Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનાઈજીરિયન ચર્ચમાં 'ઈસ્લામિક આતંકવાદીઓ'એ ખ્રિસ્તીઓ પર ગોળીઓ ચલાવી: 50ના મોત, અનેક ઘાયલ,...

    નાઈજીરિયન ચર્ચમાં ‘ઈસ્લામિક આતંકવાદીઓ’એ ખ્રિસ્તીઓ પર ગોળીઓ ચલાવી: 50ના મોત, અનેક ઘાયલ, પાદરીનું પણ અપહરણ

    સાંસદ અદેમી ઓલેમીનું માનવું છે કે આ હુમલો મુસ્લિમ ફુલાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આ દુખદ ઘટના આફ્રિકન દેશ નાઈજીરિયામાંથી સામે આવી છે. જ્યાં બંદૂકધારીઓએ રવિવારે (5 જૂન 2022) દક્ષિણ-પશ્ચિમ નાઇજીરીયાના ઓવો શહેરમાં સ્થિત એક કેથોલિક ચર્ચમાં પ્રાર્થના દરમિયાન ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા હતા. હુમલાખોરોએ નાઈજીરિયન ચર્ચમાં ગોળીબાર કર્યા બાદ ચર્ચની અંદર વિસ્ફોટ પણ કર્યો હતો. સ્થાનિક ધારાસભ્ય ઓગુનમોલાસુયી ઓલુવોલેએ જણાવ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

    ઓલુવોલ અનુસાર ઓવોના ઈતિહાસમાં આવી ઘટના પહેલા ક્યારેય બની નથી. નાઇજીરીયાના નીચલા વિધાનસભા ગૃહમાં ઓવો પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા એડેલેગબે ટિમિલેને જણાવ્યું હતું કે હુમલાખોરોએ ચર્ચના મુખ્ય પાદરીનું પણ અપહરણ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 11.30 વાગ્યે બની હતી. જો કે નાઈજીરિયન ચર્ચમાં ગોળીબાર કરનાર હુમલાખોરોનો પત્તો લાગ્યો ન હતો. ઘટના સ્થળેથી જે તસવીરો સામે આવી છે તેમાં લોહીથી લથપથ લોકો જમીન પર પડેલા જોવા મળ્યા હતા.

    આ ઘૃણાસ્પદ હુમલાની સખત નિંદા કરતા નાઈજીરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ કહ્યું કે ગમે તે થાય, આ દેશ ક્યારેય ખરાબ લોકો સામે ઝુકશે નહીં. અંધકાર ક્યારેય પ્રકાશને જીતી શકતો નથી. તેણે કહ્યું કે અંતે નાઈજીરિયા જ જીતશે.

    - Advertisement -

    અધિકારીઓનું કહેવું છે કે રવિવારે પેન્ટેકોસ્ટના દિવસે ખ્રિસ્તીઓ ચર્ચમાં એકઠા થયા હતા. તે દરમિયાન જ તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘાયલોની સારવાર કરનારા ડૉક્ટરો, સ્થાનિક અધિકારીઓ અને સ્વયંસેવકોએ જણાવ્યું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 50 હતો. જ્યારે આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે.

    ફુલાની આતંકવાદીઓ પર શંકા

    કેથોલિક ચર્ચ પર થયેલા ભયાનક હુમલા અંગે સાંસદ અદેમી ઓલેમીનું માનવું છે કે આ હુમલો મુસ્લિમ ફુલાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓને ડાકુ પણ કહેવામાં આવે છે. આ આતંકવાદીઓ ઉત્તરી નાઈજીરિયા સહિત દેશના ઘણા ભાગોને સતત હચમચાવી રહ્યા છે.

    આ આતંકવાદી સંગઠનનો ઉદય પશુપાલકો અને સ્થાનિક સમુદાયો વચ્ચે જમીન મેળવવા અને ખેતરોમાં અતિક્રમણને લઈને ઐતિહાસિક સંઘર્ષને કારણે થયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં