Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસબૂતો સાથે છેડછાડ? ધરપકડ બાદ ઝુબૈરે 101 ટ્વિટ ડિલીટ કર્યાં! ઑલ્ટ ન્યૂઝને...

    સબૂતો સાથે છેડછાડ? ધરપકડ બાદ ઝુબૈરે 101 ટ્વિટ ડિલીટ કર્યાં! ઑલ્ટ ન્યૂઝને 24 કલાકમાં મળ્યા હતા 1 કરોડ

    ટ્વિટર હેન્ડલે દિલ્હી પોલીસને ટેગ કરીને પૂછ્યું છે કે પોલીસ રિમાન્ડના કારણે તેની પાસે ગેજેટ્સ નથી, તેમ છતાં આ કેવી રીતે શક્ય છે? આ બધું કોણ કરી રહ્યું છે? ઝુબૈરે ટ્વિટ ડીલીટ કર્યા હોવાનું સામે આવતા આ પુરાવા સાથે છેડછાડનો સ્પષ્ટ મામલો ગણાવવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    મોહમ્મદ ઝુબૈર વિશે જાણવા મળ્યું છે કે તેણે છેલ્લા 3 દિવસમાં પોતાનાં 101 ટ્વીટ ડિલીટ કર્યાં છે. ટ્વિટર હેન્ડલ ‘ધ હોક આઈ’એ આ મોટો દાવો કર્યો છે. અગાઉ 20 જૂન, 2022 ના રોજ AltNews ના સહ-સ્થાપક ઝુબૈરે 28 ટ્વીટ્સ ડીલીટ કરી નાખી હતી. ટ્વિટર હેન્ડલે દિલ્હી પોલીસને ટેગ કરીને પૂછ્યું છે કે પોલીસ રિમાન્ડના કારણે તેની પાસે ગેજેટ્સ નથી, તેમ છતાં આ કેવી રીતે શક્ય છે? આ બધું કોણ કરી રહ્યું છે? ઝુબૈરે ટ્વિટ ડીલીટ કર્યા હોવાનું સામે આવતા આ પુરાવા સાથે છેડછાડનો સ્પષ્ટ મામલો ગણાવવામાં આવી રહ્યો છે.

    ટ્વિટર હેન્ડલે એ પણ યાદ અપાવ્યું કે બે મહિના પહેલા મોહમ્મદ ઝુબૈરે માત્ર 24 કલાકમાં દાન તરીકે 1 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. તેમજ M2S નામની એનજીઓ સાથે મળીને તેણે કુલ 1.80 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ભંડોળમાંથી 26% વિદેશમાંથી આવ્યા છે. FCRAના ઉલ્લંઘનની પણ વાત છે. શું મોહમ્મદ ઝુબૈરે પોતાના અંગત ખર્ચ માટે પણ તેમાંથી પૈસા ઉપાડ્યા હતા?

    બીજી તરફ કેટલાક પ્રોપેગેન્ડા પત્રકારો યુએનમાં પણ મોહમ્મદ ઝુબૈરની ધરપકડ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. આવા એક પ્રશ્નના જવાબમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે પત્રકારો જે લખે છે અને બોલે છે તેના માટે તેમને જેલમાં ન મોકલવા જોઈએ. પોલીસ ઝુબૈરના ખાતામાંથી 50 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર પણ નજર રાખી રહી છે. તે નાણાંનો કોઈ સ્ત્રોત જાણી શકાયો નથી. તેની સાથે પ્રતીક સિંહાનું કહેવું છે કે AltNews દ્વારા મળેલા તમામ પૈસા વ્યક્તિના નહીં પણ સંસ્થાના બેંક ખાતામાં જાય છે.

    - Advertisement -

    એક તરફ ઝુબૈરે ઘણાં ટ્વિટ ડીલીટ કર્યા છે તો બીજી તરફ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘હનુમાન ભક્ત’ નામનું ટ્વિટર હેન્ડલ, જેના આધારે મોહમ્મદ ઝુબેરની ફરિયાદ લેવામાં આવી હતી, તે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. આ ટ્વિટર હેન્ડલને ડાબેરી મીડિયા દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યું હતું. પોલીસનું કહેવું છે કે ઝુબૈર કોઈ એક સમુદાયને ગુસ્સે કરવા માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યો હતો. તે એક સમુદાયને બીજા સમુદાય સામે લડીને પ્રસિદ્ધિ મેળવવા માંગતો હતો. તે પૂછપરછમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને પણ સહકાર આપી રહ્યો નથી. દિલ્હી પોલીસની પૂછપરછમાં ઝુબૈરે માત્ર ભ્રામક જવાબો આપ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં