હોમપેજરાજકારણશું સરકારે કહ્યું કે પીએમ સંગ્રહાલયમાંથી નેહરુ સંબંધિત દસ્તાવેજો 'ગાયબ' થયા નથી?...

શું સરકારે કહ્યું કે પીએમ સંગ્રહાલયમાંથી નેહરુ સંબંધિત દસ્તાવેજો ‘ગાયબ’ થયા નથી? સોનિયા ગાંધીનો બચાવ કરવા ગઈ કોંગ્રેસ, અંતે પોતાની જ પોલ ખોલી!

પછીથી કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે એક્સ પર પોસ્ટ થ્રેડમાં જણાવ્યું કે વાસ્તવમાં આ દસ્તાવેજો ‘ગાયબ’ થયા એટલા માટે ન કહી શકાય કારણ કે તે ક્યાં છે એની સરકારને અને સંગ્રહાલયને જાણ છે. આ દસ્તાવેજો છે સોનિયા ગાંધી પાસે અને તેને પરત મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી, પણ ગાંધી પરિવારે મગનું નામ મરી પાડ્યું નથી.

- Advertisement -

તાજેતરમાં લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા એક જવાબના આધારે કોંગ્રેસે હોબાળો મચાવવાનો પ્રયાસ કર્યો પણ મંત્રાલયની સ્પષ્ટતાથી ફરી એક વખત પોલ ખુલી ગઈ છે. મામલો પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) સાથે સંબંધિત છે, જેના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત અમુક દસ્તાવજો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે હોવાના આરોપ લાગતા રહ્યા છે અને પરત મેળવવા માટે અનેક વખત પત્રો પણ લખવામાં આવી ચૂક્યા છે.

બન્યું એવું કે સંસદના ચાલુ સત્ર દરમિયાન ભાજપ સાંસદ સંબિત પાત્રાએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં 15 ડિસેમ્બરે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું  હતું કે વર્ષ 2025ના પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન સંગ્રહાલયમાંથી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત કોઈ દસ્તાવેજ ‘ગાયબ’ હોવાનું જાણવા મળ્યું નથી.

અન્ય બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે શું આ દસ્તાવેજોને પ્રધાનમંત્રી સંગ્રહાલયમાંથી અયોગ્ય કે ગેરકાયદેસર રીતે હટાવવામાં આવ્યા છે કે કેમ અને જો હા તો તેના માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે કે કેમ અને હા તો તેની વિગતો શું છે અને નિયમો અનુસાર તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે?

- Advertisement -

જોકે મંત્રાલયે ઉપરનો જવાબ જણાવીને કહ્યું કે દસ્તાવેજો ગાયબ ન થયા હોવાના કારણે આ બંને પ્રશ્નો જ ઉઠતા નથી.

આ જવાબને કોંગ્રેસે મુદ્દો બનાવી લીધો. કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ એવા આરોપો લાગતા રહ્યા છે કે તેમણે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત અમુક દસ્તાવેજો, જેમાં તેમના અમુક પત્રો પણ સામેલ છે, કબજે કરી રાખ્યા છે. વાસ્તવમાં આ દસ્તાવેજો ગાંધી પરિવારની નહીં પણ પ્રધાનમંત્રી સંગ્રહાલયની સંપત્તિ છે, જેથી તેમને પરત કરી દેવામાં આવવા જોઈએ.

આ પહેલાં સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને સંગ્રહાલય ટ્રસ્ટના સભ્યો તરફથી ઘણા પત્રો લખવામાં આવી ચૂક્યા છે, પરંતુ આજદિન સુધી આ દિશામાં વધુ કોઈ પ્રગતિ થતી નથી કે ન ગાંધી પરિવારે કે સોનિયા ગાંધીએ જાહેરમાં આ બાબતની કોઈ સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસ પાર્ટી પણ અત્યાર સુધી મૌન હતી, પણ લોકસભામાં સરકારના જવાબને આગળ ધરીને એવું ફેલાવવાનું ચાલુ કર્યું કે સરકાર અત્યાર સુધી ખોટું બોલતી હતી.

કોંગ્રેસે એક પોસ્ટ કરીને કહ્યું કે ભાજપે ખોટો પ્રોપગેન્ડા ફેલાવ્યો હતો કે સોનિયા ગાંધીએ પીએમ સંગ્રહાલય અને પુસ્તકાલયમાંથી ભાતના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુ સંબંધિત અમુક દસ્તાવજો લઈ લીધા હતા. પણ હવે સરકારના મંત્રાલયે કહ્યું છે કે આ ખોટું છે અને PMMLમાંથી નેહરુ સંબંધિત દસ્તાવેજો ગાયબ થયા નથી. સાથે મીડિયાને પણ પ્રશ્નો કરવામાં આવ્યા કે ભાજપના આ કથિત ગુનાહિત ષડ્યંત્રનો પર્દાફાશ કોણ કરશે?

ગાંધી પરિવારના વફાદાર રાજ્યસભા સાંસદ જયરામ રમેશે 16 ડિસેમ્બરે સવારે એક પોસ્ટ કરીને લખ્યું કે, “કાલે આખરે લોકસભામાં વાસ્તવિકતા સામે આવી જ ગઈ. શું હવે માફી માંગવામાં આવશે?” તેમણે સાથે સરકારનો લોકસભામાં આપવામાં આવેલો જવાબ રજૂ કર્યો હતો.

આમાં વાસ્તવિકતા શું છે?

પછીથી કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે એક્સ પર પોસ્ટ થ્રેડમાં જણાવ્યું કે વાસ્તવમાં આ દસ્તાવેજો ‘ગાયબ’ થયા એટલા માટે ન કહી શકાય કારણ કે તે ક્યાં છે એની સરકારને અને સંગ્રહાલયને જાણ છે. આ દસ્તાવેજો છે સોનિયા ગાંધી પાસે અને તેને પરત મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી, પણ ગાંધી પરિવારે મગનું નામ મરી પાડ્યું નથી.

મંત્રાલયે ‘ઓન જેએન પેપર્સ’ (જવાહરલાલ નેહરુ પેપર્સ) શીર્ષકથી પોસ્ટમાં જણાવ્યું છે કે 29 એપ્રિલ 2008ના એક પત્રમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ એમ. વી રાજને સંગ્રહાલયને જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત અંગત પત્રો અને અમુક દસ્તાવજો પરત લેવા માંગે છે. ત્યારબાદ 2008માં સોનિયા ગાંધીને 51 કાર્ટન ભરીને નેહરુ સંબંધિત દસ્તાવેજો મોકલી દેવામાં આવ્યા હતા.

આગળ જણાવ્યું કે, આ દસ્તાવેજો પરત મેળવવા માટે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય સોનિયા ગાંધીના કાર્યાલય સાથે સતત સંપર્કમાં છે અને તેના માટે 28 જાન્યુઆરી 2025 અને 3 જુલાઈ 2025ના રોજ પત્રો મોકલવામાં આવી ચૂક્યા છે.

સરકાર અહીં જણાવે છે કે, “એટલે નેહરુ સંબંધિત દસ્તાવેજો પ્રધાનમંત્રી સંગ્રહાલયમાંથી ‘મિસિંગ’ કે ગાયબ નથી, કારણ કે તે ક્યાં છે એ અમને ખબર છે.”

મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે આ દસ્તાવેજો ભારતના પ્રથમ વડા પ્રધાન સંબંધિત છે અને તે કોઈ પરિવારની અંગત સંપત્તિ ન હોય શકે. એ દેશનો દસ્તાવેજી વારસો છે અને તેની માલિકી પ્રધાનમંત્રી સંગ્રહાલયની છે, જેથી નાગરિકો અને સ્કૉલરો તેની ઉપર સંશોધનો કરવા માગતા હોય તો સરળતાથી ઉપલબ્ધ થઈ રહે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં