પ્રશ્ન: ટ્વીટર અને ફેસબુક પર ભાજપના જ સમર્થકો આરોપ લગાવે છે કે બીજેપીએ બંગાળના કાર્યકર્તાઓ માટે કંઈ નહતું કર્યું કે જેટલું કરવું જોઈતું હતું એટલું ન કર્યું. આ મુદ્દે આપની પ્રતિક્રિયા.

    જવાબ: આ સત્ય છે. આ હિંસા અનપેક્ષિત હતી. કોઈને અનુમાન ન હતું. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ ગણતરીના સ્થળેથી જ જે રીતે હિંસા શરૂ થઇ, એવું ક્યારેય જોવા મળ્યું ન હતું. આજ સુધી ભારતમાં ક્યાંય આવું જોવા મળ્યું ન હતું. આ સ્તરની હિંસા માટે ભાજપના કાર્યકર્તા કે સંગઠન તૈયાર ન હતાં. આ આરોપ બિલકુલ સાચો છે.

    અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલાઓ થયા છે. લગભગ પચાસ હજાર કાર્યકરોએ ઘરો છોડવા પડ્યાં. લગભગ 20 લોકોની હત્યા કરી નાંખવામાં આવી. તેમ છતાં અમારું સંગઠન પોતાના કાર્યકર્તાઓની થોડીઘણી પણ મદદ ન કરી શક્યું. ઘણા પ્રયત્નો પછી પણ હજુ સુધી ઘણી જગ્યાએ પાંચ-દસ હજાર રૂપિયા પણ અમે કાર્યકર્તાઓ સુધી નથી પહોંચાડી શક્યા. રાજનીતિક રીતે અમે આ બાબતે નિષ્ફળ રહ્યા છીએ- એ બાબત હું સ્વીકારું છું.

    પ્રશ્ન: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હિંસા- આનો રાજનીતિક અર્થ કે સંદેશ આપ શું સમજો છો?

    જવાબ: 2 મે 2021ની બપોર પછી જે હિંસા શરૂ થઇ તેનો એક જ હેતુ હતો- ભાજપનું જે સંગઠન છે, તેને તોડી નાંખવામાં આવે. 38 ટકા મતો ભાજપને મળ્યા. બહુમતી હિંદુઓના મતો ભાજપના પક્ષમાં રહ્યા. તેનો અર્થ એ કે એક નિર્ણાયક મતનું સમર્થન અમારી સાથે હતું. જેથી તેમનો ઉદ્દેશ્ય એ હતો કે હિંસાથી એવો માહોલ પેદા કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં ભાજપના સમર્થકોને ખતમ કરી નાંખવામાં આવે, સંગઠનનું મૂળ તોડી નાંખવામાં આવે. ડર એવો હોય કે ભાજપનો સમર્થક ઘરમાંથી નીકળે જ નહીં, અને એવું થયું પણ.

    પશ્ચિમ બંગાળમાં 2021 વિધાનસભા ચૂંટણી બાદ થયેલ પેટાચૂંટણી અને નગરપાલિકા ચૂંટણીમાં આ ડર દેખાય આવે છે. આ ચૂંટણીમાં અનેક સ્થળોએ ભાજપના લોકો ઉમેદવારી પણ કરવા નહતા ગયા. જે તમે એક ઉદાહરણ દ્વારા સમજી શકો છો. બોલપુર શાંતિનિકેતનની બાજુમાં આવેલ એક નાનું શહેર છે. વિધાનસભા ચૂંટણીમાં અહીંના નગરપાલિકાવાળા વિસ્તારમાં ભાજપને બહુમત મળ્યો હતો. હવે આ વખતે નગરપાલિકા ચૂંટણી થઇ તો અમારા કોઈ ઉમેદવારે નામાંકન સુદ્ધા ન કર્યું.

    આ બધાં નાનાં-નાનાં ઉદાહરણો છે. પરંતુ સત્ય એ છે કે ઘણી જગ્યાએ જ્યાં ભાજપને જીત મળી હતી ત્યાં હવે બૂથનું સંચાલન કરવાની પણ સ્થિતિ નથી. ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ તૂટી રહ્યું છે. ઘણા એવું પણ કહે છે કે કેન્દ્ર સરકાર શું કરી રહી છે? અમારી તો કેન્દ્રમાં પણ સરકાર છે. પરંતુ કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે. તેમાં કેન્દ્ર સરકાર ઇચ્છીને પણ કશું કરી શકતી નથી. જો હાઈકોર્ટે નોંધ ન લીધી હોત તો કંઈ થયું ન હોત, કોઈ પગલાં ન લેવાયાં હોત.

    પશ્ચિમ બંગાળમાં સંગઠનની રીતે ભાજપ પર મોટી અસર થઇ છે. પરંતુ સત્ય એ પણ છે કે આજે હિંસાનો જે માહોલ બનાવવામાં આવ્યો છે, તેની પ્રતિક્રિયા નક્કી છે. ભાજપે હમણાંથી ધીમે-ધીમે સંગઠન સ્તરે કામ કરવું પડશે. ભાજપ માટે સૌથી મોટું કામ કાર્યકર્તાઓનું મનોબળ વધારવાનું હશે. હમણાં તેમનું મનોબળ તૂટ્યું છે. આ કાર્યકર્તાઓને એક સક્ષમ નેતા અને રાજનીતિક ઈચ્છાશક્તિની જરૂર છે.

    પ્રશ્ન: દેશની રાજધાની અને વ્યાપારવાળા બંગાળ, સાહિત્ય અને ક્રાંતિવાળા બંગાળથી લઈને હમણાં સુધીનું બંગાળ- આ બહુઆયામી પતનને કેટલું રાજનીતિક અને કેટલું સામાજિક માનો છો?

    જવાબ: આ પતન રાજનીતિક પણ છે અને સામાજિક પણ. આ પતનની શરૂઆત 60 ના દાયકાથી થાય છે. નક્સલ આંદોલન, સીપીએમવાળી રાજનીતિ…50-60 વર્ષોમાં જે-જે થયું એ જ હવે ફરીથી જોવા મળી રહ્યું છે. તેની અસરો સ્પષ્ટ દેખાઈ રહી છે. બંગાળમાં થઇ રહેલું આર્થિક પલાયન સ્પષ્ટ છે. બંગાળ પહેલાં ઉદ્યોગ-વ્યવસાયનું નેતૃત્વ કરતું હતું, ત્યારે કોલકત્તા મુંબઈ સમાન ગણાતું હતું. હવે ક્યાંથી ક્યાં પહોંચી ગયું. દુર્ગા પૂજા, રજાઓ, તહેવારો…બંગાળના દરેક શહેરને તમે ‘સિટી ઓફ ફેસ્ટિવલ’ કહી શકો છો પરંતુ અહીંના કોઈ પણ શહેરને ‘સીટી ઓફ પ્રોડક્શન’ નહીં કહી શકાય.

    બંગાળમાં ઉદ્યોગના ઘટાડાની અસર ત્યાંની સંસ્કૃતિ પર પડશે, આના કારણે લોકોની સર્જનાત્મક ક્ષમતાને અસર થશે. એવું નથી કે બંગાળમાં રહેતા લોકોની સર્જનાત્મક ક્ષમતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. પરંતુ એ પણ સાચું છે કે આવા વાતાવરણમાં લોકો તેમની ક્ષમતાનો પચાસ ટકા પણ ઉપયોગ કરી શકતા નથી. રાજ્યમાં શાંતિનું વાતાવરણ હોય ત્યારે જ કળા અને સંસ્કૃતિનો વિકાસ અને વિસ્તરણ શક્ય છે, અને બંગાળમાં વહીવટની આ બધી સારી બાબતોનો અભાવ છે.

    60ના દાયકાથી પશ્ચિમ બંગાળમાં રાજકીય સ્તરે જે શરૂઆત થઈ હતી, હવે તેની સંપૂર્ણ અસર અહીંના સામાજિક જીવન પર પડી છે. દુ:ખની વાત એ છે કે જો આ પ્રકારનું રાજકારણ હજુ થોડા દિવસ ચાલતું રહેશે તો સમાજનું બાકી રહેલું માળખું પણ નાશ પામશે.

    પ્રશ્ન: બંગાળમાં વસ્તીવિષયક પરિવર્તનના કારણે હિંદુ-મુસ્લિમ સમીકરણ કે કેટલાક વિસ્તારોમાં હિંદુઓ પ્રત્યેની નફરતને તમે કઈ રીતે જુઓ છો?

    જવાબ: આ બાબત નકારી શકાય નહીં. બંગાળમાં આવું થઈ રહ્યું છે. ત્યાંની કુલ વસ્તીના 30% મુસ્લિમો છે (કેટલાક 23% કહે છે, કેટલાક 25%…પરંતુ મતદાનના આંકડા પ્રમાણે 30%) બાંગ્લાદેશને અડીને આવેલા સરહદી જિલ્લાઓ- નાદિયાનો મોટો ભાગ, દિનાજપુર, મુર્શિદાબાદ, માલદા, દક્ષિણ 24 પરગણાનો મોટો ભાગ, વગેરે સંપૂર્ણપણે મુસ્લિમ બહુલ બની ગયા છે.

    તેની પાછળ 2 કારણો છે: પહેલું કારણ- CPMની રાજનીતિને કારણે 1990 અને 2000 ના દાયકામાં બાંગ્લાદેશમાંથી નોંધપાત્ર સંખ્યામાં થયેલી ગેરકાયદેસર ઘૂસણખોરી. બીજું કારણ- સારા કામ, સારી સુવિધાઓ જેવી બાબતોની શોધમાં ઘણા બંગાળીઓએ પશ્ચિમ બંગાળ છોડીને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કર્યું છે. આજે બેંગ્લોરમાં 12 લાખ બંગાળીઓ છે. દિલ્હી પણ બંગાળીઓથી ભરેલું છે. આ એક નાનું ઉદાહરણ છે. આનું કારણ શું છે? શું કારણ છે કે મોટાભાગના બંગાળી હિંદુઓએ જ પશ્ચિમ બંગાળમાંથી પલાયન કર્યું છે?

    આ બે કારણો સિવાય ત્રીજી સમસ્યા પણ છે – રોહિંગ્યા. મોટી સંખ્યામાં રોહિંગ્યા ઘૂસણખોરો પણ અહીં આવીને વસવાટ કરી રહ્યા છે. આ બાબતોને કારણે પશ્ચિમ બંગાળની ડેમોગ્રાફી ઘણી બદલાઈ ચૂકી છે, બગડી ચૂકી છે.

    પશ્ચિમ બંગાળની રચના શા માટે થઈ? પ્રથમ સંયુક્ત બંગાળ હતું. તો પછી વિભાજન કેમ થયું? એ વિચારો. જે પૂર્વ બંગાળ હતું, ત્યાં હિન્દુઓની વસ્તી 30% હતી, આજે આપણે ત્યાં 10% પણ નથી. તો આ 20% હિંદુ વસ્તી ક્યાં ગઈ? તેમાંથી મોટાભાગના પશ્ચિમ બંગાળ આવ્યા હતા. કેમ આવ્યા હતા? કારણ કે એ લોકોને લાગ્યું કે આ તેમની માતૃભૂમિ છે. બંગાળી હિંદુઓને રહેવા માટે જમીન મળવી જોઈએ, આ જ કારણ હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ બંગાળના વિભાજનની માંગ કરી હતી. આ વિચારના આધારે જ પશ્ચિમ બંગાળ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ અફસોસ, ‘પશ્ચિમ બંગાળ, બંગાળી હિન્દુઓનું ઘર’નો આ મૂળ વિચાર આજે નાશ પામી રહ્યો છે. આ માત્ર વસ્તી વિષયક પરિવર્તનને કારણે થઈ રહ્યું છે. વસ્તીવિષયક પરિવર્તન કેટલી મોટી સમસ્યા છે, તે આસામમાંથી પણ સમજી શકાય છે. 80-90ના દાયકામાં આ બાબતને લઈને મોટું આંદોલન પણ થયું હતું.

    જો આપણે પશ્ચિમ બંગાળમાં વસ્તીવિષયક પરિવર્તનના રાજકીય પાસાંને જોઈએ તો આજે મુસ્લિમ સમુદાયનો રાજકીય વીટો છે. આનો અર્થ એ થયો કે મુસ્લિમ સમુદાય નક્કી કરે છે કે કોણ શાસન કરશે, અને કેવી રીતે કરશે. આનો અર્થ એ પણ છે કે સત્તા પર નામ મમતા બેનર્જીનું હોઇ શકે છે, 10 વધુ બંગાળી હિન્દુ નેતાઓ-મંત્રીઓ હોય શકે છે, પરંતુ જે તેમની પાછળ જેનો વીટો હશે એ મુસ્લિમ સમુદાયનો રહેશે. આને એક નાનકડા ઉદાહરણથી એવી રીતે સમજો કે કોલકાતામાં તમે મુસ્લિમ છોકરાઓને હેલ્મેટ વિના બાઇક ચલાવતા જોઈ શકો છો, પોલીસ હાથ બાંધીને ઉભી થઇ રહે છે. આ રાજકારણે પશ્ચિમ બંગાળમાં પણ આવું જ વાતાવરણ ઊભું કર્યું છે.

    પ્રશ્ન: તમે પોતે મીડિયા સાથે જોડાયેલા રહ્યા છો. આવી સ્થિતિમાં બળાત્કાર-હત્યા જેવી ઘટનાઓ ઓછી તીવ્રતા સાથે બતાવનારા કે એકદમ છુપાવનારા મીડિયા સંસ્થાનોને લઈને સરકારની પહેલ શું હોવી જોઈએ?  બંગાળ હિંસા દરમિયાન કેટલાક મીડિયા સંસ્થાનોએ જે રીતે કવરેજ કર્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પર કોલકત્તા હાઈકોર્ટના એડિશનલ સોલિસિટર જનરલે તો મીડિયા હાઉસને માફી માંગવા પણ કહ્યું હતું.

    જવાબ: બંગાળમાં આજે મીડિયા મુક્ત નથી. ત્યાંના મીડિયા પર કોઈ બંદૂક તાંકીને ઉભું રહેતું નથી. આ લોકો બંદૂકના ડરથી સત્ય કે સમાચાર છુપાવતા નથી, પરંતુ પૈસાના કારણે છુપાવે છે. સરકાર પૈસા આપે છે, સરકારના કહેવા મુજબ સમાચારોનું રિપોર્ટીંગ થાય છે. પરંતુ તેના પરિણામો દૂરગામી હોય છે. ધારો કે ભવિષ્યમાં કોઈ ઈતિહાસકાર બંગાળની હિંસા વિશે માહિતી એકઠી કરી રહ્યો હશે તો તેને શું મળશે? જ્યારે તે વર્તમાન સમાચારો અને અખબારો પર નજર ફેરવશે ત્યારે તે ‘કંઈ થયું નથી અને ઘટના નાની છે’ એમ વિચારીને બેસી જશે.

    આજે બંગાળના મીડિયામાં તમે જોશો કે મમતા બેનર્જીને લઈને એક હરીફાઈ ચાલી રહી છે, કે કોણ કેટલી વખત તેમની તસવીર પહેલા પાને છાપશે. એનાથી પણ મોટું ઉદાહરણ જુઓ. ઈન્ડિયા ગેટની સામે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંગાળીઓની ભાવના માટે આ બહુ મોટી વાત છે. પરંતુ પશ્ચિમ બંગાળના સૌથી મોટા અંગ્રેજી અખબારના પહેલા પાનાની વાત છોડો, અંદરના 10મા પાનાં પર પણ આ સમાચારને સ્થાન મળ્યું નહતું. કારણ કે આ મોદી સરકારનો નિર્ણય હતો. આ ત્યાંના મીડિયાની માનસિક સ્થિતિ છે. આ ફ્રી પ્રેસ નથી. તે મીડિયા પણ નથી. તેઓ માત્ર ટાઈપિસ્ટ છે.

    પ્રશ્ન: આ પ્રશ્ન મીડિયા, સત્ય, ઇતિહાસ, લેખન વગેરે સાથે સંબંધિત છે. જ્યારે વિક્રમ સંપથ પર લિબરલ લોબી તૂટી પડી ત્યારે તમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક લેખ લખ્યો હતો. બંગાળ હિંસાનો જ્યારે ઈતિહાસ લખવામાં આવશે ત્યાં સુધીમાં શું ઈતિહાસકારોની રાષ્ટ્રવાદી ફૌજ તૈયાર હશે કે એકલ-દોકલ હોવાના કારણે ત્યારે પણ આ લોકો વોક લોકોના હુમલાઓ સહન કરતા રહેશે?

    જવાબ: જો આપણે રાજકીય લેન્સથી જોઈએ તો આજે રાષ્ટ્રવાદી શક્તિ ઘણી આગળ વધી ગઈ છે. જોકે, એ સાચું છે કે રાષ્ટ્રવાદી વિચારસરણીથી પ્રેરિત બૌદ્ધિક ચેતના અથવા પ્રભાવનો હજુ પણ અભાવ છે. આ ચિંતાનો વિષય છે અને આપણે વિચારવું જોઈએ કે આવું કેમ થયું? આજે પણ કહેવાતી બૌદ્ધિક સંસ્થાઓ પર લિબરલ/લેફ્ટ/વોક વગેરેનું નિયંત્રણ છે. આવી સ્થિતિમાં આપણી ખામીઓને ઓળખવી, આપણા લોકોને તૈયાર કરવા આપણી ફરજ બની જાય છે.

    લિબરલોએ વિક્રમ સંપત પર શા માટે હુમલો કર્યો? આવું એટલા માટે થયું કારણ કે તેમણે રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી એવો ઇતિહાસ લખ્યો હતો જેને નકારી શકાય તેમ નથી. જ્યારે ઉદારવાદીઓ/ડાબેરીઓની વિચારસરણી એવી છે કે તે તો રાષ્ટ્રવાદી છે, જમણેરી છે… તે શું લખશે! પણ વિક્રમ સંપતે એવું લખ્યું કે તે પછી લિબરલ લોબીનો હુમલો પણ ખૂબ તેજ અને લાંબા સમય સુધી ચાલ્યો હતો. જો ખરાબ લખાયું હોત તો નિશ્ચિતપણે તેમણે વધુ ધ્યાન ન આપ્યું હોત અને મજાક પણ ઉડાવી હોત.

    રાષ્ટ્રવાદી વિચારસરણી અને તેની સાથે સંકળાયેલા લોકો અંગે લિબરલો/ડાબેરીઓની આ માનસિકતા છે. વિક્રમ સંપતે તેની માનસિકતાને ઠેસ પહોંચાડી. કેવી રીતે? તેણે શાનદાર રીતે લખ્યું, શુદ્ધ લખ્યું, અકાટ્ય રીતે લખ્યું. તેથી તેમની ઉપર આ કહેવાતા બૌદ્ધિકો (ઉદારવાદી/ડાબેરીઓ) દ્વારા હુમલો કરવામાં આવ્યો.

    આપણે આ પ્રકરણમાંથી શીખવું જોઈએ. જો આપણે ખરેખર લિબરલો/ડાબેરીઓના સૌથી મજબૂત ભાગ પર પ્રહાર કરવો હશે તો પહેલાં પોતાને બૌદ્ધિક સ્તરે મજબૂત બનાવવા પડશે, તથાકથિત બુદ્ધિજીવી સંસ્થાનો પર પોતાનું નિયંત્રણ લાવવું પડશે.

    પ્રશ્ન: તમે પશ્ચિમ બંગાળમાં હિંસાની રાજનીતિ અને તેના કારણે ઉદ્ભવતા વાતાવરણની પ્રતિક્રિયા વિશે વાત કરી. બંગાળના લોકો પરિવર્તન ઈચ્છે છે, આ વાત RSSના પ્રતિનિધિ પાસેથી પણ સાંભળવામાં મળી હતી. ભાજપના નેતા કે સાંસદ તરીકે આ પરિવર્તનનો રોડમેપ શું હશે, ભાજપ સત્તામાં કેવી રીતે આવશે?

    જવાબ: સૌપ્રથમ તો જાણી લો કે બંગાળમાં ભાજપ એક નવો પક્ષ છે. ભારતભરમાં ભાજપની યાત્રાને તમે જનસંઘ સુધી જોઈ શકો છો, પરંતુ બંગાળમાં તેને 3-4 વર્ષ જૂની પાર્ટી પણ કહી શકાય નહીં. ખરા અર્થમાં, એક પક્ષની જે અસર થવી જોઈએ, જે નેતૃત્વ જોવું જોઈએ, બંગાળમાં ભાજપ હજુ તે સ્તરે પહોંચ્યું નથી. અમારે બંગાળમાં નેતૃત્વ ઊભું કરવાનું છે.

    2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં જબરદસ્ત સમર્થન મળ્યું હતું. પરંતુ શહેરી વિસ્તારોમાં, જેને બંગાળીઓ ભદ્રલોક કહે છે, આ સમર્થનનો અભાવ હતો… બિલકુલ શૂન્ય. કોલકાતા અને આસપાસના વિસ્તારો, જેમ કે કોલકાતા, હાવડા વગેરે… ત્યાં 109 બેઠકો છે, જેને જૂનો પ્રેસિડેન્સી ડિવિઝન કહેવામાં આવતો હતો. અહીં ભાજપને માત્ર 1-2 બેઠકો મળી શકી. આનો અર્થ એ થયો કે તથાકથિત બુદ્ધિજીવી વર્ગ પર કે એવા લોકો જેઓ ઓપિનિયન મેકર છે, તેમની ઉપર આપણો પ્રભાવ નહીંવત છે. ટૂંકમાં, પ્રભાવશાળી બંગાળીઓને પોતાની તરફ ભાજપ કરી શક્યો નથી.

    પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે આ એક મોટો પ્રોજેક્ટ છે. સંગઠન સ્તરની વાત કરીએ તો, અમને OBC બંગાળી, SC-ST વગેરે જેવા વર્ગોનું ઘણું સમર્થન છે. પરંતુ શહેરી વિસ્તારોમાં નહીંવત સમર્થન છે. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો 30% વોટિંગ વીટોથી શરૂઆત કરે છે, આવી સ્થિતિમાં ભાજપે બધાને સાથે લઈને ચાલવું પડશે. તેથી બંગાળના શહેરી વિસ્તારો, પ્રભાવશાળી બંગાળી, તથાકથિત બુદ્ધિજીવી વર્ગોને પોતાની સાથે જોડવા માટેનો પ્રોજેક્ટ ભાજપ માટે સૌથી મહત્વનો છે.

    (ગુજરાતીમાં અનુવાદિત થયેલ આ ઇન્ટરવ્યૂ મૂળ હિંદીમાં ચંદન કુમાર દ્વારા લેવામાં આવ્યો છે. જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    સીએમ હેમંત સોરેન પર પોતાને ખનન લીઝ ફાળવવાનો આરોપ, ચૂંટણી પંચે નોટિસ મોકલીને પૂછ્યું- કેમ ન લેવા પગલાં?

    ચૂંટણી પંચે સોમવારે (2 મે 2022) ઝારખંડના સીએમ હેમંત સોરેનને નોટીસ મોકલી છે અને તેમનો જવાબ માંગ્યો છે. કમિશને તેમને ખુલાસો કરવા કહ્યું છે કે ખાણકામની લીઝ પોતાને આપવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? જે આરપી એક્ટની કલમ 9Aનું ઉલ્લંઘન કરે છે. કલમ 9A સરકારી કરારો માટે કોઈપણ ગૃહમાંથી ગેરલાયક ઠરે છે.

    ચૂંટણી પંચ પહેલાથી જ તપાસ કરી રહ્યું છે કે શું મુખ્યમંત્રીએ તેમના કાર્યાલયનો લાભ માટે ઉપયોગ કર્યો છે. ભૂતકાળમાં, ચૂંટણી પંચે ઝારખંડના મુખ્ય સચિવ સુખદેવ સિંહને પત્ર લખીને ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ પર જવાબ માંગ્યો હતો. અરજદાર શિવશંકર વર્માએ મુખ્યમંત્રી સોરેન પર પોતાના પદનો દુરુપયોગ કરીને ખાણની ફાળવણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

    હાઇકોર્ટની ટિપ્પણી

    શિવશંકર શર્મા નામના વ્યક્તિએ સોરેનના નામે માઈનિંગ લીઝ લેવા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડૉ. રવિ રંજન અને જસ્ટિસ સુજીત નારાયણ પ્રસાદની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે બંધારણીય પદ ધરાવતી વ્યક્તિએ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ.

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોરેન રાજ્યના મુખ્યમંત્રી અને વન અને પર્યાવરણ વિભાગના વિભાગીય મંત્રી છે. તેમની પાસે ખાણ વિભાગ પણ છે. આવી સ્થિતિમાં, તેમણે પોતે પર્યાવરણીય મંજૂરી માટે અરજી કરી હતી અને મંજૂરી લીધા પછી પોતે જ ખાણકામની લીઝ મેળવી હતી. આમ કરવું એ પદનો દુરુપયોગ છે અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન છે.

    આખો વિષય આમ છે

    મુખ્યમંત્રી હેમંત સોરેનને નોટીસ તેમના પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ બદલ ફટકારવામાં આવી છે અને પોતાના નામે પથ્થરની ખાણ લીઝ પર લીધી છે. આ ખાણ રાંચી જિલ્લાના અનગડા મૌજા, પોલીસ સ્ટેશન નંબર-26, ખાટા નંબર-187, પ્લોટ નંબર-482 ખાતે આવેલી છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે સોરેન આ લીઝની મંજૂરી માટે 2008થી પ્રયાસો કરી રહ્યા હતા.

    મુખ્યમંત્રી બન્યા પછી, પત્ર નંબર 615/M, તારીખ 16-06-2021 દ્વારા, વિભાગ દ્વારા લીઝની મંજૂરી માટેનો હેતુ પત્ર (LOI) જારી કરવામાં આવ્યો છે. આ વિભાગ માત્ર મુખ્યમંત્રી પાસે છે. સ્ટેટ લેબલ એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA) એ 14-18 સપ્ટેમ્બર 2021ના રોજ તેની 90મી મીટિંગમાં પણ પર્યાવરણીય મંજૂરીની ભલામણ કરી હતી.

    કોણ કોનો ત્યાગ કરશે?: હાર્દિકે ટ્વીટર પરથી ‘કોંગ્રેસ’ શબ્દ હટાવ્યો, પાર્ટીએ પોસ્ટરમાં જગ્યા ન આપી

    ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા થોડા સમયથી પાર્ટીથી નારાજ છે. જોકે, ઘણા સમયથી એક કે બીજી રીતે પાર્ટી અને સ્થાનિક નેતૃત્વ સાથે પોતે નારાજ હોવાના સંકેતો આપતા હોવા છતાં હજુ સુધી હાર્દિકે પાર્ટી છોડવા મામલે કોઈ તૈયારી બતાવી નથી. પરંતુ હવે હાર્દિક પટેલે પાર્ટી છોડવાનું અને કોંગ્રેસે તેમને વિદાય આપવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. આજે હાર્દિક પટેલે પોતાની ટ્વીટર પ્રોફાઈલ પરથી ગુજરાત કોંગ્રેસનો ઉલ્લેખ હટાવી દીધો છે. પહેલાં હાર્દિકની પ્રોફાઈલ ઉપર ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’ લખ્યું હતું, પરંતુ હવે હાર્દિકે તે હટાવી દીધું છે. જેના કારણે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શકે છે તેવી અટકળોને વેગ મળ્યો છે. જોકે, હાર્દિક પટેલ દ્વારા ટ્વીટર મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    બીજી તરફ, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા અને ફરજ પર હાજર મહિલા પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરવાના આરોપ બદલ જેલમાં ગયેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ તેમના સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસે એક સભાનું આયોજન કર્યું છે. જેની જાહેરાત પાર્ટીના ટ્વીટર અકાઉન્ટ પરથી કરવામાં આવી હતી.

    કોંગ્રેસે ટ્વીટર અકાઉન્ટ પર શેર કરેલા પોસ્ટરમાંથી હાર્દિક પટેલનો ફોટો ગાયબ થઇ ગયો હતો. પોસ્ટરમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાની તસવીરો જોવા મળી રહી છે પરંતુ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિક પટેલની તસવીર હટાવી દેવાતા હાલમાં ચાલી રહેલી અટકળોને બળ મળ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગત 21 એપ્રિલના રોજ આસામ પોલીસે ધરપકડ કરી લીધી હતી. જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કહેવાતી વિવાદિત ટિપ્પણી કરતાં ટ્વીટ કર્યાં હતાં, જે બાદ તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાતા આસામ પોલીસે પાલનપુર ગેસ્ટ હાઉસમાંથી જીગ્નેશ મેવાણીને પકડી લીધા હતા.

    જોકે, આ કેસમાં જીગ્નેશને જામીન મળ્યા બાદ વધુ એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બારપેટા પોલીસ મથકના એક મહિલા પોલીસે ફરિયાદમાં મેવાણી વિરુદ્ધ અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો હતો. જોકે, તે મામલે પણ જીગ્નેશ મેવાણીને જામીન મળી ગયા છે.

    વધુમાં, હાર્દિક પટેલ આ પહેલાં પણ ગુજરાત કોંગ્રેસ અને સ્થાનિક નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અગાઉ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, તેમની સ્થિતિ લગ્ન બાદ નસબંદી કરવામાં આવેલ હોય તેવા વ્યક્તિ જેવી થઇ ગઈ છે. ઉપરાંત, અખબાર દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ભાજપના વખાણ કર્યાં હતાં તેમજ ગુજરાત કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

    તદુપરાંત, હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપી વિવાદનો ઉકેલ લાવવા માટે કહ્યું હતું. હાર્દિક પટેલે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, “હું હાલ કોંગ્રેસમાં છું. આશા રાખું છું કે કોંગ્રેસ નેતાઓ કોઈ રસ્તો શોધે જેથી હું પાર્ટીમાં રહીને કામ કરી શકું. કેટલાક લોકો ઈચ્છી રહ્યા છે કે હાર્દિક કોંગ્રેસ છોડી દે. તેઓ મારો આત્મવિશ્વાસ તોડવા માંગે છે.”

    આમ તો હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરતાં કોંગ્રેસ છોડવાની વાતને અફવા ગણાવી હતી પરંતુ હવે વધુ એક સંકેત આપીને અટકળોને વેગ આપી દીધો છે.

    શું પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે! કોંગ્રેસ સાથે મેળ ના પડતાં ટ્વિટ કરી આપ્યા સંકેત

    પ્રશાંત કિશોર ભારતીય રાજકારણમાં અજાણ્યો ચેહરો નથી. 2014ના લોકસભા ઈલેકશન બાદ ચર્ચામાં આવેલા પ્રશાંત કિશોર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. થોડા દિવસ પહેલા તેઓએ કોંગ્રેસ કઈ રીતે પાછી ઊભી થઈ શકે તેના માટે એક 600 સ્લાઇડનું પ્રેઝેંટેશન રજૂ કરી કોંગ્રેસમાં જોડાવા માટે ઉત્સુકતા બતાવી હતી. પરંતુ કોંગ્રેસ તરફથી યોગ્ય ઓફર ના મળતા તેમણે કોંગ્રેસ સાથે જોડાવાનું માંડી વળ્યું હતું. તો હવે પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે? એવી ચર્ચા થઈ રહી છે. કેમ તે સમજીએ.

    આજે પ્રશાંત કિશોર ટ્વિટર પર સૂચક ટ્વિટ કરી કહ્યું હતું કે “જન સુરાજ” નામની મુવમેંટ શરૂ કરવા જઇ રહ્યા છે. જો કે તે કોઈ રાજનૈતિક પાર્ટી છે કે કોઈ કાર્યક્રમ છે તે જાણી શકાયું નથી. કારણ કે અગાઉ પણ બિહાર કી બાત નામનો કાર્યક્રમ કરી ચૂક્યા છે. તેઓ એ ટ્વિટમાં ગૂડ ગવર્નન્સની વાત કરી છે. આ કાર્યક્રમ તેઓ બિહાર થી શરૂ કરવા જઇ રહ્યા છે.

    2014 લોકસભામાં નરેન્દ્ર મોદી માટે કામ કરી ચૂક્યા છે.

    પ્રશાંત કિશોર સૌપ્રથમ 2014 લોકસભા ઈલેકસનમાં ચર્ચામાં આવ્યા હતા તેમણે ત્યારે નરેન્દ્ર મોદી માટે રણનીતિ નક્કી કરી હતી. મણિશંકર ઐયરના કોંગ્રેસ કાર્યાલય પર આવી ચા વેચવાના બયાન બાદ ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમ પણ પ્રશાંત કિશોર જ ઘડ્યો હોવાનું મનાય છે. પરંતુ પ્રશાંત કિશોરની મહત્વકાંક્ષા વધુ હોવાના કારણે તેને ભાજપા સાથે કામ કરવાનું છોડી દીધું હતું. ઘણા લોકોનું માનીએ તો અમિત શાહએ તેમનો કાર્યકાળ આગળ વધારવાની ના પડી દીધી હતી.

    બિહારમાં લાલુ અને નિતિશ ગઠબંધન માટે કામ કરી ચૂક્યા છે.

    નિતિશ કુમારે ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ લાલુ પ્રસાદ યાદવ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે પણ રણનીતિ પ્રશાંત કિશોરએ ઘડી હતી. આખો મુદ્દો બિહારની અસ્મિતા સાથે જોડીને લાલુ નિતિશની જોડીને વિજય આપવામાં મહત્વનો રોલ નિભવ્યો હતો. ત્યાર બાદ JDU પાર્ટીમાં જોડાયા પણ હતા. જો કે ત્યાર બાદ પાર્ટી માથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

    2017 ઉતરપ્રદેશ ચુટણીમાં મોટી હાર મળી હતી.

    2017 ઉતરપ્રદેશ વિધાનસભા ચુટણીમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણેયના ગઠબંધન માટે કામ કર્યું હતું પરંતુ ભાજપા 325 સીટ મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. આ મામલે પ્રશાંત કિશોરની મોટી હાર થઈ હતી.

    AAP માટે પણ કામ કરી ચૂક્યા છે.

    2020 દિલ્લી વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી માટે પણ રણનીતિકાર તરીકે કામ કરી ચૂક્યા છે. જેમાં AAPને ભવ્ય જીત મળી હતી. તે જીતમાં રણનીતિ ઘડવાનો શ્રેય પણ પ્રશાંત કિશોરને જાય છે. જો કે 2015 દિલ્લી વિધાનસભા વખતે પ્રશાંત કિશોરે AAP સાથે કામ ન કર્યું હોવા છ્તાં પણ મોટી જીત મેળવી હતી.

    પંજાબમાં કેપ્ટન અમરિન્દ્રસિંહ માટે કામ કરી ચૂક્યા છે.

    અગાઉના પંજાબ વિધાનસભા વખતે કોંગ્રેસની જીત બાબતે લોકો શંકા કરતાં હતા પરંતુ પરિણામો ચોકાવનારા આવ્યા હતા અને કેપ્ટનની જીત થઈ હતી. પ્રશાંત કિશોર પણ સ્વીકારે છે કે આ જીત ખૂબ જ કપરી હતી. આ જીત મળવાનો તેમણે ખૂબ આનંદ હતો.

    મમતા બેનર્જીને જીત અપાવી ઇતિહાસ રચ્યો.

    બંગાળ વિધાનસભા ચુટણીમાં રણનીતિકાર તરીકે કામ કરીને મોટી જીત આપવી હતી. પરિણામ પહેલા જ તેમણે કહ્યું હતું કે ભાજપા 100 સીટો પણ નહીં મેળવે, પરિણામ બાદ તે વાત સાચી પણ પડી હતી. મમતા બેનર્જીને સૌથી મોટી જીત મળી હતી.

    આ સિવાય પણ દક્ષિણ ભારતમાં YSRCF અને DMK માટે કામ કયું હતું. હવે પ્રશાંત કિશોર પોતાનો પક્ષ બનાવી રહ્યા છે કે બીજી કોઈ નવા જૂની કરવા પર છે તે ચર્ચાનો મુદ્દો બન્યો છે કે પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે?

    ઉન્નાવમાં મોહમ્મદ નૂર અને ચાંદ આલમ સંચાલિત હોસ્પીટલમાં નોકરીના પહેલા જ દિવસે 18 વર્ષની નર્સ પર સામુહિક બળાત્કાર કરી ગળેફાંસો અપાયાનો આરોપ

    ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમાઉથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ નવી ખુલેલી પ્રાઈવેટ હોસ્પિટલના નર્સિંગ હોમમાં નર્સની નોકરી કરવા આવેલી યુવતીનો નોકરીના પહેલા જ દિવસે મૃતદેહ નર્સિંગ હોમની છત પર દુપટ્ટાની મદદથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના પરિવારે પોલીસ સ્ટેશન ખાતે હોસ્પીટલમાં સામુહિક બળાત્કાર અને હત્યા બદલ સંચાલકો મોહમ્મદ નૂર અને ચાંદ આલમ સમેત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસે જણાવ્યું કે હોસ્પિટલ થોડા દિવસો પહેલા જ (25 એપ્રિલ) ખોલવામાં આવી હતી, જ્યાં મહિલાને નર્સ તરીકે નોકરી મળી હતી. તેઓએ કહ્યું કે યુવતીએ નજીકમાં ભાડે રૂમ લીધો હતો. આ ઘટના શનિવારે દુલ્લાપુરવા ગામની નવી જીવન હોસ્પિટલમાં નોંધાઈ હતી. મૃતકની ઓળખ ટીકાના ગામની રહેવાસી 19 વર્ષીય યુવતી તરીકે થઈ છે. તે શુક્રવારે સહાયક તરીકે કામ કરવા માટે હોસ્પિટલમાં પહોંચી હતી.

    તેના પરિવારજનોના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન હોસ્પિટલમાં કોઈ દર્દી ન હોવાથી નર્સ તેના રૂમમાં પાછી આવી ગઈ હતી. તેઓએ કહ્યું: “રાત્રે લગભગ 10 વાગ્યે, તેને (નર્સ) કથિત રીતે હોસ્પિટલના માલિકનો ફોન આવ્યો, જેણે તેને નાઇટ શિફ્ટ કરવા કહ્યું.”

    એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસપી) શશિ શેખર સિંહે કહ્યું કે જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના ચહેરા પર માસ્ક હતો અને તે તેના હાથમાં કપડાનો ટુકડો પકડેલો હતો. “અમે એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેના ચહેરા પર કોણે માસ્ક લગાવ્યો છે અને કાપડના ટુકડા વિશે પણ વિગતો આપી છે. હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને અમે ઓટોપ્સી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ,” તેમણે કહ્યું.

    નર્સની માતાએ કહ્યું કે તેને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. માતાએ વધુમાં કહ્યું કે જ્યારે તે સ્થળ પર પહોંચી તો સ્પષ્ટ થયું કે તેની પુત્રીની હોસ્પીટલમાં સામુહિક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. “મેં એફઆઈઆરમાં હોસ્પિટલના માલિક નૂર આલમ, ચાંદ આલમ અને એક વ્યક્તિ સહિત ત્રણ સ્ટાફ સભ્યોના નામ આપ્યા છે,” માતાએ કહ્યું.

    ઉન્નાવના ડીએમ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે મૃતક યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. તેને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 5 લાખ રૂપિયાની મદદ કરી છે. આ સાથે પીડિત પરિવારને નિષ્પક્ષ મદદની ખાતરી આપવામાં આવી છે.

    પોલીસ આત્મહત્યાના એંગલથી પણ કરી રહી છે તપાસ

    કાલ મોડી રાતે આટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો કે યુવતીનું મૃત્યુ ગળે ફાંસો ખાવાથી જ થયું હતું. આથી પોલસે પોતાની તપાસનો દાયરો વધાર્યો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હોય એમ જણાય છે. એસપી અને એએસપીએ મૃતકના પ્રેમીની ધરપકડ કરીને તેની પૂછપરછ પણ કરી હતી અને નર્સિંગ હોમનું પણ નિરીક્ષણ કર્યું હતું. એવું જણાવવામાં આવ્યું હતું કે મૃતકના મોબાઈલની કોલ ડિટેઈલથી જાણવા મળ્યું હતું કે યુવતીને મુસ્તફાબાદ, બાંગરમાળના રહેવાસી સંદીપ રાજપૂત સાથે પ્રેમ સંબંધ હતો. સંદીપને પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ કરવામાં આવી હતી.

    સંદીપે જણાવ્યું કે તે એમ્બ્યુલન્સ ચલાવે છે. તેનું દોઢ વર્ષથી નર્સ સાથે અફેર હતું. 28 એપ્રિલે તેણે યુવતીને દુલ્લાપુરવા સ્થિત ન્યુ જીવન નર્સિંગ હોમમાં નર્સ તરીકે નોકરી પર રખાવી હતી. યુવતી અન્ય સંપ્રદાયની હતી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. ઘટનાની રાત્રે યુવતીએ સંદીપને અનેકવાર ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન રિસીવ કર્યો ન હતો. આથી યુવતીને દુખ થયું હતું. એવું માનવામાં આવે છે કે તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ આત્મહત્યા કરી હતી.

    રાહુલ ગાંધીને મુલાકાતની પરવાનગી આપવાનો ઉસ્માનિયા યુનિવર્સીટીનો ઇનકાર, કોંગ્રેસ લાલઘૂમ; વીસીને TRS સરકારના ગુલામ ગણાવી દીધા!

    દેશની સૌથી જૂની યુનિવર્સીટીઓમાંની એક ગણાતી હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા યુનિવર્સીટી હાલ વિવાદમાં છે. તેનું કારણ એ છે કે યુનિવર્સીટીએ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને કેમ્પસમાં ‘બિન રાજકીય’ કાર્યક્રમ કરવા માટે પરવાનગી આપી ન હતી. જે બાદ કોંગ્રેસે તેલંગાણાના શાસક પક્ષ પર નિશાન સાધ્યું છે અને યુનિવર્સીટીના વીસી અને અધિકારીઓ પર ટીઆરએસ સરકારના ગુલામ તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો છે.

    આગામી 6 અને 7 મેના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેલંગાણાની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા યુનિવર્સીટી સમક્ષ રાહુલ ગાંધીની ‘બિનરાજકીય’ મુલાકાત માટે પરવાનગી માંગી હતી. જોકે, યુનિવર્સીટીએ રાહુલ ગાંધીને પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

    જોકે, ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, યુનિવર્સીટીએ લેખિત સ્વરૂપમાં આયોજકોને આ મામલે જાણ કરી નથી પરંતુ યુનિવર્સીટીની કાર્યકારી પરિષદે કથિત રીતે ઇનકાર કરી દીધા બાદ રાજકીય ઉથલપાથલ મચી છે. કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણા રાષ્ટ્રસમિતિના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે રાહુલ ગાંધીની મુલાકાત રોકવા માટે સંસ્થા પર દબાણ કર્યું છે. બીજી તરફ, આ મામલે કેટલાક વિદ્યાર્થીઓ તેલંગાણા હાઈકોર્ટ પહોંચ્યા છે અને તેમણે માંગ કરી છે કે રાહુલ ગાંધીની મુલાકાતની પરવાનગી આપવામાં આવે.

    કેમ્પસમાં રાજકીય પ્રવુત્તિઓ પર રોક લગાવવામાં આવી હોવાનું યુનિવર્સીટીએ જણાવ્યું

    કોંગ્રેસ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું કે તેમણે કાર્યક્રમની પરવાનગી માટે 23 એપ્રિલના રોજ યુનિવર્સીટીને જાણ કરી હતી અને સાથે એમ પણ જણાવ્યું હતું કે કાર્યક્રમ બિન-રાજકીય હશે. બીજી તરફ, યુનિવર્સીટી પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સીટીની કાર્યકારી પરિષદે વર્ષ 2017 થી કેમ્પસમાં રાજનીતિક બેઠકો સહિતની બિન-શૈક્ષણિક ગતિવિધિઓ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે.

    ઉસ્માનિયા યુનિવર્સીટી, તસવીર સાભાર: તેલંગાણા ટૂડે

    અધિકારીએ વધુમાં જણાવ્યું કે, હાઈકોર્ટે રાજ્ય સરકારને યુનિવર્સીટી પરિસરમાં રાજનીતિક અને સાર્વજનિક બેઠકોની પરવાનગી ન આપવાનો નિર્દેશ કર્યા બાદ જૂન 2017 માં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ રાજકીય પ્રવુત્તિઓના કારણે અભ્યાસમાં સતત ખલેલ પહોંચતી હોવાનો આરોપ લગાવીને હાઈકોર્ટમાં રાવ નાંખી હતી.

    યુનિવર્સીટી કેમ્પસમાં વિરોધ, 18 NSUI કાર્યકરોની ધરપકડ

    યુનિવર્સીટીમાં રાહુલ ગાંધીની મુલાકાતની પરવાનગી ન આપવાના નિર્ણય બાદ યુનિવર્સીટી પરિસરમાં આ મામલે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ શરૂ થઇ ગયો હતો. યુથ કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોએ શનિવારે આર્ટસ કોલેજની બહાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ટીઆરએસ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનોએ પણ NSUI અને યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ મામલે તેલંગાણા નિરુદ્યોગ વિદ્યાર્થી જોઈન્ટ એક્શન કમિટના માનવતા રોયે જણાવ્યું હતું કે, “યુનિવર્સીટીએ હજુ સુધી લેખિત સ્વરૂપમાં પોતાનો નિર્ણય વિદ્યાર્થીઓને જણાવ્યો નથી. પ્રશાસન આ મામલે સોમવારે કંઇક જણાવે તેવું અનુમાન છે.”

    વિરોધ પ્રદર્શન બાદ પોલીસે NSUI ના 18 કાર્યકરોને પોલીસે પકડી લીધા હતા. તેમની વિરુદ્ધ પથ્થરમારો કરવાના આરોપ લાગ્યા છે. પકડાયેલા વિદ્યાર્થીઓમાં NSUI અધ્યક્ષ બી વેંકટ પણ સામેલ છે.

    કોંગ્રેસે કહ્યું- સોનિયા ગાંધી અને ગાંધી પરિવારના કારણે કેસીઆર સુખ ભોગવી રહ્યા છે

    બીજી તરફ, કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર શ્રવણે આ મામલે તેલંગાણા સરકાર અને ટીઆરએસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કેસીઆરે એ યાદ રાખવું જોઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કારણે જ તેલંગાણા રાજ્ય મળી શક્યું હતું અને હમણાં તેઓ સત્તાનું સુખ ભોગવી રહ્યા છે તો તેનું કારણ પણ ગાંધી પરિવાર છે. તેમણે કહ્યું કે, એ બધું ભૂલીને તેઓ રાહુલ ગાંધીને અનુમતિ આપવાનો ઇનકાર કઈ રીતે કરી શકે?

    કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ઉસ્માનિયા યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર અને અધિકારીઓ પર ટીઆરએસ સરકારના ગુલામ તરીકે કામ કરવાનો આરોપ લગાવીને કહ્યું કે, NSUI તરફથી આયોજિત કરવામાં આવેલ બેઠક બિનરાજકીય હતી અને રાહુલ ગાંધી માત્ર વિદ્યાર્થીઓને મળીને તેમની સમસ્યાઓ જાણવા માંગતા હતા.

    વિદેશમંત્રી એસ જયશંકરે પોતાના પુસ્તકમાં સમજાવ્યું મહાભારતનું મહત્વ : જાણો એક મહાકાવ્ય કઈ રીતે છે વિદેશનીતિનું કેન્દ્ર

    સુબ્રમણ્યમ જયશંકર જ્યારથી કેન્દ્રની મોદી સરકારમાં વિદેશમંત્રી બન્યા છે ત્યારથી તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બાદ તેમણે આ મંત્રાલયમાં કામ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. તેમના પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’માં તેઓ વિશ્વમાં ભારતનું શું યોગદાન હોવું જોઈએ અને દુનિયા ભારતને કઈ રીતે જુએ તે વિચાર પર વિસ્તારથી ચર્ચા કરે છે. પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’માં તેમણે ભારતની વાત કરતાં મહાભારત અને શ્રીકૃષ્ણની નીતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

    પુસ્તકમાં ‘કૃષ્ણની ઈચ્છા- એક ઉભરતી શક્તિની રણનીતિક સંસ્કૃતિ’ નામનું એક પ્રકરણ છે. આ પ્રકરણમાં લેખક એસ જયશંકર સમજાવે છે કે ભારતે પોતાની રણનીતિઓ અને લક્ષ્યો સમજવા માટે તેમજ વિશ્વએ ભારતને જાણવા-સમજવા માટે મહાભારતનું અધ્યયન કરવું કેમ જરૂરી છે. પ્રકરણની શરૂઆત જર્મન સાહિત્યકાર ગોથેના એક કથન-‘પોતાના ભૂતકાળનું સન્માન નહીં કરનારા રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય નથી હોતું’- થી થાય છે

    પોતાનાં પુસ્તક દ્વારા વિદેશમંત્રી એસ જયશંકર એ બાબત પર ભાર મૂકે છે કે અહીં પહેલેથી જ એક બહુધ્રુવીય દુનિયા છે. અહીં કંઇક એવું છે જે પશ્ચિમી શક્તિઓ સરળતાથી સ્વીકારી શકતી નથી. ભારતીય વિચાર પ્રક્રિયા, વિકલ્પો વગેરે આ બહુધ્રુવીય દુનિયામાં પ્રતિબિંબિત થતાં જોવા મળે છે. આ ઉપરાંત અનેક આધુનિક સંદર્ભોનું પણ વર્ણન મહાભારતમાં જોવા મળે છે.

    પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે, જે રીતે હોમરના ઇલિયડ કે મૈકિયાવેલીના ધ પ્રિન્સને અવગણીને પશ્ચિમી રણનીતિક પરંપરા પર ટિપ્પણી કરવી અશક્ય છે, કે જે રીતે ત્રણ સમકક્ષ રાજ્યોની અવગણના કરીને ચીનને સમજવાના પ્રયત્નો કરવા શક્ય નથી તેવી જ રીતે મહાભારતના અધ્યયન વગર ભારતને સમજી શકાય નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત સહિત આખી દુનિયા સામે આ સમયે અનેક પડકારો છે જેનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવી ચૂક્યો છે.

    અર્જુનના ચરિત્ર દ્વારા આજનું પરિદ્રશ્ય સમજાવાયું

    આ પુસ્તકમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન અર્જુનને થયેલ દુવિધાઓનો પણ ઉલ્લેખ છે. લેખક એસ જયશંકરે પોતાનાં પુસ્તકમાં સમજાવ્યું છે કે કઈ રીતે આંતરરાષ્ટ્રીય સબંધો અને મોટા નિર્ણયો લેતી વખતે અધિકારીઓમાં અર્જુન જેવો વ્યવહાર દેખાય છે. અનેક વખત એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે નિર્ણાયક કાર્યવાહી કરવી જરૂરી હોય છતાં કરવામાં આવતી નથી. જેનું કારણ ક્ષમતાની ઉણપ હોતું નથી પરંતુ અર્જુનની જેમ પરિણામોનો ભય હોય છે. તેઓ સમજાવે છે કે કઈ રીતે એક નરમ વલણ ધરાવનારું રાજ્ય જરૂરી નિર્ણયો લઇ શકતું નથી.

    તેઓ આતંકવાદ સામે લડવાની ભારતની ભૂમિકાને અર્જુનની સ્થિતિ સાથે જોડીને કહે છે કે આતંક વિરુદ્ધ ભારતનું વલણ હવે બદલાયું છે. અત્યાર સુધી આપણે જોખમ લેવામાં ડરતા હતા પરંતુ હવે જોખમ લેવા માટે અને પરિણામો ભોગવવા માટે તૈયાર હોય તેવા યોદ્ધાની જેમ કે અર્જુનની જેમ વલણ રાખવું પડશે. પોતાના પુસ્તકમાં તેઓ સમજાવે છે કે શક્તિઓમાં વધારો થવા પર તેની ચર્ચા થવી પણ જરૂરી છે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે.

    પાડોશી દેશો પ્રત્યે ભારતનું વલણ અને શ્રીકૃષ્ણ દ્વારા શિશુપાલનો વધ

    ‘ધ ઇન્ડિયા વે’માં વિદેશમંત્રી એસ જયશંકરે પાડોશી શક્તિઓ સામે કઈ રીતે લડવું તે સમજાવતાં શિશુપાલ વધનું ઉદાહરણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે કઈ રીતે શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કરવા પહેલાં તેના પાપના ઘડાને ભરાવા દીધો હતો. તેમણે અર્જુનના ઉદાહરણથી પણ સમજાવ્યું કે કઈ રીતે યોગ્ય રણનીતિ યુદ્ધ માટે જરૂરી હોય છે. જેમ મહાભારતમાં નારાયણી સેનાને ન પસંદ ન કરીને અર્જુને શ્રીકૃષ્ણનો સાથ માગ્યો હતો અને જીત મેળવી હતી તે જ રીતે સાચો નિર્ણય કોઈ પણ યુદ્ધનું પરિણામ બદલી શકે છે.

    વિદેશમંત્રી પોતાના પુસ્તક દ્વારા સમજાવે છે કે આજના સમયમાં જ્યારે તકનીક, શક્તિઓ, મોટા ઉપકરણો અને રોબોટ પગપેસારો કરી રહ્યા છે ત્યારે પોતાની ક્ષમતાઓની ઓળખ કરવાથી આખો ખેલ બદલાઈ શકે છે. એટલે કે હાથમાં પત્તા આવી પણ જાય તોપણ તેની સાથે કઈ રીતે રમવું એ જ નવું વિશ્વ બનાવવાનો મૂળ મંત્ર છે. મહાભારત અને શ્રીકૃષ્ણનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે દુર્યોધન હારી ગયો હતો કારણ કે તેને શ્રીકૃષ્ણની શક્તિઓ વિશે ખબર ન હતી અને તેને લાગ્યું હતું કે નારાયણી સેના જ તેને જીતાડવામાં મદદરૂપ થશે.

    પુસ્તકમાં એસ જયશંકર યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તેવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરે છે. પછી તે દુર્યોધન કે ભીષ્મ પિતામહને મારવાની યુક્તિ હોય કે પછી કર્ણનું મૃત્યુ. તેઓ સમજાવે છે કે નિયમોનું સન્માન દરેક જગ્યાએ થવું જ જોઈએ પરંતુ સામેપક્ષે જો સતત શક્તિઓનો ખોટો ઉપયોગ થતો હોય તો નિયમોમાં થોડો બદલાવ યોગ્ય છે. તેમણે પુસ્તકમાં એ પણ સમજાવ્યું કે સત્તા પરિવર્તન હંમેશા અભ્યાસનો વિષય રહ્યો છે. શ્રીકૃષ્ણે જરાસંઘને માર્ગમાંથી હટાવ્યો ત્યારે તે પાછળનો મકસદ એક પડકાર દૂર કરવાનો નહીં પરંતુ યુધિષ્ઠિરને રાજા બનવામાં રસ્તામાં આવતા કંટકને હટાવવાનો પણ હતો.

    તેઓ કહે છે કે જેઓ રાષ્ટ્રીય શક્તિને મજબૂત કરવાની હિમાયત કરે છે તેઓ પણ સાચા જ છે પરંતુ બીજાના પ્રભાવ અને શક્તિના ઉપયોગને પણ અવગણવા જોઈએ નહીં. તેમણે કૌરવો અને પાંડવોનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે ભલે પાંડવો આજીવન કૌરવોની સરખામણીએ પીડિત રહ્યા હોય પરંતુ તેમની પાસે પોતાની વીરતા અને મહાનતા થકી ઈતિહાસ બનાવવા અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતા હતી, જેણે તેમને કૌરવો કરતાં મહાન બનાવ્યા હતા.

    વિદેશમંત્રી મહાભારત અંગે કહે છે કે તેમાં લખવામાં આવેલી વાતો સત્તામાં કઈ રીતે સામંજસ્ય બેસાડવામાં આવે તે બાબતે સબંધ ધરાવે છે. આજના સમયમાં આવા સામંજસ્ય ખતમ થઇ રહ્યા છે. તેઓ જણાવે છે કે, આગળ વધતા આપણે આપણી ક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવા પડશે તેમજ  રાષ્ટ્રહિતની કિંમત સમજતા નેતૃત્વએ કઠિન નિર્ણયો લેવા જ પડશે. પુસ્તક થકી તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણની જેમ આપણે દરેક ખેલમાં જીત માટે રણનીતિ ઘડવા માટે, સમાધાનો શોધતા લક્ષ્ય તરફ આગળ વધવું પડશે.

    ભારતે પોતાની ક્ષમતાઓ પર ધ્યાન આપવું પડશે

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિલ્હીમાં રાયસીના ડાયલોગમાં વિદેશમંત્રી એસ જયશંકરે દેશની 25 વર્ષોની વિદેશ નીતિની રૂપરેખા કહી હતી. તેમણે કહ્યું હતું કે દેશ પોતાની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખે અને દુનિયાની ચિંતા કર્યા વગર દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવે. તેમણે કહ્યું હતું કે એક સમય હતો જ્યારે વિશ્વપટલ પર આપણે માત્ર લોકતંત્ર હતા. આપણે આપણી ક્ષમતાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ અને આગામી વર્ષોમાં દુનિયાનો માહોલ જોઇને દરકે ક્ષેત્રમાં લાભ ઉઠાવવા જોઈએ.  

    (ગુજરાતીમાં અનુવાદ થયેલો આ લેખ મૂળરૂપે અંગ્રેજીમાં સંઘમિત્રાએ વિસ્તારથી લખ્યો છે. જેને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    ઈતિહાસમાં આજનો દિવસ : 2011માં જ્યારે એક પાકિસ્તાની ટ્વિટર યુઝરે ઓસામા બિન લાદેનને મારવા માટે થયેલ દરોડાને અજાણતાં લાઇવ-ટ્વીટ કર્યું.

    2 મે, 2011 ના રોજ, આતંકવાદી સંગઠન અલ કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેન કે જેને પાકિસ્તાનના એબોટાબાદમાં યુનાઇટેડ સ્ટેટ્સ સૈન્યના સ્પેશિયલ ઓપરેશન યુનિટ દ્વારા સવારે 1 AM (સ્થાનિક સમય) વાગ્યે મારી નાખવામાં આવ્યો હતો. ઓપરેશન ગુપ્ત હોવાનું માનવામાં આવતું હતું. જો કે, પાકિસ્તાનના સોહૈબ અથર (@ReallyVirtual) તરીકે ઓળખાતા ટ્વિટર વપરાશકર્તાએ શહેરની ઉપર હેલિકોપ્ટર ફરતા હોવા અંગે લાઇવ-ટ્વીટ કર્યું. તેણે ‘અજાણ્યે’ કરેલી ટ્વીટ્સથી તેને તાત્કાલિક ખ્યાતિ મળી ગઈ હતી. શું થયું તે દિવસે એ અહી જાણો.

    1:28 AM પર, અથરે પોસ્ટ કર્યું, “હેલિકોપ્ટર એબોટાબાદની ઉપર અત્યારે રાત્રે એક વાગ્યે પર ફરે છે (એક દુર્લભ ઘટના છે).” તે દિવસે આ તેમનું પહેલું ટ્વિટ હતું જેમાં ઓપરેશનનો ખુલાસો થયો હતો.

    પાંચ વર્ષ પછી, CIA એ ટ્વીટ્સની શ્રેણી પ્રકાશિત કરી હતી જ્યાં તેઓએ વિગતવાર જણાવ્યું હતું કે ઓસામા બિન લાદેન વાળું ઓપરેશન કેવી રીતે થયું જાણે તેઓ ઘટનાઓની શ્રેણીને જીવંત-ટ્વીટ કરી રહ્યા હોય. CIA અનુસાર, રાત્રે 10:25 વાગ્યે (PKT પાકિસ્તાન સ્ટાન્ડર્ડ ટાઈમ) , ઓપરેશનને યુએસ અધિકારીઓએ મંજૂરી આપી હતી. હેલિકોપ્ટરે અફઘાનિસ્તાનથી રાત્રે 10:51 (PKT) વાગ્યે ઉડાન ભરી હતી.

    12:30 PKT પર, હેલિકોપ્ટર એબોટાબાદ પહોંચ્યા, અને તે સમયે, અથર સહિતના સ્થાનિક લોકોએ તેમના શહેરમાં કંઈક થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું.

    અવાજથી કંટાળીનેથઈને અથરે લખ્યું હતું, “હેલિકોપ્ટર અહીથી દૂર જાઓ – હું મારું વિશાળ સ્વેટર બહાર કાઢું તે પહેલાં.”

    જ્યારે અથર ટ્વિટર પર મજા માણી રહ્યો હતો, ત્યારે સ્પેશિયલ ઓપરેશન યુનિટ પહેલેથી જ કમ્પાઉન્ડમાં ઉતરી ગયું હતું જ્યાં ઓસામા બિન લાદેન છુપાયો હતો. નવ મિનિટમાં, કમ્પાઉન્ડ પર દરોડો પાડવામાં આવ્યો, અને ઓસામાને શોધીને મારી નાખવામાં આવ્યો.

    તે દરમિયાન, હેલિકોપ્ટર શહેરની ઉપર ફરતું રહ્યું.

    અથર અને CIA દ્વારા કરવામાં આવેલી ટ્વીટ્સ વચ્ચે થોડો ટાઇમસ્ટેમ્પ તફાવત છે, પરંતુ તે સમજી શકાય તેવું છે. અથરે ઉલ્લેખ કર્યો કે તેણે ‘બારી ધ્રુજાવનાર ધડાકો’ સાંભળ્યો હતો અને તેને ડર હતો કે શું તે ‘કંઈક ગંભીર થવાની’ શરૂઆત હોઈ શકે છે. તેને બહુ ઓછી ખબર હતી કે સીઆઈએએ ઓસામાને તેના સ્થાનથી થોડાક કિમી દૂર મારી નાખ્યો હતો.

    બાદમાં તેણે કહ્યું, “જ્યારે તાલિબાન પાસે હેલિકોપ્ટર નથી (કદાચ) , અને કારણ કે તેઓ કહે છે કે તે “આપણું” નથી, માટે આ એક જટિલ પરિસ્થિતિ હોવી જોઈએ #abbottabad.”

    એક ટ્વિટમાં, તેણે ઉલ્લેખ કર્યો હતો કે એક હેલિકોપ્ટરને કથિત રીતે તોડી પાડવામાં આવ્યું હતું. તેમનું નિવેદન સીઆઈએના ટ્વીટ સાથે મેળ ખાય છે જ્યાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, પરંતુ ઓપરેશન ચાલુ રહ્યું.

    સવારે અથરને ખબર પડી કે રાત્રે શું થયું હતું. તેણે ટ્વીટમાં કહ્યું, “ઓહ, હવે હું તે વ્યક્તિ છું જેણે ઓસામાના દરોડાને જાણ્યા વિના લાઇવબ્લોગ કર્યો હતો.”

    તે સામાની દિવસે ટ્વિટર સાથેના તેમના નાનકડા સાહસે તેને લાઈમલાઇટમાં લાવ્યા અને ઈમેઈલ, ફોન કોલ્સ અને ઈન્ટરવ્યુની વિનંતીઓનો બોમ્બમારો કરવામાં આવ્યો તેના પર. એક ટ્વિટમાં તેણે કહ્યું, “બિન લાદેન મરી ગયો છે. મેં તેને માર્યો નથી. મહેરબાની કરીને મને હવે સૂવા દો.”

    અથરે ઉલ્લેખ કર્યો કે તે ઘટનાઓથી અજાણ હતો અને અજાણતાં જ તેના વિશે લાઇવ-ટ્વીટ કર્યું હતું, પરંતુ જો તે જાણતો હતો કે શું થઈ રહ્યું છે, તો તેણે તે ‘વિવેકપૂર્વક’ કર્યું હોત. તેણે કહ્યું, “હું ‘અજાણતા/અજાણતા’ ઓપરેશનની જાણ કરવા બદલ માફી માંગુ છું – જો મને તેના વિશે ખબર હોત, તો મેં તેના વિશે ‘વિવેકપૂર્વક’ ટ્વિટ કર્યું હોત, હું શપથ લેઉં છું.”

    CIAએ જણાવ્યું કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેને સશસ્ત્ર દળોએ નષ્ટ કરી દીધું હતું. સવારે 4 વાગ્યા સુધીમાં, તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઓસામા બિન લાદેનના મૃતદેહની સકારાત્મક ઓળખ વિશે જાણ કરવામાં આવી હતી અને તેના અવશેષો દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા.

    માથા પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ અને હાથમાં રામ: જાણીએ WWEમાં ધૂમ મચાવી રહેલા કુસ્તીબાજ વીર મહાન વિષે!

    ધ ગ્રેટ ખલી કદાચ એવા પહેલા ભારતીય કુસ્તીબાજ છે જેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર આટલું મોટું માન-સન્માન મળ્યું હોય. ધ ગ્રેટ ખલીની નિવૃત્તિ બાદ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ભારતીય કુસ્તીબાજનું નામ ચમક્યું નથી. પરંતુ ફરીથી એક ભારતીય રેસલર WWEમાં આજકાલ ધૂમ મચાવી રહ્યો છે જેનું નામ છે વીર મહાન!

    WWEની રિંગમાં વીર મહાન પોતાના વાળ ખુલ્લા રાખે છે અને માથા પર તિલક હોય છે અને ત્યાં સુધી પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે જ્યાં સુધી તે પોતાના વિરોધીને ઉપાડીને રિંગની બહાર ફેંકી ન દે. હમણાંજ વીર મહાન સેમ સ્મોધર્સની સામે મુકાબલો કરી રહ્યો હતો અને તેણે તેને ટકવા દીધો ન હતો. પહેલાં તો તેને સેમને ચિત કરી દીધો અને પછી રિંગની બહાર લઇ જઈને પણ એને ખૂબ માર્યો હતો અને આખી ફાઈટ પોતાના નામે કરી દીધી હતી.

    વીર મહાન અને તેની સ્ટાઈલ કે પછી તેનો લૂક ફક્ત WWEની રિંગમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગયો છે. WWEના ફેન્સ એ જાણવા માટે આતુર છે કે આ એવો કેવો ભારતીય રેસલર છે જેનાથી ભલભલા વિદેશી રેસલર્સ પણ ડરી જાય છે. મજાની વાત એ છે કે વીર મહાનનો લૂકથી પ્રભાવિત થઈને હવે તેના ફેન્સ પણ આ લૂક ફોલો કરવા માંડ્યા છે.

    કોણ છે વીર મહાન?

    વીર મહાન વિષે મળતી માહિતી અનુસાર તેઓ ઉત્તર પ્રદેશના ગોપીગંજના નિવાસી છે. તેમનું સાચું નામ રીંકુ સિંગ રાજપૂત છે અને તેમનો જન્મ 8 મે 1988ના દિવસે એક ટ્રક ચાલકના ઘરે થયો હતો. વીર મહાનના બીજા 8 ભાઈ-બહેન છે. રીંકુને બાળપણમાં જ પહેલવાનીનો શોખ હતો પરંતુ સ્કુલના દિવસોમાં તેણે ભાલાફેંકમાં મહારથ હાંસલ કરી દીધી હતી અને તેમને જુનિયર નેશનલ્સમાં ભાલાફેંકમાં જ પદક મળ્યો છે.

    ત્યારબાદ રીંકુએ ગુરુ ગોવિંદ સિંહ સ્પોર્ટ્સ કોલેજમાં એડ્મિશન લીધું. અહીં તેમણે 2008માં ધ મિલિયન ડોલર આર્મ નામના એક ભારતીય રિયાલીટી શોમાં ભાગ લીધો જેમાં બેઝબોલ રમતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. રીંકુએ આ અગાઉ બેઝબોલને હાથ પણ નહોતો લગાવ્યો પરંતુ અહીં તેમણે ભાલાફેંકનો પોતાનો અનુભવ કામે લગાડ્યો અને અહીં પણ તેઓ ચેમ્પિયન બન્યા. તેમના આ ટેલેન્ટ પર એક ફિલ્મ બની હતી. આ શો માં તેમણે 140 કિમી પ્રતિ કલાકની સ્પિડથી બેઝબોલ ફેંક્યો હતો.

    આ શો માં મળેલી સફળતા બા રીંકુ પ્રોફેશનલ બેઝબોલ રમવા લાગ્યા અને અમેરિકામાં તેમણે પીટરબર્ગ પાયરેટ્સ ટીમ માટે રમવાનું શરુ કર્યું. ધીમેધીમે તેમની બેઝબોલ ફેંકવાની ગતિ વધતી જ રહી. 2009થી 2016 સુધી રીંકુએ દુનિયાભરમાં ઘણીબધી બેઝબોલ લીગમાં ભાગ લીધો અને એ જ વર્ષે તેમણે WWE સાથે જોડાઈને પોતાની રેસલિંગ કેરિયરનો પાયો નાખ્યો. તેમની સાથે સૌરવ ગુર્જર નામનો એક વધુ ભારતીય રેસલર જોડાયો અને તેમણે ‘ધ ઇન્ડસ શેર’ નામની ટીમ બનાવીને WWE NXTમાં ભાગ લીધો. ત્યારબાદ જીન્દર મહાલ નામક રેસલર પણ તેમની સાથે જોડાયો અને ત્યારે રીન્કુએ પોતાનું નામ બદલીને વીર મહાન રાખ્યું. 2021 સુધી આ ટીમે 12 મુકાબલા જીતીને તમામને ચોંકાવી દીધા હતા અને એ પછી વીર મહાને આ ટીમને અલવિદા કહી દીધી અને સ્વતંત્રરૂપે પોતાની કુસ્તી ચાલુ રાખી.

    WWEમાં આજે તેમના નામની અને તેમની કુસ્તીની જબરી ચર્ચા ચલી રહી છે. તેમનું ભારેખમ શરીર અને મજબુત બાંધો લોકોમાં આકર્ષણ ઉત્પન્ન કરી રહ્યું છે. તેમની ઉંચાઈ સામાન્ય રેસલર્સથી વધુ એટલેકે 6 ફૂટ 4 ઇંચ છે અને તેમનું વજન 125 કિલો છે.રિંગમાં ઉતરતી વખતે વીર મહાન પોતાના કપાળ પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ પહેરે છે અને તેમના ખભા નીચે રામ લખેલું દેખાય છે. ક્યારેક તેઓ ભગવા તો ક્યારેક કાળા કપડાંમાં રીંગમાં ઉતરે છે.

    ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ફરીથી આક્રમણ, કચ્છના પશુપાલકને ધર્મ બદલવા અપાઈ લાલચ, વિદેશી ફંડિંગની આશંકા

    ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું આક્રમણ ફરીથી થયું છે. પોતાના ધર્મ તરફ આકર્ષવા ગરીબ લોકોને લાલચ આપવામાં આવે છે અને લાલચ દ્વારા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાય છે. હાલમાં જ આવી લાલચ આપીને ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર કચ્છના મુઠિયારના એક પશુપાલકને મળ્યો છે. 

    ગુજરાતમાં ઠેર ઠેર આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે સીમાવર્તી જિલ્લો કચ્છ પણ ધર્મપરિવર્તનના ચુંગાલમાંથી બાકાત નથી રહ્યું.

    તારીખ 29 એપ્રિલના રોજ મુઠિયારના એક પશુપાલક કરસનજી દેશરજી બારાચને એક પત્ર મળ્યો હતો. જેમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરી પ્રલોભન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે કરસનજી દ્વારા પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તારીખ 29 એપ્રિલના રોજ મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાંખવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ મામલે પશુપાલકે નલિયા પોલીસને લેખિતમાં જાણ કરી હતી. તેમજ આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

    ગુજરાતના ખૂણેખૂણામાંથી ધર્મ પરિવર્તનના એક પછી એક કેટલાય કિસ્સા બહાર આવ્યા છે. જેમાં ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. જેનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પણ કર્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક સમાજ આ મામલે હવે જાગૃત થઈને નિયમો બનાવી રહ્યાં છે. આ ઉપરાંત લવ જેહાદની પ્રવૃત્તિઓ અટકાવવા વિરોધના સૂર ઉઠ્યા છે.  

    આ પહેલા આવો જ એક કિસ્સો ગત વર્ષે નવેમ્બરમાં ભરૂચમાં બહાર આવ્યો હતો. ભારત દેશમાં ગેરકાયદે રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાયદે રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામેથી થયો હતો. જ્યાં કટ્ટરવાદી મુસ્લિમોએ સિન્ડિકેટ બનાવી ૩૭ આદિવાસી પરિવારના ૧૦૦ થી વધુ લોકોને મુસ્લિમ બનાવી દીધા હતા. ભરૂચ જિલ્લા પોલીસે આ અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધી મૌલવી સહિત ૯ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લંડન રહેવાસી અને મૂળ ભરૂચના નબીપુરના ફેફડાવાલા હાજી અબ્દુલ્લાએ ધર્મપરિવર્તન માટે વિદેશથી નાણાં મોકલ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

    ભરૂચના ધર્મ પરિવર્તનના આ સિંડિકેટની તપાસમાં હમણાં ગત અઠવાડિયે જ અન્ય 4 આરોપીઓની ધરપકડ કરાઇ છે. આ સિન્ડિકેટ ભોળા ગરીબ હિન્દુ આદિવાસીઓને લોભ લાલચ આપીને એમનો ધર્મ પરિવર્તન કરાવી દેતા. હમણાં સુધી આ સિન્ડિકેટ દ્વારા 150થી વધુ આદિવાસીઓને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું. અને ધરપકડ કરાયેલ તમામ વ્યક્તિઓ મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે.

    દક્ષિણ ગુજરાતનાં આદિવાસી બેલ્ટમાં ન માત્ર આવા મુસ્લિમ સિન્ડિકેટ પરંતુ ક્રિશ્ચિયન મિશનરીઓ પણ પૂર જોશમાં ધર્મ પરિવર્તનનું કામ કરી રહી છે. જેન અનેક કિસ્સા હમણાં જ સામે આવ્યા છે. તાપીમાં પણ આવો જ એક કિસ્સો હમણાં સામે આવ્યો હતો. પરંતુ છેવટે ધર્મ પરિવર્તનબાદ પણ આ લોકોનું જીવન ધોરણ બદલાતું નથી, ધર્મ પરિવર્તન કરીને આવેલ લોકો સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવે છે અને તેઓ ના ઘરના ના ઘાટના રહે છે.