Monday, May 6, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'તમે જે જમીન પર રેખા ખેંચી નાખશો, તે મંદિર માટે આપી દઇશ':...

    ‘તમે જે જમીન પર રેખા ખેંચી નાખશો, તે મંદિર માટે આપી દઇશ’: ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં PM મોદીએ યાદ કરી UAEના રાષ્ટ્રપતિની ઓફર, કહ્યું- 140 કરોડ ભારતીયોનો સંદેશ લઈને આવ્યો છું

    "હવે અબુધાબીમાં આ ભવ્ય અને દિવ્ય મંદિરના લોકાર્પણનો સમય આવી ગયો છે. આજે 21મી સદીના આ ત્રીજા દાયકામાં ભારત અને UAE વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે."- PM મોદી

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE (સંયુક્ત આરબ અમીરાત)ના પ્રવાસે છે. ત્યાં તેઓએ RuPay કાર્ડ પણ લોન્ચ કર્યું છે, એટલે કે હવે ભારતનું RuPay કાર્ડ UAEમાં પણ કામ કરશે. ત્યારબાદ PM મોદીએ રાજધાની અબુધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, જ્યાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતના વિવિધ રાજ્યો અને ધર્મના લોકો અહીં આવ્યા છે, પરંતુ દરેકના દિલ જોડાયેલા છે. PM મોદીએ કહ્યું કે, આ ઐતિહાસિક સ્ટેડિયમના દરેક ધબકારા સમાન પડઘો પાડે છે કે- ભારત-UAE મિત્રતા લાંબા સમય સુધી બની રહે.

    PM મોદીએ ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં કહ્યું કે, “આવો એવી યાદો લઈને જઈએ જે જીવનભર ટકી રહે, એવી યાદો જેને તમે અને હું હંમેશા સજાવીને રાખીશું.” તેમણે કહ્યું કે, તેઓ ત્યાં જનતાને મળવા આવ્યા છે. ‘મારા પ્રિય પરિવારજનો’ તરીકે જનતાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, તેઓ તેમની સાથે 140 કરોડ ભારતીયોનો એક સંદેશ લઈને આવ્યા છે, અને તે સરળ પણ ગહન છે – ભારતને તમારા પર ગર્વ છે! તેમણે કહ્યું કે, UAEએ તેમને પોતાના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ જાએદ’થી સન્માનિત કર્યા, તે તેમના માટે સૌભાગ્યની વાત છે.

    વડાપ્રધાને કહ્યું કે, આ સન્માન માત્ર તેમનું જ નથી, પરંતુ કરોડો ભારતીયોનું સન્માન છે, તે તમારા બધાનું સન્માન છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે અમીરાતી મિત્રોએ ભારતીયોને તેમના હૃદયમાં સ્થાન આપ્યું છે અને તેમને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બનાવ્યા છે. PM મોદીએ કહ્યું કે, આ સંબંધ દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 2015માં જ્યારે અબુધાબીમાં અહીં મંદિર બનાવવાનો પ્રસ્તાવ તમારા બધા વતી તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમણે એક ક્ષણ પણ બગાડ્યા વિના તરત જ હા પાડી દીધી હતી.

    - Advertisement -

    ‘જે જમીન પર રેખા ખેંચી ખેંચી નાખશો, તે આપી દઈશ’

    PM મોદીએ કહ્યું, “તેમણે (UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને) તો ત્યાં સુધી કહી દીધું કે, જે જમીન પર રેખા ખેંચી લેશો, તે હું આપી દઈશ. હવે અબુધાબીમાં આ ભવ્ય અને દિવ્ય મંદિરના લોકાર્પણનો સમય આવી ગયો છે. આજે 21મી સદીના આ ત્રીજા દાયકામાં ભારત અને UAE વચ્ચેના સંબંધો અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આપણે એકબીજાના વિકાસમાં ભાગીદાર છીએ. આપણો સંબંધ પ્રતિભા, નવીનતા અને સંસ્કૃતિનો છે. આજે UAE ભારતનું ત્રીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે.”

    PM મોદીએ કહ્યું કે, તેમને દરેક ભારતીયની ક્ષમતામાં એટલો વિશ્વાસ છે કે આ વિશ્વાસના આધારે તેમણે ગેરંટી પણ આપી છે. તેમણે કહ્યું કે, “મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવાની ગેરંટી આપી છે અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી.” PM મોદીએ કહ્યું કે, “આજે દુનિયા ભારતને એક વિશ્વ બંધુ તરીકે જોઈ રહી છે, આજે વિશ્વના દરેક મોટા મંચ પર ભારતનો અવાજ સાંભળવામાં આવે છે. ક્યાંય પણ સંકટ આવે તો ત્યાં પહોંચનાર પ્રથમ દેશોમાં ભારતનું નામ આવે છે.” સાથે તેમણે માહિતી પણ આપી કે, ટૂંક સમયમાં ભારતની ઓનલાઈન ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ UPI ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસની જેમ UAEમાં પણ લોન્ચ કરવામાં આવશે.

    વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતને લઈને પણ વાત કરી હતી, તેમણે કહ્યું કે, “આજે એક-એક ભારતીયનું લક્ષ્ય 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. દુનિયાનો તે દેશ જેની અર્થવ્યવસ્થા ઘણી જ ઝડપથી આગળ વધી રહી છે. તે દેશ આપનો ભારત છે. આપણું ભારત સ્માર્ટ ફોન ડેટા કન્ઝ્યુમ કરવામાં દુનિયામાં નંબર વન છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં