Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉન્નાવમાં મોહમ્મદ નૂર અને ચાંદ આલમ સંચાલિત હોસ્પીટલમાં નોકરીના પહેલા જ દિવસે...

    ઉન્નાવમાં મોહમ્મદ નૂર અને ચાંદ આલમ સંચાલિત હોસ્પીટલમાં નોકરીના પહેલા જ દિવસે 18 વર્ષની નર્સ પર સામુહિક બળાત્કાર કરી ગળેફાંસો અપાયાનો આરોપ

    ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં નવી હોસ્પિટલની નવી નોકરીના થોડા જ દિવસોમાં એક નર્સ પર બળાત્કાર થયો અને તેની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમાઉથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ નવી ખુલેલી પ્રાઈવેટ હોસ્પિટલના નર્સિંગ હોમમાં નર્સની નોકરી કરવા આવેલી યુવતીનો નોકરીના પહેલા જ દિવસે મૃતદેહ નર્સિંગ હોમની છત પર દુપટ્ટાની મદદથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના પરિવારે પોલીસ સ્ટેશન ખાતે હોસ્પીટલમાં સામુહિક બળાત્કાર અને હત્યા બદલ સંચાલકો મોહમ્મદ નૂર અને ચાંદ આલમ સમેત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસે જણાવ્યું કે હોસ્પિટલ થોડા દિવસો પહેલા જ (25 એપ્રિલ) ખોલવામાં આવી હતી, જ્યાં મહિલાને નર્સ તરીકે નોકરી મળી હતી. તેઓએ કહ્યું કે યુવતીએ નજીકમાં ભાડે રૂમ લીધો હતો. આ ઘટના શનિવારે દુલ્લાપુરવા ગામની નવી જીવન હોસ્પિટલમાં નોંધાઈ હતી. મૃતકની ઓળખ ટીકાના ગામની રહેવાસી 19 વર્ષીય યુવતી તરીકે થઈ છે. તે શુક્રવારે સહાયક તરીકે કામ કરવા માટે હોસ્પિટલમાં પહોંચી હતી.

    તેના પરિવારજનોના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન હોસ્પિટલમાં કોઈ દર્દી ન હોવાથી નર્સ તેના રૂમમાં પાછી આવી ગઈ હતી. તેઓએ કહ્યું: “રાત્રે લગભગ 10 વાગ્યે, તેને (નર્સ) કથિત રીતે હોસ્પિટલના માલિકનો ફોન આવ્યો, જેણે તેને નાઇટ શિફ્ટ કરવા કહ્યું.”

    - Advertisement -

    એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસપી) શશિ શેખર સિંહે કહ્યું કે જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના ચહેરા પર માસ્ક હતો અને તે તેના હાથમાં કપડાનો ટુકડો પકડેલો હતો. “અમે એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેના ચહેરા પર કોણે માસ્ક લગાવ્યો છે અને કાપડના ટુકડા વિશે પણ વિગતો આપી છે. હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને અમે ઓટોપ્સી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ,” તેમણે કહ્યું.

    નર્સની માતાએ કહ્યું કે તેને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. માતાએ વધુમાં કહ્યું કે જ્યારે તે સ્થળ પર પહોંચી તો સ્પષ્ટ થયું કે તેની પુત્રીની હોસ્પીટલમાં સામુહિક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. “મેં એફઆઈઆરમાં હોસ્પિટલના માલિક નૂર આલમ, ચાંદ આલમ અને એક વ્યક્તિ સહિત ત્રણ સ્ટાફ સભ્યોના નામ આપ્યા છે,” માતાએ કહ્યું.

    ઉન્નાવના ડીએમ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે મૃતક યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. તેને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 5 લાખ રૂપિયાની મદદ કરી છે. આ સાથે પીડિત પરિવારને નિષ્પક્ષ મદદની ખાતરી આપવામાં આવી છે.

    પોલીસ આત્મહત્યાના એંગલથી પણ કરી રહી છે તપાસ

    કાલ મોડી રાતે આટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો કે યુવતીનું મૃત્યુ ગળે ફાંસો ખાવાથી જ થયું હતું. આથી પોલસે પોતાની તપાસનો દાયરો વધાર્યો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હોય એમ જણાય છે. એસપી અને એએસપીએ મૃતકના પ્રેમીની ધરપકડ કરીને તેની પૂછપરછ પણ કરી હતી અને નર્સિંગ હોમનું પણ નિરીક્ષણ કર્યું હતું. એવું જણાવવામાં આવ્યું હતું કે મૃતકના મોબાઈલની કોલ ડિટેઈલથી જાણવા મળ્યું હતું કે યુવતીને મુસ્તફાબાદ, બાંગરમાળના રહેવાસી સંદીપ રાજપૂત સાથે પ્રેમ સંબંધ હતો. સંદીપને પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ કરવામાં આવી હતી.

    સંદીપે જણાવ્યું કે તે એમ્બ્યુલન્સ ચલાવે છે. તેનું દોઢ વર્ષથી નર્સ સાથે અફેર હતું. 28 એપ્રિલે તેણે યુવતીને દુલ્લાપુરવા સ્થિત ન્યુ જીવન નર્સિંગ હોમમાં નર્સ તરીકે નોકરી પર રખાવી હતી. યુવતી અન્ય સંપ્રદાયની હતી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. ઘટનાની રાત્રે યુવતીએ સંદીપને અનેકવાર ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન રિસીવ કર્યો ન હતો. આથી યુવતીને દુખ થયું હતું. એવું માનવામાં આવે છે કે તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ આત્મહત્યા કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં