Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશના રાજનૈતિક ઇતિહાસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુ એક બનાવ્યો રેકોર્ડ: કોંગ્રેસ,...

    ઉત્તર પ્રદેશના રાજનૈતિક ઇતિહાસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુ એક બનાવ્યો રેકોર્ડ: કોંગ્રેસ, સપા અને બસપા સહીત તમામ પાર્ટીઓના નેતા રહી ગયા પાછળ

    યોગી આદિત્યનાથના આ મોટા રેકોર્ડે કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના તમામ મુખ્યમંત્રીઓના કાર્યકાળને પાછળ છોડી દીધો છે. ઉત્તર પ્રદેશમાં 4 વખત મુખ્યમંત્રી બનેલા માયાવતી અને 3 વખત મુખ્યમંત્રી રહેલા મુલાયમ સિંહ યાદવ પણ આ રેકોર્ડમાં ઘણા પાછળ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે એક નવો રેકોર્ડ નોંધાયો છે. તેઓ ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા છે. અગાઉ આ રેકોર્ડ કોંગ્રેસના ડો.સંપૂર્ણાનંદના નામે હતો.

    યોગી આદિત્યનાથે 19 માર્ચ 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી તેઓ સતત રાજ્યના વડા રહ્યા છે. યોગી આદિત્યનાથનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 5 વર્ષ અને 347 દિવસનો છે. આ પહેલા કોંગ્રેસના ડો.સંપૂર્ણાનંદ 5 વર્ષ અને 345 દિવસ મુખ્યમંત્રી હતા. સંપૂર્ણાનંદ ઉત્તર પ્રદેશના બીજા મુખ્યમંત્રી હતા. તેઓ 28 ડિસેમ્બર 1954 થી 7 ડિસેમ્બર 1960 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.

    મોટી વાત એ છે કે યોગી આદિત્યનાથના આ મોટા રેકોર્ડે કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના તમામ મુખ્યમંત્રીઓના કાર્યકાળને પાછળ છોડી દીધો છે. પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી ચરણ સિંહ, નારાયણ દત્ત તિવારી અને અખિલેશ યાદવ જેવા નેતાઓનો કાર્યકાળ પણ યોગી આદિત્યનાથ સામે નિસ્તેજ દેખાઈ રહ્યો છે. આટલું જ નહીં, 4 વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનેલા માયાવતી અને 3 વખત મુખ્યમંત્રી રહેલા મુલાયમ સિંહ યાદવ પણ આ રેકોર્ડમાં ઘણા પાછળ છે.

    - Advertisement -

    યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના એવા કેટલાક નેતાઓમાંથી એક છે, જેમના નેતૃત્વમાં સતત બીજી વખત સરકાર બની છે. ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં આ પહેલા વર્ષ 1985માં એનડી તિવારીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની હતી. બીજી તરફ ઉત્તરાખંડને ઉત્તર પ્રદેશથી અલગ કર્યા બાદ યોગી આદિત્યનાથ એવા પ્રથમ મુખ્યમંત્રી છે જે સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે.

    ‘નોઈડા જાય એની સત્તા જાય’- આ માન્યતા પણ CM યોગીએ જ તોડી હતી

    ઉત્તર પ્રદેશના રાજકારણમાં એવું કહેવાતું હતું કે જે પણ મુખ્યમંત્રી નોઈડા જશે તેની ખુરશી જતી રહેશે. આ માન્યતાને કારણે માયાવતીથી લઈને અખિલેશ યાદવ મુખ્યમંત્રી રહીને ક્યારેય નોઈડા ગયા નથી. જો કે, યોગી આદિત્યનાથે તેમના 5 વર્ષ અને 347 દિવસના કાર્યકાળમાં લગભગ 25 વખત નોઈડાની મુલાકાત લીધી હતી. ખુરશી પર જવાની માન્યતાઓને તોડીને યોગી ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા છે.

    નોંધનીય છે કે સીએમ યોગી પહેલાના ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં મોટા ભાગના મુખ્યમંત્રીઓ આ માન્યતાને ખુબ ગંભીરતાથી લેતા હતા. જેને કારણે માયાવતી હોય કે અખિલેશ યાદવ, તેઓએ પોતાના કાર્યકાળમાં નોઈડાની એક પણ મુલાકાત લીધી નહોતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં