Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાશ્મીરમાં હિંદુઓનું ટાર્ગેટ કિલિંગઃ અરફા-અય્યુબ જેવા ડાબેરી લિબરલોને લાગે છે ફિલ્મ સહિત...

    કાશ્મીરમાં હિંદુઓનું ટાર્ગેટ કિલિંગઃ અરફા-અય્યુબ જેવા ડાબેરી લિબરલોને લાગે છે ફિલ્મ સહિત તમામ દોષિત, પણ ઇસ્લામિક આતંકવાદ પર મૌન

    સતત એક ધર્મના અથવા એક ધર્મ સિવાયના લોકોની જ હત્યા થઈ રહી છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ દ્વારા હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે ઈસ્લામિક આતંકવાદનું એક નવું સ્વરૂપ છે. અત્યાર સુધીની હત્યાઓમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા આવા ઘણા લોકો માર્યા ગયા જે સ્થાનિક ન હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, ટાર્ગેટ કિલિંગમાં 16થી વધુ લોકોના મોત થયા છે. જેમાં પોલીસકર્મીઓથી માંડીને સરપંચ અને મજૂરોનો સમાવેશ થાય છે.

    ખીણમાં સતત હુમલાનો શિકાર બનેલો હિંદુ સમુદાય હવે ત્યાં રહેવાના નિર્ણય પર પુનર્વિચાર કરી રહ્યો છે. જો કે સરકારનું આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલુ જ છે, પરંતુ આ સમુદાયમાં સતત હત્યાનો ડર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઈસ્લામિક આતંકવાદીઓ પહેલાથી જ હિંદુઓ પર હુમલાની ચેતવણી આપી ચૂક્યા છે.

    ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સુરક્ષા મૂલ્યાંકનમાં આગામી દિવસોમાં ટાર્ગેટ કિલિંગ ઘટનાઓમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વર્તમાન સમય 1990ના દાયકાની યાદ અપાવે છે, જ્યારે કાશ્મીરી હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ખીણ છોડવાની ફરજ પડી હતી. તે દરમિયાન લાખો હિંદુઓ ખીણમાંથી હિજરત કરી ગયા હતા.

    - Advertisement -

    જો કે ખીણમાં હાલની સ્થિતિએ કેટલાક રાજકીય પક્ષો માટે નવી તક ઊભી કરી છે. આ લોકો પોતાના રાજકીય એજન્ડા માટે કાશ્મીરમાં હિંદુઓ પર હુમલાઓ કરી રહ્યા છે અને આતંકવાદીઓને દોષ આપવાને બદલે રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત છે.

    વામપંથી પ્રોપગેંડા શરૂ

    વેબ પોર્ટલ ‘ધ વાયર’ની એક પત્રકાર અને આત્યંતિક ડાબેરી એવી અરફા ખાનુમ શેરવાનીએ તાજેતરમાં હિંદુઓના હિજરત અંગે પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં, તેણે હિજરત માટે દરેકને જવાબદાર ઠેરવ્યા, પરંતુ ઇસ્લામિક ઉગ્રવાદીઓ વિશે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. અરફાએ આ હિજરત માટે ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ અને તેના નિર્માતાઓને પણ જવાબદાર ઠેરવ્યા હતા.

    આરફા ખનૂનની ટ્વિટ

    આરફાની સહયોગી ડાબેરી પત્રકાર રોહિણી સિંઘે હિન્દુઓની હિજરતની મજાક ઉડાવી હતી.

    રોહિણી સિંઘનું ટ્વિટ

    વિવાદાસ્પદ પત્રકાર અને ફંડ-ફ્રોડની આરોપી રાણા અય્યુબે પણ મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરમાં લઘુમતી હિંદુઓની વર્તમાન દુર્દશા માટે ઈસ્લામિક આતંકવાદને જવાબદાર ઠેરવ્યો ન હતો. તેણે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ માટે સમગ્ર દેશને જવાબદાર ગણાવ્યો હતો.

    રાણા અય્યુબનું ટ્વિટ

    આ ડાબેરીઓએ ચતુરાઈથી ત્રણ દાયકાઓથી ઈસ્લામિક આતંકવાદનો ભોગ બનેલા કાશ્મીરી હિંદુઓની સમસ્યાઓ માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને જવાબદાર ઠેરવી દીધી છે, વહીવટીતંત્ર પર દોષ મૂક્યો અને આતંકવાદને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો. આ ઇસ્લામિક આતંકવાદના દુષ્કર્મોને ઢાંકવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી.

    આ લોકોએ ક્યારેય ઈસ્લામિક સર્વોપરિતાના નશામાં ધૂત આતંકવાદીઓ અને જેહાદીઓની ખીણ હિન્દુઓને છોડી દેવાની ધમકીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી નથી. એક રીતે, તેઓ ઇસ્લામિક આતંકવાદીઓ માટે વૈચારિક ઢાલ તરીકે કામ કરે છે. તેમના આવા નિવેદનો આ ઈસ્લામિક આતંકવાદીઓને કવચ આપવાનું કામ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં