Friday, September 20, 2024
More
    હોમપેજદેશ'મુહમ્મદ' પર કથિત ટિપ્પણીને લઈને ‘મુસ્લિમ ટોળા'એ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો:...

    ‘મુહમ્મદ’ પર કથિત ટિપ્પણીને લઈને ‘મુસ્લિમ ટોળા’એ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો: પથ્થરમારામાં 3 પોલીસકર્મી ઘાયલ, આરોપી શહજાદના ઘર પર ફર્યું બુલડોઝર

    મહોમ્મદ શહજાદ હજી અલીને મુખ્ય આરોપી ગણી તેના મહેલ જેવા મકાન પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોટાભાગના આરોપી શહેર છોડીને ભાગી ચૂક્યા છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ છે.

    - Advertisement -

    બુધવાર 21 ઓગસ્ટે મધ્યપ્રદેશના છતરપુરમાં (Chhatarpur) કોટવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા મુસ્લિમ ટોળાએ (Muslim Mob) ભારે તોફાન મચાવ્યું હતું. પોલીસ સ્ટેશનને ઘેરીને પથ્થરમારો કર્યો હતો, આ દરમિયાન પોલીસકર્મીઓ (Attack on Police) ઘાયલ થયા હતા. આ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી જે અંતર્ગત 45 લોકો સામે નામજોગ કેસ નોંધવામાં આવ્યો છે. જે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે તેમના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.

    સમગ્ર ઘટના રામગીરી મહારાજના કથિત નિવેદનથી શરૂ થઈ હતી. ટોળાં અનુસાર રામગીરી મહારાજે કથિત રીતે પયગંબર મુહમ્મદ અને ઈસ્લામ પર નિવેદન આપ્યું હતું. આ અંગે મુસ્લિમ ટોળાએ વિરોધ કર્યો હતો. મુસ્લિમો ટોળું બનાવીને કોટવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રામગીરી મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી રહ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે 21 ઓગસ્ટની સાંજે રામગીરી મહારાજ પર કેસ નોંધવાની માંગ લઈને 300-400 મુસ્લિમોનું ટોળું કોટવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. જેમાંથી કેટલાકના હાથમાં હથિયાર હતા. ડીઆઈજી લલિત શાક્યાવર અનુસાર ધાર્મિક નેતાઓ સૈયદ હાજી અલી અને સૈયદ જાવેદ અલીના નેતૃત્વમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન જ મુસ્લિમ ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

    - Advertisement -

    પથ્થરમારામાં 2 પોલીસકર્મીઓ થયા ઘાયલ

    ABP ન્યૂઝના અહેવાલ અનુસાર પથ્થરમારામાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અરવિંદ કુંજર, કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર કુમાર અને ASPના ગનમેન રાજેન્દ્ર ચઢાર ઘાયલ થયા હતા. જેમાંથી અરવિંદ કુંજરની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. આ બાદ પોલીસે ટોળાંને શાંત પાડવા ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. ઘટનાના વાયરલ વિડીયો અનુસાર આ ટોળું પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યું હતું.

    સરકારે શરૂ કરી કાર્યવાહી

    આ મામલે મુખ્યમંત્રી મોહન યાદવે DGP સાથે વાતચીત કરીને કાર્યવાહી શરૂ કરવા કહ્યું હતું. આ મામલે તેમણે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે “મધ્યપ્રદેશ ‘શાંતિનો પ્રદેશ’ છે. કોઈ પણ આયોજનબદ્ધ રીતે કાયદાને તોડશે તે સહેજ પણ સહન કરવામાં આવશે નહીં. મે પોલીસના ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આરોપીઓની ઓળખ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન થાય નહીં. પ્રદેશમાં શાંતિ અને સોહાર્દ બની રહે એ જ અમારી પ્રાથમિકતા છે.”

    મુખ્ય આરોપી શહજાદ હાજી અલીના ઘર પર બુલડોઝર કાર્યવાહી (ફોટો: ANI)

    આ બાદ પોલીસે CCTV કેમેરાની ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ મામલે 45 લોકોની ઓળખ કરી નામજોગ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી હતી. જ્યારે 200 અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. મહોમ્મદ શહજાદ હજી અલીને મુખ્ય આરોપી ગણી તેના મહેલ જેવા મકાન પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોટાભાગના આરોપી શહેર છોડીને ભાગી ચૂક્યા છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ છે. આ અગાઉ પણ જૂન માહિનામાં મુસ્લિમ ટોળાએ જોધપુરમાં પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. જે દરમિયાન પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં